Skip to main content

'માતો શ્રી' રમાબાઈ : એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને બનાવ્યા ડો. બાબા સાહેબ આંબેડકર.


ભારતીય બંધારણના રચયિતા અને ભારતના પહેલા કાયદામંત્રી ડોક્ટર ભીમ રાવ આંબેડકરે તેમના જીવનમાં ડગલેને પગલે પડકારોનો સામનો કર્યો,પરંતુ તેઓ ક્યારે અટક્યા નહીં.આ સંઘર્ષમય સફરમાં ઘણા બધા લોકોએ તેમને સાથ આપ્યો.કયારેક તેમને શાળાના એક શિક્ષકે તેમનાથી પ્રભાવિત થઈને તેમનું ઉપનામ આપી દીધું,તો વડોદરાના રાજવી ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી દીધા હતા.
આ બધા લોકો વચ્ચે એક બીજું નામ હતું, જેના ઉલ્લેખ વગર બાબાસાહેબની સફળતાની કહાણી અધૂરી છે.તે નામ છે રમાબાઈ આંબેડકર.
રમાભાઇ ભીમરાવ આંબેડકર બાબાસાહેબના પત્ની હતા. આજે પણ લોકો તેમને 'માતો શ્રી' રમાબાઈના નામથી જાણે છે.7 ફેબ્રુઆરી 1898 ના દિવસે જન્મેલા રમાબાઈના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી ન હતી.બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થઈ ગયું હતું.એવામાં તેમના મામાએ તેમની સાથે બધા ભાઈ બહેનોને ઉછર્યા.
1906માં નવ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન બોમ્બે(હવે મુંબઈ) ના બાયકુલા માર્કેટમાં 14 વર્ષીય ભીમરાવથી થયા.રમાબાઈને ભીમરાવ પ્રેમથી 'રામૂ' કહી બોલાવતા હતા અને તેણી તેમને 'સાહેબ' કહીને બોલાવતા હતા. લગ્ન પછી તરત જ રમાને સમજમાં આવી ગયું હતું કે વંચિત વર્ગોના ઉત્થાન જ બાબાસાહેબના જીવનનું લક્ષ્ય છે.અને એ ત્યારે જ સંભવ હતું, જ્યારે તે ખુદ એટલા શિક્ષિત થાય કે પૂરા દેશમાં શિક્ષણની મસાલ જલાવી શકે.
બાબાસાહેબના આ સંઘર્ષમાં રમાબાઈએ તેમના છેલ્લા શ્વાસ સુધી એમનો સાથ આપ્યો.બાબાસાહેબે પણ પોતાના જીવનમાં રમાબાઈના યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે.તેમણે પોતાના પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તા' ને રમાબાઈને સમર્પિત કરતા લખ્યું કે, તેમને મામુલી ભીમા થી ડો.આંબેડકર બનવાનો શ્રેય રમાભાઈને જાય છે.


હરેક પરિસ્થિતિમાં રમાબાઇ બાબાસાહેબને સાથ આપતા રહ્યા.બાબાસાહેબ વર્ષો સુધી પોતાના શિક્ષણ માટે બહાર રહ્યા અને એ સમયમાં લોકોની વાતો સાંભળતાંની સાથે પણ રમાબાઈએ ઘર સંભાળી રાખ્યું, ક્યારેક તેઓ ઘેર ઘેર જઈને ઉપલા વેચતાં,તો ઘણીવાર બીજાના ઘરોમાં કામ કરતા હતા.તેઓ દરેક નાનું મોટું કામ કરી આજીવિકા મેળવતા હતા અને સાથે જ બાબાસાહેબના શિક્ષણના ખર્ચ માટે પણ મદદ કરતા રહ્યા.
જીવનની જદ્દોજહદમાં તેમના અને બાબાસાહેબના પાંચ બાળકોમાંથી માત્ર યશવંત જ જીવિત રહ્યો,પરંતુ તો પણ રમાબાઈએ હિંમત હારી નહીં, બલ્કે તે ખુદ બાબાસાહેબનું મનોબળ વધારતા રહ્યા.બાબાસાહેબના અને આ દેશના લોકોના પ્રત્યે જે સમર્પણ રમાબાઈનું હતું,તેને જોતાં ઘણા લેખકોએ તેમને 'ત્યાગવંતી રમાઈ' નું નામ આપ્યું.
આજે બાબાસાહેબ આંબેડકરની જેમ જ તેમના જીવન પર પણ નાટક ફિલ્મ વગેરે બને છે.તેમના નામ પર દેશની ઘણી સંસ્થાઓના નામ પણ રાખવામાં આવ્યા છે. એમના પર ‘रमाई,’ ‘त्यागवंती रमामाऊली,’ અને ‘प्रिय रामू’ જેવા શિર્ષકોથી પુસ્તકો લખાયા છે.પુરા 29 વર્ષ સુધી બાબાસાહેબનો સાથ નિભાવ્યા પછી 1935માં 27મી મેના દિવસે એક લાંબી બિમારીના કારણે રમાબાઈનું નિધન થઈ ગયું.
એક કહેવત છે કે એક સફળ અને કામિયાબ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને માતો શ્રી રમાભાઇએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી હતી.
- નિશા ડાંગર
સૌજન્ય : ધી બેટર ઇન્ડિયા

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...