Skip to main content

મુસ્તુખાન સુખ ‘ગ્રામશિલ્પી’


પીંગળી(ભાવનગર) ખાતે બલોચ કુટુંબમાં જન્મેલા,લોકભારતીસણોસરાથી ગ્રામવિદ્યા સ્નાતક થયેલ,અભ્યાસ દરમિયાન ગ્રામાભિમુખ કેળવણીથઇ અને મનોમન નક્કી કર્યું કે ગામડામાં જ કામ કરવું.પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠથી એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઇન સોસીઅલ વર્ક)


કરી 
એમની અંદર રહેલા ગ્રામવિકાસ અને સર્વોદયના વિચારને નવીદિશા તરફ લઇ સમાજકાર્યને વધારે સારી રીતે સમજવા અને શીખવા ગુજરાત હરીજનસેવક સંઘમાં જોડાઈને ત્યાંથી સંવેદના,પ્રેમ,કરુણા જેવા માનવીય મુલ્યોનેસમજવાની અનોખી સમજણ કેળવી,ગામડું જે દેશ ની ધરોહર છે અને એમાંય ગણા બધાપ્રશ્નો રહેલા છે એ બધું સમજ્યા પછી મંજીલની શોધમાં ગુજરાત વિદ્યાપીઠનાગ્રામશિલ્પી’ પ્રોગ્રામ અંતર્ગત ગણા બધા પ્રયત્નો બાદ એમણે રાજ્યમાંથીઅમીરગઢ તાલુકાની પસંદગી કરી,કેમકે અહી શિક્ષણનું પ્રમાણ બહુ જ નીચુંહતું.અહી અમીરગઢ આસપાસના વિસ્તારની મુલાકાત લેતા ખાટીસીતરા પહોચ્યા,ત્યાંનીપરિસ્થિતિ અને લોકોને જોતાં જ એમનો માયલો કહી બેઠો કે ભાઈ તારી મંઝીલ તો અહીજ છે.હૃદય ના સાદે અહીં કામ કરવા મજબુર કરીને પછી શરુ થઇ વિકાસની ગાથા .ગાંધી બાપુના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવા ગ્રામશીલ્પી તરીકેમૂલ્યનિષ્ઠ પ્રવૃત્તિ કરવા આંતરીયાળ વિસ્તારના શિક્ષણ,આરોગ્ય,વિકાસ અનેલોકજીવનના પ્રશ્નોને સમજવા અને તેમાંથી બહાર આવવાના પ્રાયોગિક જીવનની શરૂઆત૨૦૧૨ માં કરનાર અને જ્યાં રહ્યા,વિસ્તર્યા,વિકસ્યા અને ડુંગરી ગરાસીયાસમાજ સાથે મૈત્રી કરવાની મથામણ કરી તે તીર્થસ્થળ એટલે ખાટીસીતરા.

આવિસ્તારમાં જીવન જરૂરિયાતની પાયાની સુવિધાના અનેક પ્રશ્નો હતા,સહુથી મોટોપ્રશ્ન ગામમાં આવવા જવા માટે રસ્તાનો અભાવ હતો.ઘોડા(ગાંજી) થી ૪ કિમી ચાલીને જવુંપડે,પીવાના પાણીની તકલીફ,ગામમાં વીજળી ન હતી,દારૂ નું વ્યસન એવા અનેકશિક્ષણ,આરોગ્ય,પર્યાવરણ અને બેરોજગારીના પ્રશ્નોને સરકાર અને લોકો વચ્ચેમધ્યસ્થી બનીને વૃક્ષારોપણ,પેટા શાળા પછી સ્વતંત્ર શાળા મંજુરી,રેશન કાર્ડ,હેલ્થ કાર્ડ,પાણીનીટાંકીઓ,ભેંસો માટે લોન,મધ અને ગુગળના ગૃહ ઉદ્યોગ અને બીજા અનેક અસંખ્ય કામો કરીખાટીસીતરા લોકમિત્ર સ્પેસ ની રોનક બદલી નાખનાર યુવાન એટલે ‘મુસ્તુખાન’. વિકાસશીલ પથ પર ચાલતાં ચાલતાં ૨૦૧૬માં‘લોકસારથીફાઉન્ડેશન’ ની સ્થાપના કરી.
  
અનુભવ પૂજ્ય ગાંધીજી સ્થાપિત ગુજરાત હરીજન સેવકસંઘ-અમદાવાદમાં કોર્ડીનેટર તરીકે બે વર્ષ કામગીરી કરી.

વિકાસકાર્યોં

.ખાટીસીતરા ગામનાલોકોને  તૈયારકરીને ૪કિમી પહાડો અને જંગલ વચ્ચે સરકારનો એકપણ રૂપિયો લીધા વગર રસ્તો બનાવ્યો.
.ગામમાં એકપણ બાળક અભ્યાસ નહોતું કરતુ અને સ્કુલ પણ નહોતી ,આજે ૧૩૯ બાળકો અભ્યાસ કરે છે.અને ગામમાં એક થી છ ધોરણની સ્વતંત્ર સ્કુલ છે,
.૩૦ બાળકોની હોસ્ટેલ જેમાં અતિગરીબ અને જરૂરિયાતવાળા આદિવાસી બાળકો વિનામૂલ્યે રહે છે.
.ગામમાં સ્થાનિક કાર્યકરો તૈયાર કરી આરોગ્યસ્તર સુધાર્યું -૫ વર્ષમાં માત્ર એક માતામરણ
.ગામમાં બહેનોના ૭ બચતમંડળ.
.આંગણવાડીમાં ૫૦ બાળકો.
.રોજગારી માટે મધ અને જંગલી ગોણપેદાશોનું માર્કેટિંગ.
.પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર.

આઉપરાંત ગ્રામવિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને લઈને મોટાભાઈ (મુસ્તુખાન) ને જાગૃત જન એવાર્ડ,હમ હોંગે કામયાબ એવોર્ડ અને અનેક સ્વયંસેવી સંસ્થાઓએ બહુમાન કરેલ છે.

સંસ્થાની મુલાકાત એકવાર અવશ્વ્ય લેવા જેવી છે ઉત્તમ સેવાકીય યજ્ઞ થકી આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાની નેમ,ધુણી ધખાવનાર યુવાન આજના તમામ યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત છે.

મુસ્તુખાન સુખ ‘ગ્રામશિલ્પી’ : +૯૧૯૮૭૯૦૮૯૨૧૮

Comments

  1. I have visited this place. Going there, looking at them and their support, it seems that if you want to see service, then go for a sour sit...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...