Skip to main content

રાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ : સરોજિની નાયડુ જન્મજયંતિ


ભારતની કોકિલા સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી ૧૮૭૯ ના રોજ હૈદરાબાદમાં થયો હતો.તેમના પિતા ડો. અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક પ્રસિદ્ધ ડોક્ટર, વૈજ્ઞાનિક તથા ઘણા વિષયોના વિદ્વાન હતા.તેમની માતાનું નામ વરદ સુંદરી હતું. તેઓ એક ધાર્મિક, સાત્વિક તથા સાહિત્યિક રુચી ધરાવતા મહિલા હતા. આ પ્રકારે સરોજિની નાયડુમાં તેમના માતા અને પિતા બંનેના ગુણોનો સમાવેશ હતું.બાળપણથી જ તે કુશાગ્ર બુદ્ધિ તથા સ્વાભિમાની મહિલા હતા.તેમના પિતા તેમને ગણિતજ્ઞ/વૈજ્ઞાનિક બનાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમનામાં કાવ્ય પ્રતિભા બળવંત હતી. એક દિવસ તેમણે બીજગણિતના કોઈ પ્રશ્ન હલ કરવામાં પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે તે પ્રશ્ન હલ ન થયો તો કંટાળીને તેમણે પુસ્તકને એક બાજુ મૂકી દીધું તથા તેમની નોટમાં કવિતા લખવાનું શરૂ કરી દીધું. આ પ્રકારે પહેલી કવિતા તેમણે તેમના બીજગણિતની નોટમાં લખી.
સરોજિનીને અંગ્રેજી તેમજ ફ્રેન્ચ ભણાવવા માટે ઘરે જ શિક્ષિકાઓ આવતી હતી. ૧૨ વરસની ઉંમરમાં તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આ દરમિયાન તેમણે પર્યાપ્ત સાહિત્યિક જ્ઞાન પણ અર્જિત કરી દીધું કરી લીધું.૧૩ વર્ષની ઉંમરમાં તેમની તેરસો પંક્તિઓની એક લાંબી કવિતા પ્રકાશિત થઈ જેનું નામ હતું 'ધી લેડી ઓફ ધી લેક'. આ કવિતાનો રસ-સૌંદર્ય તથા શબ્દ-રુપરેખને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. વધારે પડતા પરિશ્રમને કારણે સરોજિનીનું આરોગ્ય ખરાબ થવા લાગ્યુ.ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી ,પરંતુ તેમને તો ચેન ક્યાંથી પડવાનું? ડોક્ટરોને વિશ્વાસ અપાવવા માટે કે તેઓ એકદમ સ્વસ્થ છે તેમણે ૨૦૦૦ પંક્તિઓનું એક પૂરું નાટક લખી દીધું. એના પછી તરત જ તેમણે એક ફારસી નાટક 'મેહર મુનીર' ની રચના કરી. તેમના પિતાએ આ નાટકની એક પ્રત હૈદ્રાબાદના નિઝામને ભેટ આપી.નિઝામે સરોજિનીની આ પ્રતિભાથી પ્રસન્ન થઈ વિદેશમાં અધ્યયન કરવા માટે છાત્રવૃત્તિ આપી દીધી. આ પ્રકારે સોળ વર્ષની ઉંમરે તેમને વિદેશ જઈ અધ્યયન કરવાનો અવસર મળ્યો. તેમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સરોજિનીને એક દક્ષિણ ભારતીય ડોક્ટર ગોવિંદ રાજૂલુ નાયડુથી પ્રેમ થઇ ગયો. ત્રણ વર્ષ સુધી લંડનનું શિક્ષણ પ્રાપ્ત કરી સરોજિની ભારત પાછા ફર્યા. તે સમયે તે માત્ર ૧૯ વર્ષના હતા. તેના ત્રણ મહિના પછી જ તેમણે ડોક્ટર ગોવિંદથી વિવાહ કરી લીધા.આ આંતર જાતિય વિવાહથી એક બખેડો ઉભો થઇ ગયો,પરંતુ તેમના પિતા રૂઢિભંજક હતા, તેમણે આ વિવાહને માન્યતા આપી. ધીરે ધીરે બધા લોકો શાંત થઈ ગયા તથા સરોજિની નાયડુના આ સાહસિક પગલાની પ્રશંસા થવા લાગી.



