Skip to main content

ચંદ્રિકાબેન સોલંકી - શોષિતો,વંચિતોનો અવાજ

ગુજરાતમાં લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે એમાંય 2016 થી 2017 દરમિયાન પાટીદાર, ઠાકોર, દલિત સમાજના અને ફિકસ પગારદારોના પુરુષોના નેતૃત્વ ધરાવતા આંદોલન સાથે એક મહિલા ચંદ્રિકાબેન સોલંકીએ પણ આશાવર્કર અને આંગણવાડી વર્કર ના આંદોલન દ્વારા સરકારની ઉંઘ હરામ કરી દીધી હતી.


એક મહિલા હોવાના કારણે ચંદ્રિકાબેન સોલંકીએ ખુબ તકલીફો વેઠી છે એટલે મહિલાઓની સમસ્યાઓથી સારી રીતે વાકેફ છે. ભણતર ચાલુ હતુ એ દરમિયાન લગ્ન થઇ જતા સાસરીમાં રહી પરિવારના વિરોધ વચ્ચે એમ.એ.બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.

સંખેડા તાલુકાના કોટાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા સામાજીક પ્રવૃત્તિમાં રસ લેવાનુ શરૂ કર્યું લગભગ 2004 થી વડોદરા જીલ્લામાં સામાજીક અને મહિલાઓના મુદ્દે લડત આપી રહ્યા હતાં પરંતુ એમની પ્રસ્થાપિત આશાવર્કરના 2017 માં ચલાવેલ આંદોલન થી થઈ. ઓગસ્ટ 2016 માં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રિકાબેન સોલંકી ની મુલાકાત ફિક્સ પગારદારો અને આશાવર્કર માટે આંદોલન ચલાવી રહેલ રજનીકાંત ભારતીય સાથે થઇ જે આશાવર્કર આંદોલન માટે એક મહિલા ચહેરાની શોધમાં હતા એમણે ચંદ્રિકાબેનને આશાવર્કર આંદોલનની આગેવાની કરવા નિમંત્રણ આપ્યું. જે સ્વીકારી એક નવા અધ્યાયનો આરંભ કર્યો.


