Skip to main content

ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદને યાદ કરતાં


“ખુલ્લી છત પર સાદડી પર શરીર ઊંચકીને એકલો બેઠેલો એક માણસ અમારી રાહ જોઈ રહ્યો હતો. શ્યામ રંગ, કડક શરીર, સરેરાશ ઊંચાઈ કરતાં કંઈક અંશે ટૂંકું; નાની, તીક્ષ્ણ, કાંટાદાર આંખો; ચહેરા પર શીતળાની ફોલ્લીઓ. તે કાકોરી કેસનો ફરાર આરોપી ચંદ્રશેખર આઝાદ હતો." ક્રાંતિકારી શિવ વર્મા આ શબ્દોમાં આઝાદ સાથેની તેમની પ્રથમ મુલાકાતનું વર્ણન કરે છે. આ બેઠક રાધા મોહન ગોકુળના ઘરે થઈ હતી. આ એ જ આઝાદ હતા, જેનું નામ બ્રિટિશ સરકાર અને ઈન્ટેલિજન્સ પોલીસ માટે માથાનો દુખાવો હતું. કારણ કે આખરે આઝાદ પોતાની વાત પર મક્કમ રહ્યા કે "હું જીવતો છું ત્યાં સુધી મારા શરીરને કોઈ સ્પર્શ કરી શકશે નહીં."
પણ આઝાદ માત્ર રિવોલ્વર લઈને ચાલનારા,કસરતી બદન અને ગોળમટોળ ધારદાર મૂછો ધરાવતો ક્રાંતિકારી માત્ર ન હોતા. સ્વયં શિવ વર્માના શબ્દોમાં કહીએ તો, આઝાદ એક નમ્ર, વિનોદી, મિલનસાર માણસ હતા, પણ જ્યારે તક મળે ત્યારે તે ખૂબ જ મક્કમ અને અટલ પણ. આઝાદને વાંચન-લેખનની બાબતમાં મર્યાદાઓ જરૂર હતી, પરંતુ તેઓ હંમેશા ભગતસિંહ, સુખદેવ જેવા ક્રાંતિકારી સાથીઓ પાસેથી કંઈક નવું જાણવા અને શીખવા માટે ઉત્સુક રહેતા.
આઝાદને સમાજવાદમાં ઊંડો રસ હતો, તેથી તે તેમના સાથીદારો સાથે તેને લગતું સાહિત્ય વાંચતા અને પ્રશ્નો પૂછતા. સમાજવાદ સાથે સંકળાયેલી વિભાવનાઓ, જેમ કે શોષણનો અંત, સમતાવાદી અને વર્ગવિહીન સમાજે આઝાદને ઊંડે સુધી પ્રભાવિત કર્યું.




અને તે કારણ વગર શિવ વર્માએ નથી લખ્યું કે "આઝાદ પૂજાની નિર્જીવ મૂર્તિ નથી; તેના બદલે, તે નિશ્ચિત માર્ગ પર મજબૂત પગલાઓ સાથે ચાલતો પથિક છે. એક સૈનિક છે જે મૃત્યુને પોતાની સામે ઊભું જોઈને પણ હસી શકે છે. તેને પડકારી શકે છે, અને સૌથી મોટી વાત, તે એક એવો માણસ છે કે જેનામાં ખાનદાનીનો ઘમંડ મોટો થયો તો પણ રતીભાર સ્પર્શ નથી કરી શક્યો."
શિવ વર્મા સાથેની તે વાતચીતમાં, આઝાદે ઉત્તર ભારતમાં ક્રાંતિકારી ચળવળના પુનઃનિર્માણ માટે જૂના સ્ત્રોતો અને સંપર્કો શોધવા, શસ્ત્રો, સંગઠન અને બંગાળ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો હતો. કહેવાની જરૂર નથી કે આઝાદ એક મહાન સંગઠનકર્તા પણ હતા.
ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોના જીવન સાથે ગાઢ સંપર્ક ધરાવતા આઝાદ જ્યારે પણ તેમના વિશે વાત કરતા ત્યારે તેમના અનુભવોથી તે વાત સમૃદ્ધ થતી હતી. કારણ કે અલીરાજપુર રજવાડાના ભાવરા ગામમાં વિતાવેલ બાળપણના દિવસો દરમિયાન આઝાદ આદિવાસીઓની સાથે રહેતા હતા. પંદર વર્ષની નાની ઉંમરે તેઓ ઘર છોડીને બોમ્બે ગયા. જ્યાં તેમણે જહાજના કલરકામ કરતાઓ સાથે થોડા દિવસ રંગકામ કર્યું. અહીં પહેલીવાર કામદારોના રોજિંદા જીવનમાંથી અને તેમની વેદનાઓ સાથેનો અનુભવ આઝાદને થયો હતો.

