Skip to main content

છત્રપતિ શિવાજી : જન્મજયંતિ વિશેષ


મહારાષ્ટ્રની સાથે સમગ્ર દેશમાં શિવાજી જયંતિ બધે જ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.લોકમાન્ય ટિળકે આ ઉત્સવ શરૂ કરાવેલું.વર્તમાનમાં જનમાનસમાં શિવાજી મુસ્લિમ વિરોધી હતા એવું ઠુંસવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે."તેમના જીવનનું મુખ્ય કામ મુસ્લિમ ધર્મનો વિરોધ કરવાનું અને હિન્દુ ધર્મનું રક્ષણ અને ધર્મપ્રતિપાલકનું હતું." "એ હિંદુ ધર્મ રક્ષક હતા" "હિન્દુ પદ બાદશાહ હતા." "ગોબ્રાહ્મણ પ્રતિપાળ હતા" - એવી છાપ વિશાળ જનમાનસ ઉપર છે.

ઐતિહાસિક તથ્યોને આધારે આ બધા વિધાનો બરાબર તપાસી લેવા જોઈએ.આપણે હિન્દુ છીએ તેથી અથવા આ વિધાનો આપણને અત્યારે ઉપયોગી થઈ પડે એમ છે તેથી એને આંખો મીંચીને સ્વીકારી લેવાનું વલણ યોગ્ય નથી. અથવા સામે પક્ષે આપણે મુસ્લિમ છીએ. હિન્દુઓનો વિરોધ કરવાનું મુસ્લિમોને શીખવવું એ આપણી આજની જરૂરિયાત છે.ઘણા હિન્દુઓ શિવાજી મહારાજનો જય જય કાર કરે છે જેથી આપણે ય કોઈ જ સંશોધન કર્યા સિવાય જ એમ કહેવું કે શિવાજી હિન્દુ ધર્મના રક્ષક અને મુસ્લિમ ધર્મ વિરોધી હતા - આ દ્રષ્ટિકોણ પણ એટલો જ ભૂલભરેલો છે.

શિવાજીના મુસ્લિમ સરદારો :

શિવાજીના દરબારમાં પણ અનેક મુસ્લિમ સરદાર, વતનદાર અને બીજા ચાકરો હતા.તેઓ ઘણા ઊંચા હોદ્દાઓ અને જવાબદાર જગ્યાઓ પર હતા.

શિવાજીના તોપખાનાનો ઉપરી એક મુસ્લિમ હતો,જેનું નામ ઇબ્રાહિમ.તોપખાનું એટલે લશ્કરનું એક મહત્વનું અંગ કદાચ - સૌથી વધુ અગત્ય ધરાવતું અંગ. તોપ એ કાળનું સૌથી આધુનિક શસ્ત્ર હતું.કિલ્લાની લડાઈમાં તેનું મહત્વ ઘણું હતું. આવા મહત્વના તોપખાનાનો ઉપરી એક મુસલમાન હતો.

છત્રપતિ શિવાજી મહારાજની દીર્ઘદ્રષ્ટિના ઉદાહરણ તરીકે તેમણે કરેલી નૌકાદળની રચનાનું ઉદાહરણ આપવામાં આવે છે.કોંકણપટ્ટીના વિશાળ ભૂભાગને સમુદ્રનું સાનિધ્ય સાંપડ્યું છે.આ આખા ભાગનું રક્ષણ કરવા માટે નૌકાદળ જરૂરી હતું.શિવાજીએ તે કર્યું.આવા અત્યંત મહત્વના સૈન્યનો ઉપરી પણ એક મુસ્લિમ સરદાર હતો - દર્યાસારંગ દોલતખાન.

શિવાજીના ખાસ અંગરક્ષક દળમાં તેમજ ખાનગી નોકરોમાં અત્યંત વિશ્વાસુઓમાં મદારી મ્હેતરનો સમાવેશ થતો હતો.આગ્રાની કેદમાંથી છૂટવાના નાટ્યાત્મક પ્રસંગમાં આ વિશ્વાસુ મુસ્લિમ સાથીદારે શિવાજીને સારું સાથ આપ્યો? જો શિવાજી મુસ્લિમ વિરોધી હોત તો આવું જ થયું હોત ખરું?

શિવાજીના રાજ્યમાં આવા અનેક મુસલમાન ચાકરો હતા.એમાં કાઝી હૈદર નામે એક હતો.સાલેરીની લડાઈ પછી ઔરંગઝેબના દક્ષિણમાંના આ અધિકારીઓએ શિવાજી સાથે મૈત્રીનો કોલ એક બ્રાહ્મણ વકીલ દ્વારા મોકલ્યો.ત્યારે શિવાજીએ પોતાના દૂત તરીકે કાઝી હૈદરને મોગલો પાસે મોકલ્યા.એટલે કે મુસ્લિમોનો દૂત હિન્દુ અને હિન્દુઓનો દૂત મુસ્લિમ. તે સમયના સમાજનું વિભાજન જો હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ હોત તો આવું થયું ન હોત.

