Skip to main content

દાન્તે, "ધ ડિવાઇન કોમેડી


 "નરકમાં સૌથી ગરમ સ્થાનો એવા લોકો માટે આરક્ષિત છે જેઓ મહાન નૈતિક સંકટના સમયમાં તેમની તટસ્થતા જાળવી રાખે છે."

- દાન્તે, "ધ ડિવાઇન કોમેડી," ભાગ 1, "ઇન્ફર્નો"
કવિ
જન્મઃ 1265 A. D
અવસાન: સપ્ટેમ્બર 14, 1321
જન્મ: ફ્લોરેન્સ, ઇટાલી
56 વર્ષની વયે અવસાન થયું
દુઆરાન્તે દેગલી અલિગીરી, જે દાન્તે તરીકે પ્રખ્યાત છે, તે ઈટાલિયન કવિ હતા જેઓ 13મી સદીના અંતમાં અને 14મી સદીની શરૂઆતમાં સક્રિય હતા. દાન્તેને ઇટાલીમાં અસ્તિત્વ ધરાવનાર કદાચ સૌથી મહાન કવિ તરીકે ગણવામાં આવે છે અને તેમની રચનાઓ હજુ પણ ઇટાલીમાં વ્યાપકપણે વાંચવામાં આવે છે. તેમને 'ડિવાઇન કૉમેડી' લખવાનો શ્રેય આપવામાં આવે છે જે ઇટાલિયનમાં અત્યાર સુધી રચાયેલી કદાચ સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક કૃતિ તરીકે ગણવામાં આવે છે. ‘ડિવાઇન કોમેડી’નો અસંખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેની ગણના વિશ્વ સાહિત્યના રત્નોમાં થાય છે. ઇટાલિયન ભાષાના ઈતિહાસમાં દાન્તે કદાચ સૌથી મોટી વ્યક્તિ છે કારણ કે યુરોપમાં જ્યારે લેટિન પ્રબળ ભાષા હતી તે સમયે તેમણે તેમના કામ દ્વારા ભાષાને સૌપ્રથમ આકાર આપ્યો હતો. બોકાસીયો અને પેટ્રાર્ક જેવા મહાન ઇટાલિયન લેખકો તેમના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા અને તેમના જીવનકાળમાં તેમણે બનાવેલી સાહિત્યિક કૃતિઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. દાન્તે 13મી સદીના ઇટાલીમાં ડોલ્સે સ્ટિલ નોવો સાહિત્યિક ચળવળના સૌથી દૃશ્યમાન સભ્ય પણ હતા, જે પ્રેમ પર આધારિત સાહિત્યમાં પ્રગટ થયા હતા. પછીના મધ્ય યુગના શ્રેષ્ઠ દિમાગમાંથી કેટલાક પસંદગીના અવતરણો છે જેમણે ભાષાના ભાવિને આકાર આપ્યો.
દુનિયામાં આજે પણ પ્રેમ ગાથાઓ એટલી જ પ્રચલિત અને જન સમુદાયમાં પ્રચલિત છે, જેટલી સેંકડો હજારો વર્ષ પહેલાં હતી. નળ-દમયંતી, લૈલા-મજનુ, હીર-રાંઝા, સોહની-મહિવાલ, રોમીયો-ઝુલિયટ, લોરિક-ચંદા વગેરે વગેરે. આવી જ એક અદ્રશ્ય,અદ્ભુત - અદ્વિતીય પ્રેમગાથા છે દાંતેનું "મહાકાવ્ય-ડિવાઇન કોમેડી".
દાંતે તેની પ્રેમિકા વિએટ્રીસને આખા જીવનમાં માત્ર ત્રણ વાર જ જોવે છે. એકવાર 9 વર્ષની નાની વયે, બોલ્યા કશું નહીં, બસ એકીટસે જોઈ રહ્યા એકબીજાની સામે. બીજીવાર નવ વર્ષ પછી 18 વર્ષની વયે મળ્યા, ત્યારે અત્યંત શ્રદ્ધાભાવથી નમસ્કાર કર્યા. પ્રેમની ઘનઘોર અનુભૂતિ છતાં શબ્દોનું આદાનપ્રદાન નહીં, બસ મૌન અભિવ્યક્તિ. પ્રેમના ઉત્તુંગ શિખર પર દાંતે પોતાની સાથે વિએટ્રીસને મેળવતો અનુભવતો,પરંતુ મોઢા પર એક શબ્દ ન બોલતો. વિએટ્રીસ પણ એની મહાનતાને, તેની પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિને જાણતી હોય એમ સ્વિકાર કરતી,પરંતુ તેણીને એ આભાસ પણ ન હતો કે ઈટલીનો મહાનતમ કવિ એના પ્રેમનો ઉપાસક છે.
વિએટ્રીસના વિવાહ અન્યત્ર થઈ ગયા. દાંતે જરાપણ વિચલિત થયા વિના સાહિત્ય સાધનામાં ડૂબી ગયો. વિએટ્રીસ પ્રત્યેનો પ્રેમ જ એની પ્રેરણા રહી. વિએટ્રીસનું લગ્ન જીવન થોડાક સમયનું રહ્યું. 35 વર્ષ ની નાની ઉંમરે તેણીનું મૃત્યુ થયું. આમ આકસ્મિક મૃત્યુ પર દાંતેએ લખ્યું કે મારી જીવનની ખુશીઓ જતી રહી. હું સુનો નહીં પરંતુ શૂન્ય થઈ ગયો. નિરાશ, નિરાનંદ, ભગ્ન હૃદય એવી દુખી અવસ્થામાં દાંતેએ લખી નાંખ્યું વિશ્વ પ્રસિદ્ધ મહાકાવ્ય "ડિવાઇન કોમેડી".
આ મહાકાવ્યના નાયક - નાયિકા બીજું કોઈ નહીં, સ્વયં દાંતે અને એની પ્રેયસી વિએટ્રીસ છે. પવિત્રતાના પ્રતિમાન પ્રેમી યુગલને હાર્દિક શ્રદ્ધાંજલિ..

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...