Skip to main content

સાગર રબારી : ખેડૂત નેતા


49 વર્ષની વય,અમદાવાદના વતની,ઇકોનોમિકસ સાથે ગ્રેજ્યુએટ અનેડીપ્લોમા ઇન જર્નાલીઝમનો અભ્યાસ કરેલ સાગરભાઈ હરજીવનભાઈ રબારી બાળપણથી જ ગાંધી વિચારોથી પ્રભાવિત અભ્યાસકાળ દરમિયાન જ સામાજિક કાર્યો સાથે જોડાયા.ગુજરાત લોકસમિતિમાં કાર્ય કરતા મુખ્યત્વે ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો માટે સરકાર દ્વારા થઇ રહેલા જમીન સંપાદનમાં ખેડૂતોને પક્ષે રહી કામ કર્યું.જેમાં મુખ્યત્વે ...

વડોદરા ઝાલા : ગામના ગૌચરની ૬૫૦ એકર જમીન L& T કપનીને સરકારે ફાળવી તેના વિરોધમાં ગુજરાત લોકસમિતિનીઆગેવાનીમાં ગામ સાથે રહી સફળ લડત ચલાવી.માપણી માટે પોલીસ સાથે આવેલા તંત્રને અહિંસક રીતે રોકતાં પોલીસે અટકાયત કરી.લોકજાગૃતિ અને પ્રચંડ વિરોધને કારણે એલ.એન્ડ.ટી એ પોતાનો પ્રોજેક્ટ પડતો મુક્યો.ગામનું ગૌચર બચી ગયું.

મહુવા:ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકારે જમીન સમઢીયાળા બંધારાની જમીન ફાળવી હતી.અને કુલ ૯ ગામોની ૨૭૦૦૦ એકર જમીનમાં નીરમા સિમેન્ટ કંપનીને લાઈમ સ્ટોન માઈનીંગ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી.સ્થાનિક લોકોના વિરોધને કારણે ગુજરાત લોકસમિતિના સક્રિય કાર્યકર તરીકે સાગર રબારી આંદોલનમાં જોડાઈ લોકજાગૃતિ અને આંદોલનના સંકલનમાં મહત્વનો ભાગ ભજવ્યો.અંતે પર્યાવરણ મંત્રાલયે નિરમા સિમેન્ટ કંપનીને આપેલું એન્વાયરમેન્ટ ક્લીયરન્સ રદ કરતાં પ્રોજેક્ટ પડતો મુકાયો.

મીઠી વીરડી પાવર પ્લાન્ટ :ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના જસપરા અને મીઠી વીરડીની જમીન ૬૦૦૦ મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે સરકારે ફાળવી તેની સામે વિરોધ કરતાં સ્થાનિક ખેડૂતોને જાગૃત અને સંગઠીતકરવામાં સક્રિય ભૂમિકા.

માંડલ-બહુચરાજી એસ.આઈ.આર.:ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન એક્ટ-૨૦૦૯ અંતર્ગત અમદાવાદ જીલ્લાના દેત્રોજ,માંડલ અને સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ૪૪ ગામોની ૫૪૦ ચો.કી.મી વિસ્તારમાંસ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન જાહેર કર્યું હતું.તેની સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ હતો.જમીન અધિકાર આંદોલન-ગુજરાતની રચના અને સાથીઓએ સાથે મળી આ વિરોધને સંગઠીત કરી સરકારના નિર્ણય સામેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો.છેવટે સરકારે ૪૪ માંથી ૩૬ ગામો બાદ કરવા પડ્યાં.

ધોલેરા એસ.આઈ.આર :ગુજરાત સરકારના એવા જ બીજા એક ૯૨૦ ચો.કી.મી વિસ્તારના ધોલેરા એસ.આઈ.આર સામે ૨૨ ગામના ખેડૂતોને જાગૃત,સક્રિય અને સંગઠીત કરવામાં મહત્વની ભૂમિકા.ભાલ બચાઓ સમિતિની રચના.હાલ સરકારના આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ છે.