સિદ્દી હિલાલ પણ શિવાજીનો એવો જ બીજો મુસ્લિમ સરદાર હતો. ઈ. સ. ૧૬૬૦ માં રૂસ્તુમજમા અને ફાજલખાનને શિવાજીએ રાયબાગ પાસે હરાવ્યા.તે વખતે સિદ્દી હિલાલે શિવાજીને મદદ કરી.એ જ વર્ષમાં સિદ્દી જોહરે પન્હાળગઢને ઘેરો ઘાલ્યો હતો,ત્યારે નેતાજી પાલકરે તેના સૈન્ય પર હુમલો કરી ઘેરો ઉડાવવાનો પ્રયત્ન કર્યો.એ યુદ્ધમાં નેતાજી પાલકર સાથે સીદ્દી હિલાલ અને તેનો દીકરો, બંને હતા.ઝપાઝપીમાં હિલાલનો પુત્ર વાહવાડ જખ્મી થઈ ,કેદ થયો. હિન્દુ શિવાજીની બાજુથી મુસ્લિમ સિદ્દી હિલાલ પોતાના દીકરા સહિત મુસ્લિમો સાથે સામે લડ્યો.

જો એ લડાઈનું સ્વરૂપ હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ હોત તો આવું થયું હોત ખરું? 'સભાસદ બખરી' ના પાના નં. ૭૬ પર શિવાજીના અન્ય એક મુસ્લિમ સરદારનો ઉલ્લેખ છે. તેનું નામ શામાખાન. "રાજવાડ્યાંચ્યા મરાઠયાંચ્યા ઇતિહાસાચી સાધનં" નામના ગ્રંથના ખંડ-૧૭ ના પાના નં.૧૭ પર નૂરખાન બેગનો ઉલ્લેખ શિવાજી નાં સરસેનાપતિ તરીકેનો છે.

આ બધા સરદારો એકલા ન હતા,એ તો સ્પષ્ટ જ છે. પોતાની સાથેના મુસ્લિમ સિપાહીઓ સહિત એ લોકો શિવાજીની ચાકરીમાં હતા.

પણ આ બધાથી વધુ મહત્વનો બીજો એક પુરાવો છે. એ ઉપરથી મુસ્લિમ સિપાહીઓ અંગેના શિવાજીના વલણનો ખ્યાલ આવે છે.

રિયાસતકાર સરદેસાઈના પુસ્તક 'શકકર્તા શિવાજી' માંનો ઉતારો -

".... ઈ. સ. ૧૬૫૮ના અરસામાં વિજાપુર લશ્કરના ૫૦૦-૭૦૦ પઠાણ શિવાજી પાસે નોકરી માટે આવ્યા.ગોમાજી નાઈક પાનસાંબળેએ શિવાજીને એ અંગે પોતાની સલાહ આપી જે શિવાજીને યોગ્ય લાગતાં, સ્વીકારી.અને પછી એમણે એ ધોરણ કાયમ રાખ્યું. નાઈકે તેમને આવી સલાહ આપી હતી."તમારી ખ્યાતિ સાંભળીને આ લોકો આવ્યા છે - એમને પાછા કાઢવા ઠીક નહીં.હિન્દુઓને જ રાખવા ને બીજાઓની દરકાર ન કરવી,એવું વલણ રાખશો તો રાજ મળશે નહીં.ચાર વર્ણ અને અઢાર જ્ઞાતિને પોતપોતાનો ધર્મ પાળવા દઈ તેમને ભેગા રાખવાથી જ રાજ ચલાવી શકાશે."

૧૬૫૮ સુધી શિવાજીનું સંપૂર્ણ રાજ્ય સ્થપાયું ન હતું. રાજ્ય સ્થાપવા માટે કયા ધોરણો હતા એ ઉપરના પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે.

ગ્રાંન્ડ ડફને પણ પોતાના શિવાજી-ચરિત્રના પાના નં. ૧૨૯ પર ગોમાજી નાઈકની સલાહનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, "એ પછી શિવાજીએ પોતાના સૈન્યમાં મુસ્લિમોને પણ સમાવી લીધા અને રાજ્યની સ્થાપનામાં તેનો ઘણો ફાયદો થયો."

શિવાજીના સરદાર અને શિવાજીનું સૈન્ય માત્ર હિન્દુઓને જ નહોતું પણ એમાં મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો,એ આ ઉપરથી સ્પષ્ટ થાય છે.શિવાજી મુસ્લિમ ધર્મનો નાશ કરવાનું કામ જ કરતા હોત તો આ મુસ્લિમો શિવાજી પાસે રહ્યા ન હોત.શિવાજી તો મુસ્લિમ રાજાઓના જુલમી રાજનો નાશ કરવા નીકળ્યા હતા. તેથી મુસ્લિમો પણ એમના આ કાર્યમાં સહભાગી થયા. ધર્મ એ મુખ્ય પ્રશ્ન ન હતો.રાજ્ય મહત્વનો પ્રશ્ન હતો.

સૌજન્ય : નોખો રાજવી શિવાજી (લેખક : બી. ગોવિંદ પાનસરે, અનુવાદ : જગદીશ પટેલ)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...