બાદમાં, તેઓ બનારસ આવ્યા અને શિવવિનાયક મિશ્રાની મદદથી એક સંસ્કૃત શાળામાં પ્રવેશ લીધો. અસહકાર ચળવળ દરમિયાન ધરણામાં ભાગ લેવા બદલ સજા તરીકે ચાબુકની માર ખાવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં પોતાનું નામ મુક્ત જાહેર કરનાર આ ક્રાંતિકારીના જીવનમાં હજુ ઘણી તકો આવવાની બાકી હતી.
1922 માં, આઝાદ કાશી વિદ્યાપીઠમાં દાખલ થયા અને અહીં જ તેઓ મન્મથનાથ ગુપ્તા અને પ્રણવેશ ચેટરજીને મળ્યા અને ક્રાંતિકારી ચળવળમાં જોડાઈ ગયા. હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી વિશે, આઝાદે એકવાર તેમના ક્રાંતિકારી સાથીઓને કહ્યું હતું કે "અમારું દળ આદર્શ ક્રાંતિકારીઓનું દળ છે, દેશભક્તોનું દળ છે, હત્યારાઓનું નહીં."
અને જેમ કે શિવ વર્મા પણ લખે છે, “એ સાચું છે કે અમે લોકો સશસ્ત્ર ક્રાંતિના માર્ગ પર હતા. પરંતુ એ ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજાત માટે સુખ અને શાંતિનું વાતાવરણ ઊભું કરવાનો હતો. અમે માનવ જીવનથી ઊંડે સુધી મોહિત હતા. અમે લોકોના નહીં પણ વ્યવસ્થાના વિરોધમાં હતા. વ્યક્તિઓ સાથે અમારો મુકાબલો એ હદ સુધી હતો કે તેઓ અસમાનતા પર આધારિત તે સમયની સામાજિક-રાજકીય વ્યવસ્થાના પ્રતિનિધિ બનીને આવતા હતા."
આઝાદને હંમેશા HSRA ના તમામ સભ્યો અને તેમના પરિવારો માટે હંમેશા ઊંડી ચિંતા રેહતી. ક્રાંતિકારી ભગવાનદાસ માહૌર અને સદાશિવરાવ મલકાપુરકર, જેમને તેઓ 'ભગવાન' અને 'સદ્દુ' કહેતા હતા, તેઓ તેમના નજીકના સાથી હતા. બહુ ઓછા લોકો જાણે છે કે આ મહાન ક્રાંતિકારી સંગીત પ્રેમી પણ હતા. શિવ વર્માના જણાવ્યા અનુસાર, આઝાદે ઘણીવાર ભગવાનદાસ માહૌર અને વિજય કુમાર સિન્હાને ગીત સંભળાવવા માટે વિનંતી કરતા.
ક્રાંતિકારી આઝાદ વિશે વધુ જાણવા માટે વાંચો: ક્રાંતિકારી શિવ વર્માનું પુસ્તક “संस्मृतियाँ” (NBT), માલવિંદર જીત સિંહ વઢૈચનું “ચંદ્રશેખર આઝાદ વિવેકશીલ ક્રાંતિકારી” (રાજકમલ પબ્લિકેશન્સ); વિશ્વનાથ વૈશમ્પાયન દ્વારા લિખિત પુસ્તક "અમર શહીદ ચંદ્રશેખર આઝાદ"
- શુભનીત કૌશિક
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...