Skip to main content

ગ્રામસ્વરાજ


આપણો દેશ ખરેખર તો શહેરોમાં નહી પણ લાખો ગામડાઓમાં વસે છે.શહેરો માત્ર દંભમાં અને શહેરવાસી તરીકે ઘણા લોકોને ઓળખાવવામાં સન્માન લાગતો હોય છે અને આર્થિક ઉપાજન માટેના કેન્દ્ર શહેરો બની ગયા છે એ સ્વીકારવું પડશે અને એમાં હવે વર્તમાન સમયમાં છુટકો નથી આજીવિકાનું સાધન બની ગયા છે શહેરો,પરંતુ એક બીજી બાજુ છે જેને પણ સ્વીકાર્યા સિવાય છુટકો નથી.આ જ શહેરોમાં જે પણ મેનપાવર,વસ્તુ છે એ લગભગ કાં તો વિદેશી છે યા ગામડાઓમાંથી આવે છે.અને આ જ ગામડાની વસ્તુઓ અને ગામવાસીઓને શહેરીજનો પડતર કરતાં વધારે ભાવે નફો કરી વેચતા હોય છે.તેમની સંપત્તિ પર જ જીવતા હોય છે.એમાં ૭૫ ટકા તો ખેડૂતો અને પશુપાલકો છે.એમના ઉપાર્જનને પૂરેપૂરું વળતર ન આપી જે શોષણ કરવામાં આવે છે એ જોતાં ગામડાઓનો વિકાસ ક્યાંથી થશે.વેકેશન,રાજાઓમાં યા પ્રસંગોપાતમાં આપણે શહેરવાસી જ લગભગ ગામડાઓ પસંદ કરીએ છીએ તો શું એ પુરતા જ ગામડાં રહી ગયા છે ? આપણે એક આદર્શ ગ્રામવાસી ક્યારે બનીશું ? ક્યારે ગ્રામસ્વરાજનું સપનું સાકાર કરીશું ?

દરેક ગામ પૂરેપૂરું પ્રજાસત્તાક હોવું જોઈએ.આપણી સંસ્કૃતિ,પરંપરાઓ,જીવનશૈલી ગામડાઓમાં જીવંત છે.કોઈપણ ગામ આજે સંપૂર્ણ પ્રજાસત્તાક બની શકે છે જેમાં સરકારો અને પંચાયત સાથેનો એક સક્રિય સબંધ,સાથ,સહકારિતા થકી જે કામો,ઉત્પાદન શહેરોમાં છે એ જ ગામડાઓમાં પણ કરી શકાય છે.ગામવાસીઓમાં પણ એવી કાળજી અને કુશળતા નો વિકાસ કરવાની જરૂર છે જેથી તેમને પેદા કરેલ અન્ન,વસ્તુની કિંમત બહાર પણ અંકાય.કુશળતાની કોઈ કમી નથી ગામડાઓમાં.અને તો જ ગામડા પૂર્ણ વિકસિત થશે.

જેમકે તમે નોધ્યું જ હશે કે જે નાગરિકને શિક્ષણનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને હોશિયાર બને છે છે એ શહેરમાં સ્થાયી થાય છે ને થવું જોઈએ એમાં કઈ ખોટું નથી પરંતુ આવા પૈસેટકે સુખી થયા પછી એમનાજ વતન એવા ગામડાની ઉપેક્ષા કરતા આવ્યા છે.કોઈક સેવાભાવી હોય લોકો હોય છે જેઓ શહેરી જીવન પસંદ કરેલ હોવા છતાં માતૃભુમીનું ઋણ અદા કરવાનું ભૂલતા નથી હોતા.એવા શ્રેષ્ઠીઓ માટે માન અને આદર થાય છે.આધુનિક વિચારોનું રાજકીય,સામાજિક,આર્થિક અને વૈજ્ઞાનિક સાહિત્ય તો એકદમ સરળતાથી મળી જશે પરંતુ ચૈતન્ય,રામકૃષ્ણ,તુલસીદાસ,કબીર,નાનક , દાદુ,  તુકારામ, તીરુવલ્લુવર, વિનોબા ભાવે જેવા સંતોને ગ્રંથોના રૂપમાં આ શ્રેષ્ઠજનોની તાલીમ આજે પણ ગામડાઓમાં પ્રાપ્ય છે.

