એવો આરોપ છે કે નેહરુ પટેલને નફરત કરતા હતા, જ્યારે પટેલના બલિદાનથી નેહરુ વડાપ્રધાન બન્યા હતા.આ એક લાંબા ષડયંત્રનો માત્ર એક ભાગ છે જેથી કરીને આપણે તેમના મૂળ વિચારોને ભૂતકાળના ખાડામાં નાખી દઈએ અને દેશમાં સાંપ્રદાયિક શક્તિઓનું કાયમી શાસન બની જાય.લાંબા સામાજિક જીવનમાં યોગદાન આપનાર બે વિચારસરણીવાળા લોકો વચ્ચે સ્વસ્થ વૈચારિક તફાવત તો રહેતા જ હોય છે. અને કેમ ન હોય? દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વિચારતો હોય છે, અને રસ્તા નિકાળવાના પ્રયાસો કરતા હોય આ સ્વભાવ સમાજ અને શાસન બંને માટે સારું જ હોય છે. આનાથી સમાજમાં લોકશાહી પણ વધે છે.
મહાત્મા ગાંધીએ વડા પ્રધાન માટે નેહરુને ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યા હતા, તેના 2 મુખ્ય કારણો હતા
1) પ્રથમ કે પટેલ વૃદ્ધ થઈ ગયા હતા અને અસ્વસ્થ રહેતા હતા.
2) અને બીજું, નેહરુ પાસે એ વિઝન હતું કે નવા રાષ્ટ્રને જટિલ વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાનું સ્થાન બનાવવાની જરૂર છે.
અને દુનિયાએ પાછળથી જોયું કે આ કારણો પણ સાચા સાબિત થયા.
નેહરુ અને પટેલ બંને હંમેશા દેશના હિતને ધ્યાનમાં રાખીને કામ કરતા હતા.બંને મુદ્દાઓ પર એકબીજાની સલાહ લેતા હતા..'પટેલે એકવાર લખ્યું હતું કે 'લોકો માટે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હશે કે જ્યારે આપણે એકબીજાથી દૂર થવું પડે છે...'...અને આપણે સમસ્યાઓ ઉકેલવા માટે એકબીજાની સલાહ લેવાની સ્થિતિમાં ન હોઈએ, ત્યારે આપણ બંને એકબીજાની કેટલી ખોટ વર્તાય છે.'
હરિભાઉ ઉપાધ્યાયે તેમના સંસ્મરણો 'સરદાર પટેલઃ એ કોન્ટ્રાસ્ટ વીથ નેહરુ'માં લખ્યું છે કે 'જો બંનેમાંથી કોઈની નીતિની કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા ટીકા કરવામાં આવતી, ત્યારે બંને એકબીજાના બચાવમાં તે ટીકાને લઈને ઊતરી આવતા. બંને એકબીજા માટે ઢાલનું કામ કરતા હતા.
બંનેના સંબંધો કેવા હતા અને તે કેટલા મહત્વપૂર્ણ હતા તે અંગે મોટા પત્રકાર એ.એસ. આયંગર, તેમના પુસ્તક 'ઓલ થ્રુ ધ ગાંધીયન એરા (નેહરુ અને પટેલ)' પ્રકરણમાં લખે છે કે 'આ દેશ માટે નસીબની વાત છે કે આપણી પાસે નેહરુ અને પટેલના રુપમાં બે વ્યક્તિત્વો છે જે એકબીજાના પૂરક ગુણો ધરાવે છે.'
જે લોકો અંધભક્તિમાં ડૂબેલા રહીને નેહરુને રાષ્ટ્રવિરોધી કહે છે, પણ પટેલની પૂજા કરે છે, તેઓએ 14/9/49 ના રોજ નહેરુ પર પટેલે લખેલ આ અંશ અવશ્ય વાંચવું જોઈએ. પટેલે લખ્યું છે કે 'આ મારા કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે નહીં. તેઓ કેટલી મહેનત કરે છે. આપણા અસ્તિત્વના આ બે મુશ્કેલ વર્ષોમાં દેશ માટે કેટલું કામ કર્યું છે. દેશ પ્રત્યેની તેમની વિશાળ જવાબદારીઓ અને તેમની ચિંતાઓને કારણે મેં તેમને આ બે વર્ષમાં ઝડપથી વૃદ્ધ થતા જોયા છે.'
