Skip to main content

મંટો એક વાર્તાકાર તરીકે

 

મારા જીવનની સૌથી મોટી ઘટના મારો જન્મ હતો.હું પંજાબના એક અજ્ઞાત ગામ 'સમરાળા' માં પેદા થયો. જો કોઈને મારી જન્મ-તિથિમાં રસ હોઈ શકે છે તો તે મારી મા હતી,જે હવે જીવિત નથી.બીજી ઘટના 1931માં થઈ જ્યારે મેં પંજાબ યુનિવર્સિટીથી દસમાની પરીક્ષા સતત ત્રણ વર્ષ ફેલ થયા પછી પાસ કરી.ત્રીજી ઘટના હતી જ્યારે મેં 1939માં લગ્ન કર્યા, પરંતુ આ ઘટના દુર્ઘટના ન હતી અને આજે પણ નથી. અને બીજી ઘણી બધી ઘટનાઓ થઇ પરંતુ એમાં મને નહીં પરંતુ બીજાઓને કષ્ટ પહોંચ્યા.ઉદાહરણ તરીકે મારુ કલમ ઉઠાવવું એક બહુજ મોટી ઘટના હતી જેનાથી શિષ્ટ લેખકોને પણ દુઃખ થયું અને શિષ્ઠ પાઠકોને પણ.
મેં થોડાક વર્ષો મુંબઈમાં ગુજાર્યા અને ફિલ્મી વાર્તાઓ લખી.આજકાલ લાહોરમાં છું અને ફિલ્મી નથી.સાધારણ વાર્તાઓ લખી રહ્યો છું. લગભગ બે ડઝન વાર્તા-સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેના નામ ગણાવીને તમને પરેશાન કરવા નથી માંગતો.મારુ વર્તમાન સરનામું પણ એ માટે નથી લખી રહ્યો કેમકે હું પોતે પણ પરેશાન નથી થવા માંગતો.
આ સંક્ષિપ્ત પરિચય મંટોએ એ સમયે પ્રકાશ પંડિતને લખીને મોકલ્યો હતો જ્યારે 1954માં ઉર્દૂની સર્વ શ્રેષ્ઠ વાર્તાઓની તેઓ પસંદગી કરી રહ્યા હતા.હવે તો સાચે મંટોના નિવાસ્થાનનો કોઈ જ પત્તો નથી, કેમકે આ જ્વલન વાર્તાકારનું 1955 અકાળે દેહાંત થઈ ગયું હતું.
મંટો ઉર્દૂના એકમાત્ર એવા વાર્તાકાર લેખક હતા જેમની રચનાઓ જેટલી પસંદ કરવામાં આવે છે એટલી જ નાપસંદ પણ.અને એમાં કોઈ જ શંકાને સ્થાન નથી કે તેમને ગાળો આપવા વાળા લોકો જ સૌથી વધારે તેમને વાંચે છે.તાબડતોડ ગાળો ખાવા, અને 'કાલી સલવાર', 'ઠંડા ગોસ્ત' વગેરે અશ્લીલ રચનાઓના કારણે વારંવાર અદાલતના કઠેરામાં ઘસીટી જવા પર પણ તે બરાબર એ વાતાવરણ અને અન્ય પાત્રોના સંબંધમાં વાર્તાઓ લખતા રહ્યા, જેને સભ્ય લોકો ધૃણાની દ્રષ્ટિથી જુએ છે, અને પોતાના સમાજમાં કોઈ સ્થાન આપવા તૈયાર નથી. એ સાચું છે કે જીવન વિશે મંટોનું દ્રષ્ટિકોણ કંઈક અસ્પષ્ટ અને એક સીમા સુધી નિરાશાવાદી છે.સ્વસ્થ પાત્રોની જગ્યાએ તેમણે લગભગ અસ્વસ્થ પાત્રોને જ તેમનો વિષય બનાવ્યો છે.અને તેમના યુગના તેઓ ખુબજ મોટા નિંદક હતા. પરંતુ ,માનવ-મનોવિજ્ઞાનને સમજવા અને પછી એના પ્રકાશમાં બનાવટ અને જૂઠનો પર્દાફાશ કરવાની જે ક્ષમતા મંટોને પ્રાપ્ત હતી તે નિ:સંદેહ કોઈ અન્ય ઉર્દૂ લેખકને પ્રાપ્ત નથી.
જ્યાં સુધી કલાત્મક પ્રૌઢતાનો સંબંધ છે, મારા વિચારમાં ઉર્દૂના આધુનિક યુગના કોઈ વાર્તાલેખક મંટો સુધી પહોંચતો નથી.આપણે તેમના સિદ્ધાંતોથી મતભેદ હોઈ શકે છે. આપણે એ કહી શકીએ છીએ કે કોઈ કલાકૃતિ તે સમય સુધી મહાન નથી થઈ શકતી જ્યાં સુધી કે કલાત્મક પ્રૌઢતાની સાથે સાથે તેમાં રચનાત્મક પાસું ન હોય. પરંતુ તેમની લેખની ઉપર આંગળી રાખીને પણ એ નથી કહી શકતા કે કલાની દ્રષ્ટિથી તેમાં કોઈ જોલ છે યા એ કે લેખક તેમના સિદ્ધાંતો અને માન્યતાઓને પ્રત્યે નિષ્કપટ નથી.
- પ્રકાશ પંડિત

