Skip to main content

ગામા પહેલવાન: કુસ્તીના દંગલનો પહેલવાન જે ક્યારેય હાર્યો નહીં.


ગામાનો જન્મ 22 મે 1878ના રોજ થયો હતો અને 23 મે 1960ના રોજ તેમનું અવસાન થયું હતું.
'શેર-એ-પંજાબ' 'ધ ગ્રેટ ગામા' જેવા બિરુદ મેળવનાર ગામા પહેલવાનનો જન્મ 22 મે 1878ના રોજ અમૃતસર પંજાબમાં કુસ્તી પ્રેમી કાશ્મીરી 'બટ્ટ' પરિવારમાં થયો હતો. તેમનું અસલ નામ ગુલામ મુહમ્મદ બક્ષ હતું. તેમના પિતાનું નામ 'પહેલવાન મુહમ્મદ અઝીઝ' હતું. પિતા પણ દેશી કુસ્તીના ખેલાડી હતા. જેમ કે પ્રારંભિક તાલીમ ઘરે જ થઈ હતી. કુસ્તીની રમત તેમની નસે-નસોમાં જડેલી હતી. ગામા અને તેમના ભાઈ 'ઇમામ બક્ષ'એ શરૂઆતમાં પંજાબના પ્રખ્યાત 'પહેલવાન માધો સિંઘ' પાસેથી કુસ્તીના દાવ-પેંચ શીખવાનું શરૂ કર્યું.
તેમણે 10 વર્ષની નાની ઉંમરે પ્રથમ કુસ્તી લડી હતી. 1890માં જોધપુરના રાજા દ્વારા આયોજિત દંગલમાં તેઓ પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. છોટે ઉસ્તાદ ગામા પણ તે કુસ્તીમાં સામેલ થયા હતા. ઘણા મોટા કુસ્તીબાજો વચ્ચે શારીરિક કસરતના પ્રદર્શનમાં ભાગ લીધો. જોધપુરના રાજાએ જ્યારે ગામાની ચપળતા અને કસરત જોઈ, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. મહારાજા જોધપુરે ગામાને તેની અદભૂત શારીરિક ક્ષમતાઓ માટે પુરસ્કાર આપ્યો.
કહેવાય છે કે ગામાએ અહીંથી પાછું વળીને જોયું નહીં. 19 વર્ષનો થતાં સુધીમાં ગામાએ ભારતના પ્રખ્યાત એક થી એક કુસ્તીબાજોને હરાવ્યા હતા.
દતિયાના મહારાજા ભવાની સિંહે ગામા અને તેમના ભાઈ ઈમામ બક્ષને કુસ્તી લડવા માટેની સગવડો પૂરી પાડી હતી.
દિવસમાં પાંચ હજાર ઉઠક-બેઠક અને ત્રણ હજાર દંડ બેઠકો કરનાર; જે વ્યક્તિ દરરોજ 10 લિટર દૂધ, અડધો લિટર ઘી, મોટી માત્રામાં બદામ અને જ્યુસ અને પ્રતિદિન છ મરઘીઓ ખાનાર સામાન્ય માનવી ન હોઈ શકે, પરંતુ
'રુસ્તમ-એ-ઝમાં' નામથી વિશ્વમાં પ્રખ્યાત એવા ગામા પહેલવાનનો આ રોજનો આહાર હતો.
કાશ્મીરી 'બટ્ટ' પરિવાર સાથે જોડાયેલા, ગામા પહેલવાન વિશે એવું કહેવામાં આવે છે કે તે વિશ્વનો એકમાત્ર એવો કુસ્તીબાજ છે જે પોતાના જીવનમાં એકપણ કુસ્તી હાર્યો નથી. 5 ફૂટ 7 ઇંચના ગામાએ વિશ્વના સૌથી ઊંચા કુસ્તીબાજોને ઘણી વખત માત આપી છે.
