Skip to main content

ચાર્લી ચેપ્લીન


સર ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિન જુ.કેબીઇ (16 એપ્રિલ 1889 - 25 ડિસેમ્બર 1977)..
" માફ કરશો, પણ હું સમ્રાટ બનવા નથી માંગતો.આ મારું કામ નથી. મારે કોઈ પર રાજ કરવું નથી, મારે કોઈને હરાવવા નથી. બલ્કે હું દરેકને મદદ કરવાનું પસંદ કરીશ. યુવાન, વૃદ્ધ, કાળો, ગોરો બધાની. આપણે બધા એકબીજાને મદદ કરવા માંગીએ છીએ.માણસનો સ્વભાવ જ આ છે. આપણે બધા એકબીજાની તકલીફો જોઈને ખુશ થવા નહિ પણ સાથે ખુશીથી જીવવા માંગીએ છીએ.આપણે એકબીજાને ધિક્કારવા અને નફરત કરવા માંગતા નથી. આ દુનિયામાં દરેક માટે અવકાશ છે અને પૃથ્વી એટલી તો સમૃદ્ધ છે કે દરેકની જરૂરિયાતો પૂરી કરી શકે.
જીવન જીવવાની રીત મુક્ત અને સુંદર હોઈ શકે છે, પરંતુ આપણે આપણા માર્ગથી ભટકી ગયા છીએ. લોભ-લાલચે માનવીના અંતઃકરણને ઝેરી બનાવી દીધું છે. વિશ્વને નફરતની દિવાલોએ જકડી લીધું છે.આપણને મુશ્કેલ અને રક્તપાતની સ્થિતિમાં ધકેલી દેવામાં આવ્યા છે. આપણે ઝડપ વિકસાવી છે, પરંતુ ખુદને તેમાં બંધ કરી દીધી છે. મશીનો ઘણુંબધું ઉત્પાદન કરે છે, પણ આપણે ગરીબ છીએ. આપણા જ્ઞાને આપણને ગાંડા બનાવ્યા છે. ચાલાકીએ કઠોર અને નિર્દય બનાવ્યા છે. આપણે વિચારીએ વધું છીએ અને અનુભવીએ ઓછું છીએ. આપણને મશીનો કરતાં માનવતાની વધુ જરૂર છે. બુદ્ધિને બદલે ભલાઈ અને દયાની જરૂર છે. આ ગુણો વિના, જીવન હિંસાથી ભરાઈ જશે અને બધું સમાપ્ત થઈ જશે.
વિમાન અને રેડિયો જેવી શોધે આપણને એકબીજાની નજીક લાવ્યા. આ શોધોની સ્વભાવિક પ્રવૃત્તિ માણસો પાસે વધુ આદરની માંગ કરે છે. વિશ્વભરમાં ભાઈચારાની માંગ કરે છે. અત્યારે પણ, મારો અવાજ વિશ્વભરના લાખો લોકો સુધી, લાખો નિરાશ-હતાશ પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો સુધી,વ્યવસ્થાના શિકાર એ નિર્દોષ પીડિતો સુધી પહોંચે છે જેમને પ્રતાડિત અને કેદ કરવામાં આવે છે. જેઓ મને સાંભળી શકે છે, હું તેમને કહું છું કે નિરાશા ન થાઓ. આજે આપણા પર જે બદહાલી લાદવામાં આવી છે તે લોભ અને લાલચનું પરિણામ છે, મનુષ્યના દ્વેષનું પરિણામ છે. પરંતુ એક દિવસ લોકોના મનમાંથી નફરતનો અંત આવશે.તાનાશાહોનો અંત આવશે અને તેમણે જે સત્તા લોકો પાસેથી છીનવી છે તે લોકોને પરત કરવામાં આવશે. ભલે આજે લોકો માર્યા જાય છે, પરંતુ તેમની આઝાદી ક્યારેય નહીં મરે.
જવાનો ! પોતાની જાતને છેતરપિંડી કરનારાઓને સોંપશો નહીં. જે લોકો તમને ધિક્કારે છે તેઓ તમને ગુલામ બનાવીને રાખે છે. જે તમારું જીવનના ફેંસલા નક્કી કરે છે. તમને કહે છે કે તમારે શું કરવું, શું વિચારવું અને શું અનુભવવું જોઈએ. જેઓ તમને ખવડાવે છે, તમારી સાથે પાલતુ પ્રાણીઓની જેમ વર્તે છે.પોતાની જાતને આ બનાવટી લોકોના હવાલે ન કરો. મશીની દિલ અને મશીની દિમાગ ધરાવતા આ યાંત્રિક લોકોને હવાલે ન થાઓ. તમે મશીન નથી! તમે પાળતુ પ્રાણી પણ નથી! તમે માનવ છો! તમારા હૃદયમાં માનવતા માટે પ્રેમ છે.
તમે નફરત નથી કરતા ! નફરત ફક્ત એ લોકો જ કરે છે, જેમને કોઈ પ્રેમ નથી કરતું, ફક્ત અપ્રિય અને નકામા લોકો. સૈનિકો, આઝાદી માટે લડો, ગુલામી માટે નહીં.
