Skip to main content

બાબુ જગજીવન રામ

 


બાબુ જગજીવન રામ (જન્મ - 5 એપ્રિલ 1908; મૃત્યુ - 6 જુલાઈ 1986) આધુનિક ભારતીય રાજકારણના શિખર, જેમને આદરપૂર્વક 'બાબુજી' તરીકે સંબોધવામાં આવતા હતા. તેમના લાંબા સંસદીય વર્ષોના જીવનમાં રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને વફાદારી અજોડ છે. તેમનું સમગ્ર જીવન રાજકીય, સામાજિક સક્રિયતા અને વિશિષ્ટ સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. જગજીવન રામે સદીઓથી દલિતો, કામદારો, શોષિત અને પીડિતોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કરેલી કાયદાકીય જોગવાઈઓ ઐતિહાસિક છે. જગજીવન રામ એક એવું વ્યક્તિત્વ હતું જેમણે ક્યારેય અન્યાય સાથે સમાધાન કર્યું નથી અને હંમેશા દલિતોના સન્માન માટે સંઘર્ષ કર્યો છે. વિદ્યાર્થી જીવનથી જ તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારતમાં સંસદીય લોકશાહીના વિકાસમાં બાબુ જગજીવન રામનું ખુબ જ મોટું યોગદાન છે.

એક દલિતના ઘરમાં જન્મેલા, રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજને આવરી લેનારા બાબુ જગજીવન રામનો જન્મ બિહારની ધરતી પર થયો હતો જેણે ભારતીય ઇતિહાસ અને રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં થયો હતો. જગજીવન રામ નામ પ્રસિદ્ધ સંત રવિદાસનો એક પ્રખ્યાત દોહો - "પ્રભુજી સંગતિ શરણ તિહારી, જગજીવન રામ મુરારી" ની પ્રેરણા હતી. આ દોહામાંથી પ્રેરણા લઈને તેમના માતા-પિતાએ તેમના પુત્રનું નામ જગજીવન રામ રાખ્યું. તેમના પિતા શોભા રામ એક ખેડૂત હતા જેમણે બ્રિટિશ આર્મીમાં પણ સેવા આપી હતી.
આઝાદી પછી, ભારતીય રાજકારણમાં એવા બહુ ઓછા નેતાઓ રહ્યા છે જેમણે એકલા મંત્રી તરીકે ઘણા મંત્રાલયોના પડકારોને ન માત્ર સ્વીકાર્યા, પરંતુ તે પડકારોને અંત સુધી લઈ ગયા. આધુનિક ભારતીય રાજનીતિના શિખર એવા જગજીવન રામને મંત્રી તરીકે જે પણ વિભાગ મળ્યો, તેમણે પોતાની વહીવટી કાર્યક્ષમતાથી તેનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.
જગજીવન રામનું એવું વ્યક્તિત્વ હતું કે તેઓ એક વખત જે નક્કી કરે તે પૂર્ણ કર્યા પછી જ જંપતા હતા. તેમની પાસે લડાયક શક્તિ જબરદસ્ત હતી. તેમને પડકારોનો સામનો કરવાનું પસંદ હતું. તેમના વ્યક્તિત્વે ક્યારેય અન્યાય સાથે સમાધાન કર્યું નથી. તેમણે હંમેશા દલિતોના સન્માન માટે સંઘર્ષ કર્યો.
સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયતા :
જગજીવન રામે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય કુશળતા અને દૂરંદેશી બતાવી. આ જ કારણ હતું કે તેઓ બાપુના વિશ્વાસુ અને પ્રિય પાત્ર બન્યા અને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યા. તેમણે 1942ના સત્યાગ્રહ અને ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના પરિણામે તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું.
જગજીવન રામનું વૈધાનિક જીવન :
જગજીવન રામની વૈધાનિક કારકિર્દી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ 1936માં બિહાર વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત થયા. બીજા વર્ષે તેઓ બિહાર વિધાનસભામાં ચૂંટાયા અને ટૂંક સમયમાં સંસદીય સચિવ બનાવવામાં આવ્યા. 2 સપ્ટેમ્બર, 1946ના રોજ જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી. જગજીવન રામને નેહરુની કેબિનેટમાં અનુસૂચિત જાતિના એકમાત્ર નેતા તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ કેન્દ્રમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી હતા અને કામદાર વર્ગ પ્રત્યેની તેમની સદભાવનાને ધ્યાનમાં રાખીને તેમને શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. અહીંથી જ સંઘીય સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે બાબુ જગજીવન રામની યાત્રા શરૂ થઈ હતી.
મંત્રી તરીકે લાંબો કાર્યકાળ
બાબુ જગજીવન 1952 થી 1984 સુધી સતત સાંસદ તરીકે ચૂંટાયા. તેઓ સૌથી લાંબો સમય (લગભગ 30 વર્ષ) દેશના કેન્દ્રીય મંત્રી રહ્યા. પહેલા નેહરુની કેબિનેટમાં, પછી ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં અને છેલ્લે જનતા સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકે. કેન્દ્ર સરકારમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે શ્રમ, કૃષિ, સંચાર, રેલ્વે અને સંરક્ષણ જેવા ઘણા પડકારજનક મંત્રાલયો સંભાળ્યા. તેમણે શ્રમિકો તરીકેની સ્થિતિમાં અને તેમની સામાજિક-આર્થિક સુરક્ષા માટે જરૂરી સુધારા લાવવા માટે ચોક્કસ કાયદાની જોગવાઈઓ કરી, જે આજે પણ આપણા દેશની શ્રમ નીતિનો મૂળાધાર છે.
દલિત સમાજના મસીહા
જગજીવન રામને ભારતીય સમાજ અને રાજકારણમાં દલિત લોકોના મસીહા તરીકે યાદ કરવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના એવા કેટલાક નેતાઓમાંના એક હતા જેમણે રાજનીતિની સાથે સાથે દલિત સમાજને નવી દિશા આપી. તેમણે એવા લાખો અને કરોડો દલિત લોકોનો અવાજ ઉઠાવ્યો જેમને ઉચ્ચ જાતિના લોકો સાથે ચાલવાની મનાઈ હતી, જેમની પાસે ખાવા માટે અલગ વાસણો હતા, જેને સ્પર્શવું પાપ માનવામાં આવતું હતું અને જેઓ હંમેશા બીજાની દયા પર હતા. જગજીવન રામ, જેઓ પાંચ દાયકાઓ સુધી સક્રિય રાજકારણનો હિસ્સો હતા, તેમણે તેમનું સમગ્ર જીવન દેશની સેવા અને દલિતોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. આ મહાન રાજનેતાનું જુલાઈ 1986માં 78 વર્ષની વયે અવસાન થયું હતું.
સૌજન્ય - ભારત કોશ, જાગરણ

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