મે 1798માં કલકત્તામાં ઉતર્યો તે પહેલાં જ, નવા ગવર્નર-જનરલ રિચર્ડ વેલેસ્લીએ નક્કી કર્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની ત્યારે જ સુરક્ષિત રહેશે જો હૈદર અલીના પુત્ર અને અનુગામી, ટીપુ સુલતાનને યુદ્ધમાં ખદેડવામાં આવે - પરાજિત કરવામાં આવે અને કમ સે કમ બ્રિટિશરો માટે પશ્ચિમ દરિયાકાંઠાની જમીન આપવા ફરજ પાડવામાં આવે. ફેબ્રુઆરી 1799માં વેલેસ્લીએ મદ્રાસથી કૂચ કરવા માટે 26,000 સૈન્યનું આયોજન કર્યું હતું, જેમાં હૈદરાબાદના નિઝામના 20,000 સૈનિકો ઉત્તરથી કૂચ કરી રહ્યા હતા અને પશ્ચિમમાંથી 4,000 બ્રિટિશ જૂથ સાથે જોડાયા હતા. પરિવહન કરવાના સાધનોના જથ્થાને કારણે કૂચ અપેક્ષા કરતાં ધીમી હતી: બેટરિંગ મશીનો અને માઇનિંગ ગિયર, ચોખા અને ઘઉંથી ભરેલા હજારો બળદ ગાડા તેમજ વરિષ્ઠ અધિકારીઓના વૈભવી તંબુ અને ચાંદીના પ્લેટેડ ટેબલ સેટ. કંપનીની સેના એપ્રિલમાં ટીપુની રાજધાની શ્રીરિંગપટમ ખાતે આવી પહોંચી હતી. શહેરની એક મહિના સુધી ઘેરાબંધી થઈ,છેલ્લે 2 મેના રોજ કંપની કિલ્લાની દિવાલોમાં ઘણા સમય સુધીના પ્રયત્નો પછી મોટા છિદ્રોની શ્રેણી પાડી ઉડાડવામાં સફળ રહી અને પછીના બે દિવસમાં, શહેરમાં પ્રવેશ કર્યો. ટીપુને શિકારની રાઈફલ્સ સાથે યુદ્ધમાંથી ગોળીબાર કરતો જોવામાં આવ્યો હતો, પરંતુ લડતાં લડતાં વીરગતિ પામ્યો હતો, જ્યારે ઘણા સમય રાહ જોયા પછીથી લાશોથી ભરેલા ઓરડામાં પ્રવેશ કરતાં લાશ મળી આવી હતી,તેનું શરીર હજી પણ ગરમ હતું. મહેલની અંદર, સૈનિકોને ટીપુનો યાંત્રિક વાઘ, અને અન્ય ત્રણ જીવંત,ભૂખ્યા વાઘ પાંજરામાં બંધ મળી આવ્યા. આર્થર વેલેસ્લીને ટીપુની ભૂમિના લશ્કરી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રથમ કાર્ય વાઘોને મારવાનું સોંપવામાં આવ્યું હતું : 'તેમને કોઈ ખોરાક આપનાર ન હતું, અને તેમની દેખરેખ રાખવા માટે પણ કોઈ ન હતું, અને તેઓ હિંસક બની રહ્યા હતા.' ત્રણ ગુસ્સે થયેલ મોટા ખૂંખાર વાઘોને કાબૂમાં રાખવામાં તે અસમર્થ હતો.
જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...
Comments
Post a Comment