Skip to main content

નવું એન્ડ્રોઈડ માલવેર બેંકિંગ પાસવર્ડ્સ,ખાનગી ડેટા અને કીસ્ટ્રોક્સ ચોરી કરે છે

નાણાકીય લેવડદેવડની એપ્લિકેશનોમાંથી સંવેદનશીલ ડેટાને એકસ્ફીલ્ટ્રેટ કરવા,વપરાશકર્તાના એસએમએસ સંદેશાઓ વાંચવા અને એસએમએસ-આધારિત બે-રીતે પ્રમાણીકરણ કોડને હાઇજેક કરવા માટે, Android ના એક્સેસિબિલીટી સુવિધાઓનો દુરૂપયોગ કરતા એક નવા પ્રકારનું મોબાઇલ બેન્કિંગ માલવેર મળ્યું છે.


સાયબરીઝન સંશોધનકારો દ્વારા "ઇવેન્ટબોટ" તરીકે ઓળખવામાં આવ્યો છે, માલવેર 200 થી વધુ વિવિધ નાણાકીય એપ્લિકેશનોને લક્ષ્ય બનાવવા માટે સક્ષમ છે, જેમાં પેપલ બિઝનેસ, રિવોલેટ, બાર્કલેઝ, કેપિટલવન, એચએસબીસી, સેન્ટેન્ડર, ટ્રાન્સફર વાઈઝ અને કોઈનબેઝ ક્રિપ્ટો-ચલણ વોલેટ્સનો સમાવેશ થાય છે.

સંશોધનકારોએ જણાવ્યા અનુસાર "ઇવેન્ટબોટ ખાસ કરીને રસપ્રદ છે કારણ કે તે હજી પ્રારંભિક તબક્કામાં છે," "આ નવા નવા માલવેરમાં આગામી મોટા મોબાઈલ માલવેર બનવાની વાસ્તવિક સંભાવના છે, કારણ કે તે સતત પુનરાવર્તિત સુધારાઓ હેઠળ છે, એક મહત્વપૂર્ણ ઓપરેટીંગ સિસ્ટમ સુવિધાનો દુરૂપયોગ કરે છે, અને નાણાકીય એપ્લિકેશનોને લક્ષ્ય બનાવે છે."

આ ઝુંબેશ, માર્ચ 2020 માં પ્રથમવાર ઓળખાયેલી, ઠગ એપીએલ સ્ટોર્સ અને અન્ય સંદિગ્ધ વેબસાઇટ્સ પર કાયદેસર એપ્લિકેશનો (દા.ત., એડોબ ફ્લેશ, માઇક્રોસોફ્ટ વર્ડ) તરીકે રજૂ કરીને તેના દૂષિત ઉદ્દેશને ઢાંકી દે છે, જે ઇન્સ્ટોલ થઈ ગયા પછી ઉપકરણ પર વિસ્તૃત પરવાનગીઓ માટે વિનંતી કરે છે.

પરવાનગીમાં એક્સેસિબિલીટી સેટિંગ્સનું એક્સેસ, બાહ્ય સ્ટોરેજમાંથી વાંચવાની ક્ષમતા, એસએમએસ સંદેશાઓ મોકલવા અને પ્રાપ્ત કરવાની,બેકગ્રાઉંડમાં ચલાવવાની અને સિસ્ટમ બૂટ થયા પછી પોતાને જાતે લોંચ કરવાનો સમાવેશ થાય છે.



જો કોઈ વપરાશકર્તા એક્સેસ પરમિશન આપે છે, તો ઇવેન્ટબોટ કીલોગર તરીકે કાર્ય કરે છે અને લોકસ્ક્રિન પિનને પકડવા માટે Android દ્વારા એક્સેસિબિલીટી સેવાઓને એક્સ્પ્લોઇટ,તમામ એકત્રિત ડેટાને એન્ક્રિપ્ટેડ ફોરમમાં ટ્રાન્સમિટ કરવા ઉપરાંત,હુમલાખોર-નિયંત્રિત સર્વર માટે "અન્ય ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો અને ખુલ્લા વિંડોઝની સામગ્રી વિશેની સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે".

એસએમએસ સંદેશાઓને વિશ્લેષિત કરવાની ક્ષમતા, એસએમએસ-આધારિત બે પરિબળ પ્રમાણીકરણને બાયપાસ કરવા માટે બેન્કિંગ ટ્રોજનને એક ઉપયોગી સાધન પણ બનાવે છે, જેનાથી પીડિતના ક્રિપ્ટોકરન્સી વોલેટ્સમાં સરળ એક્સેસ મળે છે અને બેંક એકાઉન્ટ્સમાંથી ભંડોળની ચોરી થાય છે.

આ પહેલીવાર નથી જ્યારે મોબાઈલ માલવેર દ્વારા નાણાકીય સેવાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. ગયા મહિને, આઇબીએમ એક્સ-ફોર્સ સંશોધનકારોએ ટ્રિકમો (TrickMo) નામની નવી ટ્રિકબોટ ઝુંબેશની વિગતવાર વિગતો શોધી કાઢી હતી, જે જર્મન વપરાશકર્તાઓને માલવેરથી વિશિષ્ટ રીતે નિશાન બનાવતું હતું, જે વન ટાઈમ પાસવર્ડ (OTP), મોબાઇલ ટીએન (mTAN) અને pushTAN ઓથેન્ટિકેશન કોડને રોકવા માટે એક્સેસિબિલીટી સુવિધાઓનો દુરૂપયોગ કરે છે.

સાઈબરીઝન સંશોધનકારે તારણ કાઢયું હતું કે, "મોબાઈલ ડિવાઇસ પર હુમલાખોરને એક્સેસ આપવાથી ગંભીર વ્યવસાયિક પરિણામો આવી શકે છે, ખાસ કરીને જો અંતિમ વપરાશકર્તા તેના મોબાઇલ ઉપકરણનો ઉપયોગ સંવેદનશીલ વ્યવસાય વિષયો પર ચર્ચા કરવા અથવા એન્ટરપ્રાઇઝ નાણાકીય માહિતીને એક્સેસ કરવા માટે કરે છે", "આના પરિણામે બ્રાન્ડ અધોગતિ, વ્યક્તિગત પ્રતિષ્ઠા ગુમાવવી અથવા ગ્રાહકનો વિશ્વાસ ખોવાઈ શકે છે."

દૂષિત એપ્લિકેશન્સનો ઇવેન્ટબોટનો પરિવાર કદાચ ગૂગલ પ્લે સ્ટોર પર સક્રિય ન હોઈ શકે, પરંતુ વપરાશકર્તાઓએ સત્તાવાર એપ્લિકેશન સ્ટોર્સ પર કેમ વળગી રહેવું જોઈએ અને અવિશ્વસનીય સ્રોતોથી સાઇડલોડિંગ એપ્લિકેશનોને કેમ ટાળવું જોઈએ તે સમજી લેવા માટે આ હજી એક રીમાઇન્ડર છે. સોફ્ટવેરને અદ્યતન રાખવું અને ગૂગલ પ્લે પ્રોટેકટ ચાલુ કરવું એ માલવેરથી ડિવાઇસીસના રક્ષણ તરફનું પગલું હોઈ શકે છે.




Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...