Skip to main content

ગુરુ રવીન્દ્રનાથ ટાગોર.


દુનિયાથી દૂર રહીને પણ સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પોતાની હાજરી દર્શાવનાર કવિ ગુરુ રવીન્દ્રનાથ ટાગોર. નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861ના રોજ કલકત્તામાં થયો હતો. 80 વર્ષની વયે તેમણે 7 ઓગસ્ટ 1941ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનની આ સફરમાં સાહિત્ય, સંગીત, કલા અને શિક્ષણના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું હતું. તેમની કૃતિઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રખ્યાત થઈ. તેમની કૃતિઓ એટલી પ્રભાવશાળી હતી કે ઘણા ફિલ્મકારોએ તેમના પર ફિલ્મો પણ બનાવી, ચાલો જાણીએ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર બનેલી કેટલીક ખાસ ફિલ્મો...

મિલન:
વર્ષ 1945-46માં પ્રખ્યાત નિર્દેશક નીતિન બોઝે ગુરુ રવીન્દ્ર નાથ ટાગોરની 'નૌકા ડૂબી' નવલકથા પર મિલન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં એક્ટર દિલીપ કુમારે કામ કર્યું હતું. દિલીપ કુમાર અભિનીત આ પહેલી હિટ ફિલ્મ હતી.
કાબુલીવાલા:
ગુરુ રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓમાં કાબુલીવાલા પણ એક ઉત્તમ રચના રહી. નિર્માતા બિમલરોયે તેમની આ રચના પર 1961માં ફિલ્મ કાબુલીવાલા બનાવી હતી. તેમની આ ફિલ્મ ઘણી ફેમસ થઈ હતી. આ ફિલ્મનું ગીત, એ મેરે પ્યારે વતન એ મેરે બિછડે વતન... આજે પણ લોકોના હૃદયને સ્પર્શે છે. આમાં કાબુલીવાલા તેની નાની છોકરીને યાદ કરતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા બલરાજ સાહનીનો અભિનય પ્રશંસનીય રહ્યો હતો.
ઉપહાર:
રવીન્દ્રનાથ ટાગોરની રચના 'સમાપ્તિ' પર પણ ફિલ્મ બની છે. 1971 માં, રોય સુધેન્દુએ તેના પર બનેલી ઉપહાર ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી જયા બચ્ચન લીડ રોલમાં હતી. રવીન્દ્રનાથ ટાગોરની આ રચનામાં સંબંધોની સુંદરતા અને ઊંડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નૌકા ડૂબી :
ગુરુ રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓમાં મુખ્યત્વે 'કશમકશ' રચના ખૂબ જ પ્રશંસનીય હતી. લગભગ 4 વર્ષ પહેલા 2011માં આ ‘નૌકા ડુબી’ પર આધારિત ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નિર્માણ બંગાળી ફિલ્મ નિર્માતા રિતુપર્ણો ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાયમા અને રિયા સેન બંને બહેનો લીડ રોલમાં છે.
ચાર અધ્યાય :
1997માં રવીન્દ્રનાથની 'ચાર અધ્યાય' પર આધારિત ફિલ્મ ચાર અધ્યાય બની ચૂકી છે. આ નવલકથામાં બ્રિટિશ રાજ સામેના સશસ્ત્ર વિદ્રોહની નબળાઈનો નજીકથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નંદિની ઘોસાલ અને સુમંત ચટ્ટોપાધ્યાય અભિનીત આ ફિલ્મનું નિર્દેશન કુમાર સાહનીએ હિન્દીમાં કર્યું હતું.

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...