Skip to main content

અલવિદા ઇન્દુભાઇ...

 'જેનું જીવન ધૂપસળી છે,અંત લગી એ જાત બળી છે'

નિરાંતમાં આમ તો અનેક સમાજ સેવકો અને લોકસેવકો છે.પરંતુ ગાંધીજી,જયપ્રકાશ નારાયણ અને ઝીણાભાઈ દરજીની ગરીબલક્ષી વિચારધારાને વરેલા ઈન્દુકુમાર જાની આજે આપણી વચ્ચે નથી રહ્યા.ઇન્દુભાઇની વિદાય વંચીતો,શોષાતો,કચડાયેલા વર્ગો અને દરિદ્રો માટે મહાન આઘાત સમાન છે.ઝીણાભાઈ દરજીની વિચારધારાને પોતાના જીવનમાં આત્મસાત કરીને આ ઓલિયા જેવા સમાજ સેવકે પોતાનું આખું આયખું જનસેવા માટે સમર્પિત કરી દીધું હતું.લાખો રૂપિયાના દાન અને ફંડફાળાથી લોકસેવા કરનારા તો ડગલેને પગલે પડ્યા હોય છે.પરંતુ પોતાની આખી જિંદગી નિસ્વાર્થ ભાવે લોકસેવામાં સમર્પિત કરી દેનાર ઈંદુભાઈ જાની જેવા સેવાના ભેખધારી જવલ્લે જ મળે છે.દાયકાઓ સુધી તેમણે 'નયામાર્ગ' પાક્ષિક દ્વારા પત્રકારત્વના ઉચ્ચ આદર્શોને આચરી બતાવ્યા હતા.અન્ય સેવાઓ ઉપરાંત પત્રકારત્વની સેવાઓને ગુજરાત ક્યારે વિસારી નહીં શકે. અનેક સમાજસેવકોના મૃત્યુ પછી એમની બેંક બેલેન્સ ફાટફાટ થતી હોય છે,પરંતુ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર આ સાચા લોકસેવકની પાછળ માત્ર પત્ની અને દિકરાને વિલાપ કરતા મૂકી ગયા છે.વર્ષો સુધી નાદુરસ્ત તબિયત છતાં તેમણે પોતાના સેવાકાર્યોને સ્થગિત કર્યા નહોતા.એ જ કારણ હતું કે તેમનું નાજુક શરીર અનેક વ્યાધિઓમાં સપડાઇ ગયું હતું. આદિવાસીઓ,ખેત મજૂરો, શોષિતો, વંચિતો અને પીડિતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેનાર ઇન્દુભાઇ એકમાત્ર સાચા યોદ્ધા હતા. દેશમાં અથવા દુનિયામાં ગમે ત્યાં જુલ્મ અને અન્યાયનું વાતાવરણ થાય ત્યારે ઇંન્દુભાઇ 'નયામાર્ગ' માં બુલંદ સચ્ચાઈથી એને વાચા આપતા હતા.અત્યારે તો ગુજરાતના સેવાક્ષેત્રમાં નજર દોડાવીએ તો ઈંદુભાઈ જેવા સત્યનિષ્ઠ,નિર્ભય અને સાચુકલા સમાજસેવક દૂર દૂર સુધી દેખા દેતા નથી.ગુજરાતને,પત્રકારત્વ જગતને, શોષિતો,વંચિતો અને પીડિતોને ઈંદુભાઈની ખોટ દાયકાઓ સુધી સાલતી રહેશે... અલવિદા ઇન્દુભાઇ...

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...

ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

  સ્પામ અને ફિશિંગ ( Spam and Phishing ) લોકોને આકર્ષિત કરવાના હેતુથી તમને કોઈ લિંક પર ક્લિક કરવા અથવા કોઈ કડી ખોલવા માટેના પ્રયત્નોમાં સાયબર ક્રિમિનલ્સ ખુબ જ    સમજદાર હોય છે. દૂષિત( Malicious ) ઇમેઇલ: દૂષિત ઇમેઇલ વિશ્વનીય નાણાકીય સંસ્થા ,  ઇ-કોમર્સ સાઇટ ,  સરકારી એજન્સી અથવા કોઈપણ અન્ય સેવા અથવા વ્યવસાય દ્વારા આવ્યો હોય એવું આબેહુબ લાગે છે. આવા ઈમેઈલ હંમેશાં તમને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરે છે ,  કારણ કે તમારા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે ,  તમારો ઓર્ડર પૂરો થઈ શકતો નથી અથવા ધ્યાન આપવાની બીજી તાકીદ કરવામાં આવે છે.   જો તમને ખાતરી હોતી નથી કે ઇમેઇલ વિનંતી કાયદેસર છે કે નહીં ,  તો તેને આ પ્રમાણેના પગલાથી ચકાસવાનો પ્રયાસ કરો:   કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા ક્રેડિટ કાર્ડ પાછળ ,  એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને - સીધો કંપનીનો સંપર્ક કરો કે આમાં સત્યતા શું છે ?   સર્ચ એન્જીન યા અન્ય રીતે   ઓનલાઇન આવી કંપની માટે શોધ કરો - પરંતુ ઇમેઇલમાં જે માહિતી આપેલી છે એ રીતે ક્યારેય શોધશો નહ...