અન્ય આંદોલનની સરખામણીમાં આશાવર્કરનુ આંદોલન ખુબજ મુશ્કેલ અને સંધર્ષમય હતુ આ મહિલાઓ ખુબ જ ગરીબ હોઈ સ્માર્ટફોન વાપરતી ના હોઈ એમને જાગૃત કરવા એમના તાલુકામથકે મિટિંગો શરૂ કરી અત્યાર સુધી આશાવર્કરનો ઉપયોગ નેતાઓની સભામાં સંખ્યા બતાવવા થતો હતો. ચંદ્રિકાબેને સમગ્ર ગુજરાતનુ પરિભ્રમણ કરી એમના અધિકારોથી માહિતગાર કરી લડત આપવા તૈયાર કરી અને એમની મહેનત રંગ લાવી 27 ફેબ્રુઆરી 2017 માં ગાંધીનગર સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી 27000 આશાવર્કર અને આંગણવાડી વર્કર ઉમટી પડી પોલીસ પરમિશન ના હોવાના કારણે તમામ બહેનોની અટકાયત થઈ ગાંધીનગરના પોલીસ સ્ટેશનની સાથે કરાઈ તાલિમ સેન્ટર પણ મહીલાઓથી ઉભરાઈ ગયૂ હતુ. અત્યારે 50 કે 100 લોકોનુ ટોળુ જોઈ જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડીએ એવી જાહેરાત કરનારા આંદોલનકારીઓએ ચંદ્રિકાબેન પાસેથી પ્રેરણા લેવી જોઈએ જેમણે 27000 મહિલાઓ સાથે હોવા છતાં ગાંધીનગર છોડવા અને આગળ ઉગ્ર આંદોલન કરવા નિર્ણય કર્યો આ વિશે એમના સાથી રજનીકાંત ભારતીયે જણાવ્યું કે અમારો ઉદેશ્ય મહિલાઓને સંગઠિત કરવાનો તેમજ મહિલા સશક્તિકરણ ના દાવા કરતી સરકારની મહિલા શોષણની નીતિને લોકો સમક્ષ ખુલ્લી પાડવાનો હતો. જેના માટે તબક્કાવાર કાર્યક્રમ આપવા જરૃરી હતા. એ પછી ચંદ્રિકાબેન દ્વારા 8 માર્ચ 2017 માં વિશ્ચ મહિલા દિવસ નિમિત્તે દરેક જીલ્લાની કલેકટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ કર્યો મહિલાઓની તાકાત થી પ્રભાવિત થયેલા કેટલાક પુરુષ સામાજીક આગેવાનોએ આ કાર્યક્રમને હાઈઝેક કરવા પ્રયાસ કર્યો પરંતૂ એમાં ફાવી શકયા નહી ત્યારબાદ દરેક જીલ્લામા કલેક્ટર અને ધારાસભ્યોને આવેદન આપવા સહિત અનેક કાર્યક્રમો ચંદ્રિકાબેને કર્યા જેના કારણે 22 ઓગસ્ટ 2017 ના રોજ સરકારે આશાવર્કરના પગારમાં 30 ટકાનો વધારો કરવો પડ્યો આ વધારાને લોલિપોપ કહી ચંદ્રિકાબેને ફગાવી દીધો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ દરમિયાન દરેક જીલ્લાઓમા આશાવર્કરોની નીકળે એ પહેલા રાતે જ અટકાયતો શરૂ થઈ જતા 15000 આશાવર્કરની જગ્યાએ ગાંધીનગર 400 આશાવર્કર પહોચી હતી પરંતુ એનાથી હતાશ થયા વિના માત્ર 400 આશાવર્કરને સાથે લઈને વિધાનસભાની જગ્યાએ સવારે સાત વાગ્યે મુખ્યમંત્રીનો બંગલાનો ઘેરાવ કરી સરકારને સણસણતો તમાચો માર્યો હતો.

શિક્ષિકા તરીકેની નોકરીમાં સતત કપાત પગારની રજા મુકી આંદોલન કરતાં હોઈ દબાણ સતત વધી રહ્યુ હતુ. અને વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોઈ ચંદ્રિકાબેન વડોદરા કલેકટર કચેરીએ ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા જે લગભગ 40 દિવસ ચાલી આ દરમિયાન ચુંટણી પ્રચાર માટે વડોદરા રોડ શો કરી રહેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ત્રણ ડઝન બંગડીઓ ફેકી મહિલાની તાકાતનો પરચો બતાવ્યો જેના કારણે સરકારે આશાવર્કર અને આંગણવાડી વર્કરના પગારમાં વધારો કરવો પડયો. એ ચંદ્રિકાબેનના આંદોલનનો પ્રતાપ હતો કે ફકત દોઢ વર્ષમાં આશાવર્કર અને આંગણવાડી વર્કર નો ત્રણ વાર પગાર વધારો કરવો પડ્યો.


આંગણવાડી વર્કરનો પગાર 4750 થી વધી 7800 થયો  અને આશાવર્કર ને 50 ટકા પગાર વધારો માત્ર ચંદ્રિકાબેન સોલંકી એ ચલાવેલા આંદોલનના કારણે છે જોકે એની બહુ મોટી કિંમત ચંદ્રિકાબેને ચુકવવી પડી છે અનેક કેસો એમની સામે નોંધાયા છે એમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા ત્યારે આજીવન મહિલાઓ માટે લડવાના નિર્ધાર સાથે વટથી નોકરીમાંથી રાજીનામું આપી દીધુ. ત્યારબાદ અપક્ષ વિધાનસભાની ચુંટણી પણ લડી ચુકયા છે જોકે પક્ષનુ લેબલ જોઈ વોટ આપવાની માનસિકતા ગઈ ના હોઈ ચુંટણીમાં હારનો સામનો કરવો પડ્યો એમ છતા હતાશ થયા વિના મહિલાઓ માટે એમનો સંઘર્ષ યથાવત છે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...