Skip to main content

હેમંતકુમાર શાહ : અર્થશાસ્ત્રી

એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ ખાતે 07-09-1998 થી અર્થશાસ્ત્રમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ - ઈડર (ઉત્તર ગુજરાત) અને 1980 થી 1984 ત્રણ વર્ષ માટે લેક્ચરર,આણંદ કોમર્સ કોલેજ - આણંદ,1980-81 વસાવડા લેબર ઇન્સ્ટીટ્યુટ, મજૂર મહાજન સંઘ – અમદાવાદમાં સંશોધક,1984-98 દરમિયાન ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં સબ-એડિટર,ચીફ સબ-એડિટર અને ડેપ્યુટી ન્યૂઝ એડિટર રહી ચૂકેલ અમદાવાદના વતની એવાપ્રોફેસર હેમંતકુમાર દશરથલાલ શાહ જેઓગુજરાત યુનીવર્સીટીમાંથી અર્થશાસ્ત્ર અને પોલીટીકલ સાયન્સ એમ બે વિષયોમાં અનુસ્નાતક થયેલ તેમજ વીર નર્મદ યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી થયા.’સચ્ચાઈ ગુજરાત કી’પુસ્તકની અલગ અલગ આવૃતિઓ તો વાંચીજ હશે તેની સાથે ઈકોનોમીવિષય પર,સુજારું વ્યવસ્થા પર સુશાસનની સાથે અન્ય ઘણા બધા  પુસ્તકો લખેલ છે.અવાર નવાર પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ન્યુજ ચેનલ પર ઈકોનોમીને લઈને એમના વિચારો,ચર્ચાઓ પણ જોઈજ હશે.ઇકોનોમી પર અસંખ્ય વર્કશોપ અને સેમિનારો કરી લોકોને વાસ્તવિક પરિસ્થિતિ,આંકડા સાથે વાકેફ કરતા રહ્યા છે .


તેમના સંશોધનો ઉપર નજર નાખીએ તો અઢાર સંશોધન પેપર્સ વિવિધ જર્નલોમાં લખાયા છે,1985 માં અમદાવાદ પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત.'ધંધૂકા તાલુકાના હેન્ડલૂમ વણકરના આર્થિક સર્વેક્ષણ',1994-97 દરમિયાન 'પાથે', અમદાવાદ સાથે બજેટ સંશોધન પરકામ કર્યું જેમાંજિલ્લા બજેટ અને ગુજરાત સરકારના બજેટ પર પત્રિકાઓ, પુસ્તિકાઓ અને પુસ્તકો તૈય્યાર કરી લખેલ,2006-07 દરમિયાનઘનશ્યામ શાહ અને ડૉ. કિરણ દેસાઈ સાથે'વૈશ્વિકરણ, ગુજરાત રાજ્ય અને ગરીબ કલ્યાણ' પર કામ કરેલ,1992 માં પોલીટીકલ સાયન્સ એમ.એ.માં'પોલીટીકલ ફિલોસોફી ઓફ જર્ગેન હેબેરમાસ', પરનિબંધ લખેલ.

શૈક્ષણિક સિધ્ધિઓ :
 - આયોજન પંચ:કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી(CUTS),જયપુર દ્વારા 2010 માં ભારતના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુધારણા બિલકોર ગ્રૂપના સભ્ય તરીકે પસંદગી. 
  - રાજ્ય નાણા કમિશન- ગુજરાત:2005-06 દરમિયાનસ્ટેટ ફાઇનાન્સ કમિશન (ગુજરાત)ના સલાહકાર તરીકે કામ કર્યું અને અહેવાલ તૈય્યાર કર્યો.
  - શ્રીલંકાની મુલાકાત :1998કોલંબો,શ્રીલંકામાંઓલ ઈન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટ,અમદાવાદદ્વારા પ્રાયોજિત ઉદઘાટન કાર્યક્રમઅને આપત્તિ વ્યવસ્થાપન પર યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો.
  - BISAG: 2008-10 દરમિયાનકલા અને વાણિજ્ય કોલેજો,યુનિવર્સિટી વિદ્યાર્થીઓ-ગુજરાત રાજ્ય માટે અર્થશાસ્ત્રના કાર્યક્રમો BISAG- ગાંધીનગર પર લાઈવ પ્રસારણ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કોઓર્ડિનેટર તરીકે તેમનીનિમણુંક કરેલ.
  - ગુજરાતી એનસાયક્લોપેડીયા: 1988-89 દરમિયાન ગુજરાતી જ્ઞાનકોશના ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સિસનામદદનીશ સંપાદક તરીકે અને સોસીયલ સાયન્સ સંબંધિત વિષયો માટે એનસાયક્લોપેડીયા તૈયાર કરેલ.

પ્રકાશન:
  - અર્થશાસ્ત્ર, પર્યાવરણ, ગ્રાહક સુરક્ષા, પંચાયતી રાજ અને પોલીટીકલ સાયન્સ પર 50 થી વધુ પુસ્તકોપ્રકાશિત કરવામાં આવી છે.
  - 2300 કરતાં વધુ લેખો સંરક્ષણ, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ, ભારતીય અને વિશ્વના અર્થતંત્ર, પર્યાવરણીય મુદ્દાઓ અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિષયો પર નામાંકિતઅખબારો,મેગેઝીનો અને સામયિકોમાં પ્રકાશિત થયેલ છે.

