Skip to main content

ઓરહાન પામુકનું પુસ્તક: નોબલ વિજેતા ઓરહાન પામુક.

ફેરી ઓરહાન પામુક ( ખાસ કરીને ઓરહાન પામુક તરીકે જાણીતા છે) એક તુર્કી નવલકથાકાર, પટકથા લેખક,અકાદમીક અને 2006 ના સાહિત્ય નોબેલ પુરસ્કાર મેળવનાર. તુર્કીના અગ્રણી નવલકથાકારોમાંના એક, તેમની કૃતિએ 63 ભાષાઓમાં 13 મિલિયનથી વધુ પુસ્તકો વેચાયા છે, જેથી તે દેશના સૌથી વધુ પુસ્તકો વેચાયા હોય એવા પ્રખ્યાત લેખક છે.

એક મોટા શહેરમાં એક સામાન્ય માણસની કહાની :

ઓરહાન પામુકનું પુસ્તક: નોબલ વિજેતા ઓરહાન પામુક. 

છોકરાનું નામ મેવલુત કરાતાસ હતું. તુર્કીના સેન્ટ્રલ એનાટોલીયામાં રહેતો હતો અને હંમેશા વિચારતો રહેતો કે જો તે મોટો થશે તો તે શું બનશે.? વધારે ભણી ના શક્યો અને 12 વર્ષની ઉંમરે તે 'વિશ્વનું કેન્દ્ર' એટલે કે ઇસ્તંબુલ આવી ગયો,શહેર કે જે એક તરફ તોડી પાડવામાં આવી રહ્યું હતું અને બીજી તરફ ઝડપથી બનાવવામાં આવી રહ્યું હતું.તેના બંને સ્વરૂપોથી તે મુગ્ધ થઈ ગયો.

તેણે તેના પિતાનો ધંધો અપનાવી લીધો અને શેરીઓમાં 'બોજા' (એક પ્રકારનું પીણું) વેચવાનું શરૂ કર્યું. તેણે સપનું જોયું કે એક દિવસ તે બધા લોકોની જેમ શ્રીમંત બની જશે જે તેના ગામેથી ઘણા વખત પહેલાં અહીં સ્થાયી થઈ ગયા હતા. પરંતુ પછી સમય તેની વિરુદ્ધ કાવતરાં કરે છે. તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. જેને તેણે એક લગ્નમાં એક વાર જોઈ હતી. ત્રણ વર્ષ સુધી તે યુવતીને પ્રેમપત્રો લખે છે અને પછી એક ગેરસમજના કારણે તેની બહેન સાથે ભાગીને લગ્ન કરી દે છે.

ધીમે ધીમે તે તેની 'ભૂલથી' પત્ની અને તેના પરિવારને સ્વીકારી લે છે. તેના જીવનનાં વર્ષો વીતતાં જાય છે.આ સમય દરમિયાન, તે ઘણી નોકરીઓ કરે છે જે તેને ક્યાંય લઈ જતી નથી. પરંતુ દરરોજ સાંજે, તે તેની નિષ્ફળતાના ભાવથી અજાણ, ઇસ્તંબુલની શેરીઓમાં ભટકતો રહે છે, 'બોજા' વેચે છે અને તેના મગજની 'વિચિત્રતા' પર આશ્ચર્યચકિત થાય છે. આ જીવંતતાને લીધે, તે અન્ય લોકોથી ભિન્ન હોવાનો અનુભવ કરી શકે છે. પરંતુ નસીબ બીજું કાવતરું ઘડે છે, તેને એ સમજાવવા માટે કે તે જીવનથી હંમેશાં શું ઈચ્છતો હતો.!!!?? 

આ પુસ્તક એક વિખ્યાત મોટા શહેરમાં સામાન્ય માણસના જીવનની કહાની છે.વાર્તા અને શૈલી પામુકની છે, તો પછી તે ચોક્કસપણે અસર કરે જ.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...