Skip to main content

નિર્દોષોના કત્લ


તાજેતરના એનસીઆરબી(નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના અહેવાલમાં બાળકો સામે બળાત્કાર અને અન્ય ગુનાઓની સંખ્યામાં આઘાતજનક વધારો થયો છે.- રમેશ ચક્ર્પાની

2016 ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના આંકડા જણાવે છે કે જાતીય ગુનાઓ સહિતના બાળકો સાથે કરેલ કુલ ગુનાઓની સંખ્યા 2015 માં 94,172 થી વધીને 1,06,958 થઇ ગઈ છે જે 2014 માં 89, 423 હતી, પરિણામે ગુનાનો દર 2015 માં 21.1 થી વધીને 24.0 થયો.અને 2014 માં 20.1 હતો.

પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુયલ ઑફેન્સ એક્ટ, 2012 (POSCO) નીચે નોધાયેલ ગુનાખોરીમાં માં કુલ 36,022 ગુના છે, જેમાં ઉત્તર પ્રદેશ (4, 954), મહારાષ્ટ્ર (4,815) અને મધ્યપ્રદેશ (4,717).અપહરણના કેસોની સંખ્યામાં ત્રણ રાજ્યો ટોચ પર છે, સમગ્ર દેશમાં જેની સંખ્યા કુલ 54,723 જેટલી છે, ઉત્તર પ્રદેશમાં 9, 657, મહારાષ્ટ્રમાં 7,956 અને મધ્ય પ્રદેશમાં 6,016 ગુના નોંધાયા છે.

વર્ષ 2016 માં નોંધાયેલા બાળ બળાત્કારની સંખ્યા, 19,765, જે 2015 ના 10,854થી આંકડાથી લગભગ બમણી છે.જાતીય સતામણીના ગુનાઓમાં સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી હતી. 2016 માં 42,196 વ્યક્તિઓની બાળકો સામે લૈંગિક અપરાધો માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કુલ દોષિતોમાંથી 3,859 અને 9,111 લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવેલ. બાળ બળાત્કારના કિસ્સામાં 24,007 લોકોની ધરપકડ કરવામાં આવી હતી; 2,241 દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને 5,693 લોકો નિર્દોષ છૂટ્યા હતા.

મેટ્રોપોલિટન શહેરોમાં, દિલ્હીમાં બાળકો સામે ગુનાઓની સંખ્યામાં સૌથી ખરાબ પરિસ્થિતિ હતી , જો કે છેલ્લા ત્રણ વર્ષમાં થોડો ઘટાડો થયેલ છે. તે પછી મુંબઇ, બેંગલુરુ, પુણે અને લખનઉ જે 2015 થી આજ સુધી 582 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.જે ગંભીર બાબત છે.

બાળકો સામે લૈંગિક અપરાધોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યમાં ટોચના પાંચ સૌથી ખરાબ સેક્શુયલ ઑફેન્સના અપરાધો નોધાયેલ   રાજ્યો છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં બાળ બળાત્કારના ભોગ બનેલા બાળકો (2,479), મહારાષ્ટ્ર (2,333), ઉત્તર પ્રદેશ (2,115), ઓડિશા (1,258) અને પશ્ચિમ બંગાળ (719) નોધાયેલ છે.

સાભાર : ફ્રન્ટલાઈન ( મે ૧૧,૨૦૧૮ )


Written On May 2018

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...