Skip to main content

મૌલાના આઝાદ સાહેબની ૧૨૯મી જન્મ જયંતી


આજે આપણે મૌલાના આઝાદ સાહેબની ૧૨૯મી જન્મ જયંતી તરીકે યાદ કરીને શક્ય છે કે રાબેતા મુજબ સ્મરણાંજલિ અર્પી શકીએ.બાકી કશું જ ન કરી શકીએ.આજની કેન્દ્ર-રાજ્ય સરકારોના એજન્ડામાં જ્યાં તાજ મહાલ  કે કુશળ શાસક અને મહાન યોધ્ધા ટીપુ સુલતાનના ઓજસ્વી ચરિત્રને ખંડિત કરવાના લગલગાટ પ્રયત્નો થઇ રહ્યા હોય ત્યાં જુના કોંગ્રેસી મુસલમાન મૌલાના આઝાદને કૌણ સાંભરે ?


ઈતિહાસ સાક્ષી છે કે મૌલાના આઝાદ જેવા અને અન્ય વિદ્વાનો ગાંધીજી અને કોંગ્રેસની સાથે ના રહ્યા હોત તો જેને માટે આપણે ગૌરવવંતા ભારત દેશનો મહિમા ગાન કરીએ છીએ તેવો તેનો નકશો રચાયો જ ન હોત ! રામચંદ્ર ગુહાના શબ્દોનો ઉપયોગ કરીને કહીએ કે  ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા ‘ એટલે કે આધુનિક ભારતના ઘડતરના પાયામાં રહેલા મુખ્ય સ્તંભો પૈકી મૌલાના આઝાદની શૈક્ષણિક સૂઝ વિશે તો જેટલી એમની પ્રસંશા કરીએ એટલી ઓછી જ છે.

મૌલાના આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમાયા અને મૃત્યુ પર્યંત (૧૯૫૮ સુધી ) આ સ્થાન શોભાવ્યું.દેશને આપેલી અણમોલ સેવાઓ અને માર્ગદર્શનની કદર રૂપે એમને મરણોત્તર ભારતરત્નના ખિતાબથી ૧૯૯૨માં નવાજવામાં આવ્યા.આઈ.આઈ.ટી(ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી),આઈ.આઈ.એસ (ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ-બેંગ્લોર),આઈ.આઈ.એસ.પી.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ્યલ સાયન્સ-નવી દિલ્હી) અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ રીસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ,યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન જેવી શિક્ષણ,સંશોધન અને કૌશલ્યોની મહાકાય સંસ્થાઓની સ્થાપનામાં મૌલાનાની અગ્રિમ ભૂમિકા અને પ્રદાનને માત્ર મૂર્ખાઓ કાં અંધ કટ્ટરવાદીઓ જ નજર અંદાઝ કરી શકે !
ઓગસ્ટ ૨૦૧૭માં યુ.એન.ઓ(યુનો) ખાતે આપણા દેશના વર્તમાન વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજનું ભાષણ વખણાયું કેમકે એમણે ભારતનો  પરિશુદ્ધ પ્રગતિશીલ દેશ વિશેનો   ચિતાર સ્પષ્ટ કરવા માટે આઝાદી બાદ પાકિસ્તાન કરતાં ભારતે  શિક્ષણ,હુન્નર,સંશોધન વગેરે ક્ષેત્રે જે હરણફાળો ભરી છે તેની છણાવટ કરીને જણાવ્યું કે ભારતની આધુનિક પ્રગતિ માટે આપણી પાયાની શિક્ષણ નીતિઓએ આપણને આજ પર્યંત પ્રગતિશીલ રાખ્યા છે.એટલે કે મૌલાના આઝાદનું શૈક્ષણિક પ્રદાન અવિસ્મરણીય છે.

વતન રૂપે ભારતીય કર્મભૂમિને સમૃદ્ધ કરવામાં સિંહફાળો આપનારા મૌલાના આઝાદ વતન-દેશની સ્વતંત્રતા તેમજ પ્રગતિ માટે આજીવન ઝઝૂમતા રહ્યા.માત્ર અંગ્રેજોએ જ નહિ,સંકીર્ણવાદી હિંદુ-મુસ્લિમ નેતૃત્વે પણ એમના માર્ગમાં અનેક અવરોધો પાથરવામાં પાછીપાની કરી નહીં.અડગ પત્રકાર,શીષ્ટ  સંપાદક,ઊંડા ચિંતક અને મેધાવી લેખક-વક્તા હિંદુ-મુસ્લિમ એકતાના અસલ ભારતીય પ્રહરી તરીકે એમને ઉચ્ચારેલા ચિરંજીવી શબ્દોનું હૃદય-કર્મથી જતન કરીએ:

“આજે અગર એક ફરિશ્તો આસમાનની ઊંચાઈથી ઉતરી આવે અને દિલ્હીના કુતુબમિનાર ઉપર ઉભો રહીને એલાન કરે કે ભારતને આઝાદી ૨૪ કલાકમાં જ મળી શકે છે,શરત એ કે હિન્દુસ્તાન હિન્દુ-મુસ્લિમ એકતા ને તોડી નાંખે તો હું આઝાદીને કબૂલ નહીં કરું .અગર આઝાદી  મળવામાં સમય લાગશે તો હિન્દુસ્તાનનું નુકશાન થાશે પણ જો અમારી એકતા તૂટી જશે તો એ પૂરી દુનિયાની ઈન્સાનિયતનું નુકશાન થશે”


Written On November 2017

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...