વિવાહ ઉપરાંત તેમની કાવ્ય સાધના ચાલુ રહી.પ્રેમ તથા પ્રાકૃતિક સૌંદર્ય તેમની કવિતાના આધાર હતા. તે ઉપરાંત દેશપ્રેમ, સત્યની શોધ,નારીના આદર્શો, પ્રેમ તથા સૌંદર્યને પણ તેમની કાવ્ય અભિવ્યક્તને માધ્યમ બનાવ્યું.તે જન્મજાત કવયિત્રી હતા. અંગ્રેજી ભાષાનું તેમનામાં સહજ પ્રવાહ હતો.તેમની કવિતાઓનો ૧૯૦૫મા 'ધી ગોલ્ડન થ્રેશોલ્ડ', ૧૯૧૨ માં 'ધી બર્ડ ઓફ ટાઈમ', ૧૯૧૭માં 'ધી બ્રોકન વિંગ', તથા ૧૯૨૦ આસપાસમાં 'ધ ફીધર ઓફ ડોન' પ્રકાશિત થયા.એમાંથી અનેક કવિતાઓ ભારતીય મહાવિદ્યાલયોમાં પૂર્વસ્નાતક પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવી. મહાત્મા ગાંધીએ તેમને 'ભારતની બુલબુલ' ની ઉપાધિ આપી હતી.
તેમણે' બ્રોકન વિંગ' નામના કાવ્યસંગ્રહમાં એમના ખરાબ આરોગ્યની ચર્ચા કરી હતી. તેમની કવિતા' અપરાજેય'(ઈંવિઝીબલ) માં તેમની આત્માની અમરતા પર પ્રકાશ નાંખ્યો છે.
એના પછી તેઓ રાજનીતિમાં સક્રિય થઈ ગયા તથા તેમની કાવ્ય સાધના છૂટી ગઈ. ગોપાલ કૃષ્ણ ગોખલેના આહવાન ઉપર તેણી રાજનીતિમાં સક્રિય થઈ ગયા તથા સ્વતંત્રતા સંગ્રામમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. મહાત્મા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ તથા તેણી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દેશનું ભ્રમણ કર્યું. દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનું સંદેશ લઇને જન-જનને જગાડવા લાગ્યા તથા જનતાના સમર્થનથી શક્તિ ગ્રહણ કરવા લાગ્યા.
૧૯૧૭માં તેમણે મહિલા મતાધિકાર આંદોલનનું નેતૃત્વ કર્યું. ૧૮ મહિલાઓનું એક શિષ્ટમંડળ લોર્ડ ચેમ્સફોર્ડને મળ્યું, જેનું નેતૃત્વ સરોજીની નાયડુએ કર્યું. તેમની આ માંગણીને માની લેવામાં આવી. ૧૯૧૭ થી ૧૯૪૭ સુધી એવી કોઇ મહત્વપૂર્ણ ઘટના ન હતી જેમાં શ્રીમતી સરોજિની નાયડુએ આગળ આવી ભાગ ન લીધો હોય. ૧૯૧૮માં તેમણે જિનેવા સંમેલનમાં મહિલા મતાધિકાર પરિષદ સામે ભારતીય મહિલાઓનું પક્ષ એક પ્રભાવી ઢંગથી મૂક્યું.૧૯૧૯માં મુંબઈમાં નિષિદ્ધ પેમ્ફલેટ વેચી અસહયોગ આંદોલનમાં યોગદાન કર્યું. એ જ વર્ષે જલિયાંવાલા બાગની ઘટનાથી તેઓ એટલા વિચલિત થઈ ગયા કે અંગ્રેજ સરકારની નિંદા ખુલ્લેઆમ કરવા લાગ્યા. ૭ જુલાઈએ તેમને 'હોમરૂલ લીગ'ના પ્રતિનિધિમંડળના સદસ્ય બનાવી લંડન મોકલવામાં આવ્યા.ત્યાં એમના અલગ પ્રકારની વક્તવ્ય કલાથી લંડનવાસી ધ્રૂજી ઊઠ્યા.
