Skip to main content

શિક્ષકો માટે સાયબર સલામતી : ઓનલાઇન સુરક્ષિત રહેવાની ટિપ્સ

ડિજિટલ ટૂલ્સ શિક્ષકો માટે ઘણા લાભો પૂરા પાડે છે પણ ગોપનીયતા અને સુરક્ષા જોખમો પણ ઉભા કરે છે. વર્ગખંડમાં ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે સલામત કેવી રીતે રહેવું તે જાણીએ.

શિક્ષકો હવે તેમની નોકરીને સરળ બનાવવા, શીખવાની તકો વધારવા અને વિદ્યાર્થીઓનું સતત ધ્યાન સુધારવા માટે ડિજિટલ ટૂલ્સ શ્રેણીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ સાધનો ગોપનીયતા અને સુરક્ષા જોખમો પણ ઉભા કરી શકે છે.

શિક્ષણકાર્ય ચાલુ રાખવા અને અન્ય કાર્યક્રમો માટે ઓનલાઈન અભ્યાસક્રમોમાં વધારો, તેમજ કોવિડ -19 રોગચાળાને કારણે રિમોટેટલી(દૂરસ્થ) શિક્ષણ તરફ આગળ વધવાથી સાયબર ક્રાઈમની વધુ તકો ઉમેરાઈ છે.

રિમોટ(દૂરસ્થ) શિક્ષણ સલામતી જોખમો :

રિમોટ લર્નિંગે એક સંપૂર્ણ નવું ક્ષેત્ર ખોલ્યું છે જ્યાં સાયબર ગુનેગારો માલવેર હુમલા અને ડેટા ભંગ શરૂ કરી શકે છે. "ઝૂમબોમ્બિંગ" એ સુરક્ષાનું જોખમ પણ છે, જ્યાં ટીખળખોરો ખાનગી વિડીયો કોન્ફરન્સિંગ મીટિંગમાં પ્રવેશ કરે છે. ફિશિંગ પણ હેકરોનું અન્ય પ્રિય હુમલો છે.તેમાં સાયબર ગુનેગાર ટેક્સ્ટ સંદેશાઓ, ફોન કોલ્સ, ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા દ્વારા વાસ્તવિક લોકો બની અથવા આબેહૂબ કંપનીઓનો ઢોંગ કરીને તમારી પાસેથી માહિતી,લોગિન ઓળખપત્રો અથવા પૈસા કઢાવવાનો પ્રયાસ કરે છે.

સાયબર ગુનેગાર વેબસાઇટ પર ઇમેઇલ અથવા લિંક મોકલી શકે છે, જ્યાં ડોમેન નામ વાસ્તવિક નામની નજીક યા પહેલી નજરે સાચા જેવું જ દેખાય છે પરંતુ એમાં નજીવી ટાઇપો મિસ્ટેક અથવા વધારાના અક્ષરો સાથે (ઉદાહરણ તરીકે, classrom.goggle.com). જો તમે આ લિંક્સ પર ક્લિક કરો છો, તો તમારા ડિવાઈસમાં દૂષિત પ્રોગ્રામ ડાઉનલોડ થઈ શકે છે અથવા તમારા લોગિન ક્રેડેન્સીયલ(પ્રમાણપત્રો) વહેંચવામાં ફસાશો. સાયબર ગુનેગારો સ્પામ અથવા ફિશિંગ હુમલાઓ શરૂ કરવા, તમારા અન્ય ખાતાઓમાં પ્રવેશ મેળવવા (જો તમે પાસવર્ડ્સનો બીજીવાર - ફરીથી ઉપયોગ કરો છો) અથવા અન્ય કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે તમારા લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરી શકે છે.

પોતાને ઓનલાઈન બચાવવા માટેની ટિપ્સ તમારી સંસ્થાના નીતિ-નિયમોનું પાલન કરો :

વ્યક્તિગત અને તમારા વિદ્યાર્થીઓને બચાવવા માટે, તમારી શાળાના બોર્ડ અથવા સંસ્થાની નીતિઓ વાંચવી અને તેનું પાલન કરવાની ખાતરી કરો.આમાં ઓનલાઇન જોખમો ટાળવા માટે જવાબદાર ઉપયોગી માર્ગદર્શિકાઓ અને શિક્ષણ શામેલ હોઈ શકે છે. તમારા વિદ્યાર્થીઓને ગોપનીયતા અને સુરક્ષા, ઓનલાઇન સંદેશાવ્યવહાર, સાયબર ધમકી, ડિજિટલ ફૂટપ્રિન્ટ અને રેપ્યુટેશન અને કોપિરાઇટ સહિતના વિષયો વિશે શીખવો.

