Skip to main content

અલવિદા ઇન્દુભાઇ...

 'જેનું જીવન ધૂપસળી છે,અંત લગી એ જાત બળી છે'

નિરાંતમાં આમ તો અનેક સમાજ સેવકો અને લોકસેવકો છે.પરંતુ ગાંધીજી,જયપ્રકાશ નારાયણ અને ઝીણાભાઈ દરજીની ગરીબલક્ષી વિચારધારાને વરેલા ઈન્દુકુમાર જાની આજે આપણી વચ્ચે નથી રહ્યા.ઇન્દુભાઇની વિદાય વંચીતો,શોષાતો,કચડાયેલા વર્ગો અને દરિદ્રો માટે મહાન આઘાત સમાન છે.ઝીણાભાઈ દરજીની વિચારધારાને પોતાના જીવનમાં આત્મસાત કરીને આ ઓલિયા જેવા સમાજ સેવકે પોતાનું આખું આયખું જનસેવા માટે સમર્પિત કરી દીધું હતું.લાખો રૂપિયાના દાન અને ફંડફાળાથી લોકસેવા કરનારા તો ડગલેને પગલે પડ્યા હોય છે.પરંતુ પોતાની આખી જિંદગી નિસ્વાર્થ ભાવે લોકસેવામાં સમર્પિત કરી દેનાર ઈંદુભાઈ જાની જેવા સેવાના ભેખધારી જવલ્લે જ મળે છે.દાયકાઓ સુધી તેમણે 'નયામાર્ગ' પાક્ષિક દ્વારા પત્રકારત્વના ઉચ્ચ આદર્શોને આચરી બતાવ્યા હતા.અન્ય સેવાઓ ઉપરાંત પત્રકારત્વની સેવાઓને ગુજરાત ક્યારે વિસારી નહીં શકે. અનેક સમાજસેવકોના મૃત્યુ પછી એમની બેંક બેલેન્સ ફાટફાટ થતી હોય છે,પરંતુ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર આ સાચા લોકસેવકની પાછળ માત્ર પત્ની અને દિકરાને વિલાપ કરતા મૂકી ગયા છે.વર્ષો સુધી નાદુરસ્ત તબિયત છતાં તેમણે પોતાના સેવાકાર્યોને સ્થગિત કર્યા નહોતા.એ જ કારણ હતું કે તેમનું નાજુક શરીર અનેક વ્યાધિઓમાં સપડાઇ ગયું હતું. આદિવાસીઓ,ખેત મજૂરો, શોષિતો, વંચિતો અને પીડિતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેનાર ઇન્દુભાઇ એકમાત્ર સાચા યોદ્ધા હતા. દેશમાં અથવા દુનિયામાં ગમે ત્યાં જુલ્મ અને અન્યાયનું વાતાવરણ થાય ત્યારે ઇંન્દુભાઇ 'નયામાર્ગ' માં બુલંદ સચ્ચાઈથી એને વાચા આપતા હતા.અત્યારે તો ગુજરાતના સેવાક્ષેત્રમાં નજર દોડાવીએ તો ઈંદુભાઈ જેવા સત્યનિષ્ઠ,નિર્ભય અને સાચુકલા સમાજસેવક દૂર દૂર સુધી દેખા દેતા નથી.ગુજરાતને,પત્રકારત્વ જગતને, શોષિતો,વંચિતો અને પીડિતોને ઈંદુભાઈની ખોટ દાયકાઓ સુધી સાલતી રહેશે... અલવિદા ઇન્દુભાઇ...

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...