Skip to main content

રાજકારણ એક વિચિત્ર રમત છે

રાજકારણ એક વિચિત્ર રમત છે. તેના ખેલાડીઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા હોય છે. આ રમતો આપણને માત્ર સંબંધિત ખેલાડીની રાજકીય વિચારધારા જ જણાવતા નથી, તે આપણને આ રમતમાં ઘટનાઓને કેવી રીતે ટ્વિસ્ટ કરવામાં આવે છે અને તે જ ઘટનાના કેવી રીતે વિરોધાભાસી અર્થઘટન કરવામાં આવે છે તેની સમજ પણ આપે છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન, અનેક નિવેદનો આપણી સમક્ષ જ છે જે કાં તો હકીકતમાં ખોટા અથવા ઘટનાઓ સાંપ્રદાયિક અર્થઘટન પર આધારિત હોય છે.એ સત્ય પણ છે કે સાંપ્રદાયિકતા હંમેશા ભારતીય ઉપમહાદ્વીપમાં અભિશાપ રહી છે અને તેનું સૌથી દુ:ખદ પરિણામ ભારતનું વિભાજન હતું, જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને તેમના ઘરબાર, ધંધા-રોજગાર ગુમાવ્યા હતા.

કોમવાદના કારણે શહેરોની અંદર પણ સ્થળાંતરનું વલણ વધ્યું છે. મુંબઈમાં 1992-93ના રમખાણો અને ગુજરાતમાં 2002 પછી, હજારો લોકોએ તેમના ઘર છોડીને એવા વિસ્તારોમાં સ્થાયી થવાનું નક્કી કર્યું જ્યાં તેમના સમુદાયના સભ્યો બહુમતીમાં હોય. જેના કારણે અનેક શહેરોમાં એક જ સમુદાયના લોકોની વસાહતો ઊભી થઈ હતી.
કાશ્મીરી પંડિતોની હિજરતના મૂળમાં ભાગલા પછી સ્વતંત્ર રહેવાનો કાશ્મીરના મહારાજા હરિસિંહનો નિર્ણય રહ્યો છે. ત્યારબાદ, પાકિસ્તાની આદિવાસીઓએ કાશ્મીર પર આક્રમણ કર્યું, શેખ અબ્દુલ્લાએ પાકિસ્તાનને બદલે ભારતમાં વિલીનીકરણનો આગ્રહ કર્યો અને કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા.
શેખ અબ્દુલ્લાએ મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાન કરતાં હિન્દુ બહુમતી ધરાવતું ભારત પસંદ કર્યું કારણ કે તેઓ દ્રઢપણે માનતા હતા કે ગાંધી અને નેહરુના નેતૃત્વમાં ભારતમાં બિનસાંપ્રદાયિકતા ટકી રહેશે અને વિકાસ પામશે.
શરૂઆતના સમયગાળામાં કાશ્મીરીઓનો ઉગ્રવાદ કાશ્મીરિયતના ખ્યાલ પર આધારિત હતો. કાશ્મીરિયત એ બૌદ્ધ ધર્મ, વેદાંત અને સૂફી પરંપરાઓનું સંયોજન છે. 1985માં મકબૂલ ભટ્ટની ફાંસી અને કાશ્મીર ખીણમાં અલ કાયદાના લડવૈયાઓની ઘૂસણખોરી પછી આ ઉગ્રવાદનું સ્વરૂપ બદલાઈ ગયું. તે સાંપ્રદાયિક પાત્ર ધારણ કરે છે. પરિણામે, હિન્દુ પંડિતો ઉગ્રવાદીઓના હુમલા હેઠળ આવ્યા.
1990 પહેલા પણ પંડિતોએ ખીણમાંથી હિજરત કરી હતી. આ સ્થળાંતર વિભાજનના રમખાણો અને શેખ અબ્દુલ્લા દ્વારા લાગુ કરવામાં આવેલા જમીન સુધારાને કારણે થયું હતું.
15મી સદીથી હિંદુઓ 'પંડિત' તરીકે ઓળખાવા લાગ્યા. આ ત્યારે થયું જ્યારે અકબરે કાશ્મીર જીતી લીધું અને હિંદુઓને વહીવટી પદો પર નિયુક્ત કર્યા. અકબર તેમની વિદ્વતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને 'પંડિત' ની ઉપાધિ આપી.
કાશ્મીરમાં ઉગ્રવાદના સાંપ્રદાયિકકરણે પંડિતોને ખીણમાંથી સ્થળાંતર કરવાની ફરજ પાડી. કાશ્મીરી ઉગ્રવાદીઓ કાશ્મીરિયતને બદલે કટ્ટરવાદના હિમાયતી બન્યા.
રાજકારણી લોકો કહે છે કે ઉગ્રવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોને વ્યવસ્થિત રીતે ખીણમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જ્યારે સત્ય એ છે કે ખીણમાં રહેતા મોટાભાગના મુસ્લિમો કાશ્મીરી પંડિતો પર કરાતા કોઈપણ રીતના અત્યાચારનો સખત વિરોધ કરતા હતા અને વર્તમાનમાં પણ કરે છે.
કાશ્મીરી આતંકવાદીઓએ માત્ર હિંદુઓને જ નિશાન બનાવ્યા એવું નથી પરંતુ મુસ્લિમોને પણ બક્ષ્યા નહીં. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ઘાયલ અને માર્યા ગયેલા લોકોના સંદર્ભમાંના આંકડા આ હકીકતની સાક્ષી આપે છે.
કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં રહેતા હજારો મુસ્લિમોને પણ રોજગારની શોધમાં પડોશી હિમાચલ પ્રદેશમાં સ્થળાંતર કરવું પડ્યું હતું, કારણ કે આતંકવાદના કારણે કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
આજે પણ કાશ્મીરના 40,000 મુસ્લિમો દિલ્હીમાં શરણાર્થી શિબિરોમાં રહે છે. તેઓ આસપાસના રાજ્યોમાં કુલી વગેરે તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (ફેબ્રુઆરી 05, 1992) માં એક અહેવાલ જણાવે છે કે સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરી 1990 થી ઓક્ટોબર 1992 વચ્ચે આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં કુલ 1585 લોકોની હત્યા કરી હતી. જેમાં 982 મુસ્લિમ, 218 હિંદુ, 23 શીખ અને 363 સુરક્ષા દળોના જવાનો હતા.
ખીણમાંથી પંડિતોની સામૂહિક હિજરત એ કાશ્મીરની સર્વધર્મસમભાવની લાંબી પરંપરાને મોટો ફટકો હતો. પરંતુ આપણે યાદ રાખવું પડશે કે ઉગ્રવાદીઓએ માત્ર હિન્દુઓને જ નહીં, તમામ સમુદાયના લોકોને નુકસાન પહોંચાડ્યું છે. પંડિતો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓએ 1986માં જ ખીણમાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ બહુલવાદી સંસ્કૃતિમાં માનતા જાણીતા કાશ્મીરીઓ દ્વારા આયોજિત "સદભાવના મિશન"ની અપીલ પર આ નિર્ણય ટાળવામાં આવ્યો હતો. 1990 સુધીમાં કાશ્મીરમાં આતંકવાદ વધુ વધી ગયો હતો. તે સમયે જગમોહન, જે બાદમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં મંત્રી બન્યા હતા, તે કાશ્મીરના રાજ્યપાલ હતા.
બલરાજ પુરીએ તેમના પુસ્તક કાશ્મીર (ઓરિએન્ટ બ્લેકસ્વાન, 1993) માં લખે છે કે જગમોહને સદભાવના મિશનના એક પંડિત સભ્યને જમ્મુમાં સ્થાયી થવા દબાણ કર્યું. જગમોહનનો હેતુ સદભાવના મિશનને વિખેરી નાખવાનો હતો અને તેમાં તેઓ સફળ રહ્યા હતા.
બલરાજ પુરીએ માર્ચ 1990માં કહ્યું હતું કે,
“મેં જોયું કે કાશ્મીરના સામાન્ય મુસ્લિમોને પંડિતો સામે કોઈ દુશ્મની કે ફરિયાદ નથી. તેઓ માત્ર કાશ્મીરમાં સૈન્ય અને અન્ય સુરક્ષા દળો દ્વારા માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની નિષ્પક્ષ તપાસ ઇચ્છતા હતા."
તે જ સમયે, હિન્દુ સાંપ્રદાયિક તત્વો પંડિતોને ડરાવવામાં વ્યસ્ત હતા.



