Skip to main content

શિરીષભાઈ મોદી


હોનહાર-ઘાઘ વ્યક્તિત્વ,પૂર્વગ્રહોથી જરાપણ પીડાયા વગર દરેકને પ્રેમથી વાત કરનારા,માનવીય મૂલ્યોનું જતન કરનારા, કદરદાન, પારખું,જુઝારુ,સામેથી આવકાર આપનારા, શિક્ષણને એક નવી ઊંચાઈએ લઈ જનારા,વ્યવસાયે વકીલ પણ જ્યારે સાહિત્ય પર બોલતા તો જાણે કોઈ સાહિત્યકાર હોય, નાગરિક સમાજના પ્રહરી,અદ્ભુત સ્ટાન્ડર્ડ-મૂલ્યોની ખેવનાવાળા વ્યક્તિ એવા શિરીષકુમાર એમ.મોદી સાહેબ (પ્રખર ધારાશાસ્ત્રી,જાણીતા વકીલ અને પ્રમુખ બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ) ને આદરણાંજલી..
૧૯૮૧ માં પાલનપુર મુકામે રોટરી કલબના પહેલવહેલા કાર્યક્રમમાં ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબનો કાર્યક્રમ યોજાયો જે રોટરી કલબનો એક એવોર્ડ હોય છે જે સંસ્કારી વ્યક્તિને આપવામાં આવે છે તો એ વખતે બે પાલનપુરીઓ ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય સાહેબને આપવામાં આવ્યો હતો.આ સમારંભમાં બંને મહાનુભાવો મુંબઈથી પધારેલ,મ્યુનિસિપાલિટી પાસેની જૂની કોલેજમાં કોટક સાહેબ પ્રિન્સીપાલ હતા જેમના સહકાર અને સાહિત્ય વર્તુળ દ્વારા સવારે ચંદ્રકાંત બક્ષી સાહેબનું ઐતિહાસિક પ્રવચન અને રાત્રે મુશાયરાનું આયોજન જેને શૂન્ય સાહેબે સતત ચાર કલાક કવિતાઓ દ્વારા શ્રોતાઓની સાથે મુશાયરાની એક અલગ ઓળખ અને વળાંક આપેલ.એ પછી મુંબઈ પાછા ફરેલ પરંતુ કવિતા અને એના પાવરથી રોટરી ક્લબ તેમજ શ્રોતાઓ ખુબ જ પ્રભાવિત થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનો યશ કોઈને જતો હોય તો એ શિરીષ મોદી સાહેબને જાય છે. શૂન્ય સાહેબ અને બક્ષી સાહેબ માટે શિરીષ મોદી સાહેબ(પ્રખર ધારાશાસ્ત્રી)ને ખુબ આદર હતો અને સહકાર પણ આપતા.
સ્વ. સૈફ પાલનપુરી માર્ગનું જે નામાભિધાન થયું એનો ઠરાવ પણ નગરપાલિકાના પ્રમુખપદે શિરીષ મોદી સાહેબના હસ્તે થયેલ એના પરથી એમની કવિતા પ્રીતિ કેટલી ઊંડી હશે એનો અંદાજો લગાવી શકાય છે..!!!
આદરણીય સૂર્યકાંત પરીખ અને કાનુભાઈ મહેતાનું સપનું સાકાર કરી શિક્ષણક્ષેત્રે વિદ્યામંદિરની સાથે સાથે પાલનપુર કોલેજ કેમ્પસ જે વટવૃક્ષ બન્યું છે એમાં શિરીષ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિનું સિંચન મુખ્ય છે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...