Skip to main content

સુભાષ સ્મૃતિ : 'નેતાજી રિસર્ચ બ્યૂરો' અને શિશિર બોઝ


જ્યારે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર યાદ કરીએ,ત્યારે આપણે શિશિર કુમાર બોઝ અને તેમના દ્વારા સ્થાપિત 'નેતાજી રિસર્ચ બ્યૂરો' નું યોગદાન પણ સ્મરણ કરવું જોઈએ.સુભાષચંદ્ર બોઝના જીવન,તેમની રાજનીતિક ગતિવિધિઓ,એમના ચિંતન અને લેખનથી જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને એકઠું કરવા,તેને સંપાદિત તેમજ પ્રકાશિત કરવામાં શિશિર બોઝે તેમનું જીવન લગાવી દીધું.નેતાજીના ભત્રીજા અને શરત ચંદ્ર બોઝના પુત્ર શિશિર બોઝે (1920-2000) ક્યારેય તેમના કામોનો ઢંઢેરો પીટ્યો નથી અને ન સરકારી ઉપેક્ષાનું રોતડા રોયા.એના બદલે તેમનું કર્તવ્ય સમજી લગનની સાથે આ કામને તેઓ આજીવન કરતા રહ્યા.

પ્રતિબદ્ધતા કોને કહેવામાં આવે છે એ જાણવું હોય તો શિશિર બોઝ અને 'નેતાજી રિસર્ચ બ્યુરો' ના કામને એક વખત જાણવું અને જોવું જોઈએ.વર્ષો સુધી લાગેલા રહીને શિશિર બોઝે જે કામ કર્યું,તે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને બયાન કરે છે.
1957 માં શિશિર બોઝે ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઐતિહાસીક અધ્યયન,નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સજાવટ-સાચવણીની દ્રષ્ટિથી 'નેતાજી રિસર્ચ બ્યૂરો' ની સ્થાપના કરી.નેતાજીના પૈતૃક આવાસમાં સ્થાપિત રિસર્ચ બ્યૂરોથી જ 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના પ્રકાશની ભૂમિકા તૈયાર થઈ.જાણી લઈએ કે 1969માં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીમાં ભાગ લેવા જ્યારે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ભારત આવ્યા,ત્યારે ડીસેમ્બર 1969 માં તેઓ 'નેતાજી રિસર્ચ બ્યૂરો' પણ ગયા અને ત્યાં તેમણે એક યાદગાર ભાષણ પણ આપ્યું.
ઉલ્લેખનીય છે કે આઝાદી પછી નેતાજીની આત્મકથા, એમના લેખો તેમજ ભાષણોના પ્રકાશનનું પ્રથમ પ્રયાસ આઝાદ હિન્દ ફોજના અધિકારીઓએ કર્યો હતો.એમાં પ્રમુખ રૂપમાં શાહ નવાજ ખાન,શાર્દૂલ સિંહ કવિશર, લક્ષ્મી સહગલ,મહેબૂબ અહમદ,ધનરાજ શર્મા,બીરેન્દ્ર નાથ દત્ત,બેલા મિત્રા અને કલ્યાણ કુમાર બોઝ સામેલ હતા.આ ઉદ્દેશથી આ લોકોએ 'નેતાજી પબ્લિશિંગ સોસાયટી' ની પણ સ્થાપના કરી હતી.સોસાયટી દ્વારા 1948 માં જ નેતાજીની આત્મકથાનું 'એન ઇન્ડિયન પિલગ્રિમ' અને 'ધ ઈન્ડિયન સ્ટ્રગલ' શિર્ષકથી બે ભાગોમાં પ્રકાશન કરવામાં આવ્યું.
શિશિર બોઝ દ્વારા સંપાદિત 'નેતાજી કલેક્ટેડ વર્ક્સ' ના બાર ખંડ છે.અંગ્રેજીમાં આ સંકલન નેતાજી રિસર્ચ બ્યુરો,ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તેમજ પરમેનેન્ટ બ્લેક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.જોકે હિન્દીમાં 'નેતાજી સંપૂર્ણ વાઙ્મય' શિર્ષકથી 9 ખંડો ઉપલબ્ધ છે.હિન્દીમાં આ પ્રકાશન વિભાગ દ્વારા 1999માં છાપવામાં આવ્યુ હતું.જાણી લઈએ કે નેતાજી સંપૂર્ણ વાઙ્મયના સાતમા ખંડમાં સુભાષબાબુના એ પત્રો સામેલ છે,જે તેમણે 1934-42 દરમિયાન તેમની પત્ની એમિલી શેંકલને લખ્યા હતા.
એની સાથે જ શિશિર બોઝે નેતાજી અને શરત ચંદ્ર બોઝથી જોડાયેલ તેમના સંસ્મરણોને તેમના પુસ્તક "સુભાષ એન્ડ શરત : એન ઈન્ટિમેટ મેમાયર ઓફ ધ બોઝ બ્રધર્સ" માં સામેલ કરેલ છે.તેમના અન્ય પુસ્તકો છે : "ધ ગ્રેટ એસ્કેપ" ; `શરત ચંદ્ર બોઝ રિમેમ્બરિંગ માય ફાધર'. શિશિર બોઝ જેવા વ્યક્તિત્વ માટે જ બાબા નાગાર્જુને આ પંક્તિઓ લખી હશે
जिनकी सेवाएंँ अतुलनीय
पर विज्ञापन से रहे दूर
उनको प्रणाम !
- સુભનિત કૌશિક

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...