Skip to main content

અવતાર સિંહ સંધુ - પાશ : ક્રાંતિકારી કવિ



सबसे खतरनाक वह दिशा होती है
जिसमें आत्मा का सूरज डूब जाए
और उसकी मुर्दा धूप का टुकड़ा
आपके जिस्म के पूरब में चुभ जाए
हम लड़ेंगे साथी, उदास मौसम के लिए
हम लड़ेंगे साथी, ग़ुलाम इच्छाओं के लिए
23 માર્ચ 1988 ના દિવસે જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓએ યુવા તેમજ ક્રાંતિકારી કવિ પાશની કાયરતાપૂર્ણ હત્યા દ્વારા પાશનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ખાલીસ્તાનીઓને એ વાતનું ગુમાન ન હતું કે આ હત્યા તેને સૌથી વધુ નુકસાન કરવા વાળી હતી.હત્યાની પહેલાં જો પાશનો અવાજ તેની કવિતા તેમજ અન્ય લેખનોના માધ્યમથી પંજાબ યા પંજાબી ભાષી સમાજ સુધી સીમિત હતી,તો હત્યાના થોડાક મહિનાઓની અંદર પાશની અવાજ સમગ્ર દેશમાં તેમના કાવ્યના માધ્યમથી ફેલાઈ ગઈ અને આ અવાજ એટલો સશક્ત સાબિત થયો કે 1989માં હિન્દીમાં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'બીચ કા રસ્તા નહિ હોતા' ના પ્રકાશનથી મળેલી હિન્દી પાઠકોમાં તેમની લોકપ્રિયતા ન માત્ર અત્યાર સુધી બરકરાર છે,બલ્કે આ લોકપ્રિયતા ખૂબ જ વધી છે તથા પાશની હિન્દી પાઠકો દ્વારા પંજાબી ભાષી કવિથી પણ વધુ હિન્દી ભાષાના પોતાના કવિના રૂપમાં અપનાવ્યા છે તેમજ તેમની કવિતાને નિરાલા,મુક્તિ બોધ,નાગાર્જુન તેમજ ધૂમિલ વગેરેની પરંપરામાં સ્થિત કરવામાં આવી છે.'બીચ કા રસ્તા નહિ હોતા' ની ઉપરાંત પાશની કવિતાના હિન્દીમાં છપાયેલા અન્ય સંસ્કરણોને પણ સ્વીકૃતિ મળેલી છે.
1993 માં હિન્દીમાં પાશનું બીજું કાવ્ય સંસ્કરણ 'સમય ઓ ભાઈ સમય' ના પ્રકાશનથી લગભગ પૂરું પાશ કાવ્ય હિન્દી પાઠકો સુધી પહોંચી ગયું હતું,પરંતુ પાશની સમગ્ર કવિતાનો બીંબ બની શક્યો ન હતો.આ વચ્ચે પાશની થોડીક અન્ય કવિતાઓ પણ સામે આવી ગઈ તેમજ 'પાશ મેમોરિયલ આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટે' પણ પંજાબીમાં 'સંપૂર્ણ પાશ કાવ્ય' વર્ષ 2000માં પ્રકાશિત કરી દીધું. હિન્દીમાં પાશની પંજાબી લોક પરંપરાની કેટલીક રચનાઓ જેવી કે બોલીઓ,દોહા વગેરેને પ્રસ્તુત કરવામાં આવ્યા ન હતા.પરંતુ હવે 'પાશ કવિતા સમગ્ર' માં આ થોડી રચનાઓનું ભાવાર્થ પણ સામેલ કરવામાં આવ્યો છે.
'પાશ કવિતા સમગ્ર' માં 'બીચ કા રસ્તા નહિ હોતા' માં પ્રો. નામવરસિંહની ભૂમિકા 'પંજાબી કા લોર્કા', જેણે ભારતીય કાવ્યના સંદર્ભમાં પાશની ઓળખ એક વિશિષ્ટ ભારતીય કવિના રૂપમાં સ્થાપિત કરવા માટે તેમની ભૂમિકા નિભાવી.
સ્પેનના જનકવિ લોર્કાની હત્યા વિશે કહેવામાં આવે છે કે જ્યારે તેમની અમર કવિતા 'એક બુલફાઈટર કી મોત પર શોક ગીત' નું ટેપ જનરલ ફ્રેંકોને સંભળાવવામાં આવ્યું તો જનરલે આદેશ આપ્યો હતો કે આ અવાજ બંધ થવી જોઈએ.આ ઘટના લગભગ પચાસ વર્ષ પહેલાંની છે. પાશના રૂપમાં પંજાબને પણ એક લુર્કા મળ્યો હતો જેની આવાજ ખાલિસ્તાની ઝનૂને બંધ કરી દીધી અને તે પણ સંયોગથી એ સમયે 36 વર્ષના જવાન હતા. શું પાશના હત્યારાઓએ પણ લોર્કાની કોઈ કવિતા વાંચી હતી? તેમજ 'સમય ઓ ભાઈ સમય' ની કવિ કેદારનાથ સિંહની ભૂમિકા પણ સામેલ છે.સાથે પાશની કાવ્ય યાત્રા અને જીવનયાત્રાનું સંપાદક દ્વારા આપેલ પરિચય પણ સંકલિત છે.
સૌજન્ય : સંપૂર્ણ કવિતાએ (પાશ)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...