Skip to main content

ભગત સિંહના સાંપ્રદાયિકતા પરના વિચાર



ભગત સિંહના સાંપ્રદાયિકતા પરના વિચારની જાણકારી ઘણા ઓછા લોકોને હશે કે તેઓ સાંપ્રદાયિકતાને એટલી જ ખરાબ માનતા હતા,જેટલું સામ્રાજ્યવાદને.તેમણે પોતે કહ્યું છે કે "સાંપ્રદાયિકતા સમાજની એટલી જ દુશ્મન છે, જેટલું સામ્રાજ્યવાદ."

ભગતસિંહ માનતા હતા કે ધર્મ એક વ્યક્તિગત વસ્તુ છે, અતિશય વ્યક્તિગત ; તેને કોઈ પણ હાલમાં સાર્વજનિક કરવી જોઈએ નહીં.
ભગતસિંહ વગેરેએ જે 'નૌજવાન ભારત સભા' ની રચના કરી,તેમાં પણ એક નિયમ પસાર કરવામાં આવ્યો હતો કે આનો કોઈ પણ સભ્ય કોઇ પણ સ્વરૂપે કોઈ પણ સાંપ્રદાયિક જૂથથી કોઈપણ રીતે સંબંધ નહીં રાખે, કેમ કે એ વખતે નવજુવાન ધાર્મિક-સાંપ્રદાયિક નેતાઓથી,જે દેશની આઝાદીના દુશ્મન અંગ્રેજોના હાથોમાં રમી રહ્યા હતા,ખૂબ ચિડાયેલા હતા. ક્રાંતિકારીઓના વિચારો હતા કે સાંપ્રદાયિક નેતા જ સાંપ્રદાયિક દંગા કરાવે છે, અને આપણી આઝાદીની લહેરના વિકાસના રસ્તામાં બાધાઓ નાખે છે તથા કઠણાઈઓ પેદા કરે છે.
નૌજવાન ભારત સભામાં સર્વ સંમતિથી આ પ્રસ્તાવ ભગતસિંહની આગેવાનીમાં પાસ થયો કે કોઈ પણ ધાર્મિક સંગઠનથી જોડાયેલા નવજુવાનને આમાં લઈ શકાતો નથી,કેમ કે ધર્મ વ્યક્તિનો અંગત મામલો છે, અને સાંપ્રદાયિકતા આપણી દુશ્મન છે અને તેનો હર હાલમાં વિરોધ થવો જોઈએ.
૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સાંપ્રદાયિક દંગાઓનો બ્રિટિશ સરકારે ખૂબ પ્રચાર પ્રસાર શરૂ કર્યો. તેની અસર હેઠળ ૧૯૨૪માં કોહાટમાં ખૂબ જ અમાનવીય ઢંગથી હિન્દુ-મુસ્લિમ દંગા થયા. તેના પછી રાષ્ટ્રીય રાજનીતિક ચેતનામાં સાંપ્રદાયિક દંગા પર લાંબી ચર્ચાઓ ચાલી. તેને સમાપ્ત કરવાની જરૂર તો સૌએ મહેસૂસ કરી,કોંગ્રેસી નેતાઓએ તો હિન્દુ-મુસ્લિમ નેતાઓમાં સમાધાન પત્રો લખાવીને દંગાઓ રોકવા માટે પ્રયત્નો પણ કર્યા.
આવા અવસર પર ભગતસિંહે પોતાના વિચારો મૂક્યા - ભારતવર્ષની દશા આ વખતે ખૂબ જ દયનીય છે.એક ધર્મનો અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે.હવે તો એક ધર્મનું હોવું જ બીજા ધર્મનું કટ્ટર દુશ્મન હોવું છે.જો આ વાત નો હાલ ભરોસો ન હોય તો, લાહોરના તાજા દંગા જ જોઈ લો.કેવી રીતે મુસલમાનોએ નિર્દોષ શીખો-હિન્દુઓને માર્યા છે અને કેવા પ્રકારે શીખો-હિંદુઓએ પણ કોઈ કસર છોડી નથી. આ માર-કાટ એ માટે નથી કરવામાં આવી કે ફલાણો આદમી દોષી છે,પરંતુ એ માટે કે ફલાણો આદમી હિન્દુ છે યા શીખ યા મુસલમાન છે.બસ, કોઈ પણ વ્યક્તિનું શીખ યા હિન્દુ હોવું મુસલમાનો દ્વારા મારવા માટે કાફી હતું અને એ જ રીતે કોઈ વ્યક્તિનું મુસલમાન હોવું જ શીખ-હિન્દુ માટે જાન લેવા માટે પર્યાપ્ત તર્ક હતું.જ્યારે સ્થિતિ આવી થાય તો હિન્દુસ્તાનનો ઉપરવાળો જ માલિક છે.
આવી સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય નજર આવે છે.આ 'ધર્મો' એ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે.અને હજી ખબર નથી કે આ ધાર્મિક દંગાઓ ભારતવર્ષનો પીછો ક્યારે છોડશે?.આ દંગાઓએ સંસારની નજરોમાં ભારતને બદનામ કરી દીધું છે.અને આપણે જોયું છે કે આ અંધવિશ્વાસના વહેણમાં બધા જ વહી જાય છે.કોઈ બિરલા જે હિંદુ,મુસલમાન યા શીખ હોય છે,જે પોતાનું દિમાગ ઠંડું રાખે છે,બાકી ડંડા - લાકડીઓ,તલવાર-છુરા હાથમાં પકડી લે છે અને અંદરો-અંદર માથા ફોડી-ફોડી મરી જાય છે.બાકી બચેલા થોડા તો ફાંસી પર ચડી જાય છે અને થોડાક જેલોમાં ફેંકી દેવામાં આવે છે.આટલું રક્તપાત થવા પર 'ધર્મજનો' પર અંગ્રેજી સરકાર દ્વારા ડંડાઓ વરસે છે અને પછી તેમના દિમાગનો કીડો ઠેકાણે આવી જાય છે.
