Skip to main content

કર્નલ અમર બહાદુર સિંહ : નેતાજી સુભાષચંદ્ર બોઝના એક વિશ્વાસપાત્ર સાથી


કર્નલ અમર બહાદુર સિંહ આઝાદી પહેલાં બ્રિટિશ આર્મીમાં કમિશંડ ઓફિસર હતા.નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા પછી તેમણે બ્રિટિશ આર્મીથી બગાવત કરી દીધી અને દેશને આઝાદ કરાવવા માટે આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા હતા.
કર્નલ અમર બહાદુર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1915 ના રોજ વારાણસીના છિછુઆ ગામમાં થયો હતો.તેમના પિતાજીનું નામ મહાવીર સિંહ અને માતાનું નામ કલાવતી હતું.કર્નલ સિંહનું પ્રારંભિક શિક્ષણ ગામની જ શાળામાં થયું હતું.અમર બાળપણથી જ ફોજી જવાન બનવાની ઈચ્છા ધરાવતા હતા.તેના માટે તેમણે મિશન સ્કૂલ,મિર્ઝાપુરમાં ભણ્યા.તેના પછી રાજપૂત કોલેજ,આગરાથી હાઇસ્કૂલ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કર્યું. આગરા કોલેજમાંથી જ તેમણે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો.
15 ઓગસ્ટ 1939 ના રોજ અમરની દેહરાદુન મિલિટ્રી એકેડમીમાં પસંદગી થઈ ગઈ.15 ફેબ્રુઆરી 1941 ના રોજ કર્નલ અમર બહાદુર સિંહ રાજપૂતાના રાયફલ બટાલિયનમાં ઓફિસર તરીકે સામેલ થયા,પરંતુ કર્નલ અમર જ્યારે દેશની આઝાદી માટે સૈનિક આંદોલન ચલાવી રહેલ નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા તો તેમણે બ્રિટિશ આર્મીના ઊચ્ચ હોદ્દાને નકારી આઝાદ હિંદ ફોજમાં સામેલ થઈ ગયા.
રુદ્રપુરમાં પીએસી કમાન્ડન્ટ પણ રહ્યા અમરસિંહ.દેશની આઝાદી પછી કર્નલ અમર બહાદુર સિંહે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ કામ કર્યું.તેઓ થોડા સમય માટે રુદ્રપુરમાં કમાન્ડન્ટના પદ પર પણ રહ્યા.


કર્નલ અમર બહાદુરસિંહે 'અમર સંકલ્પ' નામની તેમની આત્મકથા લખી હતી,જેમાં કર્નલ અમરસિંહે દેશ પ્રત્યે તેમની મહોબ્બત અને બલિદાનની કહાણી બયાન કરી છે.આ પુસ્તકમાં તેમણે નેતાજીના જજબા અને વિચારોને પણ તેમની સાથે વિતાવેલા સમયની યાદો રુપે રજુ કર્યું હતું.કર્નલ સિંહ નેતાજીની સાથે વિતાવેલ પળો ને યાદ કરી હંમેશા અતીતમાં ખોવાઈ જતા હતા.
કર્નલ અમર બહાદુરસિંહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો પૂર્ણરુપે દેશવાસીઓ સુધી પહોંચી શક્યા નથી.હું ખૂબ જ આશાવાદી છું મને લાગે છે કે આઝાદ હિંદ ફોજના સ્વતંત્ર સેનાનીઓનું અસલી આઝાદીનું સપનું એક દિવસ ચોક્કસ પૂરું થશે.
આઝાદ હિંદ ફોજના અફસર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના એકદમ નજીકમાં સામેલ રહેલા કર્નલ અમર બહાદુર સિંહ (102) લાંબી બીમારી પછી રવિવાર 20 ઓગસ્ટ 2017 ના દિવસે અવસાન પામ્યા.
સૌજન્ય : #Heritagetimes

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...