Skip to main content

'શિક્ષણ' ભૂલી જાઓ

ગરીબો,શોષિતો,ખેડૂતો અને મધ્યમ વર્ગ પોતાના બાળકો માટે 'શિક્ષણ' ભૂલી જાઓ :

એકબાજુ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતી લાવવાનું વિચારી રહી છે ને બીજી બાજુ આપણી રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનું વિચારી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જ જોઈએ તો સમાચારો મુજબ 456 પ્રાથમિક શાળાઓ બંધ થવા જઈ રહી છે.આ રીતે અંદાજો લગાવી એ તો બધા જ જિલ્લાઓમાં સરેરાશને જીલ્લાઓ સાથે ગુણાકાર કરી અંદાજો લગાવી જોજો કેટલી શાળાઓ બંધ થવાની શક્યતા છે એ પણ હજારોમાં.રાજ્ય સરકાર એક બાજુ પ્રવેશોત્સવ ઉજવે છે અને બીજી બાજુ શાળાઓ બંધ કરવાનું વિચારી રહી છે આ તો કેટલો મોટો વિરોધાભાસ છે !!??

૧. બેટી બચાઓ બેટી પઢાઓ :

આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ કે સરકારો જ સાક્ષરતા દર ઊંચો લાવવાની વાતો કરતી આવી છે અને આ રીતે સ્કૂલો બંધ કરવાનું વિચારતી હોય એ કેટલું યોગ્ય!!? જો આ રીતે વગર વિચાર્યે શાળાઓ બંધ થશે તો તો 50% છોકરાઓ તો ઠીક પણ 50% છોકરીઓ તો ચોક્કસ શાળાઓ છોડી જ દેશે.અને આ જ સરકાર 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન ચલાવી રહી છે..

૨. મૂળભૂત સુવિધાઓ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર :

એક બાજુ શિક્ષકોની ઘટ છે,પ્રાથમિક શાળાના મકાનો ઈન્ફ્રાસ્ટ્રકચર બરાબર નથી. એનું તો આજદિન સુધી નથી વિચાર્યું કે અમલીકરણ નથી થયું. આ બાબતે દરેક જીલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘોએ પણ એક થઈને જોડાવાની અને ગંભીરતાથી ખાસ આ મુદ્દાને ઉઠાવવો જોઇએ.

૩. મૂળભૂત અધિકારનો ભંગ :

આ નિર્ણયથી સૌથી પહેલા તો બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.સરકાર વિશે જો આ બાબતે સમજીએ તો માત્ર કરકસર કરવા માંગે છે.જો શાળા બંધ થાય તો બાળકો સ્વાભાવિક બીજી શાળામાં ટ્રાન્સફર થાય તો એ બાળકો માટે શિક્ષકોની એટલી જ જરૂર નહીં પડે!!? તો ઘટનો સવાલ જ નથી આવતો. ઘણીવાર વાલીઓ બાળકને નજીકની શાળામાં અભ્યાસ કરવા મૂકવાનો જ આગ્રહ રાખતા હોય છે જો મર્જ થવાથી એ શાળા દૂર હશે તો વાલીઓ પણ અસમંજસમાં મૂકાશે. હમણાં જ સમાચારો પ્રમાણે જામનગરની બે સરકારી શાળાઓ મર્જ કરેલ અને એ શાળામાં એકપણ એડમીશન થયેલ ન હતું.

૪. સરકાર કરકસર કરવા માંગે છે :

પ્રાથમિક શાળાઓના ખર્ચ વિશે જોઈએ તો સરકારનો અત્યારે 95 ટકા ખર્ચ પગાર પાછળ થાય છે અને પાંચ ટકા જ વહીવટી ખર્ચ થાય છે,બીજું એક થી ત્રણ કિલોમીટર દૂર અંતરે રહેતા બાળકો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડે છે તો આ ખર્ચ તો મર્જ કરવાથી ઊલટાનો વધવાનો છે તો બંધ કરવાનો મતલબ કે આશય શું છે એ સમજ પડતી નથી.બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરીને સરકાર બતાવવા શું માગે છે !?

૫. શિક્ષકોની ઘટ - જાગૃતતાની જરૂર :

બનાસકાંઠા જિલ્લામાં જેટલા શિક્ષકોની ઘટ છે એ આંકડો પણ ચોકાવનારો છે તો એક ઘટ પહેલા પૂરી કરવી જોઈએ,શાળાના મકાનનો ઇન્ફાસ્ટ્રકચર કેવું છે એ સુધારવાની જગ્યાએ બંધ કરવી કેટલી યોગ્ય છે? આ બાબતે દરેક શિક્ષણવિદ,એસએમસી,શિક્ષક સંઘો, જાગૃત-જવાબદાર નાગરિક અને નાગરિક સમાજે આગળ આવવાની જરૂર છે આ બાબતે સંગઠિત રીતે તૈયારી બતાવવાની ખાસ જરૂર છે. દરેક જિલ્લાએ આવેદન અને રજૂઆતો કરવી પડશે અને આશા રાખીએ કે સરકાર મૂળભૂત અધિકારોના હનન બાબતે ઘટતું કરે..

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...