રહીમબખ્શ સુલતાનીવાલાને પોતાની અપ્રતિમ શક્તિ અને ચપળતાથી હરાવીને ગામાનું નામ દુનિયામાં ઝડપથી ફેલાઈ ગયું.
19 વર્ષીય ગામાએ ભારતના તત્કાલીન વિજેતા 'પહેલવાન રહીમ બક્ષ સુલતાનીવાલા'ને પડકાર ફેંક્યો હતો.
કહેવાય છે કે રહીમ બક્ષની લંબાઈ 7 ફૂટ હતી. ગામામાં અપ્રતિમ શક્તિ અને ચપળતા હતી પરંતુ ગામા 5 ફૂટ 7 ઇંચ ઊંચા હતા. રહીમ બખ્શ તેની પ્રૌઢ અવસ્થા પર પહોંચી ગયા હતા અને તેમની કુસ્તીનો છેલ્લા સમયમાં લડી રહ્યા હતા. રહીમબક્ષના ઘડપણનું કારણ ગામાના પક્ષમાં જતું હતું.
ભારતમાં યોજાયેલ કુશ્તીઓમાં, આ કુસ્તીને 'ઐતિહાસિક કુસ્તી' તરીકે ઓળખવામાં આવે છે, જે કલાકો સુધી ચાલી હતી અને અંત આવ્યો હતો. બંને વચ્ચે લાહોરમાં કુસ્તીનો દંગલ યોજાયો હતો અને એવું કહેવાય છે કે તે દિવસે આખું લાહોર માત્ર કુસ્તી જોવા માટે તે મેદાનમાં આવી ગયું હતું. લગભગ સાત ફૂટ ઊંચા કરીમ બક્ષની સામે પાંચ ફૂટ સાત ઈંચના ગામા બાળક જેવા દેખાતા હતા. જેમ કે સામાન્ય રીતે બનતું હોય છે, નવી ઘોડી પર કોઈ દાવ લગાવવામાં આવતો નથી. બધાએ વિચાર્યું કે ટુંક સમયમાં સુલતાની ગામાને હરાવી દેશે. લોકો ત્રણ કલાક બૂમો પાડતા રહ્યા,ભાવ વધતા અને ઘટતા રહ્યા. અંતે કંઈ પરિણામ આવ્યું નહીં. બંને સરખા નીકળ્યા. આ કુસ્તીની અસર એવી થઈ કે ગામા આખા ભારતમાં પ્રખ્યાત થઈ ગયા.
એના પછી ફરી ગામા અને રહીમબક્ષ વચ્ચે કુસ્તી થઈ ત્યારે ગામાએ રહીમબક્ષને હરાવ્યો હતો, પરંતુ ગામાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને એક કાનમાં પણ ઈજા થઈ હતી.
રહીમ બક્ષને ગામા તેમના કુસ્તી અને કુસ્તી યુગના સૌથી મોટા, પડકારરૂપ અને શક્તિશાળી પ્રતિસ્પર્ધી તરીકે ગણતા હતા. ગામાએ આ કુસ્તી જીતીને ‘રુસ્તમ-એ-હિંદ’નું બિરુદ મેળવ્યું હતું.
તેમણે વિશ્વ કુસ્તીમાં અમેરિકાના પહેલવાન બેન્જામિન રોલર, વર્લ્ડ ચેમ્પિયન પોલેન્ડના સ્ટેનલી જિબિસ્કોને હરાવ્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયન સ્ટેનલી જિબિસ્કો વિશે એવું કહેવાય છે કે તેનું વજન વધારે હોવા છતાં તે ગામાથી ડરતો હતો. એકવાર કુસ્તી દરમિયાન, આ પોલેન્ડનો આ કુસ્તીબાજ મેદાન અધવચ્ચે છોડીને ભાગી ગયો હતો.
