Skip to main content

નિર્દોષોના કત્લ


તાજેતરના એનસીઆરબી(નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના અહેવાલમાં બાળકો સામે બળાત્કાર અને અન્ય ગુનાઓની સંખ્યામાં આઘાતજનક વધારો થયો છે.- રમેશ ચક્ર્પાની

2016 ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના આંકડા જણાવે છે કે જાતીય ગુનાઓ સહિતના બાળકો સાથે કરેલ કુલ ગુનાઓની સંખ્યા 2015 માં 94,172 થી વધીને 1,06,958 થઇ ગઈ છે જે 2014 માં 89, 423 હતી, પરિણામે ગુનાનો દર 2015 માં 21.1 થી વધીને 24.0 થયો.અને 2014 માં 20.1 હતો.

પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુયલ ઑફેન્સ એક્ટ, 2012 (POSCO) નીચે નોધાયેલ ગુનાખોરીમાં માં કુલ 36,022 ગુના છે, જેમાં ઉત્તર પ્રદેશ (4, 954), મહારાષ્ટ્ર (4,815) અને મધ્યપ્રદેશ (4,717).અપહરણના કેસોની સંખ્યામાં ત્રણ રાજ્યો ટોચ પર છે, સમગ્ર દેશમાં જેની સંખ્યા કુલ 54,723 જેટલી છે, ઉત્તર પ્રદેશમાં 9, 657, મહારાષ્ટ્રમાં 7,956 અને મધ્ય પ્રદેશમાં 6,016 ગુના નોંધાયા છે.

વર્ષ 2016 માં નોંધાયેલા બાળ બળાત્કારની સંખ્યા, 19,765, જે 2015 ના 10,854થી આંકડાથી લગભગ બમણી છે.જાતીય સતામણીના ગુનાઓમાં સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી હતી. 2016 માં 42,196 વ્યક્તિઓની બાળકો સામે લૈંગિક અપરાધો માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કુલ દોષિતોમાંથી 3,859 અને 9,111 લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવેલ. બાળ બળાત્કારના કિસ્સામાં 24,007 લોકોની ધરપકડ કરવામાં આવી હતી; 2,241 દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને 5,693 લોકો નિર્દોષ છૂટ્યા હતા.

મેટ્રોપોલિટન શહેરોમાં, દિલ્હીમાં બાળકો સામે ગુનાઓની સંખ્યામાં સૌથી ખરાબ પરિસ્થિતિ હતી , જો કે છેલ્લા ત્રણ વર્ષમાં થોડો ઘટાડો થયેલ છે. તે પછી મુંબઇ, બેંગલુરુ, પુણે અને લખનઉ જે 2015 થી આજ સુધી 582 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.જે ગંભીર બાબત છે.

બાળકો સામે લૈંગિક અપરાધોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યમાં ટોચના પાંચ સૌથી ખરાબ સેક્શુયલ ઑફેન્સના અપરાધો નોધાયેલ   રાજ્યો છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં બાળ બળાત્કારના ભોગ બનેલા બાળકો (2,479), મહારાષ્ટ્ર (2,333), ઉત્તર પ્રદેશ (2,115), ઓડિશા (1,258) અને પશ્ચિમ બંગાળ (719) નોધાયેલ છે.

સાભાર : ફ્રન્ટલાઈન ( મે ૧૧,૨૦૧૮ )


Written On May 2018

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...