Skip to main content

કૉંગ્રેસની કબર કોણે ખોદી ?

કોગ્રેસનો ઢંઢેરો પીટતા અને ખુદને દેશની સર્વોપરી દૂધથી ધોયેલી પાર્ટી કહેવાવાળા આદરણીય કોગ્રેસીઓ ૧૯૮૦ પછી કોગ્રેસમાં એવું કઈ વિશેષ જોવા નથી મળ્યું. પગ પર કુહાડી મારવાની અને પારંપરિક રાજનીતિનો દૌર ત્યાંથી શરુ થયો ને સ્વાર્થ, લાલચ અને અહંકારપણારુપી ગંદી રાજનીતિએ સમય આવતાં કોંગ્રેસને એની મહત્વતા બતાવી દીધી. કારણ કર્મનો સિદ્ધાંત ચુક્યા..
જે નેતા પોતાના દેશ પ્રત્યેની ભાવના,લાગણી ભૂલી જ્યારે અંગત વિકાસમાં રાચવની ઝંખના કરે છે સમજી લેવું એનું પતન નિશ્ચિત છે મારો નહીં કુદરતનો નિયમ છે.. માફ કરશો શ્રધ્ધા દરેકનો વ્યક્તિગત વિષય છે પરંતું જ્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં જઈએ એ દરમિયાન જ કેમ ધાર્મિક અને ભલા માણસ થઇ જઈએ છીએ. થોડી મિનીટો માટે અને બહાર નિકળી, એના એ જ. એ મંદિર, મસ્જિદ,ગુરુદ્વારા કે ચર્ચમાં બેઠેલો ભગવાન,અલ્લાહ,જીસસ આપણા પર હસતો નહી હોય કે અયે આવી ગયા મને મૂર્ખ બનાવવા.. થોડી વાર મને મૂર્ખ બનાવશે ને બહાર જઈને દુનિયાવાળોને.. તો ધર્મની વાત જ ક્યાં રહી આ તો પોતાને સર્ટિફિકેટ અપાવવા ડોળ કરીને ખુદ જ પ્રમાણિકતા પુરવાર કરી લોકોનો ઉપયોગ કરી નિજી સ્વાર્થ ખાતર બધુ નેવે મૂકી દેવામાં આવે છે. નાગરિક ધર્મ માનવતાનો સાચો ધર્મ નહી બજાવવામાં આવે ત્યાં સુધી ખાલી પ્રાર્થના, નમાઝથી કશું નહી થાય. માનવી માનવ બને તોય ઘણું.
મુળ વાત અટકી ગઈ હતી. ૧૯૮૦ પછી જે જે કોગ્રેસીઓ આવ્યા, એમાં સારા અને નેક પણ હશે. પણ, એમનું પ્રમાણ નહિવત. એના કારણે જે વોટબેંક ખાતર ખેલ કોગ્રેસની નેતાગીરીએ ખેલ્યો એનાથી એ જ કર્મનું કાળ ચક્ર ફરવાનું શરુ થયુ ને ૨૦૧૪ માં એમની ઔકાત શુ છે એ બતાવી દીધી.. અને સમય દરેકને તક આપે છે. એ પ્રમાણે ૨૦૧૪માં ભાજપને એ તક આપી. લોકોને વિકાસનું મોડલ બતાવી ભ્રમમાં નાખી અત્યારે શિક્ષા, સ્વાસ્થ્ય, ખેતી દરેક જગ્યાએ એમના જ સરકારી આંકડા પ્રમાણે નિષ્ફળતા દર્શાવી રહી છે. ગમે તેટલા ધમપછાડા કરો, પૈસા ખર્ચો, તાયફા કરો, પણ કાળ ચક્ર અને કર્મનો સિદ્ધાંત બહુ જ મજબુતાઈથી એનુ કામ કરતું આવ્યું છે. કેટલાય અચ્છા અચ્છા ગયા અને નવા આવ્યા. કુદરત કોઈનું પણ સગાવાદ, લાગવગ, લાગણી, ગાંડપણ ચલાવતી નથી.. એને તો સત્યતા પર ઉણા ઉતરેલા પર ન્યાય કરતાં જ આવડે છે.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી એ યુવાનોની મોટી મોટી વાતો જ્યાં જાય ત્યાં કરે છે, ક્યા યુવાનો તમે હાથ બત્તી લઈ ને શોધવા નિકળ્યા? એ જ જુના અને ખુરશીઓ પર ચોટી ગયેલા, બીજાઓને આગળ ન આવવાની વૃત્તિમાંથી બર આવવું પડે અને રાજાશાહી, જાહોજહાલી અને દેખાવો છોડી દેવા પડે. દરેક ગામડે નાનામાં નાના માણસ જોડે મળી એમને મળીને સાથે મળી દેશના વિકાસ માટે સહિયારા પ્રયાસનો વિશ્વાસ જગાડવો પડે. આ તો જીલ્લામાં કોઈ નેતા આવશે તો ગણાગાંઠ્યા ચાર પાંચ ભમરાઓ આજુબાજુ કોર્ડન કરી લેશે ને વીઆઈપી વાતાવરણ બનાવી લેશે.. અરે તમે કઈ લખાઈને નથી આવ્યા જનતાની સેવા કરવાની છે. આ કલ્ચર ખતમ થવું જોઈએ. કયો એમપી કે એએલએ જીત્યા પછી તમારા વિસ્તારની મુલાકાતે આવ્યો કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. આ તો બધા મોટા પંડાલો અને સત્તાના નશાના આદિ થઇ ગયેલા છે. શેરી, મહોલ્લા, ગામડે-ગામડે, શહેરે શહેરે એવા લોકોની શોધ શરુ કરી દો અને એમને ચુંટણીઓ લડવા માટે દબાણ, મહેનત કરો..
સાચો નાગરિક ધર્મ નિભાવવાનો સમય પાકી ગયો છે.. છોડો આ સ્વાર્થી લાલચુ અહંકારી નેતાગીરી અને નેતાઓને, ક્યાં સુધી એમના પર નિર્ભર રહેશો? પોતાની નેતાગીરી પોતાનો ભરોસો પોતાનું ગૌરવ ઉભુ કરો જાતિ, ધર્મ, વર્ગ ઉપર માત્ર રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના ખાતર..

Written on May 2018


Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...