1910 માં, ગામા તેમના ભાઈ સાથે લંડન જવા રવાના થયા. તે દિવસોમાં લંડનમાં 'ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન્સ' નામની કુસ્તી સ્પર્ધા યોજાઈ રહી હતી. તેના નિયમો અનુસાર, ગામાનું કદ ઓછું હતું, તેથી તેને કુસ્તીમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યો હતો. આના પર ગામાને ગુસ્સો આવ્યો અને તેણે જાહેરાત કરી કે તે વિશ્વના કોઈપણ કુસ્તીબાજને હરાવી શકે છે અને જો આવું નહીં થાય તો તે વિજેતા કુસ્તીબાજને ઈનામ આપીને ભારત પરત ફરશે.
તે દિવસોમાં પોલેન્ડના સ્ટેનિસ્લોસ ઝ્બયિશ્કો, ફ્રાન્સના ફ્રેન્ક ગાચ અને અમેરિકાના બેન્જામિન રોલર વિશ્વ કુસ્તીમાં ખૂબ પ્રખ્યાત હતા. રોલરે ગામાની ચેલેન્જ સ્વીકારી. પ્રથમ રાઉન્ડમાં, ગામાએ તેમને દોઢ મિનિટમાં પછાડી દીધા અને બીજા રાઉન્ડમાં, 10 મિનિટથી પણ ઓછા સમયમાં તેને ફરીથી પછાડી દીધો! પછી બીજા દિવસે, ગામાએ દુનિયાભરના 12 કુસ્તીબાજોને મિનિટોમાં હરાવીને અપસેટ સર્જ્યો. આયોજકોને હારીને બાદ ગામાને કુસ્તીમાં પ્રવેશ આપવો પડ્યો હતો.


પછી 10 સપ્ટેમ્બર 1910નો એ દિવસ આવ્યો જ્યારે બુલ પ્રતિયોગિતામાં વિશ્વ વિજેતા પોલેન્ડના સ્ટેનિસ્લોસ ઝ્બયિશ્કો ગામાની સામે હતા. એક મિનિટમાં ગામાએ તેમને નીચે પાડી દીધા અને પછીના અઢી કલાક સુધી તે હારી ન જાય તે માટે ફ્લોર પર ચોંટેલો રહ્યો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. વિજેતા નક્કી ન હોવાથી, એક અઠવાડિયા પછી ફરીથી કુસ્તી યોજાઈ. 17 સપ્ટેમ્બર, 1910 ના રોજ, સ્ટેનિસ્લોસ ઝ્બબયિશ્કો લડવા જ ન આવ્યો. ગામાને વિજેતા તરીકે સ્વીકારી લેવામાં આવ્યા. જ્યારે પત્રકારોએ ઝ્બયિશકીને પૂછ્યું તો તેઓએ કહ્યું, 'આ માણસ મારા પરાક્રમનો નથી.' જ્યારે ગામાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "વગર લડ્યે જીતવા કરતાં મને લડીને હારવામાં વધારે ખુશી થાત."
1947 માં ભારતના ભાગલા સમયે, ગામા પાકિસ્તાન ચાલ્યો ગયો અને ત્યાં તેમના ભાઈ ઈમામબખ્શ અને તેમના ભત્રીજાઓ સાથે બાકીનું જીવન વિતાવ્યું. ગામા અમૃતસરથી લાહોરની મોહિની ગલીમાં સ્થાયી થયા હતા. 'રુસ્તમ-એ-ઝમાં'ના છેલ્લા દિવસો ભારે મુશ્કેલી અને મુસીબતમાં પસાર થયા.
આ અજેય માણસને રાવી નદીના કિનારે એક નાનકડી ઝૂંપડીમાં રહેવું પડ્યું હતું. તેણે પોતાના જીવનના અંતિમ દિવસો સોના-ચાંદીના અમૂલ્ય સંભારણું વેચીને પસાર કરવા પડ્યા. તે હંમેશા બીમાર રહેતો. તેમની બીમારીના સમાચાર સાંભળીને ભારતવાસીઓનું દુઃખી થવું સ્વાભાવિક હતું. 23 મે 1960 ના રોજ લાહોરમાં જ તેમનું અવસાન થયું.
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...