Skip to main content

જૈમિની રોય

 


જૈમિની રોય, જેમણે વિશ્વના નકશા પર ભારતીય લોક અને આદિવાસી કળાઓને ઓળખ આપી.

જૈમિની રોયે પરંપરાગત દક્ષિણ એશિયાઈ લોક કળાને આધુનિક સ્વરૂપમાં રજૂ કરી. રોયનો જન્મ 11 એપ્રિલ 1887માં થયો હતો. કોલકાતાની ગવર્નમેન્ટ સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતી વખતે તેમણે કળાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સદીના મધ્યમાં તેમણે લંડન અને ન્યૂયોર્કમાં તેમની વિશિષ્ટ કળાનું પ્રદર્શન કર્યું.
તેમની શરૂઆતની કૃતિઓમાં 'પ્લોમેન', 'એટ સનમેટ પ્રેયર', 'વેન ગો' અને 'સેલ્ફ પોટ્રેટ વિથ વેન ડાયક બિયર્ડ'નો સમાવેશ થાય છે.
ભારતની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ અનુસાર, તેઓ બ્રિટિશ એકેડેમિક સ્ટાઈલ ઓફ પેઈન્ટીંગમાંથી તાલીમ મેળવ્યા બાદ એક કુશળ ચિત્રકાર તરીકે પ્રખ્યાત થયા, પરંતુ બાદમાં તેમણે પશ્ચિમી શૈલી છોડીને પૂર્વ એશિયાઈ લોક કળા અને હસ્તકળા પરંપરાઓને મહત્વ આપ્યું.
1938 માં, કોલકાતામાં 'બ્રિટિશ ઇન્ડિયા સ્ટ્રીટ' પર તેમની કલાનું પ્રદર્શન પ્રથમ વખત મૂકવામાં આવ્યું હતું. 1940ના દાયકામાં તેઓ બંગાળી મધ્યમ વર્ગ અને યુરોપિયન સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. 1946માં લંડનમાં તેમની કલાનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1953માં ન્યૂયોર્ક શહેરમાં પણ તેમની કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. 1954માં ભારત સાકરે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
તેમની કલાને ઘણા આંતરરાષ્ટ્રીય મંચોમાં વ્યાપકપણે પ્રદર્શિત કરવામાં આવી છે, અને તેમની કૃતિઓ લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ જેવા ઘણા ખાનગી અને જાહેર સંગ્રહોમાં જોઈ શકાય છે.
જૈમિની રોય 1920 ના દાયકાના અંત સુધીમાં તેમના વતન બાંકુરા, પશ્ચિમ બંગાળમાં લોક કળાના ક્ષેત્રમાં એક પ્રેરણા બન્યા હતા. તેમણે સામાન્ય ગ્રામીણ લોકો, મહાકાવ્યોના દ્રશ્યો અને પ્રાણીઓ વગેરેના ચિત્રો બનાવ્યા. ગૂગલે કહ્યું કે "તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેમના કાર્યને ભારતની રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ગણવામાં આવે છે," ગૂગલે જણાવ્યું હતું. રોયે 24 એપ્રિલ 1972ના રોજ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
પુરસ્કાર અને સન્માન :
- 1934 માં, તેમને પેઇન્ટિંગ 'બાળકને પૂલ પાર કરવા મદદ કરતી માતા' માટે વાઈસરોયનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
- 1954માં ભારત સરકારે તેમને 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કર્યા.
- 1955માં તેમને લલિત કલા અકાદમીના પ્રથમ ફેલો બનાવવામાં આવ્યા હતા.
- 1976 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકારે તેમના કાર્યોને મૂલ્યવાન જાહેર કર્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જૈમિની રોયથી ખુબ પ્રભાવિત હતા, તેઓ સ્વયં રોયને મળવા માટે ગયા હતા. ગાંધીજીએ તેમને 'રાષ્ટ્રવાદી કળાકાર' નુ બિરુદ આપ્યું.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...