Skip to main content

ઇન્ટરનેટ પરથી તમારી 99 % ડિજિટલ ફૂટપ્રિન્ટ ને ડીલીટ કરો

આજનો આધુનિક યુગ મોબાઈલ-કોમ્યુટરનો થઈ ગયો છે. સૌથી વધારે સમય લોકો એની સાથે વિતાવતા થઈ ગયા છે તો એ ડીજીટલ સાધનોમાં પણ હવેના દિવસોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. જેને 'સાઈબર ક્રાઈમ' 'હેકીંગ','ફીશીંગ','સ્નૂફીંગ','હની ટ્રેપ' યા 'ફ્રોડન્ટ' કહી શકીએ. આ શક્ય છે વાઇરસ,ટ્રોજન,એડવેર,માલવેર, રેનસમવેર,કી લોગર અને અન્ય કેટલાય પ્રકારના દેશી ભાષામાં કહીએ તો 'વાઈરસ' જે તમારા ડિવાઇસની ઓપરેટીંગ સીસ્ટમમાં ઘુસી તમારા ડેટા,માહિતીને નુકશાન કરી શકે છે. થોડો જટીલ વિષય છે પરંતુ જાગૃતતા અપને જાણકારી ખુબ જ જરૂરી હોવાથી ડીજીટલ ફૂટપ્રિન્ટ પર માહિતી આપવાનો પ્રયાસ કરીશ. જે ખુબ જ જરૂરી છે. 'ડિજિટલ ફૂટપ્રિન્ટ' એ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમે બનાવેલ ડેટાનો ટ્રાયલ છે,આપણે દરરોજ અલગ અલગ વેબસાઇટ્સની મુલાકાત લઈએ છીએ, ઇમેઇલ્સ મોકલીએ છીએ,ઓનલાઇન સેવાઓ પર સબમિટ કરીએ છીએ જેમાં ઘણીબધી માહિતી શામેલ હોય છે.

એવી જ "નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ" છે ડેટા ટ્રેઇલ છે જેમાં આપણે ઘણીવાર અજાણતાં ઓનલાઇન એવું ને એવું લોગીન થયેલ,ખુલ્લી મુકેલી વેબસાઈટ,બ્રાઉઝર બંધ કર્યા વિના છોડીને જતા રહીએ છીએ.વર્ષો પેહલા ખોલેલા નિષ્ક્રિય ઈમેઈલ્સ,એકાઉન્ટ્સ વાપરવાના પણ બંદ કર્યા હોય છે.ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ વેબસાઇટની મુલાકાત લો છો, ત્યારે વેબ સર્વર તમારા આઇપી સરનામાંને લોગ કરી શકે છે, જે તમારા ઇન્ટરનેટ સેવા પ્રદાતા અને તમારા અંદાજિત સ્થાનને ઓળખે છે. એ જ આઈપી સરનામું બદલાઈ શકે છે,જુના ખોલેલા  મેઈલ કે એકાઉન્ટ જે વાપરતા ન હોવા છતાં હજી પણ તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટનો ભાગ માનવામાં આવે છે. તમારા નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટનું વધુ વ્યક્તિગત પાસું એ તમારું શોધી શકાય એવો ઇતિહાસ છે, જ્યારે લોગ ઇન હોઈએ ત્યારે કેટલાક સર્ચ એન્જીન દ્વારા આવા એકાઉંટ સચવાયેલા હોય છે અને એક્સેસીબલ હોય છે. 

ઇન્ટરનેટ પરથી તમારી 99 % ડિજિટલ ફૂટપ્રિન્ટના ને કેવી રીતે ડીલીટ કરી શકાય [આ એક પ્રકારનો થ્રેડ છે]

1) પ્રારંભિક આવશ્યકતાઓ

એવા તમામ બંધ-ચાલુ દરેક ઇમેઇલ ને ખોલો યા એક્ટીવ કરો જે તમે બનાવેલ હોય અને જેનો તમે પાછલા 10 વર્ષોમાં ઉપયોગમાં લીધા હોય.

