Skip to main content

કૉંગ્રેસની કબર કોણે ખોદી ?

કોગ્રેસનો ઢંઢેરો પીટતા અને ખુદને દેશની સર્વોપરી દૂધથી ધોયેલી પાર્ટી કહેવાવાળા આદરણીય કોગ્રેસીઓ ૧૯૮૦ પછી કોગ્રેસમાં એવું કઈ વિશેષ જોવા નથી મળ્યું. પગ પર કુહાડી મારવાની અને પારંપરિક રાજનીતિનો દૌર ત્યાંથી શરુ થયો ને સ્વાર્થ, લાલચ અને અહંકારપણારુપી ગંદી રાજનીતિએ સમય આવતાં કોંગ્રેસને એની મહત્વતા બતાવી દીધી. કારણ કર્મનો સિદ્ધાંત ચુક્યા..
જે નેતા પોતાના દેશ પ્રત્યેની ભાવના,લાગણી ભૂલી જ્યારે અંગત વિકાસમાં રાચવની ઝંખના કરે છે સમજી લેવું એનું પતન નિશ્ચિત છે મારો નહીં કુદરતનો નિયમ છે.. માફ કરશો શ્રધ્ધા દરેકનો વ્યક્તિગત વિષય છે પરંતું જ્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં જઈએ એ દરમિયાન જ કેમ ધાર્મિક અને ભલા માણસ થઇ જઈએ છીએ. થોડી મિનીટો માટે અને બહાર નિકળી, એના એ જ. એ મંદિર, મસ્જિદ,ગુરુદ્વારા કે ચર્ચમાં બેઠેલો ભગવાન,અલ્લાહ,જીસસ આપણા પર હસતો નહી હોય કે અયે આવી ગયા મને મૂર્ખ બનાવવા.. થોડી વાર મને મૂર્ખ બનાવશે ને બહાર જઈને દુનિયાવાળોને.. તો ધર્મની વાત જ ક્યાં રહી આ તો પોતાને સર્ટિફિકેટ અપાવવા ડોળ કરીને ખુદ જ પ્રમાણિકતા પુરવાર કરી લોકોનો ઉપયોગ કરી નિજી સ્વાર્થ ખાતર બધુ નેવે મૂકી દેવામાં આવે છે. નાગરિક ધર્મ માનવતાનો સાચો ધર્મ નહી બજાવવામાં આવે ત્યાં સુધી ખાલી પ્રાર્થના, નમાઝથી કશું નહી થાય. માનવી માનવ બને તોય ઘણું.
મુળ વાત અટકી ગઈ હતી. ૧૯૮૦ પછી જે જે કોગ્રેસીઓ આવ્યા, એમાં સારા અને નેક પણ હશે. પણ, એમનું પ્રમાણ નહિવત. એના કારણે જે વોટબેંક ખાતર ખેલ કોગ્રેસની નેતાગીરીએ ખેલ્યો એનાથી એ જ કર્મનું કાળ ચક્ર ફરવાનું શરુ થયુ ને ૨૦૧૪ માં એમની ઔકાત શુ છે એ બતાવી દીધી.. અને સમય દરેકને તક આપે છે. એ પ્રમાણે ૨૦૧૪માં ભાજપને એ તક આપી. લોકોને વિકાસનું મોડલ બતાવી ભ્રમમાં નાખી અત્યારે શિક્ષા, સ્વાસ્થ્ય, ખેતી દરેક જગ્યાએ એમના જ સરકારી આંકડા પ્રમાણે નિષ્ફળતા દર્શાવી રહી છે. ગમે તેટલા ધમપછાડા કરો, પૈસા ખર્ચો, તાયફા કરો, પણ કાળ ચક્ર અને કર્મનો સિદ્ધાંત બહુ જ મજબુતાઈથી એનુ કામ કરતું આવ્યું છે. કેટલાય અચ્છા અચ્છા ગયા અને નવા આવ્યા. કુદરત કોઈનું પણ સગાવાદ, લાગવગ, લાગણી, ગાંડપણ ચલાવતી નથી.. એને તો સત્યતા પર ઉણા ઉતરેલા પર ન્યાય કરતાં જ આવડે છે.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી એ યુવાનોની મોટી મોટી વાતો જ્યાં જાય ત્યાં કરે છે, ક્યા યુવાનો તમે હાથ બત્તી લઈ ને શોધવા નિકળ્યા? એ જ જુના અને ખુરશીઓ પર ચોટી ગયેલા, બીજાઓને આગળ ન આવવાની વૃત્તિમાંથી બર આવવું પડે અને રાજાશાહી, જાહોજહાલી અને દેખાવો છોડી દેવા પડે. દરેક ગામડે નાનામાં નાના માણસ જોડે મળી એમને મળીને સાથે મળી દેશના વિકાસ માટે સહિયારા પ્રયાસનો વિશ્વાસ જગાડવો પડે. આ તો જીલ્લામાં કોઈ નેતા આવશે તો ગણાગાંઠ્યા ચાર પાંચ ભમરાઓ આજુબાજુ કોર્ડન કરી લેશે ને વીઆઈપી વાતાવરણ બનાવી લેશે.. અરે તમે કઈ લખાઈને નથી આવ્યા જનતાની સેવા કરવાની છે. આ કલ્ચર ખતમ થવું જોઈએ. કયો એમપી કે એએલએ જીત્યા પછી તમારા વિસ્તારની મુલાકાતે આવ્યો કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. આ તો બધા મોટા પંડાલો અને સત્તાના નશાના આદિ થઇ ગયેલા છે. શેરી, મહોલ્લા, ગામડે-ગામડે, શહેરે શહેરે એવા લોકોની શોધ શરુ કરી દો અને એમને ચુંટણીઓ લડવા માટે દબાણ, મહેનત કરો..
સાચો નાગરિક ધર્મ નિભાવવાનો સમય પાકી ગયો છે.. છોડો આ સ્વાર્થી લાલચુ અહંકારી નેતાગીરી અને નેતાઓને, ક્યાં સુધી એમના પર નિર્ભર રહેશો? પોતાની નેતાગીરી પોતાનો ભરોસો પોતાનું ગૌરવ ઉભુ કરો જાતિ, ધર્મ, વર્ગ ઉપર માત્ર રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના ખાતર..

Written on May 2018


Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...