Skip to main content

જૈમિની રોય

 


જૈમિની રોય, જેમણે વિશ્વના નકશા પર ભારતીય લોક અને આદિવાસી કળાઓને ઓળખ આપી.

જૈમિની રોયે પરંપરાગત દક્ષિણ એશિયાઈ લોક કળાને આધુનિક સ્વરૂપમાં રજૂ કરી. રોયનો જન્મ 11 એપ્રિલ 1887માં થયો હતો. કોલકાતાની ગવર્નમેન્ટ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતી વખતે તેમણે કળાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સદીના મધ્યમાં તેમણે લંડન અને ન્યૂયોર્કમાં તેમની વિશિષ્ટ કળાનું પ્રદર્શન કર્યું.
તેમની શરૂઆતની કૃતિઓમાં 'પ્લોમેન', 'એટ સનમેટ પ્રેયર', 'વેન ગો' અને 'સેલ્ફ પોટ્રેટ વિથ વેન ડાયક બિયર્ડ'નો સમાવેશ થાય છે.
ભારતની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ અનુસાર, તેઓ બ્રિટિશ એકેડેમિક સ્ટાઈલ ઓફ પેઈન્ટીંગમાંથી તાલીમ મેળવ્યા બાદ એક કુશળ ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયા, પરંતુ બાદમાં તેમણે પશ્ચિમી શૈલી છોડીને પૂર્વ એશિયાઈ લોક કળા અને હસ્તકળા પરંપરાઓને મહત્વ આપ્યું.
1938 માં, કોલકાતામાં 'બ્રિટિશ ઇન્ડિયા સ્ટ્રીટ' પર તેમની કલાનું પ્રદર્શન પ્રથમ વખત મૂકવામાં આવ્યું હતું. 1940ના દાયકામાં તેઓ બંગાળી મધ્યમ વર્ગ અને યુરોપિયન સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. 1946માં લંડનમાં તેમની કલાનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1953માં ન્યૂયોર્ક શહેરમાં પણ તેમની કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. 1954માં ભારત સાકરે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
તેમની કલાને ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં વ્યાપકપણે પ્રદર્શિત કરવામાં આવી છે, અને તેમની કૃતિઓ લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ જેવા ઘણા ખાનગી અને જાહેર સંગ્રહોમાં જોઈ શકાય છે.
જૈમિની રોય 1920 ના દાયકાના અંત સુધીમાં તેમના વતન બાંકુરા, પશ્ચિમ બંગાળમાં લોક કળાના ક્ષેત્રમાં એક પ્રેરણા બન્યા હતા. તેમણે સામાન્ય ગ્રામીણ લોકો, મહાકાવ્યોના દ્રશ્યો અને પ્રાણીઓ વગેરેના ચિત્રો બનાવ્યા. ગૂગલે કહ્યું કે "તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમના કાર્યને ભારતની રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ગણવામાં આવે છે," ગૂગલે જણાવ્યું હતું. રોયે 24 એપ્રિલ 1972ના રોજ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
પુરસ્કાર અને સન્માન :
- 1934 માં, તેમને પેઇન્ટિંગ 'બાળકને પૂલ પાર કરવા મદદ કરતી માતા' માટે વાઈસરોયનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
- 1954માં ભારત સરકારે તેમને 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા.
- 1955માં તેમને લલિત કલા અકાદમીના પ્રથમ ફેલો બનાવવામાં આવ્યા હતા.
- 1976 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકારે તેમના કાર્યોને મૂલ્યવાન જાહેર કર્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જૈમિની રોયથી ખુબ પ્રભાવિત હતા, તેઓ સ્વયં રોયને મળવા માટે ગયા હતા. ગાંધીજીએ તેમને 'રાષ્ટ્રવાદી કળાકાર' નુ બિરુદ આપ્યું.

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...