Skip to main content

રાષ્ટ્રીય પ્રશ્નો વિશે વિમલાતાઈએ 1997 માં રજૂ કરેલા વિચારો


(૧)
સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં તમામ સ્તરે અરાજકતા, ભ્રષ્ટાચાર અને ગુન્હાખોરીનું પ્રમાણ વધતું જ જાય છે.રાજકીય ક્ષેત્રે તેનુ પ્રમાણ વધુ જોવા મળે છે.જો પ્રજાના કલ્યાણ વિશે સ્પષ્ટ સમજણ ધરાવતા હોય,તેનો અમલ કરવા માટેની સંકલ્પશક્તિ હોય અને માનવીય મૂલ્યો અને લોકતાંત્રિક પ્રણાલીઓને પ્રતિષ્ઠિત કરવા ઈચ્છતા હોય તેવા સક્ષમ રાજકીય પક્ષો ન હોય તો સંસદીય લોકશાહી સુચારૂપણે કાર્ય કરી શકે નહીં.
કમનસીબે વર્તમાન રાષ્ટ્રીય કે પ્રાદેશિક રાજકીય પક્ષોએ પોતાની વિશ્વસનીયતા તો ગુમાવી જ છે,તેઓની પાસે રાજકીય ચારિત્ર્ય કે સામર્થ્ય પણ રહ્યાં તથી.ભારતીય પ્રજાની આગવી પ્રતિભા સામે એક મહત્ત્વનો પડકાર આવીને ઊભો છે.શ્રી જયપ્રકાશ નારાયણે સૂચવેલ પક્ષવિહિન લોકભાગીદારી વાળી લોકશાહીનો પ્રયોગ હિંમતપૂર્વક કરવા માટે આપણે તેની શક્યતા તપાસીએ અથવા વિશ્વસનીયતા ધરાવતો એક નવો રાજકીય પક્ષ ઊભો થાય,તે પક્ષ ચોક્કસ સિધ્ધાંતો આધારિત હોય અને તે સિધ્ધાંતોનો સમાજ જીવનની નક્કર વાસ્તવિકતા વચ્ચે અમલ કરવા માટેની સ્પષ્ટ પ્રક્રિયાઓ તેની પાસે હોવી જોઈએ.
મને લાગે છે કે આપણે કેટલીક બાબતો પ્રત્યે સ્પષ્ટ થઈ જવું જરૂરી છે.
આપણા ચિત્તમાં રાષ્ટ્રની સંકલ્પના શી છે ? અને તેના આધારો ક્યા છે ? ધર્મવાદ અને બિનસાંપ્રદાયિકતાવાદ માનવજાતિના કોઈ પ્રશ્નો ઉકેલી શક્યા નથી.અધ્યાત્મને નામે દિવ્યતાની વાતો અને ભૌતિકવાદનું દર્શન પણ નિષ્ફળ ગયા છે.રાષ્ટ્રની સંકલ્પનાના અને રાષ્ટ્રીય સર્વોપરિતાના દિવસો પણ હવે પૂરા થયા છે. વૈશ્વિકતાના યુગનો ઉદય થયો છે.રાજકીય પક્ષોએ અને સરકારોએ સ્થાનિક અને વૈશ્વિક હિતોનો સમન્વય કરીને એક અખંડ સમગ્રતાનું દર્શન ઊભું કરવું પડશે.ભારત સામે આ એક પ્રચંડ કાર્ય છે.બધાં વંશીય અને ભાષાકીય હિતોને એક સૂત્રમાં પરોવવાં પડશે.જ્ઞાતિ અને વર્ગના નામે સરકાર તથા લોકો તરફથી થતા શોષણને પ્રોત્સાહિત કરતાં અને તેનો બચાવ કરતાં માળખાને અને પધ્ધતિઓને તાત્કાલિક નાબૂદ કરવી પડશે.
તા. ૧૩-૧-૯૭
(૨)
રાજકીય અને આર્થિક હેતુ સિધ્ધ કરવા માટે ત્રાસવાદનો,કટ્ટરવાદનો અને હિંસાનો ઉપયોગ થઈ રહ્યો છે તે મુખ્ય ચિંતાનો વિષય છે.ભારતમાં અને વિશ્વ આખામાં રાજકીય ગુંડાઓ અને આર્થિક માફીયાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે તે સંસદીય લોકશાહી માટે અને રાષ્ટ્ર રાજયના અસ્તિત્વ માટે ખતરારૂપ છે.એશિયા,યુરોપ અને યુ.એસ.એ.ની સરકાર સુધ્ધાં આ કટોકટીને હલ કરવાં સક્ષમ નથી એની મને વધુ ચિંતા છે.
તા. ૫-૪-૯૭
(3)
તંત્રમાં દરેક સ્તરે સત્તામાં બધાની ભાગીદારી હોય તેવા વિકેન્દ્રીકરણ તરફ જવાનો પડકાર છે.રાજય અને કેન્દ્ર વચ્ચે નવા સંબંધો ઊભા થઈ રહ્યા છે. મિશ્ર સરકાર કદાચ રાષ્ટ્રીય સરકારમાં પરિણમે અને બધાને સમાન રાજકીય અને આર્થિક સત્તા આપવાનું બને.વૈશ્વિકરણ અને ઉદારીકરણના સંદર્ભમાં ભારતના ઈતિહાસમાં આ એક નવું પ્રકરણ હશે. . .
નવા વડાપ્રધાનનું સહુથી મૂશ્કેલ કાર્ય તો ભારતીય કૉંગ્રેસથી અલગ યુનાઈટેડ ફ્રન્ટની અને સરકારની ઓળખ ઊભી કરવાનું છે.યુનાઈટેડ ફ્રન્ટના બધાં ભાગીદારો માટે લધુત્તમ સામાન્ય કાર્યક્રમ બંધનકર્તા છે.શ્રી ગુજરાલ કૉંગ્રેસ અને ભા.જ.પ.નો સંપર્ક કરીને નીચેની બાબતો વિશે એક લઘુતમ સામાન્ય કાર્યક્રમ બનાવી શકે.
૧. લોકતંત્રના પાયાના મૂલ્યો
૨. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની
૩. મૂળભૂત આર્થિક પડકારો અને તેના ઉકેલ માટેનો સમયબધ્ધ કાર્યક્રમ
રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યોને નિમંત્રીને સાંપ્રદાવિકતા, ધર્મ, કોમવાદ,જ્ઞાતિવાદ વગેરે વિષયો પર ચર્ચા યોજી શકે,આવી ચર્ચાની તાત્કાલિક આવશ્યકતા છે.
તા. રપ-૪-૯૭
(ઉપરના ત્રણ મુદા રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વના છે. તે વિશે બધા રાજકીય પક્ષો ચૂંટણી પછી સાથે બેસીને સર્વસંમતી સાધીને નિશ્ચિત લધુતમ સામાન્ય કાર્યક્રમ
બનાવે તે જરૂરી છે. - સં.)
“વિશ્વભરમાં જેટલાં લોકતાંત્રિક દેશો છે તે શોષણ - અત્યાચાર અને અન્યાયના આધાર પર ઊભા છે. એટલે વાસ્તવિક રીતે તે લોકતાંત્રિક નથી.આ આધુનિક દેશોમાં લોકતંત્રનો આધાર છે કેવળ ભૌતિક દર્શન.સૌભાગ્યથી આ પ્રાચીન ભારત દેશમાં માનવજીવનનું વિજ્ઞાન અને કલા,અધ્યાત્મના રૂપમાં વિકસિત થયું.માનવ માનવના પરસ્પર જીવનમાંથી નિરામય સમાજજીવન વિકસિત થવા માટે કેટલાક નિરપેક્ષ મૂલ્યોની આવશ્યકતા હોય છે.સત્યનિષ્ઠા,પરસ્પર વિશ્વાસ,ન્યાય,પ્રેમ,સહકાર વગેરે નિરપેક્ષ મૂલ્ય છે. આ મૂલ્યો મનુષ્યને કેવળ હાડમાંસનું, મન-મસ્તકનું પૂતળું માનીને ચાલવાવાળા ભૌતિકદર્શનના આધાર પર ઊભા થઈ શકે નહીં.આ મૂલ્યોના અભાવમાં મનુષ્ય પશુવત્‌ આચરણ કરવા લાગે છે.
આજના સાર્વત્રિક ભ્રષ્ટાચારના વાતાવરણમાં માનવની અપ્રતિષ્ઠા થઈ રહી છે.આ અવનતિને અટકાવીને માનવીય સમજની અને બુધ્ધિનિષ્ઠાની પવિત્રતા અને પ્રતિષ્ઠા સમાજજીવનમાં પુનઃ નિમિત કરવી તે દરેક અધ્યાત્મનિષ્ઠ અને લોકતંત્રપ્રેમીનું કામ છે.
- વિમલા ઠકાર (વિમલાતાઈ)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...