Skip to main content

કસ્તુરબા - બા

 


નમક સત્યાગ્રહ દરમિયાન કસ્તુરબા (જમણી બાજુ) સાથી સમર્થક કમલાદેવી ચટ્ટોપાધ્યાય (મધ્યમાં) સાથે.

દાંડીયાત્રાની તૈયારીઓ કસ્તુરબા (બા) ગાંધી પણ કરી રહ્યા હતા.તેમના કુટુંબની ત્રણ પેઢીઓએ આ કૂચમાં ભાગ લીધો - પતિ,પુત્ર મણિલાલ અને પૌત્ર કાંતિ, જે 19 વર્ષના હતા.તેઓ કૂચના શક્તિશાળી પ્રતીકવાદથી પ્રેરિત હતા, પરંતુ કુદરતી રીતે તેમના પરિવાર માટે ચિંતિત હતા. ગાંધીએ સ્વયંસેવકોને સ્પષ્ટ કરી દીધું હતું કે : “તમારે મરવા માટે તૈયાર રહેવું જોઇએ. બ્રિટીશ બંદૂકોનો ઉપયોગ કરી શકે છે પરંતુ તમારે પાછો હુમલો કરવો નહીં."
બા ૧૨ માર્ચના રોજ સવારે 4 વાગ્યા પહેલાં જાગી ગયા હતા,જે દિવસે કૂચની શરૂઆત થઈ.ઝડપથી પોશાક પહેર્યો. તે દિવસે બા એ ઘણું કરવાનું હતું.પત્રકારો અને ફોટોગ્રાફરોના ટોળાથી પણ વાકેફ હતા જેમણે આશ્રમની બહાર રાતોરાત પડાવ કર્યો હતો. બાએ ત્યાં ચક્કર લગાવ્યા, દરેકને વહેલી પ્રાર્થના માટે જગાડયા, અને યાત્રીઓને તેમની સાથે લઈ જતા ખોરાકની તૈયારીઓની પણ દેખરેખ રાખતા.
જેમ જેમ તેઓ ભેગા થયા,યાત્રીઓની પત્નીઓ,જેમને મૂકીને જઈ રહ્યા હતા,એમનામાં મિશ્રિત લાગણીઓ હતી. સુશીલા, મણીલાલનાં પત્ની,તેમના પતિને અલવિદા કહેતી વખતે આંખો આંસુથી ભરાઈ ગઈ, અને બાને દોડીને બાથ ભીડી લીધી હતી.લગભગ દરેક સ્ત્રી આંસુમાં ડૂબી ગઈ હતી,જેને વિદાય આપી રહ્યા હતા એ પુરુષોનું તેઓ નસીબ જાણતા ન હતા.
ત્યારબાદ બા તેમના જીવનચરિત્રો અનુસાર- તેમના પૌત્ર અરુણ અને તેમની પત્ની સુનંદા - જેમણે ભારતમાં પ્રકાશિત તેમના પુસ્તક, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કસ્તુરબા : મહાત્મા ગાંધીના પત્ની :
“‘આપણા માણસો લડવૈયા છે, ’કસ્તુરબાએ જાહેર કર્યું. ‘અમે યોદ્ધાઓ’ પત્નીઓ છીએ. આપણે માણસોને હિંમત આપવી જોઈએ. જો આપણે બહાદુર હોઈશું, તો તેઓ બહાદુર બનશે. ’બા એક લાંબા શબ્દહીન ક્ષણ માટે પતિની આંખોમાં નજર કરી ઊભા રહ્યાં. તેમના ડાબા હાથમાં એક નાનકડી પિત્તળની થાળી હતી, જે ઘી અને સિંદૂરના મિશ્રણથી ભરેલી હતી, જે તેમણે વહેલી સવારે તૈયાર કરી હતી. ધીરે ધીરે, તેણીએ તેમના જમણા હાથની વચલી આંગળીને વાટકીમાં નાંખી, પછી બાપુના કપાળ પર કુમકુમ તિલક કર્યું….
પ્રયાણ થતી મુસાફરી માટે સદનસીબની માંગણી અને તેમના સલામત પરત ફરવા માટે પ્રાર્થના થાય છે.
“બા કાળજીપૂર્વક દરેક યાત્રીને કુમકુમ તિલક કરતાં આગળ વધે છે.જેમ જેમ તેઓ જેની આગળથી પસાર થતા જાય છે, એમ દરેક માણસના ચહેરા પર એક અમૂલ્ય વિદાયની ભેટ મળી હોય એવી લાગણી અનુભવાય છે. "
સાભાર : ગાંધી એક સચિત્ર જીવની - પ્રમોદ કપૂર

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