Skip to main content

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલનાર સરોજિની નાયડુ

 


સરોજિની નાયડુ: એક કવિયત્રી, દેશભક્ત અને નારીવાદી મહિલા :
'ભારત કોકિલા' સરોજિની નાયડુ ખૂબ જ મહેનતુ મહિલા હતા. પછી ભલે તે કવિતાઓ દ્વારા સામાજિક દુષણો પર પ્રકાશ પાડવાની હોય અને મહિલાઓને મતાધિકાર અપાવવાનો હોય અથવા સવિનય અસહકાર ચળવળમાં મોખરે રહીને અંગ્રેજોના લાઠીચાર્જનો સામનો કરવાની હિંમત રાખી, સ્વતંત્રતા ,ન્યાય અને સશક્તિકરણના માટે સંઘર્ષ કરવાની હોય,કોઈ પણ બાબતમાં તેણી પીછેહઠ કરનારી મહિલા ન હતી.
એક બેહતર દુનિયા માટે લડવાની હિંમત તેમનામાં કુટીકુટીને ભરેલી હતી, જેના કારણે તેમણે દેશના ઘણા મોટા નેતાઓના દિલ જીતી લીધા હતા. આનું પરિણામ એ આવ્યું કે 16 વર્ષની ઉંમરે હૈદરાબાદના નિઝામે તેમને વિદેશમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી, તો મહાત્મા ગાંધી તેમને તેમના સૌથી નજીકના અને વફાદાર સાથી ગણતા હતા.
બ્રિટિશ રાજથી ભારતની આઝાદીના ઐતિહાસિક સંઘર્ષમાં તેમના અમૂલ્ય યોગદાન તેમના શબ્દો અને કાર્યો દ્વારા દેશના લોકોને સશક્તિકરણ કરવામાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને નાયડુને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પ્રથમ મહિલા ગવર્નર બનાવવામાં આવ્યા હતા,આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા પણ હતા.
એક કવયિત્રી :
નાયડુએ ભાવનાત્મક કવિતાની પહેલ કરી. માત્ર 12 વર્ષની ઉંમરે, નાયડુએ ફારસી ભાષામાં 'મેહર મુનીર' કવિતા લખી અને તેમના પિતાને બતાવી. તે આ કવિતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેની એક નકલ હૈદરાબાદના નિઝામને મોકલી. નિઝામે નાયડુને ઈંગ્લેન્ડની કિંગ્સ કોલેજ અને પછી કેમ્બ્રિજમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે નાયડુને ધાર્મિક કવિતાઓનો શોખ હતો, પરંતુ જ્યારે તે થોડી મોટી થઈ અને જીવનના કેટલાક વધુ ખાટા અને મીઠા અનુભવો મેળવ્યા, ત્યારે તેમની કવિતાઓ સામાન્ય બનવા લાગી અને લોકોને તેમના તરફ આકર્ષવા લાગી.
તેમની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ 'સોલ્સ પ્રેયર', 'લાઇફ', 'ટુ ઇન્ડિયા' અને 'ઇન્ડિયન વીવર્સ' છે અને આ કવિતાઓમાં તેમણે ઊંડા વાક્યો દ્વારા જીવન, સ્વતંત્રતા અને પ્રેમનો સાચો અર્થ વ્યક્ત કર્યો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાયડુનું યોગદાન:
નાયડુ જ્યારે કેમ્બ્રિજથી ભારત પરત ફર્યા ત્યારે તે સમયે ભારત આઝાદીની લડાઈમાં સંપૂર્ણપણે તપી રહ્યું હતું. તેણીએ પોતાને આ આગમાં ભેળવી દીધા, જેના પછી તેણી ઝડપથી લોકો માટે એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા.
વિ. એસ.નારાવને તેમના પુસ્તક 'સરોજિની નાયડુ: હર લાઈફ, વર્ક એન્ડ પોએટ્રી'માં ઉલ્લેખ કર્યો છે કે 1905માં જ્યારે લોર્ડ કર્ઝને સૌપ્રથમ બંગાળના વિભાજનની જાહેરાત કરી ત્યારે યુવાન નાયડુએ ગોપાલકૃષ્ણ ગોખલે જેવી મહાન હસ્તીઓ સાથે કૂચ કરતાં તેણી વિરોધમાં સૌથી મોખરે હતા.