--------------------------------------------------------------------------------------------------------------------

સઆદત હસન મંટો (મે 11,1912 - જાન્યુઆરી 18,1955)

ભારત-વિભાજનની પૃષ્ઠભૂમિમાં લખાયેલ 'ટોબા ટેક સિંહ' લેખક મંટોની સૌથી મશહુર વાર્તા છે.મે 11,1912 ના દિવસે જન્મેલા સઆદત હસન મંટોનું સાહિત્યિક યાત્રા અંગ્રેજી,ફ્રેન્ચ અને રશિયન લેખકોની રચનાઓના અનુવાદથી આરંભ થઈ.શરૂઆતના લેખનમાં મંટો સમાજવાદી અને ડાબેરી સોચથી પ્રભાવિત નજર આવે છે.પરંતુ દેશના વિભાજને તેમને ખૂબ જ ઊંડો અને અમિટ ઘાવ આપ્યો,જેના પડછાયો તેમની અનેક વાર્તાઓમાં મળે છે.જેમ એ દિવસોના પાગલપણું,ક્રૂરતા અને દહેશતને દર્શાવાયા છે.કેટલીય વાર તેમની લખેલી વાર્તાઓ પર અશ્લીલતાના આરોપ લગાવવામાં આવ્યા 1947માં વિભાજન પછી,મંટો પાકિસ્તાનમાં જઈને વસ્યા.પરંતુ, ત્યાં તેમને મુંબઇ જેવું બૌદ્ધિક વાતાવરણ અને દોસ્તો ન મળ્યા અને તેઓ એકલપણુ અને શરાબના અંધારામાં ડૂબવા લાગ્યા અને 1955માં મૂત્રપિંડની બીમારીના કારણે તેમનું અવસાન થયું.
"જો તમને મારી વાર્તાઓ અશ્લીલ યા ગંદી લાગે છે,તો જે સમાજમાં તમે રહો છો તે અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ તો કેવળ સત્ય દર્શાવે છે…."
મંટો વારંવાર આવું કહેતા હતા જ્યારે તેમના પર અશ્લીલતાના આક્ષેપ લાગતા.બેબાક સત્ય લખનાર મંટો ઘણા એવા મુદ્દા ઉપર પણ લખતા જેને એ સમયના સમાજમાં બંધ દરવાજા ના પાછળ દબાવીને,છુપાવીને રાખવામાં આવતા હતા.સત્ય સામે લાવવાની સાથે વાર્તા કહેવાની એમની બેમિશાલ અદા અને ઉર્દુ જબાન પર બેજોડ પકડે સહાદત હસન મંટોને વાર્તાના બેતાજ બાદશાહ બનાવી દીધા.માત્ર 43 વરસની જિંદગીમાં તેમણે 200થી વધુ વાર્તાઓ,એક નવલકથા,3 નિબંધ સંગ્રહ અને અનેક નાટકો,રેડિયો અને ફિલ્મ પટકથાઓ લખી.ફ્રેન્ચ અને રશિયન લેખકોથી પ્રભાવિત ડાબેરી સોચ ધરાવતા મંટોના લેખનમાં સચ્ચાઈને એવી રીતે રજૂ કરવાની તાકાત છે જે લાંબા અરસા સુધી પાઠકના દિલોદિમાગ પર તેમની પકડ બનાવી રાખે છે.2012માં પૂરા હિન્દુસ્તાનમાં મનાવવામાં આવેલી મંટોની જન્મ શતાબ્દી એ વાતનું સબૂત છે કે મંટો આજે પણ તેમના પાઠકો અને પ્રશંસકો માટે જીવંત છે.

Comments

Popular posts from this blog

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતીની જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2018 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર ઍક્ટ : ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં ફાયર સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઇમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે. ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ : - તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લ

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવી રહ