Skip to main content

'શિક્ષણ' ભૂલી જાઓ

ગરીબો,શોષિતો,ખેડૂતો અને મધ્યમ વર્ગ પોતાના બાળકો માટે 'શિક્ષણ' ભૂલી જાઓ :

એકબાજુ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતી લાવવાનું વિચારી રહી છે ને બીજી બાજુ આપણી રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું વિચારી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જ જોઈએ તો સમાચારો મુજબ 456 પ્રાથમિક શાળાઓ બંધ થવા જઈ રહી છે.આ રીતે અંદાજો લગાવી એ તો બધા જ જિલ્લાઓમાં સરેરાશને જીલ્લાઓ સાથે ગુણાકાર કરી અંદાજો લગાવી જોજો કેટલી શાળાઓ બંધ થવાની શક્યતા છે એ પણ હજારોમાં.રાજ્ય સરકાર એક બાજુ પ્રવેશોત્સવ ઉજવે છે અને બીજી બાજુ શાળાઓ બંધ કરવાનું વિચારી રહી છે આ તો કેટલો મોટો વિરોધાભાસ છે !!??

૧. બેટી બચાઓ બેટી પઢાઓ :

આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ કે સરકારો જ સાક્ષરતા દર ઊંચો લાવવાની વાતો કરતી આવી છે અને આ રીતે સ્કૂલો બંધ કરવાનું વિચારતી હોય એ કેટલું યોગ્ય!!? જો આ રીતે વગર વિચાર્યે શાળાઓ બંધ થશે તો તો 50% છોકરાઓ તો ઠીક પણ 50% છોકરીઓ તો ચોક્કસ શાળાઓ છોડી જ દેશે.અને આ જ સરકાર 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન ચલાવી રહી છે..

૨. મૂળભૂત સુવિધાઓ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર :

એક બાજુ શિક્ષકોની ઘટ છે,પ્રાથમિક શાળાના મકાનો ઈન્ફ્રાસ્ટ્રકચર બરાબર નથી. એનું તો આજદિન સુધી નથી વિચાર્યું કે અમલીકરણ નથી થયું. આ બાબતે દરેક જીલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘોએ પણ એક થઈને જોડાવાની અને ગંભીરતાથી ખાસ આ મુદ્દાને ઉઠાવવો જોઇએ.

૩. મૂળભૂત અધિકારનો ભંગ :

આ નિર્ણયથી સૌથી પહેલા તો બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.સરકાર વિશે જો આ બાબતે સમજીએ તો માત્ર કરકસર કરવા માંગે છે.જો શાળા બંધ થાય તો બાળકો સ્વાભાવિક બીજી શાળામાં ટ્રાન્સફર થાય તો એ બાળકો માટે શિક્ષકોની એટલી જ જરૂર નહીં પડે!!? તો ઘટનો સવાલ જ નથી આવતો. ઘણીવાર વાલીઓ બાળકને નજીકની શાળામાં અભ્યાસ કરવા મૂકવાનો જ આગ્રહ રાખતા હોય છે જો મર્જ થવાથી એ શાળા દૂર હશે તો વાલીઓ પણ અસમંજસમાં મૂકાશે. હમણાં જ સમાચારો પ્રમાણે જામનગરની બે સરકારી શાળાઓ મર્જ કરેલ અને એ શાળામાં એકપણ એડમીશન થયેલ ન હતું.

૪. સરકાર કરકસર કરવા માંગે છે :

પ્રાથમિક શાળાઓના ખર્ચ વિશે જોઈએ તો સરકારનો અત્યારે 95 ટકા ખર્ચ પગાર પાછળ થાય છે અને પાંચ ટકા જ વહીવટી ખર્ચ થાય છે,બીજું એક થી ત્રણ કિલોમીટર દૂર અંતરે રહેતા બાળકો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે તો આ ખર્ચ તો મર્જ કરવાથી ઊલટાનો વધવાનો છે તો બંધ કરવાનો મતલબ કે આશય શું છે એ સમજ પડતી નથી.બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરીને સરકાર બતાવવા શું માગે છે !?

૫. શિક્ષકોની ઘટ - જાગૃતતાની જરૂર :

બનાસકાંઠા જિલ્લામાં જેટલા શિક્ષકોની ઘટ છે એ આંકડો પણ ચોકાવનારો છે તો એક ઘટ પહેલા પૂરી કરવી જોઈએ,શાળાના મકાનનો ઇન્ફાસ્ટ્રકચર કેવું છે એ સુધારવાની જગ્યાએ બંધ કરવી કેટલી યોગ્ય છે? આ બાબતે દરેક શિક્ષણવિદ,એસએમસી,શિક્ષક સંઘો, જાગૃત-જવાબદાર નાગરિક અને નાગરિક સમાજે આગળ આવવાની જરૂર છે આ બાબતે સંગઠિત રીતે તૈયારી બતાવવાની ખાસ જરૂર છે. દરેક જિલ્લાએ આવેદન અને રજૂઆતો કરવી પડશે અને આશા રાખીએ કે સરકાર મૂળભૂત અધિકારોના હનન બાબતે ઘટતું કરે..

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...