Skip to main content

રવિશંકર મહારાજ ( 25 ફેબ્રુઆરી 1884 - 1 જુલાઇ 1984 )




" ઘસાઇને ઉજળા થઇએ, બીજાંને ખપમાં આવીએ."

વાક્યને પોતાનો જીવનમંત્ર બનાવી મહારાજે પોતાના જીવનની ક્ષણે ક્ષણ સમાજને અર્પણ કરી દીધી. 1921માં ઘર છોડ્યું તે દિવસથી તેઓ સાચા અર્થમાં અકિંચન અને અપરિગ્રહી બન્યા હતા.

વર્ષો સુધી પૈસાને સ્પર્શ નહીં કે પોતાની મિલકત નહીં કે ઘર - કુટુંબની મમતા નહીં.

ગાંધીજીની ઇચ્છાને માન આપી ખેડા જિલ્લાની ગુનેગાર ગણાતી પાટણવાડીયા કોમની સેવામાં લાગી ગયા અને એ કોમને ચોરી, ડાકુગીરી, શરાબખોરીથી છોડાવવા ગાંધી ચીંધ્યાં રચનાત્મક કાર્યોની શરૂઆત કરી. સમાજ જેને ધિક્કારતો હતો, જેને ગુનેગાર ગણી દૂર ભાગતો હતો એમના પ્રત્યે મહારાજના મનમાં અપાર કરૂણા અને એ કરૂણા, સંવેદનશીલતા અને પ્રેમનું પરિણામ એ કોમોમાં આવેલું પરિવર્તન જેને આપણે " માણસાઇના દીવા"માં મેઘાણીજીની કલમે અનુભવી શકીએ છીએ.

વિનોબાજીના " ભૂદાન" વિચારના અમલ માટેની પદયાત્રાઓમાં મહારાજે પોતાની જાત નીચોવી દીધી. સતત ભૂદાન માટેના કાર્યમાં મગ્ન મહારાજ રોજનું વીસેક માઇલ ચાલી , પ્રવચન કરી લોકોને ભૂદાન માટે તૈયાર કરતા. તેમની સભાઓમાં ભૂદાનની સાથે વ્યસન મુકતિ, સંપત્તિ દાન, જેવાં કાર્યો સાથે ચાલતાં.મહારાજે પાંચ વર્ષના ગાળામાં વિનોબાજીનો સંદેશો ગુજરાતના ગામે- ગામ પહોંચાડ્યો.

ભૂદાન જેવી પ્રવૃત્તિ હોય કે દુકાળ કે રેલ જેવી કુદરતી આફત મહારાજની સંવેદના તરત જ તેમને ત્યાં દોરી જતી અને ખડેપગે તેઓ આપત્તિગ્રસ્ત વિસ્તાર - લોકોને સહાયરૂપ થતા. સાંતલપુર, સમી , હારીજ, રાધનપુર, જેવા વિસ્તારમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે તેઓએ કૂવા અને બોરિંગ બનાવડાવીને પાણીની સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા અને એટલે તેઓ " બોરિંગવાળા મહારાજ " તરિકે પણ ઓળખાયા.

ગુજરાત કે બીજા રાજ્યોની કુદરતી આફતો જ નહીં પણ 1969માં ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં પણ , તત્કાલીન મુખ્યમંત્રીની તોફાન પ્રભાવિત વિસ્તારોમાં જવાની ના હોવા છતાં પણ મહારાજ જાતે એવા વિસ્તારોમાં પહોંચીને હુતાશન ઠારવા માટે પોતાની તમામ શક્તિ લગાડતા. જ્યારે જયારે ગુજરાતમાં કોમી અશાંતિ ફેલાતી મહારાજ પોતાની પરવા કર્યા સિવાય પ્રેમ - ભાઇચારાનો સંદેશ પ્રભાવિત વિસ્તારોમાં જાતે જઇને કર્યો દ્વારા આપતા.

પોતાને " ગાંધીજીના ટપાલી " તરિકે ઓળખાવનાર મહારાજના હસ્તે નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થાય છે જ્યારે મહારાષ્ટ્રનું ઉદ્ઘાટન નહેરૂજીના હસ્તે થાય છે એ ઘટના પણ મહારાજના પ્રભાવ અને તત્કાલીન સમાજમાં એમના સ્વીકાર - આદરને સમજવા માટે ખપ લાગે એવી છે.

આજે નવી પેઢી માટે રવિશંકર મહારાજ એટલે શ્રી શ્રી રવિશંકર મહારાજ એવું સમીકરણ ફીટ થઇ ગયું હોય કે થઇ રહ્યું હોય ત્યારે એક રવિશંકર મહારાજ આપણ હતા એ તરફ અંગુલી નિર્દેશ કરવો એ ગાંધીવિચાર માં શ્રદ્ધા રાખનાર સૌની ફરજ બને છે એવી મારી સમજ છે.

एतावानस्य महिमा अतो ज्यायान् च पुरुष :
---( પુરૂષસૂકત )

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