Skip to main content

કર્નલ અમર બહાદુર સિંહ : નેતાજી સુભાષચંદ્ર બોઝના એક વિશ્વાસપાત્ર સાથી


કર્નલ અમર બહાદુર સિંહ આઝાદી પહેલાં બ્રિટિશ આર્મીમાં કમિશંડ ઓફિસર હતા.નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા પછી તેમણે બ્રિટિશ આર્મીથી બગાવત કરી દીધી અને દેશને આઝાદ કરાવવા માટે આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા હતા.
કર્નલ અમર બહાદુર સિંહનો જન્મ 27 જાન્યુઆરી 1915 ના રોજ વારાણસીના છિછુઆ ગામમાં થયો હતો.તેમના પિતાજીનું નામ મહાવીર સિંહ અને માતાનું નામ કલાવતી હતું.કર્નલ સિંહનું પ્રારંભિક શિક્ષણ ગામની જ શાળામાં થયું હતું.અમર બાળપણથી જ ફોજી જવાન બનવાની ઈચ્છા ધરાવતા હતા.તેના માટે તેમણે મિશન સ્કૂલ,મિર્ઝાપુરમાં ભણ્યા.તેના પછી રાજપૂત કોલેજ,આગરાથી હાઇસ્કૂલ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કર્યું. આગરા કોલેજમાંથી જ તેમણે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો.
15 ઓગસ્ટ 1939 ના રોજ અમરની દેહરાદુન મિલિટ્રી એકેડમીમાં પસંદગી થઈ ગઈ.15 ફેબ્રુઆરી 1941 ના રોજ કર્નલ અમર બહાદુર સિંહ રાજપૂતાના રાયફલ બટાલિયનમાં ઓફિસર તરીકે સામેલ થયા,પરંતુ કર્નલ અમર જ્યારે દેશની આઝાદી માટે સૈનિક આંદોલન ચલાવી રહેલ નેતાજી સુભાષચંદ્ર બોઝના સમ્પર્કમાં આવ્યા તો તેમણે બ્રિટિશ આર્મીના ઊચ્ચ હોદ્દાને નકારી આઝાદ હિંદ ફોજમાં સામેલ થઈ ગયા.
રુદ્રપુરમાં પીએસી કમાન્ડન્ટ પણ રહ્યા અમરસિંહ.દેશની આઝાદી પછી કર્નલ અમર બહાદુર સિંહે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ સાથે પણ કામ કર્યું.તેઓ થોડા સમય માટે રુદ્રપુરમાં કમાન્ડન્ટના પદ પર પણ રહ્યા.


કર્નલ અમર બહાદુરસિંહે 'અમર સંકલ્પ' નામની તેમની આત્મકથા લખી હતી,જેમાં કર્નલ અમરસિંહે દેશ પ્રત્યે તેમની મહોબ્બત અને બલિદાનની કહાણી બયાન કરી છે.આ પુસ્તકમાં તેમણે નેતાજીના જજબા અને વિચારોને પણ તેમની સાથે વિતાવેલા સમયની યાદો રુપે રજુ કર્યું હતું.કર્નલ સિંહ નેતાજીની સાથે વિતાવેલ પળો ને યાદ કરી હંમેશા અતીતમાં ખોવાઈ જતા હતા.
કર્નલ અમર બહાદુરસિંહ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો પૂર્ણરુપે દેશવાસીઓ સુધી પહોંચી શક્યા નથી.હું ખૂબ જ આશાવાદી છું મને લાગે છે કે આઝાદ હિંદ ફોજના સ્વતંત્ર સેનાનીઓનું અસલી આઝાદીનું સપનું એક દિવસ ચોક્કસ પૂરું થશે.
આઝાદ હિંદ ફોજના અફસર અને નેતાજી સુભાષચંદ્ર બોઝના એકદમ નજીકમાં સામેલ રહેલા કર્નલ અમર બહાદુર સિંહ (102) લાંબી બીમારી પછી રવિવાર 20 ઓગસ્ટ 2017 ના દિવસે અવસાન પામ્યા.
સૌજન્ય : #Heritagetimes

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...