Skip to main content

સુભાષ સ્મૃતિ : 'નેતાજી રિસર્ચ બ્યૂરો' અને શિશિર બોઝ


જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર યાદ કરીએ,ત્યારે આપણે શિશિર કુમાર બોઝ અને તેમના દ્વારા સ્થાપિત 'નેતાજી રિસર્ચ બ્યૂરો' નું યોગદાન પણ સ્મરણ કરવું જોઈએ.સુભાષચંદ્ર બોઝના જીવન,તેમની રાજનીતિક ગતિવિધિઓ,એમના ચિંતન અને લેખનથી જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકઠું કરવા,તેને સંપાદિત તેમજ પ્રકાશિત કરવામાં શિશિર બોઝે તેમનું જીવન લગાવી દીધું.નેતાજીના ભત્રીજા અને શરત ચંદ્ર બોઝના પુત્ર શિશિર બોઝે (1920-2000) ક્યારેય તેમના કામોનો ઢંઢેરો પીટ્યો નથી અને ન સરકારી ઉપેક્ષાનું રોતડા રોયા.એના બદલે તેમનું કર્તવ્ય સમજી લગનની સાથે આ કામને તેઓ આજીવન કરતા રહ્યા.

પ્રતિબદ્ધતા કોને કહેવામાં આવે છે એ જાણવું હોય તો શિશિર બોઝ અને 'નેતાજી રિસર્ચ બ્યુરો' ના કામને એક વખત જાણવું અને જોવું જોઈએ.વર્ષો સુધી લાગેલા રહીને શિશિર બોઝે જે કામ કર્યું,તે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને બયાન કરે છે.
1957 માં શિશિર બોઝે ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઐતિહાસીક અધ્યયન,નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સજાવટ-સાચવણીની દ્રષ્ટિથી 'નેતાજી રિસર્ચ બ્યૂરો' ની સ્થાપના કરી.નેતાજીના પૈતૃક આવાસમાં સ્થાપિત રિસર્ચ બ્યૂરોથી જ 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના પ્રકાશની ભૂમિકા તૈયાર થઈ.જાણી લઈએ કે 1969માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીમાં ભાગ લેવા જ્યારે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ભારત આવ્યા,ત્યારે ડીસેમ્બર 1969 માં તેઓ 'નેતાજી રિસર્ચ બ્યૂરો' પણ ગયા અને ત્યાં તેમણે એક યાદગાર ભાષણ પણ આપ્યું.
ઉલ્લેખનીય છે કે આઝાદી પછી નેતાજીની આત્મકથા, એમના લેખો તેમજ ભાષણોના પ્રકાશનનું પ્રથમ પ્રયાસ આઝાદ હિન્દ ફોજના અધિકારીઓએ કર્યો હતો.એમાં પ્રમુખ રૂપમાં શાહ નવાજ ખાન,શાર્દૂલ સિંહ કવિશર, લક્ષ્મી સહગલ,મહેબૂબ અહમદ,ધનરાજ શર્મા,બીરેન્દ્ર નાથ દત્ત,બેલા મિત્રા અને કલ્યાણ કુમાર બોઝ સામેલ હતા.આ ઉદ્દેશથી આ લોકોએ 'નેતાજી પબ્લિશિંગ સોસાયટી' ની પણ સ્થાપના કરી હતી.સોસાયટી દ્વારા 1948 માં જ નેતાજીની આત્મકથાનું 'એન ઇન્ડિયન પિલગ્રિમ' અને 'ધ ઈન્ડિયન સ્ટ્રગલ' શિર્ષકથી બે ભાગોમાં પ્રકાશન કરવામાં આવ્યું.
શિશિર બોઝ દ્વારા સંપાદિત 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના બાર ખંડ છે.અંગ્રેજીમાં આ સંકલન નેતાજી રિસર્ચ બ્યુરો,ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તેમજ પરમેનેન્ટ બ્લેક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.જોકે હિન્દીમાં 'નેતાજી સંપૂર્ણ વાઙ્મય' શિર્ષકથી 9 ખંડો ઉપલબ્ધ છે.હિન્દીમાં આ પ્રકાશન વિભાગ દ્વારા 1999માં છાપવામાં આવ્યુ હતું.જાણી લઈએ કે નેતાજી સંપૂર્ણ વાઙ્મયના સાતમા ખંડમાં સુભાષબાબુના એ પત્રો સામેલ છે,જે તેમણે 1934-42 દરમિયાન તેમની પત્ની એમિલી શેંકલને લખ્યા હતા.
એની સાથે જ શિશિર બોઝે નેતાજી અને શરત ચંદ્ર બોઝથી જોડાયેલ તેમના સંસ્મરણોને તેમના પુસ્તક "સુભાષ એન્ડ શરત : એન ઈન્ટિમેટ મેમાયર ઓફ ધ બોઝ બ્રધર્સ" માં સામેલ કરેલ છે.તેમના અન્ય પુસ્તકો છે : "ધ ગ્રેટ એસ્કેપ" ; `શરત ચંદ્ર બોઝ રિમેમ્બરિંગ માય ફાધર'. શિશિર બોઝ જેવા વ્યક્તિત્વ માટે જ બાબા નાગાર્જુને આ પંક્તિઓ લખી હશે
जिनकी सेवाएंँ अतुलनीय
पर विज्ञापन से रहे दूर
उनको प्रणाम !
- સુભનિત કૌશિક

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...