આ અમારા નહીં પણ સરદાર પટેલના શબ્દો છે.
નેહરુ પણ ઘણી જગ્યાએ પટેલ વિશે સુંદર ઉલ્લેખ કરે છે.
તેમની આત્મકથામાં એક વિવાદનો જવાબ આપતા તેમણે લખ્યું કે 'કદાચ આખા ભારતમાં સરદાર પટેલ જેવા ગાંધીજીના સાચા ભક્ત કોઈ નહીં હોય. તેઓ નીતિ અને તેમના વ્યક્તિત્વ પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવે છે.તેઓ તેમના કામમાં ગમે તેટલા અઘરા અને મજબુત હોય, તેમને ગાંધીજીના આદર્શો, તેમની નીતિ અને તેમના વ્યક્તિત્વ પ્રત્યે અપાર નિષ્ઠા છે.
આઝાદીના 3 વર્ષ પછી પટેલનું અવસાન થયું. નેહરુને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું, 'સરદારનું જીવન એક મહાન ગાથા છે જેનાથી આપણે બધા પરિચિત છીએ અને આખો દેશ તે જાણે છે. ઈતિહાસ તેમને ઘણા પાનામાં નોંધશે અને તેમને રાષ્ટ્ર નિર્માતા કહેશે. ઈતિહાસ તેમને નવા ભારતના એકીકરણ કરનાર તરીકે ઓળખાવશે.
તેમણે વધુમાં કહ્યું કે 'તે એક મજબૂત કિલ્લા જેવા હતા જેમણે કટોકટીના સમયમાં આપણા બધાના નબળા અને ડગમગતા હૃદયમાં બહાદુરીની ભાવના જગાડી હતી.'
આ તમામ તથ્યો સ્પષ્ટ કરે છે કે આખરે તેમનો સંબંધ કેવો હતો.તેમના સંબંધોના સંદર્ભમાં, ન્યૂયોર્ક ટાઈમ્સના રોબર્ટ ટ્રમ્બુલે એપ્રિલ 1948માં એક લાંબો નિબંધ લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે આ બંનેનો સ્વભાવ અલગ છે, પરંતુ 'તેમના મતભેદોને વધુ પડતા નાટકીય રીતે રીતે રજૂ કરવામાં આવે છે'
સરદાર પટેલ અને નેહરુ વચ્ચે આવા સહાનુભૂતિભર્યા સંબંધો હતા, મતભેદો હતા, પણ સમાજના કયા ભાગમાં નથી હોતા? કયા પરિવાર કે મિત્રતામાં કોઈ મતભેદ નથી? પરંતુ આજે આપણે તેને કેવી રીતે જોઈ રહ્યા છીએ? આજે આપણું પ્રમાણ નાનું થઈ રહ્યું છે આપણે ડહાપણ વેચી માર્યુ છે.
આજે આપણે એ શક્તિઓને સમર્થન આપી રહ્યા છીએ જેઓ રાષ્ટ્રનું વિભાજન, માનવતાનો ક્ષય ઈચ્છે છે.અને પછી આપણે પણ આ વિભાજકોના દૃષ્ટિકોણથી ઇતિહાસને જોવાનું શરૂ કરીએ છીએ.વિચારો જ ટકે છે અને આ વિભાજન શક્તિઓ આવા વિચારો ફેલાવતા ડરે છે.સમજો અને સમજાવો.
સૌજન્ય : હિંદ યુવા પ્રતિષ્ઠાન
Comments
Post a Comment