સેંટ લ્યુકના 17મા અધ્યાયમાં લખ્યું છે, 'ઈશ્વરનું સામ્રાજ્ય માણસની અંદર જ છે'. આ સામ્રાજ્ય કોઈ એક વ્યક્તિ કે કોઈ ચોક્કસ જૂથની અંદર નથી, પરંતુ તમામ મનુષ્યોની અંદર છે. તમારામાં પણ. તમારી પાસે જ મશીનો બનાવવાની શક્તિ છે. ખુશીઓ સર્જન કરવાની શક્તિ છે. તમારામાં જ તમારા જીવનને સુંદર અને મુક્ત બનાવવાની શક્તિ છે. માત્ર તમે જ તેને રોમાંચક યાત્રા બનાવી શકો છો.
તો આઓ, લોકતંત્રના નામે આ શક્તિનો ઉપયોગ સૌને એક કરવા માટે કરીએ. એવા વિશ્વ માટે લડવું જે તમામ મનુષ્યોને કામ કરવાની સમાન તકો આપે. જે દેશના યુવાનોનું ભવિષ્ય સુનિશ્ચિત કરે અને વૃદ્ધોની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરે. આવા જ વચનોથી ક્રૂર લોકો સત્તામાં આવ્યા છે. પરંતુ તેઓ જૂઠું બોલે છે. તેમણે પોતાના વચનો પૂરા કર્યા નથી. ક્યારેય કરશે પણ નહીં. સરમુખત્યારો પોતે તો આઝાદ છે, પરંતુ લોકોને ગુલામ બનાવે છે. ચાલો તે વચનો પૂરા કરવા માટે યુદ્ધ લડીએ. વિશ્વને મુક્ત કરવા માટે લડીએ. રાષ્ટ્રીય સીમાઓથી મુક્ત થઈ જઈએ. લોભ-લાલચ,નફરત અને દ્વેષથી છૂટકારો મેળવીએ. એક એવી દુનિયા માટે સંઘર્ષ કરીએ જ્યાં વિજ્ઞાન અને વિકાસ સુખના પથ-દર્શક થઈ જાય !
સૈનિકો! ચાલો આપણે બધા લોકશાહીના નામે એક થી જઈએ!”
- ધ ગ્રેટ ડિક્ટેટરનું અંતિમ ભાષણ
ધ ગ્રેટ ડિક્ટેટર ચેપ્લિનની સંવાદ સાથેની પ્રથમ ફિલ્મ હતી. ચેપ્લિન ઘેટ્ટોમાં રહેતા નાના યહૂદી વાળંદ અને ટોમૈનિયાના સરમુખત્યાર શાસક હિંકેલ બંનેની ભૂમિકા ભજવે છે. તેમની આત્મકથામાં ચૅપ્લિને પોતાને ટાંકીને કહ્યું હતું કે: “નાઝી વિરોધી બનવા માટે કોઈ યહૂદી હોવું જરૂરી નથી. દરેક વ્યક્તિએ સામાન્ય શિષ્ટ માનવી બનવું જોઈએ."
ચૅપ્લિન અને હિટલરના જન્મનો ગાળો અઠવાડિયાનો જ હતો. "લિટલ ટ્રેમ્પ અને એડોલ્ફ હિટલર વચ્ચે સામ્યતામાં કંઈક અસ્પષ્ટ હતું, જે માનવતાના વિરોધી ધ્રુવોનું પ્રતિનિધિત્વ કરે છે," ચેપ્લિનના જીવનચરિત્રકાર ડેવિડ રોબિન્સન લખે છે, 21મી એપ્રિલ 1939ના રોજ ધ સ્પેક્ટેટરમાંથી એક સહી વિનાનો લેખ પુનઃ રજૂ કરે છે:
“પ્રોવિડન્સ વ્યંગાત્મક મૂડમાં હતો જ્યારે, પચાસ વર્ષ પહેલાં, આ અઠવાડિયે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચાર્લ્સ ચેપ્લિન અને એડોલ્ફ હિટલરે ચાર દિવસના ગાળામાં વિશ્વમાં પ્રવેશ કરવો જોઈએ…. દરેકે પોતપોતાની રીતે વિચારો, લાગણીઓ વ્યક્ત કરી છે. , સમાજના ઉપલા અને નીચલા મિલના પથ્થરો વચ્ચે સંઘર્ષ કરતા લાખો નાગરિકોની આકાંક્ષાઓ. (...) દરેકે એક જ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરી છે - આધુનિક સમાજમાં "નાના માણસ" ની દુર્દશા. દરેક એક વિકૃત અરીસો છે, એક સારા માટે, બીજો અકથ્ય અનિષ્ટ માટે.
ચૅપ્લિને ફિલ્મના અંત માટે ભાષણનો મુસદ્દો તૈયાર કરવામાં અને ફરીથી લખવામાં ઘણા મહિનાઓ ગાળ્યા હતા, જે વાળંદ તરફથી શાંતિ માટે બોલાવવામાં આવ્યો હતો, જેને હાયન્કલ માટે ભૂલ કરવામાં આવી હતી. ઘણા લોકોએ ભાષણની ટીકા કરી, અને વિચાર્યું કે તે ફિલ્મ માટે અનાવશ્યક છે. અન્યને તે ઉત્કૃષ્ટ લાગ્યું. અફસોસની વાત એ છે કે ચેપ્લિનના શબ્દો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા તેઓ 1940માં હતા.
- ધ ગ્રેટ ડિક્ટેટરમાં ચાર્લી ચેપ્લિનના અંતિમ ભાષણની ટ્રાન્સક્રિપ્ટ
સૌજન્ય : https://www.charliechaplin.com

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...