જો તમે ઉપયોગ ન થવાના કારણે એક્સેસ ગુમાવી દીધી હોય તો તમે તેમને પુન: રીકવર કરો જેથી,જે તે વેબસાઇટ્સ,સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરીને સાઇન ઈન અને એક્સેસ કરી શકાય એવા. 

૨) ભૂલાઈ ગયેલી સેવાઓમાંથી જૂના એકાઉન્ટ્સને ડીલીટ કરી નાખવા. 

તમારા ઇ-મેલ પરથી સાઇન અપ કરો" અથવા "વેલ કમ" જેવા શબ્દસમૂહોથી જે પોપ અપ થઇ રહી હોય એવી કઈ કઈ સર્વીસો ચાલુ છે એને શોધો.

ડિલીટ એકાઉન્ટ ફંક્શન માટેની સેવામાં જાઓ, દા. ત. google એકાઉન્ટમાં ``"delete account" + "<service>" જો ત્યાં એક પણ સર્વિસ ન હોય તો, ગૂગલ અથવા તમારા એકાઉન્ટને ડીલીટ માટે વિનંતી કરવા આપેલ સપોર્ટ ઇ-મેઇલ,મોબાઈલની મદદ લો.

કેટલીક સેવાઓ માટે, તમે જે એકાઉન્ટને ડીલીટ કરવા માંગો છો ,પહેલા તેની બધી સામગ્રી અને સંદેશાઓને સાફ કરી દો, કારણ કે એકાઉન્ટ આર્કાઇવ થઈ શકે છે અને પછીની તારીખે કોઈ હેકર અથવા બાહ્ય એન્ટિટી આ માહિતીને એક્સેસ કરી શકે છે.તે ધ્યાનમાં રાખવું ખુબ જરૂરી છે.

૩) તમારી માહિતી પહેલેથી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવી છે કે કેમ તે તપાસ કરવી.

તમારી પાસે તમારા બધા વપરાશકર્તાનામો અને બધી સેવાઓની સૂચિ હોવી જોઈએ, સ્ટ્રીમિંગ સેવાઓથી માંડીને ઇ-મેલ્સ સુધીની.

આ માહિતીને શોધવા માટે તમારે ગૂગલનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે બુલિયન સર્ચ (boolean searches) નામની સેવાનો ઉપયોગ કરવાની જરૂર છે.

તમારું ગૂગલ એકાઉન્ટ જોઇશે.

"<accacount_name>"

કેટલીકવાર તમારા એકાઉન્ટનું નામ + પાસવર્ડ આવા હોઈ શકે છે:

"<એકાઉન્ટ>" + "<પાસવર્ડ>"

ઘણીવાર સંભવત પેસ્ટબીન લિંક્સ અથવા સિક્રેટ ડેટાબેસેસ ઇન્ટરનેટ પર સાર્વજનિક રૂપે એક્સેસિબલ, અથવા સંભવત ખાનગી માહિતી લીક થઇ જતી હોય છે.આ સામાન્ય બાબત થઇ ગઈ છે. આવું ઘણી બધી સેવાઓમાં થાય છે.

નોધ રાખવી કે ક્યા પાસવર્ડ્સ/માહિતી કોમ્પ્રોમાઈઝ થઇ હશે.!!

કેટલાક ડેટાબેઝ લિક થોડી વધુ ખાનગી હોય છે અને હજી પણ ખાનગી વર્તુળોમાં શેર / વેચવામાં આવે છે, પરંતુ તમે આ વેબસાઇટની મદદ લઇ શકો છો: https://haveibeenpwned.com/ તમારા એકાઉન્ટ  સાથે ચેડા કરવામાં આવ્યા છે કે કેમ તે ચકાસવા માટે, જેથી તમે તમારી લાઇવ માહિતીને જુદી જુદી રીતે બદલી શકો ..

4) ગૂગલથી પોતાની માહિતી દૂર કરવી.

