Skip to main content

મંટો એક વાર્તાકાર તરીકે

 

મારા જીવનની સૌથી મોટી ઘટના મારો જન્મ હતો.હું પંજાબના એક અજ્ઞાત ગામ 'સમરાળા' માં પેદા થયો. જો કોઈને મારી જન્મ-તિથિમાં રસ હોઈ શકે છે તો તે મારી મા હતી,જે હવે જીવિત નથી.બીજી ઘટના 1931માં થઈ જ્યારે મેં પંજાબ યુનિવર્સિટીથી દસમાની પરીક્ષા સતત ત્રણ વર્ષ ફેલ થયા પછી પાસ કરી.ત્રીજી ઘટના હતી જ્યારે મેં 1939માં લગ્ન કર્યા, પરંતુ આ ઘટના દુર્ઘટના ન હતી અને આજે પણ નથી. અને બીજી ઘણી બધી ઘટનાઓ થઇ પરંતુ એમાં મને નહીં પરંતુ બીજાઓને કષ્ટ પહોંચ્યા.ઉદાહરણ તરીકે મારુ કલમ ઉઠાવવું એક બહુજ મોટી ઘટના હતી જેનાથી શિષ્ટ લેખકોને પણ દુઃખ થયું અને શિષ્ઠ પાઠકોને પણ.
મેં થોડાક વર્ષો મુંબઈમાં ગુજાર્યા અને ફિલ્મી વાર્તાઓ લખી.આજકાલ લાહોરમાં છું અને ફિલ્મી નથી.સાધારણ વાર્તાઓ લખી રહ્યો છું. લગભગ બે ડઝન વાર્તા-સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેના નામ ગણાવીને તમને પરેશાન કરવા નથી માંગતો.મારુ વર્તમાન સરનામું પણ એ માટે નથી લખી રહ્યો કેમકે હું પોતે પણ પરેશાન નથી થવા માંગતો.
આ સંક્ષિપ્ત પરિચય મંટોએ એ સમયે પ્રકાશ પંડિતને લખીને મોકલ્યો હતો જ્યારે 1954માં ઉર્દૂની સર્વ શ્રેષ્ઠ વાર્તાઓની તેઓ પસંદગી કરી રહ્યા હતા.હવે તો સાચે મંટોના નિવાસ્થાનનો કોઈ જ પત્તો નથી, કેમકે આ જ્વલન વાર્તાકારનું 1955 અકાળે દેહાંત થઈ ગયું હતું.
મંટો ઉર્દૂના એકમાત્ર એવા વાર્તાકાર લેખક હતા જેમની રચનાઓ જેટલી પસંદ કરવામાં આવે છે એટલી જ નાપસંદ પણ.અને એમાં કોઈ જ શંકાને સ્થાન નથી કે તેમને ગાળો આપવા વાળા લોકો જ સૌથી વધારે તેમને વાંચે છે.તાબડતોડ ગાળો ખાવા, અને 'કાલી સલવાર', 'ઠંડા ગોસ્ત' વગેરે અશ્લીલ રચનાઓના કારણે વારંવાર અદાલતના કઠેરામાં ઘસીટી જવા પર પણ તે બરાબર એ વાતાવરણ અને અન્ય પાત્રોના સંબંધમાં વાર્તાઓ લખતા રહ્યા, જેને સભ્ય લોકો ધૃણાની દ્રષ્ટિથી જુએ છે, અને પોતાના સમાજમાં કોઈ સ્થાન આપવા તૈયાર નથી. એ સાચું છે કે જીવન વિશે મંટોનું દ્રષ્ટિકોણ કંઈક અસ્પષ્ટ અને એક સીમા સુધી નિરાશાવાદી છે.સ્વસ્થ પાત્રોની જગ્યાએ તેમણે લગભગ અસ્વસ્થ પાત્રોને જ તેમનો વિષય બનાવ્યો છે.અને તેમના યુગના તેઓ ખુબજ મોટા નિંદક હતા. પરંતુ ,માનવ-મનોવિજ્ઞાનને સમજવા અને પછી એના પ્રકાશમાં બનાવટ અને જૂઠનો પર્દાફાશ કરવાની જે ક્ષમતા મંટોને પ્રાપ્ત હતી તે નિ:સંદેહ કોઈ અન્ય ઉર્દૂ લેખકને પ્રાપ્ત નથી.
જ્યાં સુધી કલાત્મક પ્રૌઢતાનો સંબંધ છે, મારા વિચારમાં ઉર્દૂના આધુનિક યુગના કોઈ વાર્તાલેખક મંટો સુધી પહોંચતો નથી.આપણે તેમના સિદ્ધાંતોથી મતભેદ હોઈ શકે છે. આપણે એ કહી શકીએ છીએ કે કોઈ કલાકૃતિ તે સમય સુધી મહાન નથી થઈ શકતી જ્યાં સુધી કે કલાત્મક પ્રૌઢતાની સાથે સાથે તેમાં રચનાત્મક પાસું ન હોય. પરંતુ તેમની લેખની ઉપર આંગળી રાખીને પણ એ નથી કહી શકતા કે કલાની દ્રષ્ટિથી તેમાં કોઈ જોલ છે યા એ કે લેખક તેમના સિદ્ધાંતો અને માન્યતાઓને પ્રત્યે નિષ્કપટ નથી.
- પ્રકાશ પંડિત

