Skip to main content

શા માટે રાજ કપૂરે મજરૂહ સુલતાનપુરીને એક ગીત માટે મોંઘી કિંમત ચૂકવી?


1951માં એક સરસ દિવસ, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શોમેન રાજ કપૂરે જબ દિલ હી ટૂટ ગયા ફેમ ગીતકાર મજરૂહ સુલતાનપુરી (અસરાર ઉલ હસન ખાન) નો સંપર્ક કર્યો અને તેમને 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મે સમાઈ' શબ્દો સાથે ગીત લખવા કહ્યું.અને તેમને મહેનતાણું તરીકે રૂ. 1,000 ચૂકવ્યા. ચૂકવવામાં આવેલી રકમ પ્રચલિત દર કરતા લગભગ ચાર ગણી હતી અને ગીત કોઈપણ ફિલ્મ માટે નહોતું. રાજ કપૂરે કવિતા માટે આટલી મોટી કિંમત કેમ ચૂકવી? મજરૂહે યાદ કર્યું કે તે સમયે તેમની પત્નીને ગર્ભાવસ્થામાં હતી,બાળકની ચિંતા કરતી હતી અને પોતે પોલીસથી ફરાર ફરતા હતા. મજરૂહને તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડ્યા વિના તેમને મદદ કરવાની રાજ કપૂરની આ રીત હતી.

ભારતીય ફિલ્મોના શ્રેષ્ઠ ગીતકારોમાંના એક મજરૂહ પોલીસથી કેમ ફરાર હતા?
તેમનો ગુનો હડતાળ દરમિયાન કામદારોના અધિકારો માટે ઉભા હતા. મુંબઈ (તે સમયે બોમ્બે)માં મજૂર સંઘના મંચ પરથી એક રેલીમાં મજરૂહે એક કવિતા સંભળાવી:
अमन का झंडा है धरती पे
किसने कहा लहराने न पाए
ये भी कोई हिटलर का है चेला,
मार ले साथी, जाने न पाए!
कोमनवेल्थ का दास हैं नेहरू
मार ले साथी जाने न पाए!
(આપણા શાંતિના ધ્વજ સાથે આવી અસ્વસ્થતા! શું તે હિટલરનો કોઈ આશ્રિત છે કે કોમનવેલ્થનો માત્ર ગુલામ છે? તે નેહરુ છે, મારા મિત્રો. તેને કોલર પકડી લો, જેથી તે દૂર ન જાય.)
આ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ટીકા કરવા સમાન હતું અને તેમની સામે ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. મજરૂહ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. તેમની પત્ની ફિરદૌસ ગર્ભવતી હતી અને તેને પૈસાની સખત જરૂર હતી. રાજ કપૂર તેમના બચાવમાં આવ્યા.
ફૈઝ અહમદ ફૈઝ અને સજ્જાદ ઝહીરની ધરપકડના વિરોધમાં યોજાયેલી જાહેર સભામાં જો તેઓ કવિતા સંભળાવવા ન ગયા હોત તો મજરૂહની ધરપકડ થઈ ન હોત. સ્ટેજ પરથી તેમની ધરપકડ કરવામાં આવી, માફી માંગવા માટે કહેવામાં આવ્યું, જે તેમણે કર્યું નહીં અને એક વર્ષ માટે આર્થર રોડ જેલમાં બંધ રહ્યા. તેમને બે વર્ષની સજા કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ 1952ની સામાન્ય ચૂંટણી પહેલા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
- સાકીબ સલીમ
સૌજન્ય : આવાઝ ધ વોઈસ

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...