Skip to main content

મણીબેન પટેલ


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સુપુત્રી મણીબેન પટેલનો જન્મ ૩ એપ્રિલ ૧૯૦૩ના રોજ ગુજરાતના ગાના નામક ગામે તેમના મોસાળમાં થયો હતો.જ્યારે તેણી છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું દેહાંત થઈ ગયું હતું.તેમના ઉછેર-ભરણપોષણનું દાયિત્વ તેમના કાકા વિઠ્ઠલભાઈ પટેલે ઉઠાવ્યો.તેણીની શરૂઆતનું શિક્ષણ મુંબઈની ક્વીન-મેરી હાઈસ્કૂલમાં થયું તથા ૧૯૨૫માં તેણીએ સ્નાતક પરીક્ષા પાસ કરી.

સ્નાતક પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેણી પિતા સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહેવા લાગ્યા,પરંતુ પિતા અને પુત્રી વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ થતો ન હતો.૧૯૨૩-૨૪માં બ્રિટિશ સરકારે ક્ષેત્રીય લોકો પર ભારે કર લગાવી દીધો,તેમની ભૂમિ તેમજ પશુઓને કબજે કરી લીધા.અંગ્રેજોએના આ દમનકારી રવૈયાથી ક્રોધિત થઈને હજારો મહિલાઓએ મણીબેન પટેલના નેતૃત્વમાં બહાર નીકળીને આંદોલન કર્યું.તેણીએ મહાત્મા ગાંધીથી મુલાકાત કરી.ગાંધીજી,સરદાર પટેલ તેમજ અન્ય નેતાઓની સભામાં ભાગ લેવા લાગ્યાં તથા તેમણે 'કર મત ચૂકવો' અભિયાનને શક્તિશાળી સમર્થન પ્રદાન કર્યું.
૧૯૨૮માં બારડોલીના ખેડૂતોને આ જ પ્રકારની યાતનાઓમાંથી નિકળવું પડ્યું.મહાત્મા ગાંધીએ જનતાને સંગઠિત કર્યા તથા કર બંધી અભિયાનની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી દીધી. તેમણે આ કાર્યને ખૂબ જ મોટા સાહસ અને કુશળતા પૂર્વક પૂર્ણ કર્યું.તેમની આ યોગ્યતાથી પ્રભાવિત થઈ મહાત્મા ગાંધીજીએ તેમને 'સરદાર'ની ઉપાધિ પ્રદાન કરી.
જો કે આરંભમાં મહિલાઓએ બહાર નીકળવામાં સંકોચ બતાવ્યો,પરંતુ મણીબેનના સંકલ્પ આગળ બાળિકાઓ, દુર્બળ અને અશક્ત તેમજ બીમાર મહિલાઓ પણ સાથ આપવા ઊભી થઈ.તેમના હૃદય પરિવર્તનનો શ્રેય મણીબેન પટેલને જાય છે.આ મહિલાઓએ સરકાર દ્વારા જોર જબરીથી જપ્ત કરેલી જમીન પર તંબુ ગાડી લીધા તથા ઝૂંપડીઓ ઊભી કરી લીધી.તેમણે વીરતા પૂર્વક પોલીસનો પણ સામનો કર્યો. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહની સફળતા પછી મણીબેન પટેલને ઘણીવાર જેલની યાત્રા કરવી પડી.તેણી ૧૯૩૦, ૧૯૩૨-૩૪, ૧૯૩૮-૩૯,૧૯૪૦ તથા ૧૯૪૨-૪૫માં જેલ ગયા.તેના પહેલાં ૧૯૨૭માં તેમણે કૈરા જિલ્લા પૂર રાહત કાર્યમાં સરાહનીય યોગદાન આપ્યું હતું.



તેણી ૧૯૫૧થી કોંગ્રેસમાં સંમિલિત થયા તથા વિભિન્ન પદો પર રહેતા સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો તથા ઘણી રચનાત્મક,સંગઠનાત્મક કાર્યોનું નેતૃત્વ કર્યું.તેણી અનેક સંસ્થાઓના ઉત્તરદાયિત્વપૂર્ણ પદો પર રહ્યા તથા તેનું કુશળતા પૂર્વક સંચાલન કર્યું.તેણી આજીવન ગાંધીવાદી વિચારધારા નામ પ્રબળ સમર્થક હતા.૧૯૫૨-૫૭ તથા ૧૯૫૭-૬૨ સુધી તેણી લોકસભાના સદસ્ય રહ્યા. ગાંધી રચનાત્મક આંદોલન સંબંધિત તેમના ઘણા પ્રકાશ પણ છે, જેમાં 'બાપુના પત્રો', 'સરદારની શીખ', 'દેશી રાજ' વગેરે. ૧૯૯૦ માં તેણીનું નિધન થઈ ગયું.દેશના સ્વતંત્રતા આંદોલન તેમજ નવનિર્માણમાં તેણીનું મહત્વપૂર્ણ યોગદાન છે.દેશવાસીઓ તેણીના યોગદાનને લાંબા સમય સુધી યાદ કરતા રહેશે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...