--------------------------------------------------------------------------------------------------------------------

સઆદત હસન મંટો (મે 11,1912 - જાન્યુઆરી 18,1955)

ભારત-વિભાજનની પૃષ્ઠભૂમિમાં લખાયેલ 'ટોબા ટેક સિંહ' લેખક મંટોની સૌથી મશહુર વાર્તા છે.મે 11,1912 ના દિવસે જન્મેલા સઆદત હસન મંટોનું સાહિત્યિક યાત્રા અંગ્રેજી,ફ્રેન્ચ અને રશિયન લેખકોની રચનાઓના અનુવાદથી આરંભ થઈ.શરૂઆતના લેખનમાં મંટો સમાજવાદી અને ડાબેરી સોચથી પ્રભાવિત નજર આવે છે.પરંતુ દેશના વિભાજને તેમને ખૂબ જ ઊંડો અને અમિટ ઘાવ આપ્યો,જેના પડછાયો તેમની અનેક વાર્તાઓમાં મળે છે.જેમ એ દિવસોના પાગલપણું,ક્રૂરતા અને દહેશતને દર્શાવાયા છે.કેટલીય વાર તેમની લખેલી વાર્તાઓ પર અશ્લીલતાના આરોપ લગાવવામાં આવ્યા 1947માં વિભાજન પછી,મંટો પાકિસ્તાનમાં જઈને વસ્યા.પરંતુ, ત્યાં તેમને મુંબઇ જેવું બૌદ્ધિક વાતાવરણ અને દોસ્તો ન મળ્યા અને તેઓ એકલપણુ અને શરાબના અંધારામાં ડૂબવા લાગ્યા અને 1955માં મૂત્રપિંડની બીમારીના કારણે તેમનું અવસાન થયું.
"જો તમને મારી વાર્તાઓ અશ્લીલ યા ગંદી લાગે છે,તો જે સમાજમાં તમે રહો છો તે અશ્લીલ અને ગંદો છે. મારી વાર્તાઓ તો કેવળ સત્ય દર્શાવે છે…."
મંટો વારંવાર આવું કહેતા હતા જ્યારે તેમના પર અશ્લીલતાના આક્ષેપ લાગતા.બેબાક સત્ય લખનાર મંટો ઘણા એવા મુદ્દા ઉપર પણ લખતા જેને એ સમયના સમાજમાં બંધ દરવાજા ના પાછળ દબાવીને,છુપાવીને રાખવામાં આવતા હતા.સત્ય સામે લાવવાની સાથે વાર્તા કહેવાની એમની બેમિશાલ અદા અને ઉર્દુ જબાન પર બેજોડ પકડે સહાદત હસન મંટોને વાર્તાના બેતાજ બાદશાહ બનાવી દીધા.માત્ર 43 વરસની જિંદગીમાં તેમણે 200થી વધુ વાર્તાઓ,એક નવલકથા,3 નિબંધ સંગ્રહ અને અનેક નાટકો,રેડિયો અને ફિલ્મ પટકથાઓ લખી.ફ્રેન્ચ અને રશિયન લેખકોથી પ્રભાવિત ડાબેરી સોચ ધરાવતા મંટોના લેખનમાં સચ્ચાઈને એવી રીતે રજૂ કરવાની તાકાત છે જે લાંબા અરસા સુધી પાઠકના દિલોદિમાગ પર તેમની પકડ બનાવી રાખે છે.2012માં પૂરા હિન્દુસ્તાનમાં મનાવવામાં આવેલી મંટોની જન્મ શતાબ્દી એ વાતનું સબૂત છે કે મંટો આજે પણ તેમના પાઠકો અને પ્રશંસકો માટે જીવંત છે.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...