થોડા વર્ષો પછી, બિપિન ચંદ્રએ તેમના પુસ્તક 'ઇન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ: 1857–1947'માં લખ્યું કે તે મહાત્મા ગાંધીથી પરિચિત થયા , અહિંસા અને અસહકાર ચળવળમાં તેમના અનુયાયી બન્યા.
પ્રિન્સ ઑફ વેલ્સની ભારતની મુલાકાત દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા ત્યારે નાયડુ કોંગ્રેસના પ્રતિનિધિ હતા અને તેમને હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને હિન્દુ-મુસ્લિમ એકતાને વધારવા લોકોને પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું હતું.
ચંદ્રા કહે છે કે 1924 માં, નાયડુ દક્ષિણ આફ્રિકા ગયા અને ઐતિહાસિક વિરોધી બિલની સમીક્ષા કરવા પૂર્વ આફ્રિકન કોંગ્રેસના સત્રની અધ્યક્ષતા કરી. 1925માં તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1930 માં, જ્યારે ગાંધીએ દાંડી કૂચ સાથે સવિનય અસહકાર ચળવળ શરૂ કરી, ત્યારે નાયડુ હંમેશની જેમ લોકોનું નેતૃત્વ કરી રહ્યા હતા.
પાછળથી, જ્યારે ગાંધીની ધરપકડ કરવામાં આવી ત્યારે નાયડુએ ચળવળને નિયંત્રિત કરવામાં મદદ કરી. આ આંદોલન પછી અને ભારત છોડો આંદોલન દરમિયાન પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, દર વખતે તેણીને મુક્ત કરવામાં આવી હતી અને કેન્દ્રમાં પાછા ફરી અને ખુલ્લેઆમ નેતૃત્વ કર્યું હતું.
મહિલા સશક્તિકરણમાં તેમની ભૂમિકા:
સરોજિની નાયડુના જણાવ્યા અનુસાર, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓના સશક્તિકરણ માટે તેઓ સૌથી આગળ હતા. નારાવાનના અહેવાલ મુજબ, 1917માં, નાયડુએ એની બેસન્ટ સાથે જોડાણ કર્યું, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના સૌથી પ્રખ્યાત નામોમાંના એક હતા અને જેમણે 'વુમેન્સ ઈન્ડિયા એસોસિએશન'ની સ્થાપના કરી હતી-ની સાથે મળીને કામ કર્યું.
આ તે સમય હતો જ્યારે મહિલાઓના મતાધિકારની માન્યતા માટેની તેમની લડાઈ શરૂ થઈ હતી અને તે જ વર્ષે તેણીએ તેના અમલીકરણ માટે તત્કાલિન વિદેશ પ્રધાન એડવિન મોન્ટેગૂ સાથે મુલાકાત કરવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
1918 માં, નાયડુએ બોમ્બેમાં કોંગ્રેસની બેઠક દરમિયાન મહિલાઓના મતાધિકારના મહત્વ વિશે મહત્વની વાત કરી હતી. 1919 માં, તેમણે હોમ-રૂલ લીગ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તેઓ અને બેસન્ટ સાથે હતા. આ ચળવળને બાળ ગંગાધર તિલક જેવા લોકોનું સમર્થન પણ મળ્યું. નારાવાન પોતાના પુસ્તકમાં લખે છે કે નાયડુએ ઈંગ્લેન્ડની મુલાકાત લીધી હતી અને ત્યાં પણ મહિલાઓને મતદાનનો અધિકાર અપાવવાની વાત કરી હતી.
મહિલા શિક્ષણ અને તેમના અધિકારો માટે જાગૃતિ અભિયાન અને ઝુંબેશના ભાગ રૂપે, તેણીએ દેશના તમામ ભાગોમાં વ્યાપક પ્રવાસ કર્યો.
નાયડુ આ દેશ અને આ દેશની મહિલાઓને વસાહતી ભારતની સરહદોની અંદર અને બહાર સ્વતંત્રતા માટે લડવામાં મદદ કરવાના મિશન પર હતા.
- સંજના રે
સૌજન્ય : ધ ક્વિન્ટ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...