Skip to main content

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન


તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા.
તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન.
ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને કોઈ પ્રલોભનો કે નસીયતો ડગાવી શકી નહીં.તેઓ ભારત આવ્યા અને આ જ ધરતીની સેવા કરતાં તેમણે આખરી શ્વાસ લીધા.
જ્યારે તેઓ આઝાદ હિંદ ફોજમાં હતા,ત્યારે તેમણે તેમના રણકૌશલથી અંગ્રેજોની ચિંતા વધારી દીધી હતી. તેમના એક હુકમ પર આઝાદ હિંદના સિપાહીઓ જાન કુરબાન કરવા માટે તૈયાર થઈ જતા હતા.યુદ્ધની બદલેલી પરિસ્થિતિઓને કારણે તેમને બ્રિટિશ સરકારે કેદ કરી લીધા અને એમના ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો.
નેતાજી સુભાષના સહયોગી હોવાને કારણે અંગ્રેજો તેમને મૃત્યુદંડ આપવા ઇચ્છતા હતા,પરંતુ શાહનવાઝને મોતનો કોઈ ખોફ ન હતો.તે અંગ્રેજ સરકારથી ન દબ્યા કે ન ઝૂક્યા.છેલ્લે તેઓ બરી થયા અને દેશની આઝાદી બાદ સક્રિય રાજનીતિમાં સામેલ થયા.
આઝાદીના આ સિપાહી જાણતા હતા કે આઝાદ થયેલા દેશમાં રાજનેતાઓની પણ એટલી જ જવાબદારી છે, જેટલી સરહદ પર તૈનાત એક સૈનિકની.તેઓ 1952માં મેરઠ થી સાંસદ તરીકે ચૂંટાયા.એના પછી પણ તેઓ 1957,1962 અને 1971 માં પણ અહીંથી જ જીત્યા. તેઓ કેન્દ્ર સરકારના મંત્રી પદ પર પણ રહ્યા.
તેમને એ વાતનો વસવસો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે સપનું લઈને ચાલ્યા હતા એવું ભારત ન બનાવી શક્યા,પરંતુ તેમણે નેતાજીના નામ પર એક ગામ જરૂર વસાવ્યું હતું.તે ગામનું નામ છે 'સુભાષ ગઢ'. તે ઉત્તરાખંડમાં છે અને હરિદ્વારની નજીક સ્થિત છે.
જનરલ શાહનવાજ અને નેતાજીની જન્મતિથિમાં પણ એક અદ્ભુત સમાનતા હતી.નેતાજીનો જન્મ દિવસ 23 જાન્યુઆરી (1897) ના દિવસે આવે છે ત્યાં શાહનવાઝનું 24 જાન્યુઆરી (1914).તેમનો જન્મ રાવલપિંડી (હવે પાકિસ્તાન)ના મટૌર ગામમાં થયો હતો.
1940માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સામેલ થયા. પરંતુ જ્યારે નેતાજીએ દેશની આઝાદી માટે આહ્વાન કર્યું તો તેઓ બોલ્યા - હું હાજર છું અને તેઓ નેતાજીના મજબૂત તથા વિશ્વાસપાત્ર સાથી બની ગયા. 9 ડિસેમ્બર 1987 ના દિવસે તેમનું અવસાન થયું.
આજે દેશમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળાઇ રહ્યું છે, દેશભક્તિ અને ધર્મની નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે.આ શોરબકોરમાં રોજ ઘણા નવા અવાજો ઊઠે છે અને ઘણા ગુમ થઈ જાય છે. એ ગુમ થઈ ગયેલી અવાજમાં એક અવાજ જનરલ શાહનવાઝ ખાનનો પણ છે જેમણે હિન્દુસ્તાનની સેવા માટે પાકિસ્તાનને અલવિદા કહી દીધું હતું.જે લડાઈ શાહનવાઝ અને તેમના સાથીઓએ અંગ્રેજોથી જીતી હતી,આપણને આઝાદી સોંપીને કદાચ તે આપણાથી હારી ગયા.
- રાજીવ શર્મા
સૌજન્ય હેરીટેજ ટાઈમ્સ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...