Skip to main content

મહિલા દિવસ


વિદ્યાગૌરી નીલકંઠ,શારદાબેન મહેતા, નીરજા ભનોટ, આનંદી જોષી, કમલાબાઈ કામત અને એમના માતાજી દુર્ગાબાઈ, કલ્પના ચાવલા,બેગમ અનીસ કીદવઈ, ફાતિમા શેખ,સાવિત્રીબાઈ ફુલે,માતોશ્રી રમાબાઇ આંબેડકર,સી.બી.મુથમ્મા,હોમાઈ વ્યારાવાળા, કેપ્ટન લક્ષ્મી સેહગલ, સુમતીબેન મોરારજી,સરલા ઠકરાલ,જાનકી અમ્મલ,ખુશ્બુ મીર્ઝા, બેગમ એઝાઝ રસૂલ, બેગમ રુકૈયા સખાવત હુસેન, વિજયાલક્ષ્મી પંડિત, ગૌરા દેવી, કમલજીત સંધુ,રોહિણી બીદરી,કસ્તુરબા, પ્રેમલતા,ઈરોમ શર્મીલા, રાણી લક્ષ્મી બાઈ, મણીબેન પટેલ,સરોજીની નાયડું,મધર ટેરેસા,અન્ના ચંડી,કમલાબેન પટેલ,સરલાબેન,દુર્ગા ભાગવત, વિમળા કોલ,બેગમ હમીદા હબીબુલ્લા,બેગમ ઝફરઅલી,દુર્ગાબાઈ દેશમુખ,મહાદેવી વર્મા,ચંદ્રપ્રભા સૌકીઆની,અનુતાઈ વાઘ,રમાબાઇ રાનડે જેવી નામી - અનામી પ્રેરણાદાયી નારી શક્તિને આજના મહિલા દિવસે સલામ...

ઐતિહાસિક સાક્ષ્યો આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહિલાઓને સન્માન આપવાના સાક્ષી છે,પરંતુ આધુનિકતાની આંધળી દોડનું એક કાળું પક્ષ મનને વિચલિત તેમજ માનવીય સંવેદનાઓને તાર-તાર કરી રહ્યું છે.આજે સફળતાના નીત નવીન કિર્તીમાન બનાવવા છતાં મહિલાઓ પ્રત્યે થનારા અપરાધોમાં નિરાશાજનક રૂપથી વૃદ્ધિ થઈ છે.નારીના માતૃત્વને અભિશાપિત કરતા તેની કૂખમાં જ ખતમ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દહેજ સતામણી,કન્યા ભ્રુણ હત્યા,ઘરેળુ હિંસા, મારપીટ,મહિલા તસ્કરી જેવા અમાનવીય અપરાધો ભારતીય સંસ્કૃતિ પર પ્રશ્ન ચિન્હ લગાવી રહ્યા છે.એ ભારતીય નારીની શક્તિ જ છે કે તે બધી બાધાઓથી લડતી નિરંતર આશાઓના ઉન્મુક્ત આકાશમાં પોતાની પાંખો ફેલાવીને પોતાના અને ઘરવાળાઓના સપનાંને સાકાર કરી રહી છે.
"नारी तुम केवल श्रद्धा हो…… पीयूष स्त्रोत सी बहा करो जीवन के सुंदर समतल मे, ढोल गँवार शुद्र पशु नारी सकल ताडना के अधिकारि", यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:…….. ", माया महा ठगिनि हम जानी", આપણું સંસ્કૃત તેમજ હિન્દી સાહિત્યે સ્ત્રી સંદર્ભમાં ન જાણે કેટલા આવા જ વિરોધાભાસી અમર કૃતિઓથી ભરેલું પડ્યું છે.આપણા વિચારકોએ નારીના અગણ્ય સ્વરૂપોનું વર્ણન કર્યું છે,પરંતુ આ સમસ્ત સ્વરૂપોમાં તેનું સર્વોપરી સ્વરૂપ પરામ્બા જનનીનું છે.જે સમસ્ત સૃષ્ટિને જન્મ આપે છે.નારીને ઈશ્વરે સર્જનનું વરદાન આપ્યું છે જે પોતાની કૂખના માધ્યમથી ભાવિ પેઢીને જન્મ આપી સૃષ્ટિનું સંચાલન કરે છે.જે પ્રકારે ધરતીમાતા પોતાના ભીતર બીજનું અંકુરણ કરે છે, વિધાતાએ નારીજાતિને જન્મ આપવાનું જૈવિક અધિકાર પ્રદાન કરી આ ધરતી ઉપર સ્વયંને માઁ ના સાકાર રૂપમાં સ્થાપિત કરી છે.
