Skip to main content

જ્ઞાનની લૂંટ

પોર્ટુગિઝ ગવર્નરે ૧૭મી સદીમાં માલાબારના છોડવાઓ અને તેની ચિકિત્સીય ગુણોની જાણકારી એકત્ર કરી 12 ભાગોમાં 'હોર્ટસ માલાબારીક્સ'ના રૂપમાં પ્રકાશિત કર્યું હતું. 


ભારતમાં અંગ્રેજોનું શાસન પ્રાકૃતિક સંસાધનોની લૂંટ અને શોષણનું શાસન હતું.પરંતુ અંગ્રેજોના શાસનથી પહેલા એક મોટી 'લૂંટ' થઈ હતી.એ 'લૂંટ' પોર્ટુગિઝો દ્વારા કરવામાં આવેલી સ્થાનિક જ્ઞાનની લૂંટ હતી.ઇતિહાસ બતાવે છે કે પોર્ટુગીઝ ભારતમાં મસાલાઓના વ્યાપારના ઉદ્દેશથી આવ્યા હતા,પરંતુ મસાલાઓ ઉપરાંત તેમની ઊંડી રૂચિ ભારતના ઔષધીય જ્ઞાન અને અહીંની જૈવ વિવિધતામાં પણ હતી.આ જ કારણ છે કે ૧૬૦૨માં જ્યારે એમ્સ્ટરડેમ થી પોર્ટુગીઝોના જહાજનો બેડો ભારત માટે રવાના થયો,ત્યારે ઔષધ વૈજ્ઞાનિકોને યુરોપના વનસ્પતિ વિજ્ઞાની કૈરોલસ ક્લૂસિયસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા કે પરત ફરતી વખતે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ મસાલાઓ અને ફળો સિવાય વિચિત્ર દેખાતા વૃક્ષોને લઈને આવે. 

'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' પુસ્તક મુજબ,ક્લૂસિયસના નિર્દેશની નજીક ૧૦૦ વર્ષ પછી ૧૭૦૩માં માલાબારના ડચ ગવર્નર હેડ્રિક એડ્રિયન વૉર્ન રીડેએ ૧૨ ખંડોનું સંકલન પૂર્ણ કર્યું. આ સંકલનનું નામ હતું 'હોર્ટસ માલાબારીક્સ(ગાર્ડન ઓફ માલાબાર)'.આ સંકલનમાં માલાબારમાં ૧૭મી સદીના ૭૪૦ છોડોની વિસ્તૃત જાણકારી હતી.રીડેને આ સંકલનને તૈયાર કરવામાં ૨૫ વર્ષ લાગી ગયા.તેનો પહેલો ખંડ ૧૬૭૮માં અને અંતિમ ખંડ ૧૭૦૩માં પ્રકાશિત થયો.

એશિયંટ સાયન્સીસ ઓફ લાઈફ જર્નલમાં ૧૯૮૪માં પ્રકાશિત કે.એસ.મણીલાલનું અધ્યયન બતાવે છે કે હોર્ટસ માલાબારીક્સ ભારતના ઔષધીય છોડવાઓ પર મુદ્રિત સૌથી પ્રાચીન તેમજ મહત્વપૂર્ણ પુસ્તક છે. પુસ્તકમાં આપવામાં આવેલી ઔષધીય છોડ અને તેના ઉપયોગની અધિકાંશ જાણકારી ચાર આયુર્વેદિક ચિકિત્સકો - ઇટ્ટી અચુદન,રંગ ભટ્ટ,વિનાયક પંડિત અને અપ્પૂ ભટ્ટ દ્વારા રીડેને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ચિકિત્સકોનું અધિકાંશ જ્ઞાન આયુર્વેદ ઉપર આધારિત હતું.તેમણે મલયાલમ અને કોંકણી ભાષાઓમાં જાણકારીઓ આપી,જેનું અનુવાદ પોર્ટુગીઝ  અને લેટિન ભાષામાં કરવામાં આવ્યું.મણિલાલ લખે છે કે ૧૭મી સદીમાં જ્યારે પુસ્તકનો પહેલો ખંડ પ્રકાશિત થયો તો યુરોપના વૈજ્ઞાનિકોએ તેને સીમાચિહ્ન રૂપ કહ્યું. વનસ્પતિ વિજ્ઞાનના પુનર્જાગરણ(રેનેસાં) ના ૭૫ વર્ષ પછી આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના જનક કાર્લ લિનિયસે ઘણી વખતે આ પુસ્તકના મહત્વને રેખાંકિત કર્યું છે.


 

'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' મુજબ,કેટલીક હદ સુધી આ પુસ્તક રીડે અને જનરલ રાઈક્લોફ વેન ગોએંસની વચ્ચે ચાલી રહેલી રાજનીતિક પ્રતિદ્વંદ્વીતાનું પણ પરિણામ હતું.ગોએંસ કોચીનની જગ્યાએ ડચ ઉપનિવેશકની રાજધાની કોલંબોને બનાવવા ઇચ્છતા હતા.ત્યાં બીજી બાજુ રીડે મસાલા,કપાસ અને લાકડાઓની આપૂર્તિમાં માલાબારની શ્રેષ્ઠતા સાબિત કરવા ઇચ્છતા હતા.રીડેએ એ પણ સાબિત કર્યું કે યુરોપીય શહેરોમાં વેચાવાવાળી અને ડચ સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી મહત્વપૂર્ણ દવાઓ મલાબાર ના છોડવાઓ થી જ બની છે.રીડેના તર્કોને જોતાં ડચ સરકારે તેમનો પક્ષ લીધો અને કોચીન રાજધાની બની રહી.

હોર્ટસ માલાબારીક્સને રીડેએ ભલે પોર્ટુગીઝોના લાભ માટે સંકલિત કર્યા હોય અને તેમના આ પ્રયાસને જૈવિક જ્ઞાનની ચોરી અથવા બાયો પાયરેસીના રૂપમાં જોવામાં આવતું હોય,પરંતુ આ પુસ્તક વર્તમાનમાં બધા માટે ઉપલબ્ધ છે.આને વનસ્પતિ વિજ્ઞાનની મહાન પુસ્તકનું ગૌરવ હાંસિલ છે.

- ભાગીરથ

સૌજન્ય : ડાઉન ટૂ અર્થ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...