Skip to main content

તમે ગાંધીને ભુલાવી દીધા,જેવી રીતે તમે બુદ્ધને ભુલાવી દીધા : બાદશાહ ખાન


ગાંધી જન્મ શતાબ્દીના વર્ષમાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ભારત આવ્યા હતા.

આઝાદીનો એક બીજો લડાકુ,બાદશાહ ખાન,પૂરી જિંદગી સંઘર્ષની ભઠ્ઠીમાં તપતા રહ્યા,પરંતુ ગાંધી જન્મ શતાબ્દી વર્ષમાં જ્યારે તેઓ ભારત આવ્યા અને જયપ્રકાશ નારાયણના વિશેષ આગ્રહ પર બિહાર પધાર્યા તો આપણા જેવા લોકોને અહેસાસ થયો જેમ કે તેમના આશાવાદે તેમનો સાથ છોડી દીધો હોય.દેશના થોડાક હિસ્સાઓમાં થયેલ સાંપ્રદાયિક દંગાઓએ ભીતરથી તેમને ઉશ્કેરી દીધા હતા.ભારતે ગાંધીને ભુલાવી દીધા છે,તેમના મૂલ્યો અને આદર્શોને દફન કરી દીધા છે. હવે આ દેશ એમના સપનાનું ભારત નથી રહ્યું.
પટના થી લઈ જમુઈ સુધી,કંઇક આવા જ પ્રકારના વાક્ય એમની જબાનથી અદા થતા રહ્યા.એક જગ્યાએ તો તેમણે ત્યાં સુધી કહી દીધું : તમે ગાંધીને ભુલાવી દીધા,જેવી રીતે તમે બુદ્ધને ભુલાવી દીધા હતા.
બાદશાહ ખાનની નિરાશા પાછળ એકલા ભારતની પરિસ્થિતિઓ ન હતી.પાકિસ્તાનના હાલ અને ત્યાંની હુકુમતના અન્યાયી વ્યવહાર પણ તેમની તલ્ખીના કારણો હતા.
એ પણ સાચું છે કે છેલ્લા દિવસોમાં ગાંધી પણ ખુદને એકલા,વધુ પડતા એકલા મહેસૂસ કરવા લાગ્યા હતા. એક વાર તેમણે પોતાને 'ખાલી કારતૂસ' સુધી કહી દીધા હતા.ખાલી કારતૂસ,એટલે કે એવો ઔજાર જે કોઈના ઉપર વાર કરવામાં બેઅસર સાબિત થઈ ગયું હોય.શું ગાંધી કોઈના પર વાર કરવામાં વિશ્વાસ રાખતા હતા? આખરે તે એકાંતની ક્ષણોમાં તેમના ખુદના માટે 'ખાલી કારતૂસ' જેવા શબ્દ ઉપયોગ કરવા માટે કેમ વિવશ થઈ ગયા હતા?
નિરાશા અને આશાના આંતર સંબંધોની બાબતોમાં ગાંધી અને બાદશાહ ખાન અપવાદ ન હતા.એ બંનેની ભીતરનો એકાંત વિરાસતના રૂપમાં ઘણા બીજા નેતાઓને પણ મળ્યું.રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ પણ તેમની જિંદગીના છેલ્લા દિવસોમાં એકલતાનો એક ઘેરાયેલા અહેસાસથી અછૂતા રહી શક્યા ન હતા. લોહિયાએ તેમના વિચારોની તાજગી અને ગતિશીલતાને કારણે એકલતાના અહેસાસને તેમના ઉપર હાવી થવા દીધો નહીં.આમ જનતાની સાથે તેમના સંબંધોની ઊંડાઈ એટલી જબરદસ્ત હતી કે માયુસી એમની પાસે ભટકવાથી ડરતી હતી.
પરંતુ આઝાદ ભારતમાં આર્થિક-સામાજિક બરાબરીની દિશામાં કોઇ ઠોસ બદલાવ ન હોવાથી અને પરિણામ સ્વરૂપે સમાજના કમજોર તબ્કાઓની વધતી બદહાલીથી તેમનું મન હંમેશાં બેચેન થઇ ઉઠતું.તેમની આ બેચેન મન:સ્થિતિને પ્રગટ કરવા માટે હંમેશા લોહિયા કડવી અને આક્રમક ભાષાનો ઉપયોગ કરતા હતા.આ મન:સ્થિતિ ભાષા પ્રત્યે તેમની સહજ સંવેદનાના ધોવાણનું પ્રમાણ ન હતું.વાસ્તવમાં આ અન્યાય ના સ્તંભો ઉપર ટકેલી સામાજિક-આર્થિક વ્યવસ્થાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિના પ્રતિ તેમની આક્રોશપૂર્ણ અસ્વીકૃતિનો સંકેત પણ હતો.
પ્રોફેસર જાબીર હુસેન : લેખક પૂર્વ સાંસદ છે અને બિહાર વિધાન પરિષદના સભાપતિ પણ રહી ચૂક્યા છે. જેઓ હિન્દી,ઉર્દૂ તથા અંગ્રેજી જેવી ભાષાઓમાં સમાન અધિકારની સાથે લેખન કરતા રહે છે.તેમને ૨૦૦૫માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...