Skip to main content

જૈમિની રોય

 


જૈમિની રોય, જેમણે વિશ્વના નકશા પર ભારતીય લોક અને આદિવાસી કળાઓને ઓળખ આપી.

જૈમિની રોયે પરંપરાગત દક્ષિણ એશિયાઈ લોક કળાને આધુનિક સ્વરૂપમાં રજૂ કરી. રોયનો જન્મ 11 એપ્રિલ 1887માં થયો હતો. કોલકાતાની ગવર્નમેન્ટ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતી વખતે તેમણે કળાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સદીના મધ્યમાં તેમણે લંડન અને ન્યૂયોર્કમાં તેમની વિશિષ્ટ કળાનું પ્રદર્શન કર્યું.
તેમની શરૂઆતની કૃતિઓમાં 'પ્લોમેન', 'એટ સનમેટ પ્રેયર', 'વેન ગો' અને 'સેલ્ફ પોટ્રેટ વિથ વેન ડાયક બિયર્ડ'નો સમાવેશ થાય છે.
ભારતની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ અનુસાર, તેઓ બ્રિટિશ એકેડેમિક સ્ટાઈલ ઓફ પેઈન્ટીંગમાંથી તાલીમ મેળવ્યા બાદ એક કુશળ ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયા, પરંતુ બાદમાં તેમણે પશ્ચિમી શૈલી છોડીને પૂર્વ એશિયાઈ લોક કળા અને હસ્તકળા પરંપરાઓને મહત્વ આપ્યું.
1938 માં, કોલકાતામાં 'બ્રિટિશ ઇન્ડિયા સ્ટ્રીટ' પર તેમની કલાનું પ્રદર્શન પ્રથમ વખત મૂકવામાં આવ્યું હતું. 1940ના દાયકામાં તેઓ બંગાળી મધ્યમ વર્ગ અને યુરોપિયન સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. 1946માં લંડનમાં તેમની કલાનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1953માં ન્યૂયોર્ક શહેરમાં પણ તેમની કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. 1954માં ભારત સાકરે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
તેમની કલાને ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં વ્યાપકપણે પ્રદર્શિત કરવામાં આવી છે, અને તેમની કૃતિઓ લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ જેવા ઘણા ખાનગી અને જાહેર સંગ્રહોમાં જોઈ શકાય છે.
જૈમિની રોય 1920 ના દાયકાના અંત સુધીમાં તેમના વતન બાંકુરા, પશ્ચિમ બંગાળમાં લોક કળાના ક્ષેત્રમાં એક પ્રેરણા બન્યા હતા. તેમણે સામાન્ય ગ્રામીણ લોકો, મહાકાવ્યોના દ્રશ્યો અને પ્રાણીઓ વગેરેના ચિત્રો બનાવ્યા. ગૂગલે કહ્યું કે "તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમના કાર્યને ભારતની રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ગણવામાં આવે છે," ગૂગલે જણાવ્યું હતું. રોયે 24 એપ્રિલ 1972ના રોજ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
પુરસ્કાર અને સન્માન :
- 1934 માં, તેમને પેઇન્ટિંગ 'બાળકને પૂલ પાર કરવા મદદ કરતી માતા' માટે વાઈસરોયનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
- 1954માં ભારત સરકારે તેમને 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા.
- 1955માં તેમને લલિત કલા અકાદમીના પ્રથમ ફેલો બનાવવામાં આવ્યા હતા.
- 1976 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકારે તેમના કાર્યોને મૂલ્યવાન જાહેર કર્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જૈમિની રોયથી ખુબ પ્રભાવિત હતા, તેઓ સ્વયં રોયને મળવા માટે ગયા હતા. ગાંધીજીએ તેમને 'રાષ્ટ્રવાદી કળાકાર' નુ બિરુદ આપ્યું.

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