Skip to main content

સ્વર કોકિલા 'લતા મંગેશકર'


સ્વર કોકિલા લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ ના દિવસે ઇન્દોર (મધ્ય પ્રદેશ)માં થયો હતો. તેમના પિતાજીનું નામ દિનાનાથ મંગેશકર હતું.તેઓ તેમના પાંચ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમના પિતાશ્રી દિનાનાથ મંગેશકર મરાઠી મંચના પ્રસિદ્ધ ગાયક હતા તથા તેમની એક ગાયન મંડળી હતી.તેથી લતાજીએ તેમનું ગાયનનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી વારસામાં મેળવ્યું હતું.તેમના પિતાજીના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આર્થિક તંગી આવી ગઈ હતી.એ દરમિયાન ૧૩ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મો માટે ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનું પહેલું ગીત તેમણે મરાઠી ફિલ્મ 'किसी हसाल' માટે ગાયું તથા તેમની પહેલી હિંદી ફિલ્મ પણ 'पहली मंगला गौर'.

આ અલૌકિક પાર્શ્વગાયિકામાં ગાયન પ્રતિભાની ખોજ ગુલામ હૈદરે કરી તથા તેઓ લતાજીને બોમ્બે ટાંકીજ લઈને આવ્યા.ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ જ્યારે તેમને ગાતાં સાંભળ્યા,તો તેમણે લતાજીને 'ત્રણ મિનિટની જાદુગરણી' કહ્યા.આ પ્રકારે ૧૩ વર્ષની ઉંમરથી આરંભ થયેલ તેમના સંગીતનું સફર આજે પણ આપણા કાનમાં ગુંજી રહ્યું છે.
લતાજીએ હિન્દી,ઉર્દૂ,પંજાબી,બંગાળી,મરાઠી,ગુજરાતી, તમિલ,તેલુગુ,કન્નડ,આસામી,ઉડિયા,નેપાળી,ભોજપુરી, કોંકણી વગેરે ભાષાઓમાં ગીત ગાયા.ભાષા તેમના સંગીતના સફરમાં ક્યારેય બાધા બની નહીં.લતાજીએ પ્રેમિકા, ગૃહિણી, પતિવ્રતા, પરણેલી, અભણ, અલ્હડ,સુસંસ્કૃત,વેશ્યા,વિરહિણી,વીરાંગના,સાધ્વી,માતા,બહેન, બેટી,વિધવા,નોકરાણી,અધ્યાપિકા,રાણી,પટરાણી વગેરે જેવા નારીના બધા હાવભાવ-લાગણીઓને તેમના કંઠથી સજાવ્યા હતા.વિદાય,વિવાહ,સગાઈ,મિલન,જુદાઇ, પ્રથમ મિલન,વિરહ વગેરે બધા અવસરો માટે લતાજીએ મધુર ગીતો ગાયા છે.
તેમણે લગભગ બધા જ વિખ્યાત સંગીત નિર્દેશકોના નિર્દેશનમાં ગીત ગાયા છે તથા કિશોરકુમાર,મુકેશ, મુહમ્મદ રફી,આશા ભોંસલે વગેરે ગાયકો સાથે મળીને ગીત ગાયા છે.શકીલ બદાયુની,કમાલ અમરોહી,નીરજ સુલતાનપુરી જેવા ગીતકારોના ગીતોને સ્વર આપ્યું.તેમને લોકપ્રિય બનાવ્યા.તેમના ગીતો પાકિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશ,શ્રીલંકા,અમેરિકા ઇંગ્લેન્ડ તથા અફઘાનિસ્તાન સહિત પુરા વિશ્વમાં ગવાય છે. લતાજીએ બધા ભારતીય પર્વોના અવસર માટે ગીતો ગાયા છે.
લંડનના રોયલ આલ્બર્ટ હોલે તેમના આવાજને કોમ્પ્યુટરની મદદથી તપાસવામાં આવ્યો તથા સંસારમાં સર્વ શ્રેષ્ઠ જાહેર કર્યું.૧૯૭૪માં આ હોલમાં પ્રદર્શન કરનારા તે પહેલા ભારતીય મહિલા હતા.એક સમારોહમાં જ્યારે તેમણે નેહરુજીની સામે 'એ મેરે વતન કે લોગો,જરા આંખ મે ભરલો પાની' ગીત ગાયું, તો નેહરુજીની આંખોમાં આંસુ આવી પડ્યા.તેમણે લતાજીને કહ્યું 'બેટી તે મને રોવડાવી દીધો'.
લતાજીએ વિવાહ કર્યા ન હતા.તેમણે મધુબાલા થી માધુરી દીક્ષિત સુધી ગીતો ગાયા.તેમણે ૫૦,૦૦૦ ઉપરાંત ગીતો ગાયા.તેમને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે તથા સાત ફિલ્મફેર,ચાર નશનલ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.તેમની સંગીત સાધના માટે ૧૯૬૫મા તેમને 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવ્યા.૧૯૯૯માં તેમને મહારાષ્ટ્ર ભૂષણ સન્માન પ્રદાન કરવામાં આવ્યું.મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપેલ આ સન્માનમાં પાંચ લાખ રૂપિયા તથા માન-પત્ર આપવામાં આવ્યું હતું. ૧૯૮૮માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મભૂષણ' થી અલંકૃત કરવામાં આવ્યા તથા માર્ચ ૧૯૯૯માં 'પદ્મ વિભૂષણ' પ્રદાન કરવામાં આવ્યું. આમ તેમને અલગ-અલગ કુલ ૮૧ પુરસ્કારોથી સન્માનિત કરાયા.
લતા મંગેશકરને ૧૯૯૦માં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૬માં 'રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૭માં પશ્ચિમ બંગાળ સરકારે તેમને 'દિશારી' પુરસ્કારથી સન્માનિત કર્યા તથા એ જ વર્ષે તેમને પ્રથમ "આદિત્ય બિરલા કલા શિખર પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવ્યા.
લતા મંગેશકરે તેમના જીવનના સંસ્મરણોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે જે "फुले वेचिता" (ફુલેવર વીણતાં- વીણતાં) નામથી મરાઠી ભાષામાં પ્રકાશિત છે.આ તેમનું પહેલું પુસ્તક છે.આ પુસ્તક વર્ષ ૧૯૯૭માં વિશેષ ચર્ચિત પુસ્તક રહ્યું.તેમના ગીતોના કીર્તિમાનનું ઉલ્લેખ, "'ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ" માં કરવામાં આવ્યું છે.૨૯ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ તેમના પિતા સ્વ.દિનાનાથ મંગેશકરની જન્મ શતાબ્દી પૂરી થવાના અંતિમ દિવસે ગોવામાં ચતુરંગ ફાઉન્ડેશન તરફથી લતાજીને 'જીવન ગૌરવ' લાઈફ ટાઈમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ પુરસ્કાર તેમને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પ્રદાન કર્યું હતું.
લતા મંગેશકર પાછલી અડધી શતાબ્દીથી પણ વધુ સમયથી દરેક નાની-મોટી નાયિકાને સ્વર પ્રદાન કરતા રહ્યા.રાજસ્થાની ભાષા સિવાય તેમણે બધી જ પંદર પ્રમુખ ભાષાઓમાં ગીત ગાયા છે.
સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ સ્વર સામગ્રી લત્તા મંગેશકરને સંગીત સાધના માટે ભારત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે 'ભારત રત્ન' થી અલંકૃત કર્યા.તે એ વખતે ભારત રત્ન પ્રાપ્ત કરનારા દેશના પાંચમા મહિલા હતા. લતાજી છ વર્ષ સુધી રાજ્યસભાનાં સદસ્ય રહ્યા તથા ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૬ ના દિવસે રાજ્યસભામાંથી ની સેવાનિવૃત્ત થયા.
દેશના ખૂણે-ખૂણામાં દરેક આયુ વર્ગ તેમજ ક્ષેત્રના લોકો પર તેમના સુરોનું સમ્મોહનનો જાદુ છવાયેલો છે.જ્યાં સુધી સંગીત પ્રેમી આ દુનિયામાં છે,ત્યાં સુધી તે લતાજીના સંગીત સાધનાનું સન્માન કરતા રહેશે.
આ પ્રકારે લતા મંગેશકર ભારતીય સંગીતમાં એક અનુપમ અનુકરણીય વ્યક્તિત્વ છે,જેમના યોગદાનને અમરતા પ્રાપ્ત થઈ ચૂકી છે. દિવ્ય આત્માને હાર્દિક શ્રદ્ધાંજલિ
સૌજન્ય : भारतीय गौरवशाली महिलाएं (માધવાનંદ સારસ્વત)

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...