Skip to main content

બાળકોના પ્રિય : તૃપ્તિબેન આચાર્ય

22 નવેમ્બર 1959 એ જન્મેલા વઢવાણ (સુરેન્દ્રનગર) ખાતે રહી સેવાયજ્ઞમાં જોધાયેલા તૃપ્તિબેન આચાર્યના નાનપણથી જ વારસામાં સેવા કરવાના સંસ્કારો મળેલા છે. જેમનું વર્તમાનમાં મુળ કામ ઘરશાળાના બાળકો સાથે સમય પસાર કરવામાં આનંદ મેળવી રહ્યા છે. એમના બાપુજીએ કહેલ કે જેને કામ પડે એને મદદ કરવી એટલે જનપથ..


બસ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી એ જ કામ સાથે વળગેલા રહ્યા છે. જીવનમાં દરેક કામ ફરજ અને નિષ્ઠા સમજી કર્યા છે.વાંચન એમનો પ્રિય શોખ. એમની સેવાકીય પ્રવૃત્તિઓ અગણિત છે જેમકે કચ્છમાં આવેલા 2001ના ધરતીકંપ બાદ રાહત કાર્યમાં જોડાયા.શ્રમિક વિકાસ ટ્રસ્ટની સહાયથી વિવિધ આજીવિકા આવશ્યકતાઓનું વિતરણ,મહિલા જાગૃતિ ટ્રસ્ટ અને જનપથના સહયોગથી વિવિધ પછાત અને જરૂરીયાત મંદ વિસ્તારોમાં 100 તબીબી શિબિરો અને પશુપાલન શિબિરોનું આયોજન.વઢવાણ, મૂળી, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં ગરીબ અને પછાત બહેનો માટે સ્વ રોજગાર અને સક્ષમ બનાવવા માટે કોમ્પ્યુટર, સીવણ અને બ્યુટી પાર્લર માટેના તાલીમ વર્ગોનું આયોજન અને સુરેન્દ્રનગર જિલ્લાની પીએચડી અને આર્કિટેકટ કોલેજના વિવિધ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. 

બેનની અસાધારણ પ્રવૃત્તિઓમાં શ્રમિક સેવા ટ્રસ્ટ, બરોડાના ઉપપ્રમુખ (સુરેન્દ્રનગર જિલ્લના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત એન.જી.ઓ.),સચિવશ્રી, શ્રી મહિલા જાગૃતિ ટ્રસ્ટ, વઢવાણ (મહિલાઓના વિકાસના ક્ષેત્રમાં કાર્યરત એનજીઓ) અને કારોબારી સમિતિના સભ્ય, ઘરશાળા, વઢવાણ. (પછાત વર્ગના બાળકો માટે સંસ્થા કામ કરી રહી છે) 

વર્તમાન કાર્યકારી ક્ષેત્ર:

વિચરતી જનજાતિ, મીઠાના કામદારો, વિવિધ પછાત જાતિના નબળા બાળકો તેમજ સવાડા,દેગામ તા.પાટડી અને ત્રણ આશ્રમ શાળાનું સંચાલનની સાથે વિરેન્દ્રગઢ,ધ્રાણગઢના મીઠા કામદારોના બાળકો માટે
વિનય મંદિર હાઇસ્કૂલ, ઘરશાળામાં કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત અને ગાંધીજીનાં મૂલ્યો અને વિચારો સાથે કામગીરી કરી રહ્યાં છે. 

કરેલ કામગીરી :

1) ઉપપ્રમુખ, શ્રમિક સેવા ટ્રસ્ટ.
 2) મહિલા જાગૃતિ ટ્રસ્ટના સેક્રેટરી.
3) કાર્યકારી સદસ્ય - ઘર શાળા : વઢવાણ કેળવણી મંડળ
4) સહકારી સદસ્ય - જનપથ, અગરિયા હિત રક્ષક મંચ
5) ભૂતપૂર્વ પ્રમુખ,લાયનેસ ક્લબ (સતત બે વર્ષ માટે). 
6) ભૂતપૂર્વ સચિવ, લાયનેસ ક્લબ
7) પૂર્વ સદસ્ય, જિલ્લા કોંગ્રેસ સમિતિ, સુરેન્દ્રનગર
8) પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, એન.સી.પી.
9)  પ્રાથમિક સદસ્ય ભારત સેવક સમાજ,
10)  સભ્ય, સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ
11) આરાધના પ્રકાશન અને મહિલા જાગૃતિ ટ્રસ્ટ, મૈત્રી ગ્રાફિક્સ અંતર્ગત અરવિંદ ભાઈ આચાર્યનાં પુસ્તકો માટે પ્રકાશક. 



વિવિધ ક્ષેત્રોમાં કરેલ કામગીરીની વિગતો:
પ્રકાશનો: (ગુજરાતી)

(1) તરણેતર. 
(2) પાણી માટે મહિલાઓનો પુરુષાર્થ. 
(3) મુઠ્ઠી ઉંચેરી મહિલાઓ. 
(4) ઝાલાવાડનો ખાદી ઉદ્યોગ. 
(5) અિતિતમાં ડોકિયુ.
(6) સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળો. 

'જનયુગ' સાંજ દૈનિકમાં 'ઝાલાવડના સ્ત્રી રત્નો' ની નિયમિત કોલમ.

 સંયોજક તરીકે :

શ્રી નારાયણ દેસાઈની ગાંધી કથા,ગાંધી મેળો.સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીને લઈને ઘરશાળા ખાતે મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી માટે વિવિધ સમુદાયની મહિલાઓને એવોર્ડ વિતરણ.ઘરહલા ખાતે સૌરાષ્ટ્રની ઇતિહાસ પરિષદની ગોઠવણીમાં ભાગ લીધેલ,ઘરશાળા ખાતે સંત ભક્ત કવયિત્રો માટે સેમિનાર. 

પ્રોજેક્ટ સંચાલન:

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના જળ સંસાધન માટે સંચાલન જેવા કે :
1) માલોદનો ગામ તળાવ, તા.વઢવાણ.
2) ખંપાળીયા,તા.મૂળીનો ગામ તળાવ અને વેડફાટ. 
3)  સદલા, તા.મૂળીના બે ગામ તળાવ અને કુવાઓનું રિચાર્જિંગ. 
4) રાયગઢ અને રાવલીયાવાદર,તા.ધ્રાંગધ્રા ખાતે ચેકડેમ.

Comments

Post a Comment

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...