પંચાયત જુનો શબ્દ છે અને એનો અર્થ ગામના લોકો દ્વારા ચૂંટેલા પાંચ લોકોનો સમૂહ.આઝાદ ભારત પછી પંચાયતી રાજ અમલમાં આવ્યું અને સમયાંતરે ગામડાઓની સુધાર તરફ જુદી જુદી સરકારોએ આયોજનો કર્યા અને ગામડાઓને સ્વચ્છ,સુઘડ,સુંદર અને આદર્શ બનાવવા માટે અલગ અલગ યોજનાઓ બનાવી,ગ્રામ પંચાયતોમાં સુધારા કર્યા.અત્યારે તો સરદાર આવાસ યોજના,પંચવટી યોજના,ઈ ગ્રામ વિશ્વ યોજના,સમરસ ગ્રામ યોજના,તીર્થ ગ્રામ યોજના,નિર્મળ ગુજરાત,સ્વચ્છ ગામ સ્વસ્થ્ય ગામ યોજના,ગ્રામસભા અભિયાન,જમીન સંપાદન અને માળખાગત સુવિધા,રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના તેમજ ૧૪મા નાણાપંચ અંતર્ગત રાજ્યના ૧૮,૫૮૪ ગામડાઓ માટે વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ના પાંચ વર્ષના ગાળા માટે ૭૭૭૧.૨૬ કરોડ બેજીક ગ્રાન્ટ , ૮૬૩.૪૭ કરોડ પર્ફોર્મેન્સ ગ્રાન્ટ ૨૦૧૬-૧૭ માટે ફાળવેલ છે.આવી કેટલીયે યોજનાઓ ગામડાના વિકાસ માટે જે તે સરકારો ફાળવતી હોય છે આ બધી યોજનાઓની સવિશેષ અને ડીટેઈલ્સ અવિરત મળતી રહેશે.

કોઈ પણ ગામડાના વિકાસમાં ગામલોકો ની સાથે જે તે ગામની પંચાયત ની કામગીરી,ઈચ્છાશક્તિ, જાગૃતતા મહત્વની હોય છે તો એ સંદર્ભે દરેક ગામવાસીએ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ સમજવાની ખુબ જ જરૂરી,એક ગામના રહેવાસી તરીકે નૈતિક જવાબદારી અને ફરજ છે કેમકે ગામનું વહીવટીય માળખું,પંચાયતની ચુંટણી થી લઇ ગામના પ્રશ્નોની જોગવાઈઓ એનું નિરાકરણ,પંચાયતોના કામકાજનું સંચાલન,તેમની વહીવટી સત્તાઓ,ફરજો,મિલકત ફંડ અને હિસાબો,કર ,ફી,ઉપકર,બીજા લેણા,પંચાયતોને આર્થિક સહાય,નાણા કમીશન.આવી અસંખ્ય બાબતો સમજવી બહુ જ જરૂરી છે.એક જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત ની કામગીરી,ગામલોકોને પડતી તકલીફોને સરકારના મધ્યસ્થી બની વિવેકપૂર્વક કોઈ પણ કામગીરીનું અમલીકરણ કરાવી શકો છો,હું જ પોતે જ મારા ગામનું ઉદાહરણ આપું તો અમે ગયા વર્ષે નવી ચૂંટાયેલ પંચાયતને ગામના યુવામિત્રોએ મળી ગાંધીજીના સપનાની “શાંતિસેના” બનાવી સ્વચ્છતા અભિયાનથી કરેલ.૫૦૦ યુવાનો મળી આખું ગામ સ્વચ્છ કરી એને સદંતર સાફ સફાઈ કરવાની બાયધરી સાથે નવી નિમાયેલ પંચાયતને સોપેલ અને સાથે ગામના વિકાસલક્ષી કામ માટે ક્યાય કંઈપણ સાથ સહકારિતા ની જરૂર પડે તો “શાન્તીસેના” હંમેશા તત્પર રહેશે.

અભાર ...જય ભારત     


Written on April 2018

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...