નારીની અગર સંક્ષેપમાં પરિભાષિત કરવી હોય તો તેને ડોક્ટર જયશંકર પ્રસાદની અમર ઉક્તિના માધ્યમથી સરળતા તેમજ સહજતાથી પરિભાષિત કરી શકાય છે. તે શ્રદ્ધા છે, સંસ્કાર છે તેમજ શક્તિ છે (Women is devotion, culture & Strength).
સ્ત્રી અને પુરુષ સમાજના બે મજબૂત આધારસ્તંભ, જેમનું અસ્તિત્વ એકબીજાનું પૂરક છે. તે સહભાગી છે, સહચર છે.ઇતિહાસ સાક્ષી છે કે નારીને પ્રાચીન કાળથી લઈને આજ સુધી ડગલે ને પગલે માં,બહેન,પુત્રી,પત્ની તેમજ સખીના રુપમાં સમાજને આગળ વધારતા રહેવામાં સકારાત્મક ભૂમિકા નિભાવી છે.મહિલાઓ શિક્ષણ,સ્વાસ્થ્ય,સાહિત્ય,ચિકિત્સા,રાજનીતિ,ખેલકૂદ, વૈજ્ઞાનિક શોધ,અમલદારશાહી તેમજ અન્ય આર્થિક મોરચાઓ પર સફળતાના નિત નવા પ્રતિમાનો બનાવતી જઇ રહી છે.સાગરની અતળ ઊંડાણોથી લઈને પર્વતના ઊંચા શિખરો તેમજ અંતરિક્ષની રહસ્યમયી સ્તરોને ભેદવામાં તેણે પુરુષોની સાથે સંતુલન સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે અને નિરંતર કરી રહી છે.નારીનું વ્યક્તિત્વ આશ્ચર્યજનક રૂપથી વિરોધાભાસી છે. એક બાજુ તે હીરાની જેમ કઠોર છે,જેને કોઈ પણ પરિસ્થિતિમાં નષ્ટ નથી કરી શકાતું,તો બીજી બાજુ તેનું માતૃત્વ તેને માખણની જેમ મુલાયમ બનાવે છે. તે દ્રઢ નિશ્ચયી છે, તેનામાં કંઇક કરી બતાવવાની ચાહત છે.તેનુ સાહસ અનુકરણીય અને ધૈર્ય અતુલનીય છે. આપણો ઈતિહાસ સ્ત્રીઓની વિદ્વત્તા,વીરતા તેમજ પરાક્રમોના ઉદાહરણોથી ભર્યું પડ્યું છે જે પ્રશંસનીય છે.
થોડાક પ્રસંગો છોડી દઈએ,તો આપણી સંસ્કૃતિની પરંપરા સ્ત્રી જાતિને આદર આપે છે,પરંતુ જ્યારે આજની પરિસ્થિતિઓને જોઈએ છીએ તો મન વિચલિત થઈ ઊઠે છે.આજે સ્ત્રીઓ જ્યાં વિભિન્ન ક્ષેત્રોમાં પુરુષોથી ખભેથી ખભો મિલાવી આગળ વધી રહી છે,ત્યાં જ મહિલાઓ પ્રત્યે અપરાધોમાં અપ્રત્યક્ષ રૂપથી વૃદ્ધિ થઈ રહી છે.નારીને કોખમાં જ મારી નાંખવાનું ષડયંત્ર રચવામાં આવે છે. દહેજ સતામણી, કન્યા ભૃણ હત્યા,ઘરાઉ હિંસા,યૌન શોષણ,મહિલા તસ્કરી જેવા અપરાધોથી સભ્ય સમાજ છલકાઈ રહ્યું છે. સ્ત્રીઓના પ્રત્યે થવાવાળા અપરાધો પર નિયંત્રણ પ્રત્યે એડ્મિનિસ્ટ્રેટીવ સ્તરે તેમજ સામાજિક સંગઠનો દ્વારા નિરંતર પ્રયાસ ચાલુ છે.