તમે તમારા ફેસબુક કે અન્ય એકાઉન્ટ્સ ડીલીટ કરી નાખ્યું છે, પરંતુ જ્યારે તમે બુલિયન સર્ચનો ઉપયોગ કરીને તમારું નામ અને સ્થાન ગૂગલ કરો છો, ત્યારે તમારા વિશે જ્યારેત્યારે ભરેલ માહિતી / લિંક્સ હજી પણ ઉપલબ્ધ છે.

તેના માટે એક સોલ્યુશન છે, જેને ગૂગલ કન્સોલ કહે છે.

તમે અહીં ગૂગલ કન્સોલનો ઉપયોગ કરી શકો છો: https://t.co/B673BbhtQZ?amp=1 તમે સર્ચ એંજિનને ડીલીટ કરી નાખવા / અપડેટ કરવા માટે વિનંતી કરી શકો છો (જે સામાન્ય રીતે અમલ માટે મહિનો લે છે).

વિવિધ ગૂગલ સર્ચ પર જાઓ અને આ પ્રકારની ન જોયતી સર્વિસો બંધ કરો.

5) મોટાભાગે કાનૂની રૂપે ગૂગલ સામે પોતાનું રક્ષણ કરી શકો છો.

તમારા કોઈપણ ડેટાને કાયદેસર રીતે સ્પર્શ કરવા માટે ગુગલને મંજૂરી આપવી ન આપવી એ તમારા હાથની વાત છે.

અહીં તમે ગૂગલની દરેક સેવાઓમાંથી પસાર થઈ શકો છો: https://t.co/HQqbdfnZXv?amp=1

પોતાને અન્ય સેવાઓ સામે રક્ષણ આપવું

કોઈપણ અન્ય સેવાઓ જેનો તમે ઉપયોગ કરવા માંગો છો, તમારે ગોપનીયતા સેટિંગ્સની પ્રક્રિયા સંપૂર્ણ કરવાની જરૂર છે.

જો તમે ફેસબુકનો ઉપયોગ કરવા માંગતા હો, તો ખાતરી કરો કે તમે તેને લગભગ સંપૂર્ણ ખાનગી બનાવ્યું છે, જેથી લોકો ખાનગી ફોટા-વિડિઓને એક્સેસ કરી શકતા નથી.

6 ) જૂના ઇ-મેલ્સ ડીલીટ કરવા.

હવે તમે તમારા જૂના ઇ-મેલ્સને એક્સેસ કરી શકો છો, તે પણ ઉપયોગમાં ન લેવાતા હોય તો ડીલીટ કરી નાખવાનો સમય છે.એક્સેસની જરૂર ન હોય તેવા કોઈપણ બિનઉપયોગી ઇ-મેલ્સને ડીલીટ કરી નાખો.તમારે ભવિષ્યમાં આવશ્યક પડવાની હોય એવા ઇ-મેઇલ ડીલીટ ન કરવા.જરૂર હોય એવા ઈમેલ સુરક્ષા પ્રશ્નો અને પાસવર્ડ બદલો.

7) એકાઉન્ટ્સ સુરક્ષિત કેવી રીતે કરશો ?

તમારે દર 6 મહિનામાં નિયમિત રૂપે ઉપયોગી સેવાઓ પર પાસવર્ડ્સ બદલવા જોઈએ,ઓછામાં ઓછા આઠ અક્ષરો અને સ્પેશિયલ કેરેક્ટર પણ રાખવા.

કેમ?

કારણ કે નવા હેકરો દરરોજ નવા ડેટાબેસેસની એક્સેસ મેળવે છે, અને તેઓ તે માહિતીનો ઉપયોગ બ્રુસ, અથવા ભવિષ્યમાં, વ્યક્તિગત રીતે તમારા એકાઉન્ટ પર હુમલો કરવા માટે કરશે.

એક બીજા જેવા સમાન કોઈપણ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં.

હેકર્સ સ્માર્ટ છે. ખાસ કરીને જ્યારે તે કોઈ વ્યક્તિગત હુમલો હોય.

