Skip to main content

વ્યક્તિ વિશેષ : ડૉ. ઈદ્રીસ : અનેક પ્રવૃત્તિઓના પ્રણેતા અને દર્દીઓના હમદર્દ


નામ : ડૉ.સૈયદ અદાજીમીયાં શકુરમીયાં ઉર્ફે ડૉ. ઈદ્રીશ

પરિવાર :પિતા શકુરમિયાં પાલનપુર સ્ટેટના વકીલ હતા. અને પાલનપુર તથા રાધનપુર એમ બંને સ્ટેટનું કારભારીનું કામ પણ કરતા હતા.સાત વર્ષની નાની ઉંમરથી જ તેઓ પાંચ વક્તની નમાજના પાબંધ હતા. 


ડૉ.ઈદ્રીસના કાકા અતાઉલ્લાહ તમામ જ્ઞાતિ,ધર્મના બાળકોને વિનામૂલ્યે ઇંગ્લિશ,ઉર્દૂ અને પર્શિયન ભણાવતા હતા. 

ડૉ.ઈદ્રીસના દાદા રહેમતમિયાંએ ‘તવારીખે પાલનપુર’ નામનું પાલનપુર સ્ટેટનો મોટો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો.તે શાયર પણ હતા. ‘ગુલશન’ તેમનું તખલ્લુસ હતું. તેમણે ઘણી શેરો-શાયરી અને ગઝલો લખી છે.ડૉ.ઈદ્રીશનું આખું ખાનદાન પહેલેથી જ સાહિત્યિક શોખ ધરાવનાર,દીનદાર,સેવાભાવી અને આધ્યાત્મિક વૃત્તિવાળું રહ્યું છે. 

અભ્યાસ : અદાજીમીયાં ઉર્ફે ઈદ્રીસનો મેટ્રીક સુધીનો અભ્યાસ પાલનપુરમાં જ થયેલ છે.ત્યારબાદ બે વર્ષ વડોદરા કોલેજમાં કર્યા.ત્યાં તેઓ ખર્ચ કાઢવા માટે કોલેજની કેન્ટીનમાં ચા બનાવવાનું કામ કરતા હતા. ત્યારબાદ મુંબઈ જઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ત્યાં તેમણે એમ.બી.બી.એસ કર્યું. 

મુંબઈથી આવી પાલનપુર સ્ટેટમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે દવાખાનામાં નોકરી માં દાખલ થયા. ત્રણ વર્ષ નોકરી કરી.F.R.C.S થવાનું નક્કી કર્યું અને લંડન ગયા.તે વખતે તેમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી.ફંડ ફાળો કરીને તેમને લંડન ભણવા માટે મોકલેલા.લંડનમાં ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન પણ પોતાનો ખર્ચ કાઢવા માટે નાનું-મોટું કામ શોધી પોતાના ખર્ચ જેટલું કમાઈ લેતા.

ત્રણ વર્ષના અભ્યાસ બાદ એફ.આર.સી.એસ થઈ પાલનપુર આવી ફરી એજ આસિસ્ટન્ટ સર્જનની જગા સંભાળી લીધી.૧૯૪૯ સુધી તેઓ પાલનપુરમાં ફરજ બજાવતા રહ્યા.ત્યારબાદ તેમની બદલી થતાં તેમણે નોકરીમાંથી રાજીનામું આપી પોતાનું ઘરનું દવાખાનું પાલનપુરમાં શરૂ કર્યું.

ડૉ. ઇદ્રીસ પાલનપુર સ્ટેટના સૌ પ્રથમ F.R.C.S થનાર ડોક્ટરની સાથે આખા ઉત્તર ગુજરાતમાં પણ તેઓ પ્રથમ 
F.R.C.S થનાર ડોકટર હતા. 

ડૉ. ઈદ્રીસ ડોકટરના વ્યવસાય સિવાય પણ અન્ય ઘણીબધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ઇલેક્ટ્રોનિક લાઉડ-સ્પીકરોમાં પણ અલગ-અલગ જાતની સિસ્ટમની નવી શોધ કરી હતી.રેકોર્ડ પ્લેયર સાથે મ્યુઝીકલ સિસ્ટમ પણ બનાવી હતી.ગાંડા કે અર્ધપાગલ જેવા દર્દીઓને ઇલેક્ટ્રીક શોક આપવા માટેના મશીન પણ તેમણે તે જમાનામાં બનાવ્યા હતા.તેઓ એક સારા ફોટોગ્રાફર પણ હતા.પાલનપુર અને રાધનપુર સ્ટેટના ફેમિલી ડોક્ટર હતા.તેમનામાં નાનપણથી જ ધાર્મિક માહોલ હતો.લંડનના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન પણ રમજાન માસમાં તેમના રોજા જતા નહીં.ગરીબ દર્દીઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સેવા આપતા અને મદદ કરતા. 

ડૉ. ઈદ્રીસ પાસે એ જમાનામાં મોટી લાઈબ્રેરી હતી જેમાં આશરે બે હજાર ઉપરાંત પુસ્તકો અંગ્રેજી,ઉર્દૂ,પર્શીયન અને ગુજરાતી ભાષામાં હતા.

પોતાના દવાખાનામાં કામકાજ કરતાં કરતાં જ હૃદયરોગનો હુમલો આવતા ડૉ. ઈદ્રીસ 1967માં પોતાના દવાખાનામાં જ અલ્લાહની રહેમતે પહોંચી ગયા.
નેક રુહને સલામ…

સાભાર : ગરવી ગુજરાતનાં ગૌરવવંતા મુસ્લિમો

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...