Skip to main content

કર્નલ અમર બહાદુર સિંહ : નેતાજી સુભાષચંદ્ર બોઝના એક વિશ્વાસપાત્ર સાથી


કર્નલ અમર બહાદુર સિંહ આઝાદી પહેલાં બ્રિટિશ આર્મીમાં કમિશંડ ઓફિસર હતા.નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા પછી તેમણે બ્રિટિશ આર્મીથી બગાવત કરી દીધી અને દેશને આઝાદ કરાવવા માટે આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા હતા.
કર્નલ અમર બહાદુર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1915 ના રોજ વારાણસીના છિછુઆ ગામમાં થયો હતો.તેમના પિતાજીનું નામ મહાવીર સિંહ અને માતાનું નામ કલાવતી હતું.કર્નલ સિંહનું પ્રારંભિક શિક્ષણ ગામની જ શાળામાં થયું હતું.અમર બાળપણથી જ ફોજી જવાન બનવાની ઈચ્છા ધરાવતા હતા.તેના માટે તેમણે મિશન સ્કૂલ,મિર્ઝાપુરમાં ભણ્યા.તેના પછી રાજપૂત કોલેજ,આગરાથી હાઇસ્કૂલ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કર્યું. આગરા કોલેજમાંથી જ તેમણે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો.
15 ઓગસ્ટ 1939 ના રોજ અમરની દેહરાદુન મિલિટ્રી એકેડમીમાં પસંદગી થઈ ગઈ.15 ફેબ્રુઆરી 1941 ના રોજ કર્નલ અમર બહાદુર સિંહ રાજપૂતાના રાયફલ બટાલિયનમાં ઓફિસર તરીકે સામેલ થયા,પરંતુ કર્નલ અમર જ્યારે દેશની આઝાદી માટે સૈનિક આંદોલન ચલાવી રહેલ નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા તો તેમણે બ્રિટિશ આર્મીના ઊચ્ચ હોદ્દાને નકારી આઝાદ હિંદ ફોજમાં સામેલ થઈ ગયા.
રુદ્રપુરમાં પીએસી કમાન્ડન્ટ પણ રહ્યા અમરસિંહ.દેશની આઝાદી પછી કર્નલ અમર બહાદુર સિંહે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ કામ કર્યું.તેઓ થોડા સમય માટે રુદ્રપુરમાં કમાન્ડન્ટના પદ પર પણ રહ્યા.


કર્નલ અમર બહાદુરસિંહે 'અમર સંકલ્પ' નામની તેમની આત્મકથા લખી હતી,જેમાં કર્નલ અમરસિંહે દેશ પ્રત્યે તેમની મહોબ્બત અને બલિદાનની કહાણી બયાન કરી છે.આ પુસ્તકમાં તેમણે નેતાજીના જજબા અને વિચારોને પણ તેમની સાથે વિતાવેલા સમયની યાદો રુપે રજુ કર્યું હતું.કર્નલ સિંહ નેતાજીની સાથે વિતાવેલ પળો ને યાદ કરી હંમેશા અતીતમાં ખોવાઈ જતા હતા.
કર્નલ અમર બહાદુરસિંહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો પૂર્ણરુપે દેશવાસીઓ સુધી પહોંચી શક્યા નથી.હું ખૂબ જ આશાવાદી છું મને લાગે છે કે આઝાદ હિંદ ફોજના સ્વતંત્ર સેનાનીઓનું અસલી આઝાદીનું સપનું એક દિવસ ચોક્કસ પૂરું થશે.
આઝાદ હિંદ ફોજના અફસર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના એકદમ નજીકમાં સામેલ રહેલા કર્નલ અમર બહાદુર સિંહ (102) લાંબી બીમારી પછી રવિવાર 20 ઓગસ્ટ 2017 ના દિવસે અવસાન પામ્યા.
સૌજન્ય : #Heritagetimes

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...