તેઓ તમારા ઘરના સરનામાંઓ અથવા જન્મ તારીખ સાથે સરળતાથી તમારા જૂના પાસવર્ડ્સને તેમની જરૂરીયાત પ્રમાણે જોડશે.

એકવાર તેઓ અંદર ઘુસી જાય, પછી કેટલીક સેવાઓ તેમને દરેક વસ્તુની એક્સેસ આપશે અને તેઓ અંદર ઘુસ્યા પછી તેમને બહાર કાઢવા અશક્ય છે.

સારા સમાચાર એ છે કે હાલ લગભગ કંપનીઓ અને ઘણી બધી સેવાઓ આને અપડેટ કરી રહી છે, જેથી તમારી પાસે ફક્ત એક જ સેસન સક્રિય થઈ શકે છે.

થોડા સમય પહેલાં તમે ક્યારેય જાણી શકતા ન હતા કે કોણે એક્સેસ કર્યું હતું.

8) તમારા ઇન્ટરનેટ કનેક્શનને સુરક્ષિત રાખવું.

ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારે VPN નો ઉપયોગ કરવો જોઈએ.

બેંકિંગ સેવાઓ અથવા કોઈ પણ ગુપ્ત વ્યવહાર કરતી વખતે VPN નો ઉપયોગ કરશો નહીં, પરંતુ ઇન્ટરનેટ પર જાહેરમાં સર્ફ કરતી વખતે તેનો ઉપયોગ કરો.

આ સાથે સંયોજનમાં ડકડકગોનો ઉપયોગ કરવામાં મદદ મળશે.

વી.પી.એન. નો ઉપયોગ કરી રહ્યા છો તો તેમાં કોઈ લોગ બનતા નથી.

તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારા વીપીએનનું પબ્લિક ઓડિટ થયું છે જેની ખાતરી કરવા માટે કે તેમાં કોઈ લોગ નથી.

આનો અર્થ એ કે તે માટે તમે તેમના ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ શું કર્યો તેનો કોઈ રેકોર્ડ નથી રહેતો.

અને જ્યારે તમે વી.પી.એન. વાપરો ત્યારે તમારા આઈ.એસ.પી.ને જાણવું પણ મુશ્કેલ છે.

9) બર્નર એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

નકલી નામ અને માહિતીનો ઉપયોગ કરીને ગૂગલ જેવી જાણીતી ઘુસણખોરી સેવાઓ પર બર્નર એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

આ કાયદેસર છે અને સેવાઓમાં તમારી માહિતી ડેટા એવોઈડ કરવ માટે તમારે આ કરવું જોઈએ.

10) નિયમિતપણે તમારી ઇન્ટરનેટ સામગ્રી ડીલીટ કરી નાખવી.

નિયમિતપણે તમારી ટ્વીટ્સ અને જૂના ફોટા ડીલીટ કરી નાંખવા જોઈએ.

આ ડેટાનો ઉપયોગ તમારા એકાઉન્ટ્સનો સંદર્ભ લેવા અને વધુ વ્યક્તિગત માહિતી શોધવા માટે થઈ શકે છે.

હેકર્સ લક્ષ્ય શોધી શકશે અને મહિનાઓ સુધી તેનું વિશ્લેષણ કરશે.

હેકર્સ તમારી જૂની ઇન્ટરનેટ માહિતીનો ઉપયોગ આ કેટલાક વિશ્લેષણમાં અલગ અલગ પીસમાં, તમારો સામાજિક વર્તુળ નબળાઈ શોધવા માટે કરશે.

કોઈપણ પ  હુમલો થઈ શકે છે. તમે હજી સુધી લક્ષ્ય બન્યા નથી.

નિવારણ દ્વારા પોતાનો બચાવ કરો.

ઉદાહરણ તરીકે તાજેતરમાં બનેલી ઘટના વિશે વાંચો : https://t.co/iMT1u0C3RK?amp=1

આ કંઈ અઘરું નથી. અત્યારે ઉપલબ્ધ ટૂલ્સની મદદથી ખૂબ જ સરળ છે દરેકને આજે એક્સેસ કરી શકાય છે.





Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...