Skip to main content

જ્યારે, ગદર પાર્ટીના સ્થાપક લાલા હરદયાળના કહેવા પર, અલ્લામા ઈકબાલે તરન્નુમમાં "સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા" નું પઠન કર્યું.


અલ્લામા ઇકબાલ (મધ્યમાં, નીચેની પંક્તિ) 1910માં સરકારી કોલેજ, લાહોરમાં તેમના વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે.

આ તસવીર 1910ની છે, જેમાં તમે અલ્લામા ઈકબાલને સરકારી કોલેજ લાહોરમાં તેમના સાથીદારો અને શાગીર્દો સાથે જોઈ શકો છો! આ તે સ્થાન છે જ્યાં ગદર પાર્ટીના સ્થાપક અને પ્રિય શિષ્ય લાલા હરદયાળના કહેવાથી ઇકબાલે તરન્નુમમાં તેમની પ્રખ્યાત રચના “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”નું પ્રથમવાર પઠન કર્યું હતું.
બન્યું એવું કે નાનપણથી જ ધાર્મિક પરિવારમાં ઉછરેલા લાલા હરદયાળને ભારતની ધરતીમાંથી નીકળેલા દરેક ધર્મ, સંપ્રદાય અને દંતકથાઓમાં ખૂબ જ આસ્થા હતી. તેમને ભારતીય પરંપરાઓ પ્રત્યે ખૂબ લગાવ હતો. કેમ્બ્રિજ મિશન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી સંસ્કૃતમાં સ્નાતક થયા. અને આ પછી પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી સંસ્કૃતમાં M.A. કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, અલ્લામા ઇકબાલ ગવર્નમેન્ટ કોલેજ લાહોરમાં પ્રોફેસર હતા, જેઓ ત્યાં ફિલોસોફી ભણાવતા હતા.
18 માર્ચ 1987ના રોજ, ઈન્ડિયન પોસ્ટે બહાર પાડેલ સ્ટેમ્પ


તે દિવસોમાં, યુવાનોના આનંદ અને મનોરંજન માટે લાહોરમાં માત્ર એક જ ક્લબ હતી, જેનું નામ હતું "યંગ્સમેન ક્રિશ્ચિયન એસોસિએશન" જે 'વાય.એમ.સી.એ' તરીકે પણ જાણીતું હતું; જ્યાં સામાન્ય રીતે બૌદ્ધિકો સમય પસાર કરવા જતા હતા. લાલા હરદયાળનને ક્લબના સેક્રેટરી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો. વાત હિન્દુસ્તાનના સન્માનની હતી; લાલાજીએ કઈ પણ આજુબાજુ જોયું કે વિચાર્યું નહીં, તરત જ "YMCA" ની સમાંતર "YMIA" એટલે કે 'યંગ્સમેન ઈન્ડિયા એસોસિએશન' ની સ્થાપના કરી નાંખી.
જ્યારે લાલાજીએ તેમના પ્રોફેસર ઈકબાલને આખો મામલો સંભળાવ્યો અને તેમને એસોસિએશનના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરવા કહ્યું, ત્યારે તેઓ તરત જ સંમત થયા. આ સમારોહમાં ઇકબાલે તરન્નુમમાં તેમની પ્રખ્યાત રચના “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા”નું પઠન કર્યું હતું. આ કદાચ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ સમારોહના અધ્યક્ષે તેમના અધ્યક્ષીય ભાષણની જગ્યાએ કોઈ ગીત ગાયું હોય. ટૂંકી પરંતુ જુસ્સાદાર રચનાએ શ્રોતાઓ પર એટલી ઊંડી અસર કરી કે ઇકબાલે સમારંભની શરૂઆતમાં અને અંતમાં ફરીથી ગીત સંભળાવવું પડ્યું.
सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा
हम बुलबुलें हैं इसकी यह गुलसिताँ हमारा
ग़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
परबत वह सबसे ऊँचा, हम्साया आसमाँ का
वह संतरी हमारा, वह पासबाँ हमारा
गोदी में खेलती हैं इसकी हज़ारों नदियाँ
गुल्शन है जिनके दम से रश्क-ए-जनाँ हमारा
ऐ आब-ए-रूद-ए-गंगा! वह दिन हैं याद तुझको?
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिंदी हैं हम, वतन है हिन्दोसिताँ हमारा
यूनान-ओ-मिस्र-ओ-रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
इक़बाल! कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा!
આ રચના સૌપ્રથમ 16 ઓગસ્ટ 1904ના રોજ મૌલાના શરારના સાપ્તાહિક મેગેઝિન "ઇત્તેહાદ" માં આ ટિપ્પણી સાથે પ્રકાશિત કરવામાં આવ્યું હતું , "એક ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જેનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ભારતના તમામ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપવાનું છે જેથી બધા લોકો સર્વસંમતિ સાથે દેશના વિકાસ અને કલ્યાણ પ્રત્યે આકર્ષાય.આ સમારોહમાં પંજાબના સુપ્રસિદ્ધ અને નરમ મનના કવિ શેખ મુહમ્મદ ઈકબાલે એક ટૂંકી અને જુસ્સાદાર કવિતાનું પઠન કર્યું હતું, જે રચનાએ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા અને બધાની વિનંતી પર સમારંભની શરૂઆતમાં અને અંતમાં ફરીથી તેનું પઠન પણ કરવામાં આવ્યું હતું. આ કવિતા એકતાના હેતુમાં સફળ રહી હોવાથી, અમે અમારા જૂના મિત્ર અને મૌલવી મુહમ્મદ ઇકબાલનો આભાર માનીને તેને 'ઇત્તેહાદ'માં પ્રકાશિત કરી રહ્યા છીએ...”
15 ઓગસ્ટ, 1947 ના રોજ, જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે ઇકબાલનું ગીત “સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” મધ્યરાત્રિના બરાબર 12 વાગ્યે સમૂહમાં ગવાયું હતું. સ્વતંત્રતાની 25મી વર્ષગાંઠ પર, માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેની ધૂન તૈયાર કરી. સિતારવાદક પંડિત રવિશંકર દ્વારા 1950ના દાયકામાં તેને સુર-બદ્ધ કરવામાં આવ્યું. જ્યારે ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે, ત્યારે શર્માએ આ ગીતની પ્રથમ પંક્તિ કહી હતી.
અલ્લામા ઈકબાલનું 21 એપ્રિલ 1938ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ પછી દિલ્હીના ‘જૌહર’ પત્રિકાના ઈકબાલ વિશેષ અંકમાં ‘મહાત્મા ગાંધી’નો એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, ડૉ. ઈકબાલ મર્હુમ વિશે શું લખું, પણ હું એટલું કહી શકું છું કે જ્યારે તેમની પ્રખ્યાત નઝ્મ મેં "હિન્દુસ્તાં હમારા" વાંચી તો મારું હૃદય ભરાઈ આવ્યું અને આ ગીત મેં પુણેની જેલમાં સેંકડો વાર ગાયું હશે.

સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...