સાંથણી:૨૦૦૫ માં ગુજરાત સરકારે સક્ષમ ખેડૂતો અને ઉદ્યોગગૃહોને ૨૦૦૦ એકર સુધી જમીન આપવાના કરેલા જી.આર સામે ગુજરાત લોકસમિતિ અને અન્ય સંસ્થાઓએ મળી આંદોલન કર્યું.એ આંદોલનને પરિણામે ૭૦૦૦ પરિવારોને ૨૦૦૦૦ એકર જમીન સાંથણીમાં મળી.

આ પૈકી સુરેન્દ્રનગર,ભાવનગર અને પાટણ જીલ્લાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ,જમીન સુધારણા માટે જરૂરી આર્થીક સહાય આપવાના લોક્સમીતીના કાર્યમાં સહભાગી બન્યા.

કોરીડોર:ભારત સરકારના બહુઆયામી રાષ્ટ્રીય ફ્રેઇટ કોરીડોરની યોજના સામે ગુજરાતમાં ડી.એમ.આઈ.સી અને અમૃતસર-કલકત્તા કોરીડોર વિસ્તારમાં ખેડૂતોમાં જાગૃતિ માટે સક્રિય ભૂમિકા.પંજાબ,દિલ્હી,ઉત્તરપ્રદેશ,બિહાર અને બંગાળમાં કર્મશીલો સાથે બેઠકો કરીમાહિતગાર કરેલ અને લોકજાગૃતિના કાર્યક્રમો સક્રિય કરવામાં મહત્વનું યોગદાન આપેલ.

પદયાત્રા:
-     જમીન સુધારણામાં જમીન મળી હોય પરંતુ નામે ના થઇ હોય,સરકારે બારોબાર ધોલેરા સર ઓથોરીટીને જમીનો આપી દીધી હોય એવા ખેડૂતોની વાત લઈને સાંઢીડા(ભાલ) થી કલેકટર ઓફીસ અમદાવાદ સુધીની ૧૪૦ કિલોમીટરની પાંચ દિવસની પદયાત્રા.

-     સોમનાથ થી સચિવાલય-ગાંધીનગર: ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને જાગૃતિ અને સરકારની સંવેદના ઢંઢોળવાનાં ઉદ્દેશથી ૨૦ દિવસની પદયાત્રા.

જોડાણ:ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો,ગામડાંના સવાલો પર કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે જેવી કે મંત્રી-ગુજરાત ખેડૂત સમાજ,સહ કન્વીનર-જમીન અધિકાર આંદોલન(ગુજરાત),મંત્રી-ગુજરાત ખેત વિકાસ પરિષદ,ગુજરાત સર્વોદય મંડળ અને ઇન્ડિયન કોમ્યુનીટી એક્ટીવીસ્ટ નેટવર્ક-ICAN સાથે રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય.

બાઈક યાત્રા :૨૦૧૭ ની વિધાનસભાનીચુંટણીઓ પહેલાં ખેડૂતોના મુદ્દાને અગ્રીમતા મળે તે હેતુથી ભિલાડ,જીલ્લો વલસાડથી શરુ કરી સુરેન્દ્રનગર સુધીની ૧૭ જેટલા જિલ્લાઓને સાંકળતી ૨૨૦૦ કી.મી.જેટલી જાગૃતિ યાત્રા તેમજ પત્રિકા વિતરણ.

પુસ્તકો:ગુજરાતમાં ખેતી અને ખેડૂત-ટકી રહેવાની મથામણ,સરકારી કાયદા અને ગામડાં,ગુજરાત ગણોત અને ટોચમર્યાદા ધારામાં થયેલા ફેરફારો,પોલીસ એટલે જનતાની મિત્ર અને બુલેટ ટ્રેન-અમને કચડીને સમય બચાવશો?

લેખન: ગુજરાતી મેગેઝીન લોકસ્વરાજ,ભૂમિપુત્ર અને નયામાર્ગ માટે વિવિધ મુદ્દે લેખન.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...