Skip to main content

મણીબેન પટેલ


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સુપુત્રી મણીબેન પટેલનો જન્મ ૩ એપ્રિલ ૧૯૦૩ના રોજ ગુજરાતના ગાના નામક ગામે તેમના મોસાળમાં થયો હતો.જ્યારે તેણી છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું દેહાંત થઈ ગયું હતું.તેમના ઉછેર-ભરણપોષણનું દાયિત્વ તેમના કાકા વિઠ્ઠલભાઈ પટેલે ઉઠાવ્યો.તેણીની શરૂઆતનું શિક્ષણ મુંબઈની ક્વીન-મેરી હાઈસ્કૂલમાં થયું તથા ૧૯૨૫માં તેણીએ સ્નાતક પરીક્ષા પાસ કરી.

સ્નાતક પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેણી પિતા સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહેવા લાગ્યા,પરંતુ પિતા અને પુત્રી વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ થતો ન હતો.૧૯૨૩-૨૪માં બ્રિટિશ સરકારે ક્ષેત્રીય લોકો પર ભારે કર લગાવી દીધો,તેમની ભૂમિ તેમજ પશુઓને કબજે કરી લીધા.અંગ્રેજોએના આ દમનકારી રવૈયાથી ક્રોધિત થઈને હજારો મહિલાઓએ મણીબેન પટેલના નેતૃત્વમાં બહાર નીકળીને આંદોલન કર્યું.તેણીએ મહાત્મા ગાંધીથી મુલાકાત કરી.ગાંધીજી,સરદાર પટેલ તેમજ અન્ય નેતાઓની સભામાં ભાગ લેવા લાગ્યાં તથા તેમણે 'કર મત ચૂકવો' અભિયાનને શક્તિશાળી સમર્થન પ્રદાન કર્યું.
૧૯૨૮માં બારડોલીના ખેડૂતોને આ જ પ્રકારની યાતનાઓમાંથી નિકળવું પડ્યું.મહાત્મા ગાંધીએ જનતાને સંગઠિત કર્યા તથા કર બંધી અભિયાનની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી દીધી. તેમણે આ કાર્યને ખૂબ જ મોટા સાહસ અને કુશળતા પૂર્વક પૂર્ણ કર્યું.તેમની આ યોગ્યતાથી પ્રભાવિત થઈ મહાત્મા ગાંધીજીએ તેમને 'સરદાર'ની ઉપાધિ પ્રદાન કરી.
જો કે આરંભમાં મહિલાઓએ બહાર નીકળવામાં સંકોચ બતાવ્યો,પરંતુ મણીબેનના સંકલ્પ આગળ બાળિકાઓ, દુર્બળ અને અશક્ત તેમજ બીમાર મહિલાઓ પણ સાથ આપવા ઊભી થઈ.તેમના હૃદય પરિવર્તનનો શ્રેય મણીબેન પટેલને જાય છે.આ મહિલાઓએ સરકાર દ્વારા જોર જબરીથી જપ્ત કરેલી જમીન પર તંબુ ગાડી લીધા તથા ઝૂંપડીઓ ઊભી કરી લીધી.તેમણે વીરતા પૂર્વક પોલીસનો પણ સામનો કર્યો. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળતા પછી મણીબેન પટેલને ઘણીવાર જેલની યાત્રા કરવી પડી.તેણી ૧૯૩૦, ૧૯૩૨-૩૪, ૧૯૩૮-૩૯,૧૯૪૦ તથા ૧૯૪૨-૪૫માં જેલ ગયા.તેના પહેલાં ૧૯૨૭માં તેમણે કૈરા જિલ્લા પૂર રાહત કાર્યમાં સરાહનીય યોગદાન આપ્યું હતું.



તેણી ૧૯૫૧થી કોંગ્રેસમાં સંમિલિત થયા તથા વિભિન્ન પદો પર રહેતા સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો તથા ઘણી રચનાત્મક,સંગઠનાત્મક કાર્યોનું નેતૃત્વ કર્યું.તેણી અનેક સંસ્થાઓના ઉત્તરદાયિત્વપૂર્ણ પદો પર રહ્યા તથા તેનું કુશળતા પૂર્વક સંચાલન કર્યું.તેણી આજીવન ગાંધીવાદી વિચારધારા નામ પ્રબળ સમર્થક હતા.૧૯૫૨-૫૭ તથા ૧૯૫૭-૬૨ સુધી તેણી લોકસભાના સદસ્ય રહ્યા. ગાંધી રચનાત્મક આંદોલન સંબંધિત તેમના ઘણા પ્રકાશ પણ છે, જેમાં 'બાપુના પત્રો', 'સરદારની શીખ', 'દેશી રાજ' વગેરે. ૧૯૯૦ માં તેણીનું નિધન થઈ ગયું.દેશના સ્વતંત્રતા આંદોલન તેમજ નવનિર્માણમાં તેણીનું મહત્વપૂર્ણ યોગદાન છે.દેશવાસીઓ તેણીના યોગદાનને લાંબા સમય સુધી યાદ કરતા રહેશે.

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