Skip to main content

રવિશંકર મહારાજ ( 25 ફેબ્રુઆરી 1884 - 1 જુલાઇ 1984 )




" ઘસાઇને ઉજળા થઇએ, બીજાંને ખપમાં આવીએ."

વાક્યને પોતાનો જીવનમંત્ર બનાવી મહારાજે પોતાના જીવનની ક્ષણે ક્ષણ સમાજને અર્પણ કરી દીધી. 1921માં ઘર છોડ્યું તે દિવસથી તેઓ સાચા અર્થમાં અકિંચન અને અપરિગ્રહી બન્યા હતા.

વર્ષો સુધી પૈસાને સ્પર્શ નહીં કે પોતાની મિલકત નહીં કે ઘર - કુટુંબની મમતા નહીં.

ગાંધીજીની ઇચ્છાને માન આપી ખેડા જિલ્લાની ગુનેગાર ગણાતી પાટણવાડીયા કોમની સેવામાં લાગી ગયા અને એ કોમને ચોરી, ડાકુગીરી, શરાબખોરીથી છોડાવવા ગાંધી ચીંધ્યાં રચનાત્મક કાર્યોની શરૂઆત કરી. સમાજ જેને ધિક્કારતો હતો, જેને ગુનેગાર ગણી દૂર ભાગતો હતો એમના પ્રત્યે મહારાજના મનમાં અપાર કરૂણા અને એ કરૂણા, સંવેદનશીલતા અને પ્રેમનું પરિણામ એ કોમોમાં આવેલું પરિવર્તન જેને આપણે " માણસાઇના દીવા"માં મેઘાણીજીની કલમે અનુભવી શકીએ છીએ.

વિનોબાજીના " ભૂદાન" વિચારના અમલ માટેની પદયાત્રાઓમાં મહારાજે પોતાની જાત નીચોવી દીધી. સતત ભૂદાન માટેના કાર્યમાં મગ્ન મહારાજ રોજનું વીસેક માઇલ ચાલી , પ્રવચન કરી લોકોને ભૂદાન માટે તૈયાર કરતા. તેમની સભાઓમાં ભૂદાનની સાથે વ્યસન મુકતિ, સંપત્તિ દાન, જેવાં કાર્યો સાથે ચાલતાં.મહારાજે પાંચ વર્ષના ગાળામાં વિનોબાજીનો સંદેશો ગુજરાતના ગામે- ગામ પહોંચાડ્યો.

ભૂદાન જેવી પ્રવૃત્તિ હોય કે દુકાળ કે રેલ જેવી કુદરતી આફત મહારાજની સંવેદના તરત જ તેમને ત્યાં દોરી જતી અને ખડેપગે તેઓ આપત્તિગ્રસ્ત વિસ્તાર - લોકોને સહાયરૂપ થતા. સાંતલપુર, સમી , હારીજ, રાધનપુર, જેવા વિસ્તારમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે તેઓએ કૂવા અને બોરિંગ બનાવડાવીને પાણીની સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા અને એટલે તેઓ " બોરિંગવાળા મહારાજ " તરિકે પણ ઓળખાયા.

ગુજરાત કે બીજા રાજ્યોની કુદરતી આફતો જ નહીં પણ 1969માં ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં પણ , તત્કાલીન મુખ્યમંત્રીની તોફાન પ્રભાવિત વિસ્તારોમાં જવાની ના હોવા છતાં પણ મહારાજ જાતે એવા વિસ્તારોમાં પહોંચીને હુતાશન ઠારવા માટે પોતાની તમામ શક્તિ લગાડતા. જ્યારે જયારે ગુજરાતમાં કોમી અશાંતિ ફેલાતી મહારાજ પોતાની પરવા કર્યા સિવાય પ્રેમ - ભાઇચારાનો સંદેશ પ્રભાવિત વિસ્તારોમાં જાતે જઇને કર્યો દ્વારા આપતા.

પોતાને " ગાંધીજીના ટપાલી " તરિકે ઓળખાવનાર મહારાજના હસ્તે નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થાય છે જ્યારે મહારાષ્ટ્રનું ઉદ્ઘાટન નહેરૂજીના હસ્તે થાય છે એ ઘટના પણ મહારાજના પ્રભાવ અને તત્કાલીન સમાજમાં એમના સ્વીકાર - આદરને સમજવા માટે ખપ લાગે એવી છે.

આજે નવી પેઢી માટે રવિશંકર મહારાજ એટલે શ્રી શ્રી રવિશંકર મહારાજ એવું સમીકરણ ફીટ થઇ ગયું હોય કે થઇ રહ્યું હોય ત્યારે એક રવિશંકર મહારાજ આપણ હતા એ તરફ અંગુલી નિર્દેશ કરવો એ ગાંધીવિચાર માં શ્રદ્ધા રાખનાર સૌની ફરજ બને છે એવી મારી સમજ છે.

एतावानस्य महिमा अतो ज्यायान् च पुरुष :
---( પુરૂષસૂકત )

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...