Skip to main content

કોસોરી સ્માર્ટ એર ફ્રાયરમાં રીમોટ કોડ એક્ઝેક્યુશન નબળાઈઓ

સિસ્કો ટેલોસને તાજેતરમાં કોસોરી સ્માર્ટ એર ફ્રાયરમાં બે કોડ એક્ઝેક્યુશન નબળાઈઓ મળી.

કોસોરી સ્માર્ટ એર ફ્રાયર એ એક WiFi- સક્ષમ રસોઈ માટે વપરાતું ઉપકરણ છે જે વિવિધ પદ્ધતિઓ અને સેટિંગ્સથી ખોરાકને રાંધે છે. વપરાશકર્તાઓ ડિવાઇસની Wi-Fi સુવિધાઓનો ઉપયોગ રસોઈ શરૂ કરવા અને બંધ કરવા, રેસીપી માર્ગદર્શિકાઓ શોધવા અને રસોઈની સ્થિતિને મોનિટર કરવા માટે પણ કરતા હોય છે.

TALOS-2020-1216 (CVE-2020-28592) અને TALOS-2020-1217 (CVE-2020-28593) એ રીમોટ કોડ એક્ઝેક્યુશન નબળાઈઓ છે જે કોઈ હુમલાખોરને ઉપકરણમાં દૂરસ્થ કોડ ઇન્જેક્શન કરવાની મંજૂરી આપી શકે છે. આ અનુમાનિત રૂપે સામેવાળાનું તાપમાન, રાંધવાના સમય અને એર ફ્રાયર પરની સેટિંગ્સમાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે છે અથવા વપરાશકર્તાની જાણ બહાર તેને પ્રારંભ કરી શકે છે. આમાંની કેટલીક નબળાઈઓ પર કામ કરવા માટે સામેવકળાની એર ફ્રાયરની ફિઝિકલ એક્સેસ હોવી આવશ્યક છે.

કોઈ હુમલાખોર એક અનન્ય JSON ઓબ્જેક્ટ ધરાવતા ડિવાઇસને વિશિષ્ટ ક્રાફ્ટ કરેલા પેકેટ મોકલીને આ નબળાઈઓનો ઉપયોગ કરી શકે છે, જે તેમને મનસ્વી કોડ ચલાવવા દેશે.

સિસ્કોની નબળાઈ જાહેર કરવાની નીતિના પાલન અનુસાર, કોસોરી વતી કોઈ સત્તાવાર ફિક્સ ઉપલબ્ધ ન હોવા છતાં સિસ્કો ટેલોઝે આ નબળાઈઓ જાહેર કરી છે. નીતિમાં દર્શાવેલ પ્રમાણે 90-દિવસના સમયગાળા દરમિયાન કોરોસીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો ન હતો.

ટેલોઝે પરીક્ષણ કર્યું છે અને પુષ્ટિ આપી છે કે કોસોરી સ્માર્ટ 5.8-ક્વાર્ટ એર ફ્રાયર સીએસ-158,એએફ વર્ઝન 1.1.0 આ નબળાઈઓ દ્વારા શોષણ(Exploit) કરી શકે છે.

SNORTⓇ નિયમ આ નબળાઈઓ વિરુદ્ધ શોષણના પ્રયાસોને શોધી કાઢશે: 56729. અતિરિક્ત નિયમો ભવિષ્યમાં પ્રકાશિત થઈ શકે છે અને વર્તમાન નિયમો ફેરફારને આધીન છે, વધારાની નબળાઈ માહિતી આવવાની બાકી છે. અત્યારની નિયમની માહિતી માટે, ફાયરપાવર મેનેજમેન્ટ સેન્ટર અથવા કંપનીની વેબ Snort.org નો સંદર્ભ લેવા જણાવ્યું હતું.

સાભાર : જોન મુનશોવ (ટેલોસ  ઈંટેલીઝન્સ બ્લોગ) 


Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...