“જમ્મુ અને દિલ્હીમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે કાશ્મીરમાં મોટી સંખ્યામાં હિંદુ મંદિરો અને પવિત્ર સ્થળોને અપવિત્ર અથવા નાશ કરવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે ખોટું છે. તે આશ્ચર્યજનક છે કે શા માટે સરકારે એવું ન વિચાર્યું કે તેણે દૂરદર્શનને કાશ્મીરના મંદિરો પર ફિલ્મ બનાવવા અને તેનું પ્રસારણ કરવાનું કહેવું જોઈએ જેથી લોકો સત્ય જાણી શકે” (પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા, 1991).
એકંદરે, ખીણમાંથી પંડિતોનું પલાયન, કાશ્મીરીઓના વિમુખ થવાથી ઉગ્રવાદ, 1990 ના દાયકાના અંતમાં આ ઉગ્રવાદનું સાંપ્રદાયિકકરણ, હિંદુ સાંપ્રદાયિક સંગઠનો દ્વારા પંડિતોના મનમાં ડર અને રાજ્યપાલ જગમોહનનું દબાણ એ કમનસીબ પરિણામ હતું. અબ્દુલ્લાની આમાં કોઈ ભૂમિકા નહોતી.
કાશ્મીરના પ્રસિદ્ધ કવિ કલ્હાન તેમના પુસ્તક 'રાજતરંગિણી'માં લખે છે કે કાશ્મીરને બળથી નહીં પરંતુ માત્ર પુણ્યથી જીતી શકાય છે.'
કાશ્મીરને લઈને નીતિઓ બનાવનાર સરકારમાં બેઠેલા લોકોને આપણે કાશ્મીરના આ પ્રાચીન કવિના પાઠ યાદ કરાવવા જોઈએ. કોઈ એક રાજકીય પક્ષ કે નેતા પર આરોપ લગાવવાથી કંઈ જ નહીં મળે. જ્યારે આપણે આ ભયાનક દુર્ઘટના વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વૈશ્વિક આતંકવાદ, વિશ્વના તેલ સંસાધનોને કબજે કરવાની અમેરિકાની ઇચ્છા વગેરેનો પણ ફાળો છે.
- રામ પુનિયાની
(મૂળ અંગ્રેજીથી ગુજરાતી સંસ્કરણ હિદાયત પરમાર)
(લેખક IIT મુંબઈમાં ભણાવતા હતા અને 2007ના નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડી છે.)
(નોંધ – "કાશ્મીરી પંડિતોની દુર્દશાનું રાજનીતિકરણ" પર ડૉ. રામ પુનિયાનીનો આ લેખ મૂળરૂપે 10 ​​મે 2016ના રોજ પ્રકાશિત થયો હતો. )

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...