મજબૂત પાસવર્ડ્સનો ઉપયોગ કરો :

તમારા બધા ખાતાઓ માટે મજબૂત, યુનિક(અનન્ય) પાસવર્ડ્સનો ઉપયોગ કરો, તેને પાસવર્ડ મેનેજર સાથે સ્ટોર કરો અને મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટીકેશન(બહુવિધ પરિબળ પ્રમાણીકરણ)ની વધારાની સુરક્ષાનો ઉપયોગ કરો. દરેક ખાતા માટે અલગ પાસવર્ડનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે જો એક સાથે ચેડા થાય છે,તો અન્ય બધા હજુ પણ સુરક્ષિત રહી શકે છે. તમારે તમારા કામ સંબંધિત અને વ્યક્તિગત ખાતાઓ માટે જુદા જુદા ઇમેઇલ સરનામાં અને પાસવર્ડનો પણ ઉપયોગ કરવો જોઈએ. તમારા વિદ્યાર્થીઓને સારા પાસવર્ડ મેનેજમેન્ટ વિશે પણ યાદ કરાવો અને શીખવો.

તમારા વિદ્યાર્થીઓની ગોપનીયતાને સુરક્ષિત કરો :

તમારા વિદ્યાર્થીઓ સાથે માહિતી શેર કરતી વખતે અથવા તેમના કામનું પ્રદર્શન ચેક કરતી વખતે, તેને પાસવર્ડ-સુરક્ષિત, શાળા-મંજૂર પ્લેટફોર્મમાં રાખો, જેમાં શાળા ઇમેઇલ એકાઉન્ટ્સ અને ખાનગી શિક્ષણ વ્યવસ્થાપન પ્રણાલીઓ શામેલ છે. પાસવર્ડ તમારી વર્ચ્યુઅલ કોન્ફરન્સનું રક્ષણ કરે છે અને મીટિંગ આઈડી અને પાસવર્ડ ખાનગી રાખે છે. આ અનિચ્છનીય મુલાકાતીઓને વિદ્યાર્થીઓ સાથે વિડીયો મીટિંગથી દૂર રાખશે.

શિક્ષણ માટે કઈ એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવો તે ધ્યાનમાં લેતી વખતે, સંસ્થા અથવા શાળા બોર્ડ દ્વારા માન્ય પસંદગીઓથી પ્રારંભ કરો. બિન-શૈક્ષણિક ડીઝીટલ ટૂલ્સોમાં વિદ્યાર્થીઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે જરૂરી ગોપનીયતા સેટિંગ્સ ન હોઈ શકે.

શિક્ષકો માટે સોશિયલ મીડિયા સલામતી - વર્ગખંડમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની ટિપ્સ :

જો તમે ક્લાસરૂમ ટ્વિટર અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવો છો અથવા બ્લોગ ધરાવો છો, તો ખાતરી કરો કે ગોપનીયતા સેટિંગ્સ ઉચ્ચતમ સ્તર પર છે. તમારા ખાતાને ખાનગી રાખો જેથી તમે અનુયાયીઓને મંજૂરી આપી શકો,તેમને વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા અથવા વાલીઓ સુધી મર્યાદિત કરી શકો. આ સાવચેતીઓ સાથે એ પણ ધ્યાનમાં રાખવું, કે તમે જે કંઈપણ પોસ્ટ કરો છો તે જાહેર જનતા જોવે છે. ફક્ત વિદ્યાર્થીઓના પ્રથમ નામોનો ઉપયોગ કરો, ફક્ત માતાપિતાની પરવાનગી સાથે ફોટામાં ચહેરા શામેલ કરો અને કોઈપણ લોકેશન(સ્થાનો)ને ખાનગી રાખો.

તમારા અંગત જીવનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની ટિપ્સ :

એક શિક્ષક તરીકે, સોશિયલ મીડિયા પર નેવિગેટ કરવું મુશ્કેલ બની શકે છે. શું પોસ્ટ કરવું યોગ્ય છે? શું તમારે તમારા વિદ્યાર્થીઓને ફોલો કરવા જોઈએ અથવા તેમને ફોલોવ કરવા દેવા જોઈએ? બાળકોના માતાપિતા અને સાથીદારો વિશે શું? તમારા વિશેની માહિતી કોણ જુએ છે તે નિયંત્રિત કરવા માટે તમારે તમારી ગોપનીયતા સેટિંગ્સને કસ્ટમાઇઝ કરવી જોઈએ તે પ્રથમ પગલું છે. તમારી સેટિંગ્સને એવી રીતે ગોઠવો કે જેથી તમારી પોસ્ટ્સ કોણ જોઈ રહ્યું છે તેના પર તમને મંજૂરી મળે અને શોધ પરિણામોમાં શું આવે છે તેને મર્યાદિત કરી શકો, જેથી ફક્ત ચોક્કસ જૂથો જ તમારા ફોટા, પોસ્ટ્સ અથવા પસંદો જોઈ શકે.

