Skip to main content

'માતો શ્રી' રમાબાઈ : એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને બનાવ્યા ડો. બાબા સાહેબ આંબેડકર.


ભારતીય બંધારણના રચયિતા અને ભારતના પહેલા કાયદામંત્રી ડોક્ટર ભીમ રાવ આંબેડકરે તેમના જીવનમાં ડગલેને પગલે પડકારોનો સામનો કર્યો,પરંતુ તેઓ ક્યારે અટક્યા નહીં.આ સંઘર્ષમય સફરમાં ઘણા બધા લોકોએ તેમને સાથ આપ્યો.કયારેક તેમને શાળાના એક શિક્ષકે તેમનાથી પ્રભાવિત થઈને તેમનું ઉપનામ આપી દીધું,તો વડોદરાના રાજવી ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી દીધા હતા.
આ બધા લોકો વચ્ચે એક બીજું નામ હતું, જેના ઉલ્લેખ વગર બાબાસાહેબની સફળતાની કહાણી અધૂરી છે.તે નામ છે રમાબાઈ આંબેડકર.
રમાભાઇ ભીમરાવ આંબેડકર બાબાસાહેબના પત્ની હતા. આજે પણ લોકો તેમને 'માતો શ્રી' રમાબાઈના નામથી જાણે છે.7 ફેબ્રુઆરી 1898 ના દિવસે જન્મેલા રમાબાઈના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી ન હતી.બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું.એવામાં તેમના મામાએ તેમની સાથે બધા ભાઈ બહેનોને ઉછર્યા.
1906માં નવ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન બોમ્બે(હવે મુંબઈ) ના બાયકુલા માર્કેટમાં 14 વર્ષીય ભીમરાવથી થયા.રમાબાઈને ભીમરાવ પ્રેમથી 'રામૂ' કહી બોલાવતા હતા અને તેણી તેમને 'સાહેબ' કહીને બોલાવતા હતા. લગ્ન પછી તરત જ રમાને સમજમાં આવી ગયું હતું કે વંચિત વર્ગોના ઉત્થાન જ બાબાસાહેબના જીવનનું લક્ષ્ય છે.અને એ ત્યારે જ સંભવ હતું, જ્યારે તે ખુદ એટલા શિક્ષિત થાય કે પૂરા દેશમાં શિક્ષણની મસાલ જલાવી શકે.
બાબાસાહેબના આ સંઘર્ષમાં રમાબાઈએ તેમના છેલ્લા શ્વાસ સુધી એમનો સાથ આપ્યો.બાબાસાહેબે પણ પોતાના જીવનમાં રમાબાઈના યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે.તેમણે પોતાના પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તા' ને રમાબાઈને સમર્પિત કરતા લખ્યું કે, તેમને મામુલી ભીમા થી ડો.આંબેડકર બનવાનો શ્રેય રમાભાઈને જાય છે.


હરેક પરિસ્થિતિમાં રમાબાઇ બાબાસાહેબને સાથ આપતા રહ્યા.બાબાસાહેબ વર્ષો સુધી પોતાના શિક્ષણ માટે બહાર રહ્યા અને એ સમયમાં લોકોની વાતો સાંભળતાંની સાથે પણ રમાબાઈએ ઘર સંભાળી રાખ્યું, ક્યારેક તેઓ ઘેર ઘેર જઈને ઉપલા વેચતાં,તો ઘણીવાર બીજાના ઘરોમાં કામ કરતા હતા.તેઓ દરેક નાનું મોટું કામ કરી આજીવિકા મેળવતા હતા અને સાથે જ બાબાસાહેબના શિક્ષણના ખર્ચ માટે પણ મદદ કરતા રહ્યા.
જીવનની જદ્દોજહદમાં તેમના અને બાબાસાહેબના પાંચ બાળકોમાંથી માત્ર યશવંત જ જીવિત રહ્યો,પરંતુ તો પણ રમાબાઈએ હિંમત હારી નહીં, બલ્કે તે ખુદ બાબાસાહેબનું મનોબળ વધારતા રહ્યા.બાબાસાહેબના અને આ દેશના લોકોના પ્રત્યે જે સમર્પણ રમાબાઈનું હતું,તેને જોતાં ઘણા લેખકોએ તેમને 'ત્યાગવંતી રમાઈ' નું નામ આપ્યું.
આજે બાબાસાહેબ આંબેડકરની જેમ જ તેમના જીવન પર પણ નાટક ફિલ્મ વગેરે બને છે.તેમના નામ પર દેશની ઘણી સંસ્થાઓના નામ પણ રાખવામાં આવ્યા છે. એમના પર ‘रमाई,’ ‘त्यागवंती रमामाऊली,’ અને ‘प्रिय रामू’ જેવા શિર્ષકોથી પુસ્તકો લખાયા છે.પુરા 29 વર્ષ સુધી બાબાસાહેબનો સાથ નિભાવ્યા પછી 1935માં 27મી મેના દિવસે એક લાંબી બિમારીના કારણે રમાબાઈનું નિધન થઈ ગયું.
એક કહેવત છે કે એક સફળ અને કામિયાબ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને માતો શ્રી રમાભાઇએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી હતી.
- નિશા ડાંગર
સૌજન્ય : ધી બેટર ઇન્ડિયા

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...