Skip to main content

વર્તમાન સાયબર ગુનાખોરી

સાયબર હુમલાખોરો પહેલાંની તુલનાએ વર્તમાનમાં હવે વધુ કુશળ તકનીકોનો ઉપયોગ સિસ્ટમોને ટાર્ગેટ કરવામાં કરે છે.વ્યક્તિગત,નાના વ્યવસાયો અથવા મોટી સંસ્થાઓ બધા તેની અસર નીચે આવે છે.તેથી આઈ.ટી (ઈંફરમેશન ટેકનોલોજી) અથવા નોન આઇ.ટી તમામે સાયબર સિક્યુરિટી વિશે સમજણ ફરજિયાત કેળવવી પડશે અને સાયબર હુમલાઓને નાથવા માટે શક્ય તમામ પરિમાણો અપનાવવા પડશે.

 સાયબર હુમલાખોરો અને હેકરોની રમતો સામે સંસ્થાઓ અને તેમના કર્મચારીઓએ પણ યોગ્ય પગલાં લેવા પડશે.જેમ કે દરેક બાબતે આપણને ઇન્ટરનેટ સાથે જોડાવાની જરૂર પડે છે ત્યારે vulnerabilities (સંવેદનશીલ), Breach(ભંગ), Falw (ખામીઓ) વધવાની શક્યતાઓ વધી જાય છે.

દિવસો ગયા કે સિસ્ટમ કે ડેટાને સુરક્ષિત રાખવા માટે 'પાસવર્ડ' એકલો પૂરતો છે.આપણે બધા સિસ્ટમ કે ડેટા જેવા કે વ્યક્તિગત કે વ્યવસાય ડેટાને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ છીએ.તેથી સાયબર સુરક્ષા વિશે જાણવું અને જાગૃત રહેવું ખૂબ જરૂરી છે,જે ડેટા સુરક્ષાની ખાત્રી આપે છે.

સાયબર સ્પેસ અને તેનું અંતર્ગત માળખું શારીરિક અને સાયબર હુમલા ખતરા બંને માટે ઉદભવતા વિશાળ સાહસ માટે સંવેદનશીલ છે.કુશળ સાયબર હુમલાખોરો, રાષ્ટ્ર-રાજ્યનું ગેરલાભ ઉઠાવનારા સંવેદનશીલ માહિતી અને પૈસા ચોરવા માટે,ભાંગફોડ-નાશ અથવા જરૂરી સર્વિસો ડિલીવર કરવા માટે ધમકી રૂપે ક્ષમતા વિકસિત કરે છે. 

અમેરિકામાં નવેમ્બર 2018 માં 'સાયબર સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી એક્ટ 2018' નો કાયદો પસાર થયો. સીમાચિહ્ન કાયદાએ જુના 'નેશનલ પ્રોટેકશન એન્ડ પ્રોગ્રામ્સ ડાયરેક્ટરેટ (NPPD)', DHS સાથેના મિશનમાં સુધારો કરી 'સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી (CISA)' પ્રસ્થાપિત કરી CISA સાયબર એટેકનો સામનો કરવા અને ફેડરલ ગવર્મેન્ટને સાયબર સિક્યુરિટી ટુલ,ઘટનાઓને લગતી સર્વિસ અને એસેસમેન્ટ ક્ષમતાનું સેફગાર્ડ એવા '.Gov' નેટવર્ક સાથે રાષ્ટ્રીય ક્ષમતા ઘડી,જેણે પાર્ટનર ડિપાર્ટમેન્ટ અને એજન્સીના જરૂરી ઓપરેશનને સપોર્ટ કર્યો. 

NSO ગ્રુપના પેગાસસ માલવેરના હુમલાના સમાચારો પછી અમેરિકન એજન્સીઓ એમના દેશમાં દરેક હાર્ડવેર,સોફ્ટવેર અને નેટવર્કીંગ પ્રોડક્ટોમાં સુરક્ષા-સલામતીના ભાગરુપે ધડાધડ અપડેટો, સૂચનાઓની આપલે કરી રહી છે. ને આપણે ત્યાં હજી સમાચારો અને ડિબેટો પુરતો વિષય બનીને રહ્યો છે.. માટે જાતે પોતાની સિસ્ટમો-ડિવાઈસેસ ને સુરક્ષિત-સલામત રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.. તો થોડાક ડિજિટલ સુરક્ષા માટે જરૂરી ટીપ્સને અપનાવીએ.. 

- તમારા કોમ્પ્યુટર-મોબાઇલમાં સમયાંતરે આવતી લેટેસ્ટ અપડેટોને અવગણશો નહીં,સૌથી પહેલું કામ અપડેટ કરવાનું કરવું. વારંવાર તમારા ફોન અથવા લેપટોપમાં આવતી અપડેટ કરવાથી સિસ્ટમ અને એપ્લિકેશનો હંમેશાં સુરક્ષિત રહે છે.

- પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો : એવા પાસવર્ડો ઉત્પન્ન કરે છે જેનો અનુમાન લગાવવું મુશ્કેલ હોય છે અને તે બધાને એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સંગ્રહિત કરે છે.

- તમામ એકાઉંટ બમણા મજબૂત બનાવો : શક્ય હોય તો ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને અમલી કરો.

- એકાઉંટ વ્યવસ્થિત રાખો: તમે લાંબા સમય સુધી ઉપયોગમાં લેતા હોવ એવા એકાઉન્ટ્સને ડિલીટ કરી નાંખો.ગૂગલ,ફેસબુક અને અન્ય વધું ઉપયોગ કરતા સાઇટ્સ પરની તમારી ગોપનીયતા સેટિંગ્સની સમીક્ષા કરતા રહો.

- તમારા ફોનને સુરક્ષિત કરો : આઠ અંકવાળો પિન અથવા આલ્ફાન્યુમેરિક કોડ જેવા જટિલ સ્ક્રીન લોકની પસંદગી રાખો.જો તમારો ફોન ખોવાઈ જાય તો ખાતરી કરો કે તમે એકાઉન્ટ્સને ફરીથી રીકવર કરી શકો છો.

- વીપીએન એપ્લિકેશનનો ઉપયોગ કરો : સાર્વજનિક WIFI નેટવર્કને એક્સેસ કરતી વખતે VPN (વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક) તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.

- કાળજીપૂર્વક એપ્લિકેશન પસંદ કરો : કોઈપણ એપ્લિકેશન ફક્ત ઓફિશિયલ એપ્લિકેશન સ્ટોર પરથી ડાઉનલોડ કરો.અન્ય બીજી જગ્યા યા જાણીતા સોર્સમાંથી કયારેય એપ્લિકેશન ઈન્સ્ટોલ ના કરો.

- ક્લિક કરતા પહેલાં વિચારો : એસએમએસ અને ઇમેઇલ જોડાણોમાં માલવેર હોઈ શકે છે.તેથી અજાણ્યા મેઈલ કે મેસેજોમાં આવેલ લીંક પર ક્લિક ના કરવી.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...