જો તમે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માંગતા હો, તો તપાસો કે તમારી શાળા બોર્ડ અથવા સંસ્થા પાસે આ અંગે નીતિઓ છે કે નહીં. જો તમે વર્ગખંડના પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા અથવા વિદ્યાર્થીઓના કામને વહેંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમે એક ખાનગી ખાતું અને એક શાળાના અલગ એકાઉંટ માટે વિચાર કરી શકો છો.

તમારા ઉપકરણોને સુરક્ષિત કરો - એન્ટીવાયરસ સ સોફ્ટવેરનો ઉપયોગ કરો :

એન્ટિવાયરસ સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાંથી વાયરસને અટકાવે છે, શોધી કાઢે છે અને ડીલીટ કરી નાંખે છે. તે માલવેરથી રક્ષણ આપે છે અને વેબસાઇટ બ્લોકિંગ અને ફાયરવોલ જેવી અન્ય સુવિધાઓ પ્રદાન કરી શકે છે. જો તમારી પાસે સ્કૂલ દ્વારા જારી લેપટોપ છે, તો તમારી સંસ્થા અથવા સ્કૂલ બોર્ડ તેને યોગ્ય સોફ્ટવેર સાથે લોડ કરી શકે છે અથવા તમને ચોક્કસ બ્રાન્ડ અથવા પ્રકારનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. જો નહિં, તો તમારા પોતે એમાં આ પ્રકારનો ઉમેરો કરવા માટે ખાતરી કરો. તેને નિયમિત સ્કેન કરવા માટે સેટ કરો અને તેને શેડ્યૂલ પર અપડેટ કરતા રહેવું. 

તમારા કમ્પ્યુટરને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો : 

જ્યારે તમે વિરામ લો ત્યારે હંમેશા તમારા કમ્પ્યુટરને લોક રાખો. તમારા કમ્પ્યુટરને અનલોક કરવા માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. 'વિન્ડોઝ હેલો' જેવા પ્રોગ્રામ સાથે, તમે તમારા ઉપકરણને એક્સેસ કરવા માટે ચહેરાની ઓળખ અથવા ફિંગરપ્રિન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા આજુબાજુના પરિચિત હાજર યા નજીક હોય ત્યારે પાસવર્ડ્સ લખવાનું ટાળો/સાવચેત રહો અથવા કોઈ બીજાના દૃષ્ટિકોણથી તમારા ઓળખપત્રો દાખલ કરો.

તમારા Wi-Fi નેટવર્કને સુરક્ષિત કરો :

જો ઘરે કામ કરો અથવા રિમોટ(દૂર)થી ભણાવો, તો ખાતરી કરો કે તમારું Wi-Fi નેટવર્ક સુરક્ષિત છે. ડિફોલ્ટ લોગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવાને બદલે તમારા રાઉટર પર તમારો પોતાનો પાસવર્ડ પસંદ કરો અને ઉત્પાદક-સોંપેલ રાઉટર કંપનીનું નામ બદલી નાંખો. 

વીપીએન(વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો વિચાર કરો :

Wi-Fi નેટવર્ક પર માહિતી મોકલતી વખતે, VPN તમારા ડેટાને સ્ક્રેમ્બલ કરવા અને તેને સુરક્ષિત અને વાંચી ન શકાય તે માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. અને, કારણ કે તમારો ડેટા VPN સર્વરમાંથી બહાર નીકળી રહ્યો છે, તે સર્વરનું ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) સરનામું ધરાવે છે, તમારા IP સરનામાંને માસ્ક કરે છે અને તમારી ઓનલાઇન પ્રવૃત્તિ છુપાવે છે. 

- સ્પેન્સર કેલાઘન (સ્પેનસર કેલાઘન સીઆઇઆરએમાં બ્રાન્ડ,સંચાર અને વરિષ્ઠ મેનેજર છે. તેઓ એક લેખક, ભૂતપૂર્વ પત્રકાર છે, અને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ટેકનોલોજી, નફાકારક અને એજન્સી વાતાવરણમાં અનુભવ ધરાવે છે. તેમની કુશળતાના ક્ષેત્રોમાં કન્ટેન્ટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, બ્રાન્ડિંગ અને પબ્લિક રિલેશન્સનો સમાવેશ થાય છે.) 



Comments

Post a Comment

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...