Skip to main content

જ્ઞાનની લૂંટ

પોર્ટુગિઝ ગવર્નરે ૧૭મી સદીમાં માલાબારના છોડવાઓ અને તેની ચિકિત્સીય ગુણોની જાણકારી એકત્ર કરી 12 ભાગોમાં 'હોર્ટસ માલાબારીક્સ'ના રૂપમાં પ્રકાશિત કર્યું હતું. 


ભારતમાં અંગ્રેજોનું શાસન પ્રાકૃતિક સંસાધનોની લૂંટ અને શોષણનું શાસન હતું.પરંતુ અંગ્રેજોના શાસનથી પહેલા એક મોટી 'લૂંટ' થઈ હતી.એ 'લૂંટ' પોર્ટુગિઝો દ્વારા કરવામાં આવેલી સ્થાનિક જ્ઞાનની લૂંટ હતી.ઇતિહાસ બતાવે છે કે પોર્ટુગીઝ ભારતમાં મસાલાઓના વ્યાપારના ઉદ્દેશથી આવ્યા હતા,પરંતુ મસાલાઓ ઉપરાંત તેમની ઊંડી રૂચિ ભારતના ઔષધીય જ્ઞાન અને અહીંની જૈવ વિવિધતામાં પણ હતી.આ જ કારણ છે કે ૧૬૦૨માં જ્યારે એમ્સ્ટરડેમ થી પોર્ટુગીઝોના જહાજનો બેડો ભારત માટે રવાના થયો,ત્યારે ઔષધ વૈજ્ઞાનિકોને યુરોપના વનસ્પતિ વિજ્ઞાની કૈરોલસ ક્લૂસિયસ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા કે પરત ફરતી વખતે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ મસાલાઓ અને ફળો સિવાય વિચિત્ર દેખાતા વૃક્ષોને લઈને આવે. 

'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' પુસ્તક મુજબ,ક્લૂસિયસના નિર્દેશની નજીક ૧૦૦ વર્ષ પછી ૧૭૦૩માં માલાબારના ડચ ગવર્નર હેડ્રિક એડ્રિયન વૉર્ન રીડેએ ૧૨ ખંડોનું સંકલન પૂર્ણ કર્યું. આ સંકલનનું નામ હતું 'હોર્ટસ માલાબારીક્સ(ગાર્ડન ઓફ માલાબાર)'.આ સંકલનમાં માલાબારમાં ૧૭મી સદીના ૭૪૦ છોડોની વિસ્તૃત જાણકારી હતી.રીડેને આ સંકલનને તૈયાર કરવામાં ૨૫ વર્ષ લાગી ગયા.તેનો પહેલો ખંડ ૧૬૭૮માં અને અંતિમ ખંડ ૧૭૦૩માં પ્રકાશિત થયો.

એશિયંટ સાયન્સીસ ઓફ લાઈફ જર્નલમાં ૧૯૮૪માં પ્રકાશિત કે.એસ.મણીલાલનું અધ્યયન બતાવે છે કે હોર્ટસ માલાબારીક્સ ભારતના ઔષધીય છોડવાઓ પર મુદ્રિત સૌથી પ્રાચીન તેમજ મહત્વપૂર્ણ પુસ્તક છે. પુસ્તકમાં આપવામાં આવેલી ઔષધીય છોડ અને તેના ઉપયોગની અધિકાંશ જાણકારી ચાર આયુર્વેદિક ચિકિત્સકો - ઇટ્ટી અચુદન,રંગ ભટ્ટ,વિનાયક પંડિત અને અપ્પૂ ભટ્ટ દ્વારા રીડેને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ચિકિત્સકોનું અધિકાંશ જ્ઞાન આયુર્વેદ ઉપર આધારિત હતું.તેમણે મલયાલમ અને કોંકણી ભાષાઓમાં જાણકારીઓ આપી,જેનું અનુવાદ પોર્ટુગીઝ  અને લેટિન ભાષામાં કરવામાં આવ્યું.મણિલાલ લખે છે કે ૧૭મી સદીમાં જ્યારે પુસ્તકનો પહેલો ખંડ પ્રકાશિત થયો તો યુરોપના વૈજ્ઞાનિકોએ તેને સીમાચિહ્ન રૂપ કહ્યું. વનસ્પતિ વિજ્ઞાનના પુનર્જાગરણ(રેનેસાં) ના ૭૫ વર્ષ પછી આધુનિક વનસ્પતિ વિજ્ઞાનના જનક કાર્લ લિનિયસે ઘણી વખતે આ પુસ્તકના મહત્વને રેખાંકિત કર્યું છે.


 

'એન્વાયરમેન્ટ હિસ્ટ્રી રીડર' મુજબ,કેટલીક હદ સુધી આ પુસ્તક રીડે અને જનરલ રાઈક્લોફ વેન ગોએંસની વચ્ચે ચાલી રહેલી રાજનીતિક પ્રતિદ્વંદ્વીતાનું પણ પરિણામ હતું.ગોએંસ કોચીનની જગ્યાએ ડચ ઉપનિવેશકની રાજધાની કોલંબોને બનાવવા ઇચ્છતા હતા.ત્યાં બીજી બાજુ રીડે મસાલા,કપાસ અને લાકડાઓની આપૂર્તિમાં માલાબારની શ્રેષ્ઠતા સાબિત કરવા ઇચ્છતા હતા.રીડેએ એ પણ સાબિત કર્યું કે યુરોપીય શહેરોમાં વેચાવાવાળી અને ડચ સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી મહત્વપૂર્ણ દવાઓ મલાબાર ના છોડવાઓ થી જ બની છે.રીડેના તર્કોને જોતાં ડચ સરકારે તેમનો પક્ષ લીધો અને કોચીન રાજધાની બની રહી.

હોર્ટસ માલાબારીક્સને રીડેએ ભલે પોર્ટુગીઝોના લાભ માટે સંકલિત કર્યા હોય અને તેમના આ પ્રયાસને જૈવિક જ્ઞાનની ચોરી અથવા બાયો પાયરેસીના રૂપમાં જોવામાં આવતું હોય,પરંતુ આ પુસ્તક વર્તમાનમાં બધા માટે ઉપલબ્ધ છે.આને વનસ્પતિ વિજ્ઞાનની મહાન પુસ્તકનું ગૌરવ હાંસિલ છે.

- ભાગીરથ

સૌજન્ય : ડાઉન ટૂ અર્થ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