Skip to main content

મુહમ્મદ આસફ અલી (1888-1953)


આસફ અલી સ્વતંત્રતા સંગ્રામના નેતાઓમાંના એક હતા. ગાંધીજી સાથે ખૂબ જ નજીકના સંબંધ હતા, તેમના કહેવા પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા.
બેરિસ્ટર આસફ અલી સરદાર ભગત સિંહના કેસ સહિત અનેક સ્વતંત્રતા સેનાનીઓના કેસ લડ્યા હતા.
સરદાર ભગતસિંહ અને આઝાદ હિંદ ફૌજ (ભારતીય રાષ્ટ્રીય સૈન્ય) ના લડવૈયાઓને બચાવવા કાનૂની લડાઇ લડનાર મુહમ્મદ આસફ અલીનો જન્મ 11 મે, 1888 ના રોજ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નગીના ગામે થયો હતો. તેમણે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ભારત પરત આવ્યા પછી દિલ્હીમાં કાયદાની પ્રેક્ટીસની શરૂઆત કરી હતી. તેમના રાજકીય જીવનની શરૂઆત એની બેસન્ટની આગેવાની હેઠળના હોમ રુલ ચળવળમાં ભાગ લેવાથી થઈ. તેમણે અરુણા ગાંગુલી સાથે લગ્ન કર્યા. જે પાછળથી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અરુણા આસફ અલી તરીકે પ્રખ્યાત થયા.
જ્યારે બ્રિટિશ સરકારે તેમના ભાષણો અને લખાણો પર પ્રતિબંધ લાદ્યો ત્યારે તેમણે સરકાર સામે કાનૂની લડત લડી, જેનાથી તેમનું નામ અને ખ્યાતિ થઇ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપાયેલા કોલને પ્રતિક્રિયા આપીને, તેઓ તેમાં જોડાયા અને પોતાની કાયદાકીય પ્રેક્ટીસ છોડી સ્વતંત્રતા ચળવળમાં સંપૂર્ણ સમય કાર્યકર તરીકે પોતાને સમર્પિત કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના પ્રચારમાં ભાગ લેવા બદલ તેમને 18 મહિનાની કેદ કરવામાં આવી હતી. પાછળથી, તેમણે 1924 માં મુસ્લિમ લીગ સંમેલનમાં હાજરી આપી અને ‘સ્વતંત્રતા’ ના ઠરાવના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
તેમણે બંધારણના મુસદ્દા માટેની કમિટીના સભ્ય તરીકે ‘ગવર્નમેન્ટ ઓફ ઇંડિયા એક્ટ,1919’ ની જગ્યાએ નવા બંધારણના મુસદ્દામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ સમાધાન કર્યા વિના સાંપ્રદાયિકતા સામે લડ્યા અને ધાર્મિક આધારો પર ભારતના ભાગલા પાડવાના વિચારને ઉશ્કેરતા નેતાઓને ક્યારેય માફ ન કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા તરીકે, તેમણે ખૂબ જ જવાબદારીની ભાવના સાથે અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું, જેના માટે તેમણે ઘણા સમય માટે જેલમાં રેહવું પડ્યું.
લાલ કિલ્લા ટ્રાયલ તરીકે ઓળખાતો પ્રખ્યાત મુકદ્દમો, જેમાં મેજર જનરલ શાહનવાઝ હુસૈન, કર્નલ ગુરુ બખ્શ સિંહ ધિલ્લોન અને આઝાદ હિંદ ફોજના કર્નલ પ્રેમ સેહગલ પર મુકદ્દમો ચાલ્યો હતો. બચાવ પક્ષ વતી સર તેજ બહાદુર સપ્રુના નેતૃત્વમાં વકીલોની એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં પંડિત જવાહરલાલ નેહરુ અને બેરિસ્ટર આસફ અલી સભ્ય હતા.
આ ઉપરાંત, કરાચી કોર્ટ ટ્રાયલમાં જે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ પ્રખ્યાત કેસ હતો, તેમાં પણ બેરિસ્ટર આસફ અલી બચાવ પક્ષના વકીલ હતા.
આમ જ્યારે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જતા હતા, ત્યારે આસફ અલી આગળ આવ્યા અને તેમને બહાર કાઢવા માટે તેમની કાનૂની લડાઈઓ લડી.
તેમણે 1945 માં દિલ્હીથી યોજાયેલી ચૂંટણીઓમાં જીત મેળવી હતી, અને પંડિત જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની સર્વપક્ષીય સરકારમાં બેરિસ્ટર આસફ અલીને 1946માં રેલવે અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પાછળથી, તેમણે ભારતીય બંધારણના મુસદ્દાની રચના માટે ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને બંધારણમાં બિનસાંપ્રદાયિક વિચારધારાના રક્ષણ અને પ્રસ્તાવના માટે ખૂબ રસ લીધો હતો. તેમની કાયદા પ્રેક્ટિસ કારકિર્દી દરમિયાન, તેમણે સરદાર ભગત સિંહ વતી અને ભારતીય રાષ્ટ્રીય સૈન્યના લડવૈયાઓ માટે પણ બ્રિટિશ સરકાર સામે કાનૂની લડાઇઓ લડ્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રચિત આઈએનએ સંરક્ષણ સમિતિના સચિવ તરીકે કામ કર્યું. તેમણે સ્વતંત્ર ભારતમાં 1947 પછી વિવિધ હોદ્દાઓ સંભાળી અને રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી.આઝાદી પછી, તેમને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ભારતના પ્રથમ રાજદૂત બનાવવામાં આવ્યા અને અમેરિકા સિવાય અન્ય ઘણા દેશોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કર્યું.પ્રતિભાશાળી લેખક, તીક્ષ્ણ વિવેચક, રાષ્ટ્રના શ્રેષ્ઠ હેતુ માટે પ્રતિબદ્ધ નેતા, ઉત્તમ વક્તા અને સક્ષમ રાજદૂત તરીકે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અભેદ્ય છાપ છોડનારા મુહમ્મદ આસિફ અલીનું, 2 એપ્રિલ 1953ના રોજ અવસાન થયું.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...