Skip to main content

સ્વર કોકિલા 'લતા મંગેશકર'


સ્વર કોકિલા લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ ના દિવસે ઇન્દોર (મધ્ય પ્રદેશ)માં થયો હતો. તેમના પિતાજીનું નામ દિનાનાથ મંગેશકર હતું.તેઓ તેમના પાંચ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમના પિતાશ્રી દિનાનાથ મંગેશકર મરાઠી મંચના પ્રસિદ્ધ ગાયક હતા તથા તેમની એક ગાયન મંડળી હતી.તેથી લતાજીએ તેમનું ગાયનનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી વારસામાં મેળવ્યું હતું.તેમના પિતાજીના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આર્થિક તંગી આવી ગઈ હતી.એ દરમિયાન ૧૩ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મો માટે ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનું પહેલું ગીત તેમણે મરાઠી ફિલ્મ 'किसी हसाल' માટે ગાયું તથા તેમની પહેલી હિંદી ફિલ્મ પણ 'पहली मंगला गौर'.

આ અલૌકિક પાર્શ્વગાયિકામાં ગાયન પ્રતિભાની ખોજ ગુલામ હૈદરે કરી તથા તેઓ લતાજીને બોમ્બે ટાંકીજ લઈને આવ્યા.ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ જ્યારે તેમને ગાતાં સાંભળ્યા,તો તેમણે લતાજીને 'ત્રણ મિનિટની જાદુગરણી' કહ્યા.આ પ્રકારે ૧૩ વર્ષની ઉંમરથી આરંભ થયેલ તેમના સંગીતનું સફર આજે પણ આપણા કાનમાં ગુંજી રહ્યું છે.
લતાજીએ હિન્દી,ઉર્દૂ,પંજાબી,બંગાળી,મરાઠી,ગુજરાતી, તમિલ,તેલુગુ,કન્નડ,આસામી,ઉડિયા,નેપાળી,ભોજપુરી, કોંકણી વગેરે ભાષાઓમાં ગીત ગાયા.ભાષા તેમના સંગીતના સફરમાં ક્યારેય બાધા બની નહીં.લતાજીએ પ્રેમિકા, ગૃહિણી, પતિવ્રતા, પરણેલી, અભણ, અલ્હડ,સુસંસ્કૃત,વેશ્યા,વિરહિણી,વીરાંગના,સાધ્વી,માતા,બહેન, બેટી,વિધવા,નોકરાણી,અધ્યાપિકા,રાણી,પટરાણી વગેરે જેવા નારીના બધા હાવભાવ-લાગણીઓને તેમના કંઠથી સજાવ્યા હતા.વિદાય,વિવાહ,સગાઈ,મિલન,જુદાઇ, પ્રથમ મિલન,વિરહ વગેરે બધા અવસરો માટે લતાજીએ મધુર ગીતો ગાયા છે.
તેમણે લગભગ બધા જ વિખ્યાત સંગીત નિર્દેશકોના નિર્દેશનમાં ગીત ગાયા છે તથા કિશોરકુમાર,મુકેશ, મુહમ્મદ રફી,આશા ભોંસલે વગેરે ગાયકો સાથે મળીને ગીત ગાયા છે.શકીલ બદાયુની,કમાલ અમરોહી,નીરજ સુલતાનપુરી જેવા ગીતકારોના ગીતોને સ્વર આપ્યું.તેમને લોકપ્રિય બનાવ્યા.તેમના ગીતો પાકિસ્તાન,નેપાળ, બાંગ્લાદેશ,શ્રીલંકા,અમેરિકા ઇંગ્લેન્ડ તથા અફઘાનિસ્તાન સહિત પુરા વિશ્વમાં ગવાય છે. લતાજીએ બધા ભારતીય પર્વોના અવસર માટે ગીતો ગાયા છે.
લંડનના રોયલ આલ્બર્ટ હોલે તેમના આવાજને કોમ્પ્યુટરની મદદથી તપાસવામાં આવ્યો તથા સંસારમાં સર્વ શ્રેષ્ઠ જાહેર કર્યું.૧૯૭૪માં આ હોલમાં પ્રદર્શન કરનારા તે પહેલા ભારતીય મહિલા હતા.એક સમારોહમાં જ્યારે તેમણે નેહરુજીની સામે 'એ મેરે વતન કે લોગો,જરા આંખ મે ભરલો પાની' ગીત ગાયું, તો નેહરુજીની આંખોમાં આંસુ આવી પડ્યા.તેમણે લતાજીને કહ્યું 'બેટી તે મને રોવડાવી દીધો'.
લતાજીએ વિવાહ કર્યા ન હતા.તેમણે મધુબાલા થી માધુરી દીક્ષિત સુધી ગીતો ગાયા.તેમણે ૫૦,૦૦૦ ઉપરાંત ગીતો ગાયા.તેમને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે તથા સાત ફિલ્મફેર,ચાર નશનલ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.તેમની સંગીત સાધના માટે ૧૯૬૫મા તેમને 'પદ્મશ્રી' થી સન્માનિત કરવામાં આવ્યા.૧૯૯૯માં તેમને મહારાષ્ટ્ર ભૂષણ સન્માન પ્રદાન કરવામાં આવ્યું.મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપેલ આ સન્માનમાં પાંચ લાખ રૂપિયા તથા માન-પત્ર આપવામાં આવ્યું હતું. ૧૯૮૮માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મભૂષણ' થી અલંકૃત કરવામાં આવ્યા તથા માર્ચ ૧૯૯૯માં 'પદ્મ વિભૂષણ' પ્રદાન કરવામાં આવ્યું. આમ તેમને અલગ-અલગ કુલ ૮૧ પુરસ્કારોથી સન્માનિત કરાયા.
લતા મંગેશકરને ૧૯૯૦માં 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૬માં 'રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર' પ્રદાન કરવામાં આવ્યું.૧૯૯૭માં પશ્ચિમ બંગાળ સરકારે તેમને 'દિશારી' પુરસ્કારથી સન્માનિત કર્યા તથા એ જ વર્ષે તેમને પ્રથમ "આદિત્ય બિરલા કલા શિખર પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવ્યા.
લતા મંગેશકરે તેમના જીવનના સંસ્મરણોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું છે જે "फुले वेचिता" (ફુલેવર વીણતાં- વીણતાં) નામથી મરાઠી ભાષામાં પ્રકાશિત છે.આ તેમનું પહેલું પુસ્તક છે.આ પુસ્તક વર્ષ ૧૯૯૭માં વિશેષ ચર્ચિત પુસ્તક રહ્યું.તેમના ગીતોના કીર્તિમાનનું ઉલ્લેખ, "'ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ" માં કરવામાં આવ્યું છે.૨૯ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ તેમના પિતા સ્વ.દિનાનાથ મંગેશકરની જન્મ શતાબ્દી પૂરી થવાના અંતિમ દિવસે ગોવામાં ચતુરંગ ફાઉન્ડેશન તરફથી લતાજીને 'જીવન ગૌરવ' લાઈફ ટાઈમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ પુરસ્કાર તેમને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પ્રદાન કર્યું હતું.
લતા મંગેશકર પાછલી અડધી શતાબ્દીથી પણ વધુ સમયથી દરેક નાની-મોટી નાયિકાને સ્વર પ્રદાન કરતા રહ્યા.રાજસ્થાની ભાષા સિવાય તેમણે બધી જ પંદર પ્રમુખ ભાષાઓમાં ગીત ગાયા છે.
સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ સ્વર સામગ્રી લત્તા મંગેશકરને સંગીત સાધના માટે ભારત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે 'ભારત રત્ન' થી અલંકૃત કર્યા.તે એ વખતે ભારત રત્ન પ્રાપ્ત કરનારા દેશના પાંચમા મહિલા હતા. લતાજી છ વર્ષ સુધી રાજ્યસભાનાં સદસ્ય રહ્યા તથા ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૬ ના દિવસે રાજ્યસભામાંથી ની સેવાનિવૃત્ત થયા.
દેશના ખૂણે-ખૂણામાં દરેક આયુ વર્ગ તેમજ ક્ષેત્રના લોકો પર તેમના સુરોનું સમ્મોહનનો જાદુ છવાયેલો છે.જ્યાં સુધી સંગીત પ્રેમી આ દુનિયામાં છે,ત્યાં સુધી તે લતાજીના સંગીત સાધનાનું સન્માન કરતા રહેશે.
આ પ્રકારે લતા મંગેશકર ભારતીય સંગીતમાં એક અનુપમ અનુકરણીય વ્યક્તિત્વ છે,જેમના યોગદાનને અમરતા પ્રાપ્ત થઈ ચૂકી છે. દિવ્ય આત્માને હાર્દિક શ્રદ્ધાંજલિ
સૌજન્ય : भारतीय गौरवशाली महिलाएं (માધવાનંદ સારસ્વત)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...