'હરીજન'ના સૂચકાંક:
૨૦૧૩માં'હરિજન' મેગેઝિનનોત્રણ ભાગમાં ઇન્ડેક્સ તૈયાર કર્યો (વિષય ઇન્ડેક્સ, લેખક ઇન્ડેક્સ અને સંદર્ભ ઇન્ડેક્સ) જેનવજીવન’ - અમદાવાદ દ્વારા 19 ભાગમાં ફરીથી પ્રકાશિત કરવામાં આવેલ,
'હરિજન'1933 થી 1 956 દરમિયાન પ્રકાશિત થતું હતું જેમાં મહાત્મા ગાંધીએ વિવિધ વિષયો પર વ્યાપકપણે લખ્યું હતું. આ ગ્રંથો શ્રીરાજમોહન ગાંધી દ્વારા2 ઓક્ટોબર, 2013 ના રોજરજૂ કરવામાં આવ્યા હતા.આ ગ્રંથો માટે પરિચય પણ એમણેલખ્યો છે.

'સચ્ચાઈ ગુજરાતકી':

ગુજરાતના વિકાસ અને શાસનનાં મુદ્દાઓ પર 67 લેખોની એક પુસ્તક2014 માં પ્રકાશિત કરેલ. તેની ત્રણ આવૃત્તિઓવાળી 8000 નકલો માત્ર બે મહિનામાં વેચાઈ ગઈ.3,000 નકલો સાથે તેની હિન્દી આવૃત્તિ પણ એક મહિનામાં વેચાઈ ગઈ હતી.તેનીસોફ્ટ કોપી સમગ્ર વિશ્વમાં વાયરલ અને પ્રચલિત છે.

ગ્રાહક સુરક્ષા અનુભવો:
- લગભગ 300 લેખો ગ્રાહક સુરક્ષાના વિવિધ વિષયો પર લખવામાં આવ્યા છે.
- લગભગ10 પુસ્તિકાઓ અને પત્રિકાઓ ગ્રાહક સુરક્ષા સાથે સંબંધિત વિષયો પર તૈયાર કરવામાં આવી છે.
- 1985-2000 દરમિયાનકન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ,અમદાવાદદ્વારા
'ગ્રાહકીયમંચ' મેગેઝિનસંપાદક તરીકેપ્રકાશિત કરવામાં આવતું.
- 1983 માં કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ (CPC
) ની સ્થાપના બાદથી સક્રિય સભ્ય તરીકે અને પછી 2003 થી 2012 દરમિયાન વાઇસ ચેરમેન અને સંસ્થાના સચિવ તરીકે કામ કર્યું.
- જ્યારથીસીપીસી(CPC) કન્ઝ્યુમર આંતરરાષ્ટ્રીય-લંડન, કન્ઝ્યુમર કો-ઓર્ડીનેશન કાઉન્સિલ-દિલ્હી અને
TRAI- દિલ્હીના સભ્ય બની ત્યારથી ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસંવાદો અને ગ્રાહક મુદ્દાઓ પરની પરિષદોમાંભાગ લીધો.
 - 2012-13 દરમિયાન ટ્રાઈની નિયમો હેઠળ રચવામાંઆવેલકન્ઝ્યુમર એક્શનકમિટી-ગુજરાત વર્તુળ માટે બીએસએનએલમાં સભ્ય તરીકે કામ કર્યું.
- 2007-13 દરમિયાન કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC
) ના‘INSIGHT’ મેગેઝીનના અનુવાદક અને સંપાદક તરીકે કામ કર્યું.

સ્થાનિક સ્વયંસેવક તરીકે કામગીરી:

2001-2003દરમિયાન ઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશનના યુનિટ પી.એલ.એસ.જી. (પ્રોજેક્ટ ઇન લોકલ સેલ્ફ ગવર્નન્સ) માં કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.
2006-12 દરમિયાન કચ્છ નવનિર્માણ ઝુંબેશ-ભુજ, ઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશન-અમદાવાદ અને બિહેવિયરલ સાયન્સ સેન્ટર (બીએસસી)-અમદાવાદમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ માટે સલાહકાર રહ્યા.
વર્ષ 2002 થી 2004 માં ઉન્નતિના દ્વિ-માસિક ‘પંચાયત જગત’ના સંપાદક તરીકે કામ કર્યું.
1998 થીઉન્નતી ડેવલોપમેન્ટ એજ્યુકેશનઓર્ગેનાઈઝેશનના,અમદાવાદ‘વિચાર’ના સંપાદક છે

અનુવાદક અને સંપાદન:

 - નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિતબાલ ગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, વીર સાવરકર, બી.આર.આંબેડકર અને જવાહરલાલ નહેરુસહિત વિવિધ રાષ્ટ્રીય નેતાઓ પર 9 વિશાળ પુસ્તકોનાસંપાદક તરીકે કામ કર્યું અનેગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બી. આર. આંબેડકર પરનું એક વૉલ્યુમ 2008 માં પણ અનુવાદિત કરેલ.
 -2005માંહ્યુમન રાઈટ લો નેટવર્ક (HRLN),નવી દિલ્હીદ્વારા પ્રકાશિત‘રાઈટ ટુ ફૂડ’પુસ્તકનુંઅંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલ.
 -2000માં નોબેલ પીસ પ્રાઇઝ વિજેતાની આત્મકથા, 'બેન્કર ટુ ધ પુઅર' નું
ગુજરાતીમાં "વંચિતોના વણોતર" શીર્ષક સાથે અનુવાદ કરેલ.

સભ્યપદ:
 - આઇઇએ (IEA): 2007-10 ના સમયગાળા માટે ઇન્ડિયન ઇકોનોમિક એસોસિયેશનની એક્ઝિક્યુટિવ કમિટી માટે ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાયા.
 - જીઇએ (GEA) : 2010 થીગુજરાત ઇકોનોમિક એસોસિયેશનની કારોબારી સમિતિના સભ્ય છે.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...