Skip to main content

મુસ્તુખાન સુખ ‘ગ્રામશિલ્પી’


પીંગળી(ભાવનગર) ખાતે બલોચ કુટુંબમાં જન્મેલા,લોકભારતીસણોસરાથી ગ્રામવિદ્યા સ્નાતક થયેલ,અભ્યાસ દરમિયાન ગ્રામાભિમુખ કેળવણીથઇ અને મનોમન નક્કી કર્યું કે ગામડામાં જ કામ કરવું.પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠથી એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઇન સોસીઅલ વર્ક)


કરી 
એમની અંદર રહેલા ગ્રામવિકાસ અને સર્વોદયના વિચારને નવીદિશા તરફ લઇ સમાજકાર્યને વધારે સારી રીતે સમજવા અને શીખવા ગુજરાત હરીજનસેવક સંઘમાં જોડાઈને ત્યાંથી સંવેદના,પ્રેમ,કરુણા જેવા માનવીય મુલ્યોનેસમજવાની અનોખી સમજણ કેળવી,ગામડું જે દેશ ની ધરોહર છે અને એમાંય ગણા બધાપ્રશ્નો રહેલા છે એ બધું સમજ્યા પછી મંજીલની શોધમાં ગુજરાત વિદ્યાપીઠનાગ્રામશિલ્પી’ પ્રોગ્રામ અંતર્ગત ગણા બધા પ્રયત્નો બાદ એમણે રાજ્યમાંથીઅમીરગઢ તાલુકાની પસંદગી કરી,કેમકે અહી શિક્ષણનું પ્રમાણ બહુ જ નીચુંહતું.અહી અમીરગઢ આસપાસના વિસ્તારની મુલાકાત લેતા ખાટીસીતરા પહોચ્યા,ત્યાંનીપરિસ્થિતિ અને લોકોને જોતાં જ એમનો માયલો કહી બેઠો કે ભાઈ તારી મંઝીલ તો અહીજ છે.હૃદય ના સાદે અહીં કામ કરવા મજબુર કરીને પછી શરુ થઇ વિકાસની ગાથા .ગાંધી બાપુના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવા ગ્રામશીલ્પી તરીકેમૂલ્યનિષ્ઠ પ્રવૃત્તિ કરવા આંતરીયાળ વિસ્તારના શિક્ષણ,આરોગ્ય,વિકાસ અનેલોકજીવનના પ્રશ્નોને સમજવા અને તેમાંથી બહાર આવવાના પ્રાયોગિક જીવનની શરૂઆત૨૦૧૨ માં કરનાર અને જ્યાં રહ્યા,વિસ્તર્યા,વિકસ્યા અને ડુંગરી ગરાસીયાસમાજ સાથે મૈત્રી કરવાની મથામણ કરી તે તીર્થસ્થળ એટલે ખાટીસીતરા.

આવિસ્તારમાં જીવન જરૂરિયાતની પાયાની સુવિધાના અનેક પ્રશ્નો હતા,સહુથી મોટોપ્રશ્ન ગામમાં આવવા જવા માટે રસ્તાનો અભાવ હતો.ઘોડા(ગાંજી) થી ૪ કિમી ચાલીને જવુંપડે,પીવાના પાણીની તકલીફ,ગામમાં વીજળી ન હતી,દારૂ નું વ્યસન એવા અનેકશિક્ષણ,આરોગ્ય,પર્યાવરણ અને બેરોજગારીના પ્રશ્નોને સરકાર અને લોકો વચ્ચેમધ્યસ્થી બનીને વૃક્ષારોપણ,પેટા શાળા પછી સ્વતંત્ર શાળા મંજુરી,રેશન કાર્ડ,હેલ્થ કાર્ડ,પાણીનીટાંકીઓ,ભેંસો માટે લોન,મધ અને ગુગળના ગૃહ ઉદ્યોગ અને બીજા અનેક અસંખ્ય કામો કરીખાટીસીતરા લોકમિત્ર સ્પેસ ની રોનક બદલી નાખનાર યુવાન એટલે ‘મુસ્તુખાન’. વિકાસશીલ પથ પર ચાલતાં ચાલતાં ૨૦૧૬માં‘લોકસારથીફાઉન્ડેશન’ ની સ્થાપના કરી.
  
અનુભવ પૂજ્ય ગાંધીજી સ્થાપિત ગુજરાત હરીજન સેવકસંઘ-અમદાવાદમાં કોર્ડીનેટર તરીકે બે વર્ષ કામગીરી કરી.

વિકાસકાર્યોં

.ખાટીસીતરા ગામનાલોકોને  તૈયારકરીને ૪કિમી પહાડો અને જંગલ વચ્ચે સરકારનો એકપણ રૂપિયો લીધા વગર રસ્તો બનાવ્યો.
.ગામમાં એકપણ બાળક અભ્યાસ નહોતું કરતુ અને સ્કુલ પણ નહોતી ,આજે ૧૩૯ બાળકો અભ્યાસ કરે છે.અને ગામમાં એક થી છ ધોરણની સ્વતંત્ર સ્કુલ છે,
.૩૦ બાળકોની હોસ્ટેલ જેમાં અતિગરીબ અને જરૂરિયાતવાળા આદિવાસી બાળકો વિનામૂલ્યે રહે છે.
.ગામમાં સ્થાનિક કાર્યકરો તૈયાર કરી આરોગ્યસ્તર સુધાર્યું -૫ વર્ષમાં માત્ર એક માતામરણ
.ગામમાં બહેનોના ૭ બચતમંડળ.
.આંગણવાડીમાં ૫૦ બાળકો.
.રોજગારી માટે મધ અને જંગલી ગોણપેદાશોનું માર્કેટિંગ.
.પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર.

આઉપરાંત ગ્રામવિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને લઈને મોટાભાઈ (મુસ્તુખાન) ને જાગૃત જન એવાર્ડ,હમ હોંગે કામયાબ એવોર્ડ અને અનેક સ્વયંસેવી સંસ્થાઓએ બહુમાન કરેલ છે.

સંસ્થાની મુલાકાત એકવાર અવશ્વ્ય લેવા જેવી છે ઉત્તમ સેવાકીય યજ્ઞ થકી આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાની નેમ,ધુણી ધખાવનાર યુવાન આજના તમામ યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત છે.

મુસ્તુખાન સુખ ‘ગ્રામશિલ્પી’ : +૯૧૯૮૭૯૦૮૯૨૧૮

Comments

  1. I have visited this place. Going there, looking at them and their support, it seems that if you want to see service, then go for a sour sit...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...