આપણી સરકારો માને છે કે સુરક્ષા,સમૃદ્ધિ તેમજ ખુશહાલી હર મહિલાનો અધિકાર છે.સરકાર તેમની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓની સમાજમાં પ્રતિષ્ઠા વધારવા, આર્થિક રૂપથી તેમને મજબૂત કરવા તેમજ તેમના પ્રત્યે થઈ રહેલી હિંસા અને અત્યાચારો પર રોકથામ હેતુ પૂર્ણત: કટિબદ્ધ છે,પરંતુ એ વિચારણીય છે તેમજ દુઃખદ છે કે એના પછી પણ સ્ત્રી જાતિ પ્રત્યે થનારા અપરાધોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે.તેને કાર્ય સ્થળો, તેમજ ખેતરોમાં, જાહેર ચોરે ચપાટે લજ્જિત કરવામાં આવે છે.પુરુષનો તે કયો એવો બર્બર અને અમાનુષી ચહેરો છે, જેનાથી નાની-નાની બાલિકાઓનું યૌન શોષણ કરે છે.આ તો આપણી સંસ્કૃતિ ન હતી.નારીના પ્રત્યે થનારા આ જઘન્ય અપરાધ ન કેવળ તેની ગરિમાને નષ્ટ કરે છે પરંતુ એના સ્ત્રીત્વને જ સંકટમાં નાખી રહ્યા છે. જન્મ આપવાનો પ્રકૃતિ પ્રદત્ત વરદાન તેના માટે અભિશાપ બનતું જઈ રહ્યું છે.આજે નારીઓની સુરક્ષાની સાથે સાથે તેમની ગરિમાને પણ બનાવી રાખવું આવશ્યક છે. તેના માટે ઇતિહાસ,સમાજ,રાજનીતિ,અર્થ,શિક્ષણ, રોજગાર જેવા વિભિન્ન વિષય ઉપર ઊંડા મનોમંથનની આવશ્યકતા છે.અહીં આપણે મહિલાઓથી પણ આહવાન કરીએ છીએ કે તે સમાજમાં વિચરણ કરી રહ્યા આવા થોડાક નરભક્ષી ચહેરાઓથી મુકાબલા મુકાબલો કરવા માટે તેમની અંદરની શક્તિને ઓળખે.
આજના વર્તમાન સમયમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના સંબંધોની જે હાલત છે એ દેશમાં સૌથી મોટી સમસ્યા છે.આજે દેશની હરેક મહિલાના આગળ શરમથી માથું ઝૂકી જાય છે કે આ લોકો જે બહાદુરીથી આ સમાજમાં રહે છે દુખદ છે.આપણા અપરાધી પ્રકારની સમાજ વ્યવસ્થામાં રહે છે તે ખરેખર કલ્પના બહારની વાત છે કે જ્યાં ચારેબાજુ માતા,બહેનો અને દિકરીઓ પર માત્ર હુમલા જ થતા હોય ત્યાં સહજ રીતે રહે પણ છે હસે પણ છે અને બોલે પણ છે અને વાત પણ કરે છે.એનાથી વિશેષ દુનિયા નો આઠમો અજુબો શું હોઈ શકે આ કેવી રીતે સંભવ હોઈ શકે !!!?? મહિલાઓ ચોવીસ કલાક આવા ભય,ત્રાસ અને અત્યાચારના વાતાવરણમાં રહે છે અને ખુશીથી જીવે પણ છે,તો ખરો નોબલ પુરસ્કાર તો તમને મળવો જોઈએ.આવા વાતાવરણમાં જો બદલાવ લાવવા માંગતા હોવ તો દરેક માતા,બહેન,દીકરીએ બહાર નીકળવું પડશે.પુરુષો દ્વારા થતા હરેક કાર્યક્રમો, આયોજનો,કેમ્પેન પણ તમે ખુદ ચલાવવા પડશે.પુરુષો દ્વારા થતા તમામ કામકાજ કે પ્રવૃત્તિઓ તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી સમાનતા કે સમકક્ષની વાત જ અશક્ય છે.હંમેશા બીજા ક્રમે જ રહેશે.આ પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થામાં પોતાની રીતે દરેક મહિલા જાતે ખુબ વિચારે અને આગળ વધે. એક છોકરીને અપમાનિત કરવા,એનો મિસયુઝ કરવા છોકરો કેટલી હદે નીચે ઊતરી જાય છે એ દરેક પુરુષે પણ વિચારવું રહ્યું,તે એમ માનીને ચાલતો હોય છે કે છોકરીને નીચે દેખાડશે પણ ક્યારેય એને એ નહીં વિચાર્યું હોય કે તે ખુદ કેટલો નીચે ઉતરી ગયો છે. આ બધા પ્રશ્નોને લઈને મહિલાઓ ખુદ બહાર નીકળે કેમ્પેન અને કાર્યક્રમો થકી પુરુષોને આ બાબતોને લઈને પ્રશ્નો પૂછે આવા સંબંધો કેળવવાથી જ સાચા સમાજની વ્યવસ્થા સર્જાશે.શાળા-કોલેજો સંસ્થાઓ સમાજોમાં જઈ એમને પૂછવામાં આવે કે આ જઘન્ય અપરાધી માનસિકતા બાબતે તમે શું કહેવા માગો છો? આ બધુ માતાઓ,દિકરીઓ અને બહેનોએ જ કરવું પડશે તો જ સામાજિક સમસ્યાઓનું નિર્મૂલન શક્ય બનશે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...