૧૯૨૫ના કાનપુર અધિવેશન માટે તેણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ચુંટાઈ આવ્યા. આ પદ પર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતા.એના પહેલા શ્રીમતી એની બેસન્ટ અધ્યક્ષ હતા. શ્રીમતી સરોજિની નાયડુ માનતા હતા કે "સ્વતંત્રતા સંગ્રામ' માં નિરાશા એક મોટો અપરાધ છે". ૧૯૨૬માં તેણી પુન: કોંગ્રેસ અધ્યક્ષ પદ ઉપર નિર્વાચિત થયા. ૧૯૨૮માં અમેરિકાની યાત્રા કરી તેમણે મહાત્મા ગાંધીના સંદેશને ત્યાં પ્રચારિત કર્યું. ૧૯૩૦માં અમેરિકાથી પાછા ફરી ૧૯૩૩માં તેઓ ગાંધીજીના 'મીઠાના સત્યાગ્રહ' માં સંમિલિત થયા તથા ૨૩ મે ૧૯૩૦ ના રોજ ગાંધીજીની સાથે તેમને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા. ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ગાંધી-ઇરવીન કરારમાં ભાગ લેવા મહાત્મા ગાંધી તથા મદન મોહન માલવીયની સાથે લંડન ગયા. ૧૯૪૨માં 'ભારત છોડો આંદોલન'માં તેઓ કૂદી પડ્યા અને જેલ ગયા. ૧૯૪૩માં મહાત્મા ગાંધીએ આગાખાન મહેલમાં ઉપવાસ કર્યા, તો શ્રીમતી સરોજિની નાયડુએ તેમની સેવામાં દિવસ-રાત એક કરી દીધા.પછી બિમારીના કારણે તેમને જેલમાંથી મુક્તિ આપવામાં આવી.
સરોજિની નાયડુ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રબળ પક્ષધર હતા. તેમણે કોંગ્રેસ તથા મુસ્લિમ લીગનું મેળ કરાવવા ખૂબ પ્રયાસ કર્યો. મોહમ્મદ અલી ઝીણાની સાથે તેમના તેમના મધુર સંબંધો હતા.
સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.ઉત્તર પ્રદેશ તે સમયે સંયુક્ત પ્રાંતના નામથી ઓળખવામાં આવતું હતું.તેણી ઉત્તર પ્રદેશના અત્યંત સફળ ગવર્નર રહ્યા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ મહાત્મા ગાંધીની હત્યા પછી સરોજિની નાયડું એકદમ બદલાઈ ગયા. તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. તેમણે ઉચ્ચ રક્તચાપ તથા દમની બીમારી થઈ ગઈ. ૨ માર્ચ ૧૯૪૯ ના રોજ લખનૌમાં તેમનું અવસાન થયું.
આ પ્રકારે શ્રીમતી સરોજિની નાયડુએ ભારતના સ્વાધિનતા આંદોલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય મહિલાઓ માટે તેમણે ઘણું બધું કર્યું. શિક્ષણ, જાગૃતિ,સ્વતંત્રતા,મતાધિકાર,સમાનારધિકાર,પડદા પ્રથા, અશિક્ષા,દહેજ,ધાર્મિક બંધન વગેરે વિરુદ્ધ તે જીવનપર્યંત લડતા રહ્યા.શ્રીમતી સરોજિની નાયડુને ભારતીય નારી હોવાનું ગર્વ હતું અને ભારતીય નારીના મસ્તક તેમની વચ્ચે આવી નારીરત્ન મેળવી ગર્વથી ઊંચું હતું. એટલા માટે તેમની સ્મૃતિમાં તેમનો જન્મદિવસ ૧૩ ફેબ્રુઆરી ભારતમાં 'મહિલા દિવસ'ના રૂપમાં મનાવવામાં આવે છે.
સૌજન્ય : भारतीय गौरवशाली महिलाएं (माधवानंद सारस्वत)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...