"જ્યાં સુધી જોવામાં આવ્યું છે,આ દંગાઓ પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ છે.આ સમયે હિન્દુસ્તાનના સાંપ્રદાયિક નેતાઓએ એવું નેતૃત્વ કર્યું છે કે ચુપકીદી ભલી.એ જ નેતાઓ જેમણે ભારતને સ્વતંત્ર કરાવવાનો બીડું પોતાના માથા પર ઉપાડેલ હતું અને જે 'સ્વરાજ-સ્વરાજ' ની બડાઈ મારતા થાકતા ન હતા,તે જ પોતાના માથા યા તો સંતાડેલા ચૂપચાપ બેઠા છે અથવા આ જ ધર્માંધતાના વહેણમાં વહી જઈ રહ્યા છે. માથા સંતાડીને બેસનારાઓની સંખ્યા પણ શું ઓછી છે? પરંતુ આવા નેતાઓ જે સાંપ્રદાયિક આંદોલનમાં જઈને ભળી ચૂક્યા છે, આમ તો જમીન ખોદવાથી સેંકડો મળી આવે છે.જે નેતાઓ હૃદયથી સૌનું ભલું ઈચ્છે છે,એવા ખૂબ જ ઓછા છે અને સાંપ્રદાયિકતાની એવો પ્રબળ પૂર આવેલો છે કે તેઓ પણ તેને રોકી શકતા નથી.એવું લાગે છે કે ભારતમાં નેતૃત્વનું દેવાળું ફુંકાઈ ગયું છે.
"બીજા સજ્જન જે સાંપ્રદાયિક દંગાને ભડકાવવામાં વિશેષ ભાગ લેતા રહે છે,તે અખબારવાળાઓ છે."
"પત્રકારિતાનો વ્યવસાય જે એક વખતે ખૂબ જ ઊંચો સમજવામાં આવતો હતો,આજે ખૂબ જ ગંદુ થઈ ગયું છે.આ લોકો એક-બીજાની વિરુદ્ધ મોટા-મોટા શીર્ષકો આપી લોકોની ભાવનાઓ ભડકાવે છે અને પરસ્પર ભોડા-ભીટકાવે છે.એક-બે જગ્યાએ જ નહીં, કેટલીયે જગ્યાઓ પર એટલે જ દંગાઓ થાય છે કે સ્થાનિક અખબારોએ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ લેખો લખ્યા છે.એવા લેખક, જેમનું દિલોદિમાગ આવા દિવસોમાં પણ શાંત રહ્યું હોય,ખૂબ જ ઓછા છે.
"અખબારોનું કર્તવ્ય શિક્ષણ આપવું,લોકોમાંથી સંકીર્ણતા નીકાળવી,સાંપ્રદાયિક ભાવનાઓ દૂર કરવી, પરસ્પર મેળ-મિલાપ વધારવું અને ભારતની સામાન્ય રાષ્ટ્રીયતા બનાવવી હતી,પરંતુ એમણે તેમનું મુખ્ય કર્તવ્ય અજ્ઞાનતા ફેલાવવી, સંકીર્ણતાનો પ્રચાર કરવો,સાંપ્રદાયિક બનાવવું, લડાઈ-ઝઘડા કરાવવા અને ભારતની રાષ્ટ્રીયતાને નષ્ટ કરવા બનાવી લીધું છે.આ જ કારણ છે કે ભારતવર્ષની વર્તમાન દશા પર વિચાર કરી આંખોથી લોહીના આંસુ વહેવા લાગે છે, અને દિલમાં સવાલ ઉઠે છે કે 'ભારતનું શું થશે? '
"આ ખુશીના સમાચાર અમારા કાને પડ્યા છે કે ભારતના નવયુવકો હવે એવા ધર્મોથી,જે પરસ્પર લડાવવા તેમજ ધૃણા કરવાનું શીખવે છે,તંગ આવી હાથ ધોઈ રહ્યા છે,ઔર એમનામાં એટલું ખુલ્લાપણું આવી ગયું છે કે તે ભારતના લોકોને ધર્મના નજરથી,હિન્દુ-મુસલમાન યા શીખના સ્વરૂપે નહીં, પરંતુ બધાને પહેલા માણસ સમજે છે, પછી ભારતવાસી.ભારતના યુવકોમાં આ વિચારોના પેદા થવાથી માલુમ થાય છે કે ભારતનું ભવિષ્ય સોનેરી છે અને ભારતવાસીઓને આ દંગા વગેરેને જોઈને ગભરાવવું જોઈએ નહીં, બલ્કે તૈયાર થઈને યત્ન કરવો જોઈએ કે આવું વાતાવરણ બને, જેથી દંગાઓ જ ન થાય.
- સુજાતા ( ગાંધી ઔર ભગતસિંહ પુસ્તકમાંથી)

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ...